SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૩–૭૦ પ્રબુદ્ધ જીવન * ✩ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સમયના લાંબા ગાળે યોજાયેલા સાપુતારા આનંદ પર્યટન માટે અમે શનિવાર તા. ૨૪ મી જાન્યુઆરીએ રાતે ભુસાવળ પેસેન્જર ટ્રૅઈનમાં અમારી કાર્યવાહક સમિતિના એક સભ્ય અને જાણીતા પ્રવાસ--સંચાલક શ્રી ભગુભાઈ દ્વારા રીઝર્વ થયેલ ટુરીસ્ટ કોચમાં સાપુતારા ભણી રવાના થયા. અમારી પ્રવાસી મંડળીમાં ૧૨ બહેન હતી, ૩ બાળકો હતા અને બાકીના ભાઈ હતા. અમારા પ્રવાસમાં પહેલી જ વાર જોડાનારાઓમાં એક હતા શ્રી એ. જે. શાહ, મુંબઈના જાણીતા ઈન્કમટેકસના સલાહકાર; બીજા હતા શ્રી નટુભાઈ શાહ, ફિલ્મ - ડિસ્ટ્રીબ્યુટર. યુગલામાં બહેન નિલની તથા તેમના પતિ શ્રી નરેન્દ્રભાઈ શાહ, એક કવિદંપતી શ્રી રમાકાન્ત જાની તથા તેમના પત્ની અને તેમના નાના બાબા અમારી આ મંડળીમાં અમારા મહેમાનોના નાતે જોડાયા હતા. અમારા મંડળીમાં યુવાનો, પ્રૌઢો અનેં બુઝુર્ગો પણ હતા, એટલે જ્યારે ગાડીએ વી. ટી. છેડયું ત્યારે મનમાં વિમાસણ હતી કે આ બધાના કેવી રીતે સુમેળ જામશે અને આનંદ આવશે કે કેમ ? પરંતુ ૨૭ મીની સવારે જ્યારે મંડળી પાછી ફરી ત્યારે આ ચાલીશ પ્રવાસીઓનું એક કુટુંબ થઈ ગયું હતું અને કોઈને છુટા પડવાનું મન થતું નહાતું, બલ્કે ક્યારે પાછું ફરી આવું પર્યટન ગોઠવાય અને કયારે બંધા પાછા મળીએ એવું મનમાં થતું હતું. આ ટુરીસ્ટ કૅચમાં બે બાજુ સત્તર પ્રવાસીઓને સુવાબેસવાની વ્યવસ્થા ઉપરાંત એક જુદી કૅબિન છ જણ માટે હાય છે, તથા બીજી બે કેબિનો પૈકી એકમાં રસોડું હોય છે, અને બીજીમાં ચાકડી—પાણિયારાની વ્યવસ્થા હોય છે. છ જણની કેબિન શ્રી દામજી ભાઈ તથા તેમના સંબંધીઓને અમે આપી. બાકીના બે વિંગ માટે અમે સૌને લાકશાહીના અધિકાર આપી કોઈને કશી જ સૂચના આપ્યા વિના તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા દીધો. આથી સૌ પતિપોતાની સુવાની વેતરણમાં લાગી ગયા, અને અમે જોયું કે સૌ હવે આ બાબતમાં નિશ્ચિત થઈ ગયા છે એટલે એકબાજુની વિંગમાં બધાને બોલાવ્યા. બધાના શ્રી ચીમનભાઈએ એમની લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. પ્રવાસી ભગુભાઈએ બધાને માટે ચા મૂકાવી. સાથે સાથે સવારના નાસ્તા માટે ફરસી પૂરી અને ગાંઠિયાની તૈયારી ગુજરાતનું ગરવુ ગિરિનગર—સાપુતારા * ☆ પણ ચાલુ થઈ ગઈ હતી, ચા આવી. બધાએ ચા-કોફીને ન્યાય આપ્યો અને હરાતા હસાવતા સાપુતારાનું સ્વપ્ન સેવતા સૌ સૂઈ ગયા. ત્યારે ઘડીઆળના કાંટો ૧૨ અને ૧ ની વચ્ચે આવી ગયા હતા. ܗ : ૨૪૯ સાપુતારાની અમારી પ્રવાસી મંડળી 3 અમને કહેવામાં આવ્યું હતું કે નાસિક પાંચ વાગે આવે છે, એટલે અમારા સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ, જેઓ હંમેશા પ્રવાસમાં વહેલા ઊઠનારા છે તે સાડા ચાર વાગ્યામાં “પ્રાત:–સ્મરામિ”ના શ્લોક બોલતા બોલતા આખા ડબ્બાની પ્રદક્ષિણા કરવા લાગ્યા. અને બધા આનંદમાં આવી ગયા. કોઈકે મીઠો ઠપકો પણ આપ્યો કે‘શું કામ હેરાન કરો છે? સુવા દોને. ” પણ બધા સમજી ગયા . કે મેડા ઊઠવામાં તે બધું મેહું જ થશે, એટલે સૌ એક પછી એક પ્રાત:ક્રિયામાં લાગી ગયા. નાસિકથી સાપુતારા પહોંચતા નવ--દશ વાગી જવાના હતા એટલે ડબ્બામાં જ શ્રી ભગુભાઈ તથા તેમના પત્ની પુષ્પાબહેને અમનૅ ચાહ, ગાંઠિયા, ફરસી પૂરી અને મૂળાના કાંદા પીરસ્યા, અને બધાએ તેને સારો ન્યાય આપ્યો. હવે નાસિક સ્ટેશનના પ્લેટફોર્મ પાસે જ રીઝર્વ કરાવેલી બેસ્ટ”ની બસ આવી ગઈ હતી. તેમાં સામાન મુકાયા અને સૌએ ઠંડીના ચમકારામાં જલદી જલદી બસમાં જગ્યા લઈ લીધી. દિવસ ઊઘડતા હતા, વાતાવરણમાં સારી એવી ઠંડી હતી, લોકો કામે ચઢતા હતા, પંખીઓના ગીતા કયાંક ક્યાંક સંભળાતા હતા, દુકાના ઉઘડવાની તૈયારી થતી હતી. નાસિકમાં એસ. ટી. બસ સ્ટેશન પાસે બસ ઊભી રહી.નાસિક એટલે ચીવડો; અહીં એક દુકાનેથી કેટલાક મિત્રાએ ચીવડા લીધા, કેટલાક મિત્રાએ કેળા લીધા. શ્રી ભગુભાઈએ ચા—પાણી માટેનું દૂધ એક ઠામમાં ભરાવી બસમાં સાથે લીધું. અને અંતકડીની રમઝટ વચ્ચે બસ સડસડાટ સાપુ તારાને માગે, ઠંડા પવનનો સામનો કરતી, પાકી સડક ઉપર ઘેડતી હતી. બસે હવે શહેર અને પંચવટી વટાવી દીધા હતા. જમણી બાજુ સૂરજદેવતા એમની સેળે કળાએ ખીલી રહ્યા હતા. આકાશ સ્વચ્છ હતું. કર્યાંક કયાંક સફેદ નાની વાદળીઓ ફરવા નીકળી હતી. ખેતરોમાં કોઈક ઠેકાણે લીલાછમ ગાલીચા હતા તો કયાંક
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy