SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૭૦ પ્રબુદ્ધ જીવન ૨૬૭ અને તે ખ્યાએ તેમને અનુસરનારાઓમાં બૌદ્ધિક વિભ્રમે ઊભા કર્યા છે અને તેમની કાર્યશકિતને કંઠિત કરી છે. સંભવ છે કે આ મારી સમજણ પાયામાંથી ભૂલ ભરી હોય અથવા તે વિનોબાજીને વિષે ગેરસમજૂતીપૂર્ણ હોય. આમ છતાં પણ આ બાબતેની વિચારક સ્પષ્ટતા કરે – વધારે ઊંડાણથી-ઝીણવટથી ચર્ચા કરેએ આશયથી આ મારા વિચારો અહિ રજૂ કરવા હું પ્રેરાયો છું. શ્રી નાનક મેટવાણીનું દુ:ખદ અવસાન ગયા માર્ચ માસની ૧૩ મી તારીખે શીકાગે રેડીના માલિક અને મુખ્ય સંચાલક શ્રી નાનક મોટવાણીનું આશરે ૬૭ વર્ષની ઉમ્મરે અવસાન થતાં મુંબઈ શહેરને એક અગ્રગણ્ય નાગરિકની ખોટ પડી છે. ધ્વનિવર્ધક યંત્ર આજના જાહેર જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. અને આ યંત્રને લગત વ્યવસાય શીકાગો રેડિયોએ એટલો બધે વિકસાવ્યો છે કે ધ્વનિવર્ધક યંત્ર અને શિકાગો રેડીયે એ આજે પર્યાય શબ્દ બની ગયા છે. આ વ્યવસાયમાં આજે અનેક લોકો પડયા છે. પણ શીકાગે રેડિયેની સર્વિસ આજે પણ સૌથી વધારે વિશ્વસનીય ગણાય છે. મુંબઈમાં ભાગ્યે જ એવાં મોટા પાયાનાં સંમેલને જાયા હશે કે જેમાં ધ્વનિવર્ધક યંત્રના આયોજક તરીકે નાનક મેવાણી ઉપસ્થિત ન હોય. કેંગ્રેસનાં લગભગ બધાં અધિવેશનની મને પેલી તે શીકાગો રેડિયોને જ વરેલી હતી. તે પાછળ હતી શ્રી નાનક મેવાણીની કુશળ કામગીરી અને ઊંડી રાષ્ટ્રનિષ્ઠા. સંઘ દ્વારા યોજાતા કાર્યક્રમોના અનુસંધાનમાં ધ્વનિવર્ધક યંત્રને લગની સગવડ પ્રાપ્ત કરવા અંગે મને પિતાને ભાઈ નાનકને અનેક વાર મળવાનું બનતું અને આ કારણે અમારી વચ્ચે ઊંડે સદ્ભાવભર્યો સંબંધ નિર્માણ થયે હતો. ઓફિસમાં હું જાઉં અને મને દૂરથી તેઓ દેખે કે “આઈ સ્વામી પરમાનંદજી, કયા હુકમ હય.” એમ મોટા અવાજે બોલાવીને તેઓ મને આવકાર આપે અને તેમની કામગીરીના બદલમાં હું જે કાંઈ આપું તે પ્રેમથી સ્વીકારે. છેલ્લા પાંચ છ મહિનાથી તેમની તબિયત નરમ ચાલતી હતી, પણ તેની ખબર મને બહુ મોડી પડી. આ ખબર પડતાં ખારમાં આવેલા તેમના નિવાસસ્થાને હું ગયું અને માલુમ પડયું કે, તેમને વૈદ્યકીય તપાસ : અને શસ્ત્રોપચાર માટે તાતા મ મેરિયલ હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેત્રણ દિવસ બાદ હૉસ્પીટલમાં ગયા અને તેમને મળ્યું. તેઓ બિછાનામાં સુતા હતા તે મને જોઈને બેઠા થઈ ગયા અને મને પહેલાં માફક જ બહુ ભાવથી આવકાર આપ્યો. અમારી વાતો દરમિયાન સંઘના નવા કાર્યાલયમાં ધ્વનિવર્ધક યંત્રની સ્થાયી ગેઠવણ કરવાને અમારો વિચાર રજૂ કર્યો અને તે મુજબ ઓફિસના કર્મચારીઓને સૂચના આપવા મેં વિનંતિ કરી. તેમણે મારી આ વાત સાંભળીને જણાવ્યું કે, “જરૂર જરૂર, મારા ઓફિસના લોકોને આ બધું ગઠવી આપવા બરાબર કહીશ. તેની તમે જરા પણ ચિન્તા ન કરશે અને તમારા સંઘને આ મારી ભેટ સમજશે.” આમ વાતે કરીને અમે છૂટા પડયા. આઠ દશ દિવસ બાદ ફરીવાર પણ તેમને હું જોવા ગયેલો. ત્યારે વધારે નરમ લાગેલા. પછી સાંભળ્યું કે, તેમને ઘેર લઈ જવામાં આવ્યા છે. એટલે મેં મુંબઈ માર્ચની ત્રીજી તારીખે અમદાવાદ રાજકોટ જવા માટે છોડવું તે પહેલાં તેમની ખબર કાઢવા તેમના નિવાસસ્થાને પણ જઈ આવેલું. તે વખતે તેમની તબિયત વધારે લથડતી જતી હોય એ ખ્યાલ આવ્યો. રાજકોટ હતો એ દરમિયાન તેમના અવસાનના ખબર મળતાં એક મિત્ર ગુમાવ્યા જેટલો મને આઘાત લાગ્યો. ભાઈ નાનક કુશળ વ્યાપારી અને ઉદ્યોગપતિ તે હતા જ પણ એ ઉપરાંત તેઓ એક ભકત હૃદયના ધર્મપરાયણ માનવી હતા. તેમના દિલમાં દેશની આજની અપદશા અંગે પાર વિનાની બળતરા હતી. તેમના ખારના નિવાસસ્થાને એક મેટું અલગ મંદિર છે. જયાં ભગવાન શ્રી કૃષ્ણની આરસપ્રતિમા મૂકવામાં આવી છે અને દિવસરાત ભજન પ્રાર્થના ચાલ્યા કરતા હોય છે અને દર રવિવારે સાંજે મેટી ભજનમંડળી ત્યાં એકઠી થાય છે. તે માટે કુટુંબ પરિવાર મૂકી ગયા છે જેમના વિશે દિલ ઊંડી સહાનુભૂતિ અનુભવે છે. તેમના આત્માને પરમાત્મા શાશ્વત શાન્તિ અર્પે એ જ પ્રાર્થના. તા. ક.—ઉપર જણાવ્યા મુજબ શીકાગો રેડીયો તરફથી સંઘના કાર્યાલયપાં ધ્વનિવર્ધક યંત્રની સ્થાયી ગોઠવણ થતાં શ્રી નાનક મોટવાણી સંઘ માટે ચિરસ્મરણીય બન્યા છે. એક ધર્મસંકટ તાજેતરમાં માર્ચ માસની આઠમી તારીખે રાજકોટની લાયન્સ કલબ તરફથી યોજાયેલા એક સામુદાયિક સન્માન સમારોહમાં ભાગ લેવા માટે મને રાજકોટ જવાનું બન્યું. સવારના ભાગમાં આ સમીરહમાં જવાની હું તૈયારી કરતો હતો એવામાં મારા નિવાસસ્થાન ઉપર એક મોટરકાર આવી ચડી અને તેમાંથી મારી સાળીની પુત્રી બહેન તારા, તેના પતિ ભાઈ મણિલાલ અને અન્ય કુટુંબીજને બહાર આવ્યાં. આ તારા ધ્રાંગધ્રાના જાણીતાં કુટુંબ વેરા વીરચંદ ભાઈચંદની કુળવધૂ થાય. એની ઉમ્મર આજે આશરે ૫૨ વર્ષની છે. તેને બે પુત્રો અને ત્રણ પુત્રી છે. બે પુત્રમાંથી મોટા પુત્ર હસમુખ બાળપણથી અંધ બન્યો છે. તેની ઉમર આશરે ૩૦ વર્ષની છે. તે ધ્રાંગધ્રામાં તેના માતા-પિતા સાથે રહે છે અને સંગીતશિક્ષકનું કામ કરે છે. બીજા પુત્રને થોડા સમય પહેલાં પરણાવેલ છે, અને તે કુટુંબના વ્યાપાર ધંધામાં જોડાયેલું છે. ત્રણ પુત્રીઓમાંથી બે પરણાવેલી અને એક કુંવારી છે. આ રીતે આ બહેન તારા એક બહોળા સ્થિતિસંપન કુટુંબ પરિવારની જવાબદારી ધરાવતી પ્રૌઢ વયની ગૃહિણી અથવા તે ગૃહમાતા છે. જૈનધર્મ વિષે તેનામાં અપાર શ્રદ્ધા રહેલી છે અને જે ગીતા જૈનાચાર્ય શ્રી વિજયરામચંદ્ર સૂરિના સંસારત્યાગલક્ષી ઉપદેશથી પ્રભાવિત બનીને તે ઘર બાર છેડીને દીક્ષા લેવા ત-૫ર બની છે. આવા સમાચાર ચેડા દિવસ પહેલાં મારા સાંભળવામાં આવતાં હું આશ્ચર્ય અને દુ:ખ અનુભવતો હતો. આ બહેન તારા ફાગણ સુદ ત્રીજ તા. ૧૦-૩-૭૦ ના રોજ જૂનાગઢ ગિરનાર ઉપર ગોઠવાયેલા તેના દીક્ષામહોત્સવ પહેલાં જામનગર ખાતે બિરાજતા પિતાના ગુરુવર્ય શ્રી વિજય રામચંદ્ર સૂરિના આશીર્વાદ લેવા માટે પોતાના સ્વજને સાથે જામનગર ગયેલી અને ત્યાંથી પાછા ફરતાં રાજકોટમાં વસતી મારી પુત્રીને મળવા તેના નિવાસસ્થાને આવી મ્હોંચી અને ત્યાં મને અચાનક જતાં આશ્ચર્ય પામી અને મને કહી રહી કે “માસા, હું દીક્ષા લેવા જૂનાગઢ જાઉં છું. તે મને તમારા આશીર્વાદ આપે!” આ પ્રકારની દીક્ષાને હું આશીર્વાદ શી રીતે આપું? આવા પ્રસંગે મારે આશીર્વાદ આપવા જ જોઈએ – એ વ્યવહારવિચારને અવગણીને મેં તેને અત્યંત વ્યથિત સ્વરે કહ્યું કે: “તારા, તારી બધી કૌટુંબિક જવાબદારી ફેંકી દઈને, આંધળા દીકરાને હડસેલીને, તું જે દીશા લેવા નીકળી છે તેને હું કેમ આવકારું કે તેને હું શી રીતે આશીર્વાદ આપું? આ એ તે કયો ધર્મ છે કે જે માનવીને આમ નિષ્ફર બનતાં શિખવે છે અને સ્થિતિ પ્રાપ્ત ધમ ને તરછોડીને અને પત્ની અને માતાની જવાબદારીને ફંગોળીને વેશપલટો કરવા પ્રેરે છે ! શું તું જયાં છે ત્યાં ધર્મપાલન થઈ શકતું નથી અને આત્મસાધના શકય નથી? જે સાધુઓ પિતાના કુટુંબ પરિવારને ઠોકરે મારવાનો ઉપદેશ આપે છે તે સાધુઓ વિશે - ધર્માચાર્યો વિષે – ૨ કહેવું, શું વિચારવું? હજુ પણ સમજ અને પાછી જા. આ માગ ધર્મને નથી, અધર્મને છે. અને એમ છતાં આજે આ વાત * સમજાતી હોય તો દીક્ષા લીધા બાદ જયારે પણ મારા આ શબ્દો યા આવે અને તારી આ ભૂલ સમજાય ત્યારે પાછી ફરજે અને તાર કુટુંબીઓ તને એટલા જ પ્રેમથી આવકારશે, અપનાવશે.” “માસ આમ ન બેસે. આમ બેલો તે મારું અકલ્યાણ થાય. મારા બી
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy