SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તા.“૧૬–૩–૭૦ પ્રબુદ્ધ જીવન મેં જોયેલા કેટલાક રહસ્યવાદીએ.... of the (શ્રી ગુરુદયાળ મલ્લિક રચિત : “Divine Dwellers in the Desert ” ના છેલ્લા પ્રકરણ ‘5, me mystics I have met' ના પ્રથમ કિસ્સા (પરથી.) [૧] શુક્રવારનું નમતું બપોર હતું. મસ્જિદમાં મેટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. નમાઝ પૂરી થયા પછી મૌલવીએ ‘વાએઝ’ (કથા)કહેતાં કહેતાં કબીરની એક પંકિત ટાંકી, નમાઝીઓની આખામાં ક્રોધના અગ્નિ ભભૂકી ઊઠયા અને તેઓ એકબીજાના કાન ફુંકી રહ્યા :“ આ મૌલવીને આજે થયું છે શું? ગાંડો તો નથી થઈ ગયા ને ? ... કાંઈ નહીં ને એક ‘કાર' ના શબ્દો તેણે ટાંકયાં છે!” લોકોના દિલમાં ઊઠેલા આ ઝંઝાવાતની મૌલવીને ખબર હેાવાથી તેણે ‘ વાએઝ ' જલ્દી પૂરી કરીને મેટેથી ‘અલ્લાહ-એ-અકબર’ પુકારતા એ મસ્જિદની બહાર નીકળ્યા અને ઘેર ગયા. નમાઝી બંદાઓએ આ ઉચ્ચસ્થાનીય વ્યકિતને રોજિંદા આદર દાખવવાન ઈન્કાર કર્યો અને મૌલવીએ સમજી લીધું કે એક ધર્મોપદેશક તરીકેના પાતાના દિવસેા હવે ભરાઈ ચૂકયા છે. * JJ રાત્રિના વધવા સાથે ઝંઝાવાતને વિસ્તાર અને તીવ્રતા પણ વધવા લાગ્યા. ‘ મુઅઝિઝમ ' માટે કબંદાઓને પરોઢની નમાઝમાં બાલાવવાના સમય જ્યારે નજીક આવ્યા ત્યારે મૌલવીના ઘર પર એક કાસદ (સંદેશવાહક) આવીને કહી ગયા કે નમાઝ તેને બદલે બીજું કોઇ પઢાવશે અને તેણે બપોરના વખતે બુર્ગાની સભાસમક્ષ હાજર થવું. મૌલવીએ કાસદને ‘ આદાબ—અ ' કરી નમીને કહ્યું : દરવાજો મેાકળા કરી દેવા માટે તમારો શુક્ર-ગુજાર (આભારી) છું. ટાવરે બારના ટકોરા દીધા. મસ્જિદ માનવ–ચહેરાના મહેરામણ બની ગઈ હતી. સભાના વડાએ નમાઝીઓની સમક્ષ મૌલવીને ખુલાસો કરવા જણાવ્યું કે ચીલાથી ખસીને તેણે શા માટે એક ‘કાફર ’ ના શબ્દો ટાંકયા, અને તે પણ ‘હિન્દી ’ભાષામાં, કે જેના ઉપર ખુદાએ કોઈ રહમ-નઝર (કૃપાદિષ્ટ ) કરી નથી ? જો એમ હાત તે કુરાન અરબી ભાષામાં લખાયું ન હોત! ' મૌલવી ઊભા હતા તે સ્થળે સૌ કોઈ તાકી રહ્યા અને આતુરતાપૂર્વક તેના જવાબની રાહ જોવા લાગ્યા. મૌલવીએ જનસમૂહને નમીને ‘આદાબ-અર્ઝ ' કરી દઢતા અને જુસ્સાભર્યા અવાજમાં કહ્યું : “ ખુદાના એ પ્યારા બંદાઓ! જો તમારો ખુદા માત્ર અરબી ભાષા જ જાણતા હોય તે તે આખી દુનિયાના ખુદા હાઈ ન શકે —– કમમાં કમ મારો ખુદા તો નહીં જ ! '' આમ કહી ને ત્યાં હાજર રહેલા લોકોને તે ફરી નમ્યો અને મસ્જિદની બહાર ચાલ્યા ગયે.. જનસમૂહ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને જ્યારે તેમનું ભાન ખુલ્યું ત્યારે તેમણે ખૂબ આશ્ચર્ય સાથે અનુભવ્યું કે પેાતાની તરફ ઉશ્કેરાટભર્યા શબ્દોના તોપગાળા ફૂંકવાના તેમને અવસર દીધા સિવાય જ ગુનેગાર ત્યાંથી ભાગી છૂટયા હતા! તે દિવસે દરવાજો ખુલી ગયા હતા અને સારા યે વિશ્વને અજવાળતા પ્રકાશમાં એ આગળ ડગ માંડી રહ્યો હતા. તેનામાં વસંત વ્યાખ્યાનમાળા ગત વર્ષ માફક આ વર્ષે પણ માર્ચ માસની ૩૧ અને એપ્રિલ માસની ૧, ૨ તથા ૩ એમ ચાર દિવસની વસન્ત વ્યાખ્યાનમાળા યોજવામાં આવશે. અને આ વ્યાખ્યાનમાળામાં Whither India ? “આજે ભારત કયાં છે?” એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે વિશિષ્ટ કોટિના વિદ્રાના તથા વિચારકોને નિમંત્રણા મેકલવામાં આવ્યા છે, નક્કી થયે જાણ કરવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ , ૨૫૫ ๆ એવાં તો વિસ્તૃત પ્રેમ ને દરિયાદિલ સર્વગ્રાહિતા હતાં કે તે પછીના વર્ષોમાં તેણે બધી જાતિ, ધર્મ અને વર્ણના સેંકડો પ્રશંસકોને પોતાના ભણી આકર્ષ્યા હતા. ન તો એણે કોઈ ફકીરી–કફની ધારણ કરી, ન એ ‘શાગિર્દો (શિયા) પેદા કરવાની ફેકટરી' બન્યા. એ તા સાદા પેાશાકમાં રહેવા લાગ્યા અને મુંબઈની એક નાનકડી ગલીમાં એક નાની દુકાન રાખીને ઉર્દૂ પુસ્તકો વેચીને રોજી રળવા લાગ્યો, જે કોઈ તેની દુકાનની એક વખત પણ મુલાકાત લેનું, તેને તેનું એટલું બધું ખેંચાણ થતું કે તેની પાસે ફરીને જવા તે એક યા બીજું બહાનું શેાધનું. એક મેટા મકાનની એક નાનકડી ઓરડીમાં એ તદ્દન એકલા પેાતાની રાત્રિ ગાળતા. એના દિલમાં અલ્લાહના સ્મરણની માળા ચાલતી હોય ત્યારે એ બિલકુલ ચૂપ થઈને ખામોશ બેસી રહેતા. તેના પુસ્તકો વેચવાનો ધંધો પણ પ્રત્યેક કલાકે જપાતી અલ્લાહની એક ‘ તસ્બી ’ ( માળા ) જ હતા ! “આ રોજી રળવાના દુન્યવી કામમાં તમે તમારી જાતને શા સારૂ' રોકી રાખે છે?” તેના કેટલાક પ્રશંસકો એક દિવસ તેને કહી રહ્યા હતા, “તમે તમારો બધો જ સમય બંદગીમાં ગાળી શકો એટલા સારુ તમને સગવડોમાં રાખવામાં અમને ખૂબ જ આનંદ થશે. ” .. ‘પરંતુ આ પુસ્તકો વેચવાના વ્યવસાય એ પણ એક પ્રકારની બંદગી જ છે ને! કામ એ ભકિત છે, ભકિત એ કામ છે. વળી ભકતે એ સદા ધ્યાનમાં રાખવું જોઈએ કે ગુલાબના અત્તરની મહેક રૂના પૂમડામાં સંતાયેલી રહે—એટલે કે ભકિત ગુપ્ત રહે, નહીં તે એ પોતાની સૂક્ષ્મ છેતરામણીમાં સરી પડશે.” “તમારા જીવનમાં તમારી ઉપર દ:ખા પડયાં છે કે? જો પડયાં હોય તે તમે તેના સામનો કેવી રીતે કર્યા અને ચિત્તની શાંતિ તથા સમતા કેવી રીતે પામી શકયા?” “મારો આશરો સદાને માટે અલ્લાહનું નામ રહ્યો છે.” તેમણે જવાબ આપ્યો. “શું તમે એમ કહેવા માગેા છે કે તમે તેમનું નામ રટો છે અને તકલીફો ગાયબ થઈ જાય છે? આવા ઉપાયે અમને તે મારાં દુ:ખ! દૂર કરવામાં કોઇ મદદ કરી નથી ! ’ 66 રટણ નહીં પણ મરણ, જુદાઈ નહીં પણ જોડાણ, દૂત નહીં પણ અદ્ભુત...ઐકય...અનુસંધાન... !” હતા એના મર્મભરેલા ઉત્તર. “ અમે તમને સમજી શકતા નથી, ” સૌ પ્રશંસકો કહી ઊઠયા. પળભર માટે એ ચૂપ રહ્યો અને પછી એણે રહસ્ય ખાલ્યું, “ જ્યારે પણ તમારા જીવનમાં કોઈ દુ:ખ કે સંકટ આવે ત્યારે ખુલ્લામાં તારાભર્યા આકાશ નીચે અથવા કોઈ સાગર કિનારે અથવા કોઈ ટેકરી પર જઈને બેસા અને તમે એ સૌ પાસેથી સહાનુભૂતિ પામશા.” અનુવાદક : મૂળ અંગ્રેજી: પ્રા. પ્રતાપ જ. ટોલિયા શ્રી ગુરૂદયાળ મલ્લિકજી સંધ દ્વારા ચાલતુ હામિયાપથી ઉપચાર કેન્દ્ર આ ઉપચાર કેન્દ્ર સંઘના નવા કાર્યાલયમાં શરૂ કરવામાં આવેલ છે – તેના સમય રવિવાર તથા ગુરુવાર સિવાયના દિવસોએ બપા૨ના ૩૦૦થી ૪–૩૦ સુધીના રાખવામાં આવેલ છે. સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવન”ના વાચકોને વિનંતિ છે કે, ઉપરોકત ઉપચાર કેન્દ્રનો લાભ લેવાની પોતાના પરિચિતાને ભલામણ કરતા રહે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy