SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ મુખ્ય જીવન પણ એક પ્રકારની અંધશ્રાદ્ધા છે. બુદ્ધિથી વિચારતા ધર્માદા ઉડી જશે એ ભય પાયાવિનાના છે. સમજણપૂર્વક સ્વીકાર્યું હશે તો શ્રદ્ધા જ્ઞાનમય હોવાથી દઢ થશે. અલબત, ગહનપણે વિચારવાની આટલી શકિત બધાની નથી હોતી. સામાન્યજન, જ્ઞાની ગુરષોની અનુભવની વાણીને મેટેભાગે સ્વીકારે અને તે પ્રમાણે આચરણ કરે તે હિતાવહ છે. પણ જે સ્વતંત્રપણે વિચારવા ઈચ્છે છે અથવા જેની શકિત છે, તે તેમ કરે તો તે નાસ્તિક છે એ થન અયોગ્ય છે. એ પણ ખરું છે કે માનવી બધી વસ્તુનો બુદ્ધિથી પાર પામી શકતા નથી. બુદ્ધિથી પર એવી ચિત્તની ભૂમિકા છે, સાક્ષાત્કાર છે. અનુભવગમ્ય ચેતના છે. આ અનુભવ, વાણીથી પણ પર છે, પણ આગમાને સર્વજ્ઞની અથવા ભગવાણી ગણવી કે નહિ, તે પ્રશ્ન સાથે આ ભૂમિકાને કોઈ સંબંધ નથી. જૈન દર્શનને હું બુદ્ધિગમ્ય અને વાસ્તવવાદી Fationalist and Realist 2 g. It is not a revealed religion જૈનેએ વેદોને ન સ્વીકાર્યા, ઈશ્વરપ્રણિત ન માન્યા. વેદોને ઈશ્વરપ્રણિત ન માન્યા તે ભગવાન મહાવીર પછી સે કડો વષૅ લખાયેલ ગ્રંથોની વાણી ઈશ્વરપ્રણિત છે એમ જૈન દર્શન કેમ માને? શાસ્રને નામે મુકતવિચારના દ્રારા બંધ કરવા એ માનવીની આધ્યાત્મિક પ્રગતિને રૂંધે છે. જૈન દર્શનમાં તત્ત્વવિચાર અને આચારધર્મ છે. તેવું અન્ય દર્શનમાં પણ છે. વર્તમાનમાં પણ સમર્થ ચિંતકો નવું ચિંતન કરે જ છે. અહિંસા અને સત્યના આચરણના નવા સ્વરૂપે ગાંધીજીએ બતાવ્યા. ગાંધીજી પોતાને સનાતની હિન્દુ કહેતા છતાં હિન્દુ ધર્મનું વિશાળ નવસંસ્કરણ તેમણે કર્યું. કવિશ્રીએ અંતમાં વિદ્રત્ત્પરિષદ અથવા વિચારકોના સંમેલનના ઉલ્લેખ કર્યો છે. પણ મુકત મને ગહન ચિન્તન કરવા કેટલા મુનિરાજો તૈયાર છે? ચાર સાધુસંમેલન થયા. સમાચારીની ઝીણી ઝીણી વિગતની ચર્ચા સિવાય શું થયું ? વ્યાપક પ્રશ્નની કોઈ ચર્ચા થઈ? પરિષદ થાય કે નહિ, પણ ગંભીર લખાણોથી પણ આવા પ્રશ્નોની છણાવટ થઈ શકે . રોમન કેથોલિક ચર્ચમાં હાલ વિચારના વંટોળ જાગ્યા છે. પાપની સા, રૂઢ માન્યતાઓની ઉપયોગીતા, પાદરી જીવનની સાર્થકતા, પરંપરાગત પ્રણાલિકાઓ—આ બધા વિષયે ગંભીર ચિંતન ચાલી રહ્યું છે. શ્રામણ સંસ્થાનું વર્તમાન સ્વરૂપ, તેની આચાર પ્રણાલિકાઓ જૈન દર્શનનું સાચું સ્વરૂપ અને વર્તમાન જીવનની સમસ્યાના ઉકેલમાં તેનું માર્ગદર્શન, આ બધા પાયાના પ્રશ્ન ગંભીર ચિન્તન માગે છે. માત્ર સ્થાનકવાસી સમાજ માટે આ નથી. વિદ્રાન સાધુ સાધ્વીઓ અને વિદ્રાન શ્રાવકોનું એકાદ સમ્મેલન કદાચ કાંઈક ઉપયોગી થાય. જૈન સમાજના આગેવાને આવું કાંઈક આયોજન કરે – તેની પૂર્વભૂમિકા તૈયાર કરીને, તે સમાજની સેવા થશે. ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૬-૧-૦૦ સમાપ્ત તંત્રી નોંધ “આગમવાણી બુદ્ધિગમ્ય નથી ?' આવા શ્રી ચીમનભાઈના પ્રશ્નનો તેમના નિવેદનના સળંગ સંદર્ભમાં વિચાર કરતાં, તેને સૂચિત અર્થ એક જ તારવી શકાય કે જેમાં આત્મતત્વને લગતાં તેમ જ ભૌતિક જગતને લગતાં અનેક વિધાનો રહેલાં છે તે સમગ્ર આગમવાણી બૌ િક સંશોધનને પાત્ર છે અને તેમાં એવું કશું નથી કે જેને અન્તિમ શબ્દ ગણીને બૌધ્ધિક છણાવટને પાત્ર બનાવી ન શકાય. અને જ્યાં છણાવટને સ્થાન છેત્યાં સંશાધનદ્રારા નવા સુધારા વધારા અને પરંપરાગત માન્યતામાં ફેરફારને પણ અવકાશ છે જ. આ રીતે વિચારતાં શ્રી ચીમનભાઈનું નિવેદન શ્રી અમરચંદ મુનિની વિચારભૂમિકાથી આગળ જાય છે અને આગમાના અર્થઘટન માટે બુદ્ધિ એટલે કે તર્કનું દ્વાર ખુલ્લું કરે છે. ચાલુ પરંપરાના બંધનથી મુકત એવા નિવેદન માટે શ્રી ચીમનભાઈને અનેક ધન્યવાદ ઘટે છે. તા. ૧-૧૦-૬૯ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ કવિશ્રી અમરચંદજીના લેખના અનુવાદ નીચેની મારી નોંધમાં મેં જણાવ્યું તા. ૧૬-૩-૭૦ છે તે મુજબ, આ બધી ચર્ચાની મૂળ ખૂંચ સર્વજ્ઞવાદમાં રહેલી છે. આગમવાણી એ સર્વજ્ઞની વાણી એટલે એ વાણીમાં શંકા કરી ન જ શકાય, તેમાં કોઈ ફેરફાર સ્વીકારી ન જ શકાય.—આ પરંપરાગત માન્યતા ભૌતિક કે આધ્યાત્મિક સંશોધનના સ્વીકારની આડે આવે છે. ‘સર્વજ્ઞ' શબ્દના અર્થ તત્ત્વજ્ઞ એ રીતે કરવામાં આવે તે આવી કોઈ ગૂંચ પેદા ન થાય અને આગમમાં અમુક વિભાગ શાસ્ત્ર છે અને અમુક વિભાગ ગ્રંથ છે આવી કૃતિમ ભેદરેખાનું અવલંબન લેવાની કોઈ જરૂર ન રહે. કોઈ પણ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા સત્યના અનાવરણને કોઈ સીમા કે મર્યાદા હોઈ ન શકે. કોઈ પણ આપ્તજનના વાકય કે વિધાન સાથે સત્યને સીમિત કરવું એ સત્યના સ્વરૂપના ઈનકાર કરવા બરોબર છે. કાળે કાળે યુગપુરુષ પાકે છે અને તે તે કાળના માનવસમાજને લક્ષમાં લઈને તત્ત્વાવબાધ કરાવે છે. કાળપરિવર્તનની અને અવનવાં અનુભવે અને સંશાધનોની અસર આ તત્ત્વાવબાધના સ્વરૂપ ઉપર પડે છે અને સમયની માંગ મુજબ તત્વાવબોધનું પ્રસ્તુત સ્વરૂપ પણ નવા વળાંકની—નવા સંશોધનની અપેક્ષા રાખે છે. આ જે સમજે, સ્વીકારે અને તદ્નુસાર માર્ગદર્શન કરાવે તે જ ખરો સમયજ્ઞ છે. મુનિ અમરચંદજીનું પ્રસ્થાન - જો કે અચકાવું - ખચકાતું “ તો પણ આ દિશાનું છે. તેટલા પૂરતા તેઓ આપણા વિશેષ આદરને પાત્ર બને છે. આ ચર્ચાના સંદર્ભમાં પં. બેચરદાસ તરફથી તાજેતરમાં મળેલ પત્રમાંથી થોડુંક અહિં ટાંકું તે તે અસ્થાને નહિ ગણાય. તેએ જણાવે છે કે “મેં કવિશ્રી અમરચંદજીને લખ્યું છે કે શાસ્ત્ર અને ગ્રંથના ભેદ બરાબર નથી. તેમ જ સર્વજ્ઞની માન્યતા પણ મારા વિચાર પ્રમાણે બરાબર નથી. છતાં સર્વજ્ઞ માનવા હોય તે મહાવીર, કપિલ, કણાદ અને ગૌતમ - બુદ્ધને સર્વજ્ઞ માનવા જોઈએ, આચાર્ય હરિભદ્ર તે એ બધાને સર્વજ્ઞ માનવાની વાત કરેલ જ છે. સર્વજ્ઞતાના સંબંધ તત્ત્વસાક્ષાત્કાર સાથે છે, વીતરાગતા સાથે છે, નહિ કે તમામ દ્રવ્યો અને પર્યાયો તથા ભૂત-ભવિષ્ય વર્તમાનને જાણવા સાથે છે. શાસ્ત્ર અને ગ્રંથ એવા ભેદ બરાબર નથી. શાસ્ત્રમાત્ર અપૂર્ણ હોય છે, પછી તે ગમે તે શાસ્ત્ર હાય. એવા મારા વિચાર છે.” પરમાનંદ વસંત વૈભવ કોકિલ કૂજ્યો કાનનમાં ત્યાં વાયુએ વાત ફેલાવી, વ્હેણમાં વહેતો કાનમાં કહેતા વસુધા વસંત આવી, યૌવન લાવી આળસ છોડી ઊંઘ ઉરાડી ભેટણ લાવી લઈલે, ઉદધિ, ગાય ને ઊર્મિ એ ઝીલે સૂતી કાં મુખડે વીલે, પૂર્ણ ભરી લે છે..... ઝબકીને ત્યાંતો ધરણીએ દીધે જીર્ણ સાળુ ફગાવી, નવ પટકૂળે જોબન ઝીલે વૈજયંતિની વેણી સજાવી, જાજમ બિછાવી કેસુડો કેતકી મોગરો માલતી સાહેલી સૌએ સજોડે, ગુલાબ ને ગુલબાસ પારિજાત સાથે જુઈજાઈ સાડે, જઈ જાઈ સડે બોરસલી બ્યુગલ વગાડે ને ચંપેલી ચાંપલી બોલી, સૂરજમુખી સજજ થયા પેલી સેવંતી છેક જ ભાળી, પૂરી રંગોળી કયારડે કયારડે ફ્લના ડાયરે ભૃષરે ભમવા માંડયું, ૐ સમજયા વિણ અધ ખીલી કળિયે તરુથી હાસ્ય ઉરાડયું, હાસ્ય, ઊરાડયું છે...... પારસ પીપળે અંખીઓ ઝૂલે ટેટા વડને હિંડોળે, શિરિષ । પહાડો પરથી ઝૂમીઝૂમી ચામર ઢોળે, ****** ચામર ઢોળે સુશીલા અવેરી www.** ...... 6
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy