________________
૨૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧--૭૦
સૂકા ઘાસની પથારીઓ હતી. જીવનમાં વસંત છે તે પાનખર પણ છે, અને પાનખર છે તે જ વસંત છે. ઘડીકમાં નાની નાની ગિરિ- માળા દેખાય તે વળી થોડીવારમાં એ કયાંક ગુમ પણ થઈ જતી. વચ્ચે વચ્ચે ઝુંપડાઓમાં દરિદ્રનારાયણનાં દર્શન પણ થતાં. વચમાં તળાવગરનાળા આવતા અને ઝાડીએ પણ આવતી. અનંત આકાશ- અનંત ધરતી–ઉપર ગગન નીચે ધરતી. કેટલો બધો મેટે આપણે દેશ છે, જાણે ધરતીને છેડે જ નથી–આવું સ્પંદન થતો હૃદય આનંદથી નાચી ઊઠતું હતું.
હવે ડાંગ જિલ્લામાં અમે પ્રવેશી ગયા હતા. સહ્યાદ્રિની ગિરિમાળાએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. કુદરત સૌન્દર્યથી લચી પડતી હતી. જયાં જ્યાં નજર નાખીએ ત્યાં ત્યાં મનરમ્ય રાષ્ટિસૌન્દર્યનું દર્શન થતું હતું. સાપુતારા, સહ્યાદ્રિની ગિરિમાળીનું એક અંગ હોવાને કારણે ગુજરાત સરકારે આનું નામ “ગિરિનગર - સાપુતારા ” રાખ્યું છે અને આને ગુજરાતનું “હિલ–રટેશન” બનાવ્યું છે. ભારતના અન્ય ગિરિમથકે કરતાં સાપુતારા અનોખી ભાત પાડે છે.
- બિલિમારાથી નાની રેલવે ગાડીમાં બેસી વઘઈ સ્ટેશને ઉતારી ત્યાંથી બસમાં બેસી સાપુતારા જવાને એક માર્ગ છે. બીજો માર્ગ, જે અમે લીધું હતું તે-નાસિકથી બસ દ્વારા જવાને છે. બિલિ- મારાથી પણ સાપુતારાને સીધો બસવ્યવહાર હમણા ચાલુ થયે છે. બિલિમેરાથી સાપુતારા ૧૧૨ ક્લિામિટર છે, જયારે નાસિકથી સાપુતારા ૮૦ ક્લેિમિટર છે. • આશરે ૩૫૦૦ ફીટની ઊંચાઈ પર આવેલું સાપુતારા એક વિશાળ જગામાં પથરાયેલું છે. માહિતી નિયામકની કચેરીની બાજુમાં અન્નપૂર્ણા કેન્ટિન છે. જ્યાં ચા-નાસ્તો તથા સવાર-સાંજનું ભજન નિયમિત મળે છે. તદન નજીકમાં જ વરસાદના પાણીને સંગ્રહ કરીને એક ડેમ બાંધેલો છે, જેના પરિણામે આ સ્થળની શેભા અત્યંત વધી ગઈ છે. ડેમની આ બાજુ તળાવમાં આખું વરસ પાણી ભરેલું હોય છે, જે પીવાના કામમાં આવે છે અને તળાવને નાકે પ્રવાસીઓ માટે નાનાં મેટાં અતિથિગૃહ રારકારે બાંધ્યા છે, જેમાં બધી જ વ્યવસ્થા છે. તળાવમાંથી પીવાના પાણીની પાઈપ લાઈન હજુ નંખાઈ નથી, પરિણામે ટ્રદ્રારા ટાંકીઓમાં ભરી ભરીને પાણી પ્રવાસીગૃહમાં લાવવામાં આવે છે. ' - કચેરીની પાછળની બાજુથી નજર નાંખીએ તે નીચે ખીણમાં રમણીય દશ્ય નજરે પડે છે. ડાબી બાજુ થોડે દૂર એક નાનકડી ટેકરી પર સનસેટ પેઈન્ટ છે. જમણી બાજુ થોડું વધારે દૂર સનરાઈઝ પેઈન્ટની ટેકરી છે. આ ટેકરીનું ચઢાણ જરા સખત છે અને કયારેક બે હાથે ને બે પગે આધાર રાખીને ચઢવું પડે છે. પણ ઉપર ગયા પછી તો અત્યંત નયનરમ્ય દશ્ય નજરે પડે છે. વાદળાંએની વચ્ચે જાણે આપણે સંતાકૂકડી રમતાં હોઈએ એવું લાગે છે. અમારા પૈકીનાં શેડાં ભાઈ–બહેને તે આખી આ ટેકરી એક બાજુથી ચઢયા અને બીજી બાજુથી ઉતર્યો. ત્યાં ‘નવા-સાપુતારા નામની વસાહત બનેલી છે. - અહીં પ્રવાસીગૃહમાં બે ડોમિટરીમાં અમારૂં અગાઉથી રીઝવેંશન થયેલું હતું. દરેક ડોમિટરીમાં વીશ વીશ ખાટલાની–ગાદી, ઓછાડ, રજાઈ, અને એશિકા સાથે – સગવડ હતી. અમે સાપુતારાનાં પ્રવાસીગૃહમાં ઉતારે ર્યો ત્યારે બસના ત્રણ ક્લોકના પ્રવાસથી સહેજે થાકી ગયા હતા એટલે સીધા જ સૌ પોતપોતાની જગ્યા કરી આરામ લેતા લાગ્યા. એક પ્રવાસીગૃહ ‘ઈન્ડિકેટે” કબજે કર્યું, જ્યારે બીજું “સીન્ડીકેટે.' – ચાલો વહેંચણીમાં પણ સૌની પેતપતાની સૂઝ કામ લાગી. *
શ્રી ભગુભાઈ પ્રવાસીની જવાબદારી હવે વધી ગઈ–મડું થયું અને જમવાનું એક વાગ્યા પહેલા તે આપવું જ જોઈએ.
પરંતુ એમની મશીનરી ઘણી વ્યવસ્થિત અને જોરદાર હતી, એટલે કંઈ પણ બૂમ પડે એ પહેલા જ તેમણે સૌને ગરમાગરમ રોટલી, દાળ, ભાત, શાકને પૂરવઠો પૂરો પાડશે. કેટલાકે નાહીને ખાધું તે કેટલાક ખાઈને નાહ્યા. બપોરના બે વાગ્યે ઠંડી આબેહવામાં ગોદડાં ઓઢી પથારીમાં પડયા ત્યારે પરમ તૃપ્તિને અનુભવ સૌને થશે અને જ્યારે બધાંએ ગોદડાં દૂર કર્યા ત્યારે ચાર વાગ્યાની ચા સૌ માટે તૈયાર હતી.
હવે કોઈ નિશ્ચિત કાર્યક્રમ હલે નહિ, શ્રી ધીરુભાઈ (એમના પત્નીનું નામ વિદ્યાબહેન હેવાથી અમે એમનું નામ વિદ્યાપતિ પાડેલું) સૃષ્ટિસૌન્દર્ય માણવા કયારના ઉતાવળા થઈ રહ્યા હતા. તેમનું સૂચન થયું કે બધાએ ‘સનસેટ' પેઈન્ટ ઉપર જવું. થોડાક મિત્રો, પર્વત પર ચઢવાને કંટાળા વ્યકત કરતા હતા એટલે બધા
જુદી જુદી દિશામાં વિહરવા લાગ્યા. કુદરતપ્રેમી યુગલેએ વિદ્યાપતિની આગેવાની સ્વીકારી અને સૂર્યાસ્તનું દર્શન કરી આવ્યા
ત્યારે એ દશ્યની પ્રસંશા કરતા થાકતા ન હતા. - રાતનું ભેજન ગરમાગરમ પરોઠા-શાક ફાનસને અજવાળે લેવું પડયું. આજે અમારી મંડળીના સભાગે (!) સાપુતારાનું વિદ્યુત જનરેટર હડતાળ ઉપર ઊતર્યું હતું ! અમદાવાદથી શુટીંગ કરવા આવેલ અને અમારી બાજુમાં જ ઉતરેલી મંડળીના લોકેને એમનું પોતાનું જનરેટર હતું પણ એને અવાજ કાનના પડદાએ તેડી નાખતા હતા અને પ્રકાશ તે એમને જ મળતું હતું. આથી અમે તેઓને વિનંતિ કરી તેમનું જનરેટર મકાનની પાછળના ભાગમાં મુકાવ્યું એટલે સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ અને અમે બે પંગતે પેટપૂજા કરી.
પર્યટનમાં મનરંજન કાર્યક્રમ માટે તે રાતને જ સમય હોઈ શકે, એટલે અમારી મંડળીના સૌ સભ્ય ‘સિન્ડિકેટ' નાં શયનગૃહમાં ભેગા થયા. કલાકાર-કવિ શ્રી રમાકાન્ત જાનીએ એમનું યોગ્ય સ્થાન લઈ લીધું. અતિથિવિશેષ તરીકે અત્રેના માહિતી નિયામક
શ્રી નાનુભાઈ નાયક હતા. | મનરંજન કાર્યક્રમની શરૂઆતમાં યુવક સંઘ વતી મંત્રી શ્રી
ચીમનભાઈએ સૌને આવકાર આપ્યો અને આનંદપર્યટનને સફળતા ઈચ્છતા આ પ્રસંગે આવેલા કેટલાક સંદેશાઓ વાંચી સંભળાવ્યા. આ સંદેશાઓમાં વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી, અમેરિકાના પ્રેસિડેન્ટ શ્રી નિકસન, ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી હિતુભાઈ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વી. પી. નાયક, પૂજ્ય વિનોબાજી તથા યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહ તથા ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કાપડિયા તથા પૂનાથી શ્રી ખીમજી માડણ ભુજપુરિયાના સંદેશાઓ મહત્ત્વના હાઈ વાંચી સંભળાવવામાં આવ્યા. બાકીના સંદેશાઓ સમયને અભાવે વાંચવામાં નહોતા આવ્યા. અને ત્યાર બાદ જેમની બહુ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે શ્રી રમાકાન્ત જાનીએ એમને ગીતાના–મુકતકોને – શાયરી “બાબલે આઝમ” ને કાર્યક્રમ શરૂ કર્યો. શ્રી રમાકાન્ત જાનીના કાવ્ય-ગીત-કથા–ગીતને પ્રેક્ષકગણે તાળીઓના ગડગડાથી વધાવ્યા અને ત્યારે ઘડિયાળમાં બે કાંટા ભેગા થઈ ગયા હતા. જાનીના ગીતોની સાથે એક બે મિત્રો એમના નસકોરાનું સંગીત પણ પીરસતા હતા પરંતુ એ તે પાર્શ્વસંગીતની ગરજ સારતું હતું એટલે એ સંગીતને બંધ કરવાની કોઈએ હિંમત ન કરી. અતિથિવિશેષ શ્રી નાનુભાઈ નાયકે રજા લીધી. બીજા દિવસે સરકીટહાઉસમાં એમના હાથે ધ્વજવંદન હતું તેમાં આવવાનું સૌને નિમંત્રણ આપ્યું અને સૌ છૂટા પડયા.
બધા પથારીમાં પડયા, પણ ત્યાં તે શ્રી ભગુભાઈએ હાકલ કરી, “અરે, જુઓ તો ખરા, ચાંદ કેટલો સરસ લાગે છે? ચાલે