SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન ૨૬૦ છે- મન કહે તેમ કરતા નથી. મનને ખિસ્સામાં રાખે એ જ મનના મિત્રા, મનને પેલે પાર બેઠેલ ચેતના પરથી ખરું કાર્ય થતું હોય છે. ઘોડા પર બેઠેલા અસવારની જેમ મનને ખૂબ પળોટીને, ખૂબ ગદેડીનેં મનની પકડથી બહાર આવતાં શીખવું જોઈએ. સ્વામી કૃષ્ણપ્રેમને મળતાં પહેલા અનુભવ એ થયો કે મનની સત્તાની ઉપરવટ થઈને જીવતા માણસો સહજપણે જીવતા હાય છેયંત્રવત્ નહિ. તેના પુરાવા શું તે પોતે ન આપે - એમની પાસે જે બેસે તે આપે. આપણે સંકલ્પ કરીએ છીએ, પરંતુ તેમાં પરિસ્થિતિ પ્રમાણે બાંધછાડ કરીએ છીએ. આચરણપૂર્વકનું દર્શન જીવનમાં પ્રગટ થાય ત્યારે જીવન સફળ થાય. જેમકે ગુલાબનું ફૂલ - તેની સૌરભ એ જ તેની વાણી છે. દીપકની યાત-પ્રકાશ એ જ તેની વાણી છે. હુ આ છું એમ જેણે કહેવું પડે છે તે તે! તે નથી અને નથી જ, પરિવર્તનની સૌથી મંગળ ઘડી તે મૃત્યુ છે. આપણા કવિ ઓમકારનાથની ઓળખાણ ઘણા મિત્રે તેમને ‘અહંકારનાથ’ કહીને આપતા હતા, એટલા સ્વભાવે તેઓ ઉગ્ર હતા – એટલેા તેમણે અહંકારને પોષ્યા હતા. તેમની અંતિમ માંદગી વખતે તેમણે ગુજરાત સરકારને કાગળ લખ્યો કે, મને તમે ઍરકન્ડીશન્ડ ડબ્બામાં ભરૂચ પહોંચાડો, કેમકે મારા મેાભા પ્રમાણે આ સિવાયના અન્ય વર્ગમાં હું મુસાફરી ન કરી શકું. મને એ જાણવા મળ્યું એટલે હું તેમને મળ્યો અને મેં તેમને વિનંતિ કરી કે, “આખું જીવન સન્માન તમારી પાછળ દોડયું છે. અને આ વિદાયવેળાએ સન્માનની પાછળ તમે દોડો છે?” તેમને સત્ય સમજાયું – અહંકાર ઓગળી ગયો અને તેમણે કહ્યું, “હવે મને ભરૂચ લઈ જાવ – હું આવવા તૈયાર છું.” જો ગંગાત્રી પહોંચવું હાય, ગંગાના મૂળને પામવું હોય તે તેના પ્રવાહથી, તેની ધારાથી ઊલટી દિશામાં જવું જોઈએ. “ધારા”ને ઊલટો શબ્દ છે “રાધા” – તો રાધાની જેમ સમર્પણભાવથી ચેતનાની દિશામાં અન્તર્યાત્રા કરવી જોઈએ. અહંકાર છૂટવા જોઈએ. નમ્રતા દ્વારા પણ અહંકાર પ્રગટ થાય છે તે વિષે પણ જાગૃત રહેવું જોઈએ. મને આ રીતે આપ સૌને મળવાની તક આપી તે બદલ હું આપ સૌના આભાર માનું છું. ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે વકતાના અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો ને સંઘની વતી શ્રી નીરૂબહેન શાહે કિશનસિંહભાઈને હાર પહેરાવ્યો હતો. ત્યારબાદ ઠંડા પીણાને ન્યાય આપી પ્રસન્ન વાતાવરણમાં સૌ વિખરાયાં હતાં. સંકલન : શાન્તિલાલ ટી. શેઠ મુદ્રણશુદ્ધિ ૧૬મી ફેબ્રુઆરીના અંકમાં પહેલા પાને બીજી કોલમમાં પહેલી લીટીમાં ‘પ્રથમ વિશ્વયુદ્ધ તેમના જીવનમાં ખોટો પલટો આણ્યો’ એમ છપાયું છે ત્યાં ‘ખાટા’ શબ્દ છે તેને બદલે ‘મેટો ’એમ વાંચવું. પાના ૨૩૪ ઉપર ત્રીજા પારિગ્રાફમાં બીજી લીટીને છેડે ‘યદીભૂમિ ’ છપાયું છે ત્યાં ‘ભકિતભૂમિ’ એમ વાંચવું. તા. ૧લી માર્ચના અંકમાં પાના ૨૪૪ ઉપર “ચિચણ ખાતે ‘મહાવીર નગર ’ નામનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની યોજના” એ મથાળા નીચેની પ્રકીર્ણ નોંધમાં “ ફંડમાં કુલ રકમ ૬,૯૦,૦૦૦ ની મળી છે એમ છપાયું છે તે બરાબર નથી, પરંતુ એ રકમ ૬૯,૦૦૦ ની છે, તે તેમ સુધારીને વાંચવું. અને તા. ૫-૩-૭૦ સુધીમાં એ આંકડો ।. ૧,૦૬,૦૦૦ સુધી પહોંચ્યો છે તેમ શ્રી અંબુભાઈ –તંત્રી જણાવે છે. તા. ૧૬-૩-૭૦ સહજીવન શિબિર (પ્રબુદ્ધ જીવન’ના તા. ૧૬-૨-૭૦ના અંકમાં જાહેર કર્યા પ્રશ્ન સુશ્રી વિમલાબહેન ઠકારના સાન્નિધ્યમાં વિહાર તળાવ પર મેન બંગલા ખાતે શુક્રવાર તા. ૨૭-૨-૭૦ થી રવીવાર તા. ૨૯ સુધી એક સહજીવન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આશરે ૯૦ ભાઈબહેનોએ લાભ લીધા હતા. અઢી દિવસના કાર્યક્રમને સળંગ હેવાલ શ્રી. સુબોધભાઈ એમ. શાહે લખી આ છે તેનો પૂર્વાર્ધ ‘પ્રબુદ્ધ જીવન'ના વાંચકોની જાણ માટે નીચે પ્રગ કરવામાં આવે છે. મંત્રી) અમને અપાયેલી સૂચના પ્રમાણે શુક્રવારે સવારે બરાબર ૯ વાગે અમે વિહાર લેઈક પહોંચી ગયા. સૌએ ત્યાં પહોંચવાની વ્યવસ્થા પેાતાની મેળે કરવાની હતી. તેમ છતાં અંધેરી (પૂર્વ) સ્ટેશન પાસે એક બસની વ્યવસ્થા રાખવામાં આવી હતી. શિબિરની તમામ વ્યવસ્થા વિલેપાર્લે રહેતાં પારેખ દંપતીચંદ્રાબૅન પારેખ અને તેમના પતિ શ્રી વસુભાઈ—તથા તેમના મિત્રએ કરી હતી. સામાન્યરીતે વિમલાતાઈ જ્યારે પણ મુંબઈ આવે છે ત્યારે તેઓ પારેખ દંપતીના ” . મુંબઈમાં આ પ્રકારની શિબિર સૌપ્રથમ જ યોજવામાં આવી હતી. તળાવની વિશાળ જળરાશિ વડે નજરને ભરી લેતું એકાંત સ્થળ, ચારેંબાજુ રમણીય હરિયાળી અને નિરવ શાંતિથી ચિત્તે અનુભવી. અમારા નામ વગેરેની નોંધ કરીને અમને શિબિરાર્થીના બેજ તથા શિબિરના છાપેલા કાર્યક્રમ આપવામાં આવ્યાં. શિબિરના કાર્યક્રમ સવારે ૭ થી છણા સામૂહિક મૌન – પ્રાર્થના, ૧૦ થી ૧૧ તાઈનું પ્રવચન, ૧૧થી ૩ ભાજન - આરામ, ૩-૩૦થી૫ પ્રશ્નારી, ૫થી ૬-૩૦ હરવાફરવા માટે, ૬-૩૦થી ૭-૩૦ ભાજન, ૮ થી તા. મૌન - સંગીત અને ૧૦ વાગે શયન-એ રીતે રાખવામાં આવ્યો હતા. પ્રસર્જાતા બરાબર ૯-૩૦ વાગે વિમલાબેન તથા શિબિરના બીજા મહેમાન શ્રી. કિશનસિંહ ચાવડાને લઈને વસુભાઈની મેટર આવી પહોંચી ત્યાં સુધીમાં લગભગ બધા જ શિબિરાર્થીઓ આવી ગયા હતાં અને ઉપર નીચે થઈને મેઈન બંગલાના ચારપાંચ ખંડો તથા લેાબીઓમાં પોતપોતાનો સામાન મૂકીને સ્વસ્થપણે નીચે પ્રવચનખંડમાં ભેગા થયા હતાં. મિત્રાએ પ્રવચનખંડને શણગાર્યો હતો. ફૂ લે। અને અગરબત્તીની મહેક વચ્ચે દશ વાગે શિબિરનો પ્રારંભ થયો. શ્રી રવિન્દ્ર ત્રિવેદીએ એક સુંદર ગીતથી શરૂઆત કરી. “યહ ગર્વભરા મસ્તક મેરા, પ્રભુ ચરણ ધૂલ તક ઝૂકને દે. અહંકાર વિકાર ભરે. મનકો, નિજ નામકી માલા જપને દે...” ત્યારબાદ ચંદ્રાબેન પારેખે સહજીવન શિબિરની ભૂમિકા સમજાવી અને બહુ જ ટૂંકા ગાળામાં તૈયારી કરી હોવાથી કોઈને કાંઈ તક્લીફ પડે તે! માફ કરવા જણાવ્યું અને વિમલાબેનને પ્રેમના પ્રતિકરૂપે પુષ્પની માળા અર્પણ કરી. જ્ઞાનના શિબિરનું ઉદ્ઘાટન પ્રવચન કરતાં પૂ. તાઈએ એમની પ્રેરક હિંદી ભાષામાં બોલતાં જણાવ્યું કે, “સત્ય સમજવાની જિજ્ઞાસાના ઉદ્ભવ થવા એ એક પરમ મંગલ ઘટના છે, એક દુર્લભ વરદાન છે. પછી માણા બીજાંઓના અનુભવ વડે મળેલા સંગ્રહથી સંતૃપ્ત થતો નથી. સત્ય વિશેની આ અભિમુખતા જ સ્વયં અવસર બની જાય છે. આ શિબિરને તમે સહજીવન શિબિરનું નામ આપ્યું છે. આ સહજીવન શું.છે તે આપણે જાણીએ છીએ? ‘સહઅસ્તિત્વ’ આજે આપણે ‘સહજીવન' જીવતાં નથી, માત્ર જીવીએ છીએ. મન એક યંત્ર છે અને એ મંત્રની ગતિથી મુકત થઈને જ ‘સહજીવન' જીવી શકાય છે. એક્બીજાની સાથે જીવતાં પહેલાં સ્વને સમજવાની જરૂર છે. જગતના તમામ દેશોમાં આજે
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy