________________
તા. ૧-૩-૭૦
પ્રબુદ્ધ જીવન
૨૪૭
છે. મને તેમની પાસેથી, ગાંધીજીએ નઈ તાલીમ શરૂ કરી એની પહેલાં બુનિયાદી શિક્ષણ મળ્યું હતું. આ કામમાં વહેલી સવારે ૪-૩૦ ના ટકોરે હું બાને વંદન કરતા. જો મારે એક મિનિટ પણ મેડું થાય તે બા તરત જ તેને જવાબ માગતાં અને મારે આશ્રમની ડેરીમાં દોડતાં દૂધ લેવા જવું પડતું. બે ઘડા ગાયનું દૂધ અને બાપુ માટે એક નાના ઘડામાં બકરીનું દૂધ હું લઈ આવ. સવારના રાડા છ વાગે નાસ્તામાં બધાને આગલા દિવસની ભાખરી અને લાલ ગેળ મળતું. કોઈને લાલ ગોળની સૂગ હોય અને તે ખાવામાં આનાકાની થતી હોય તો બા તરત જ ત્યાં હાજર થઈ જતાં, અને પછી તે આનાકાની કરનારને ગોળ ગળે ઊતારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતે નહિ. બાળકોને વધુ ખવડાવવાની ભારતીય માતાની સાચી–ખેટી આદત બાને પણ હતી.
કઢી અને કૅફી રસોડામાં બપોરના ભોજન સમયે અને તેના બે કલાક અગાઉથી ઘણી ધમાલ રહેતી. ચૂલા ભડભડ સળગતા હોય, શાકભાજી બફાતાં હોય, રોટલી વણાતી હોય અને તે બધાની ઉપર બા દેખરેખ રાખતાં હોય. રોટલી વણવાની અને શેકવાની બાની ઝડપ ધણી હતી. તેમની કઢી તો અમને આશ્રમવાસીઓને ખૂબ ખૂબ ભાવતી.
બા હંમેશાં બધા જમી લે પછી જ જમવા બેસતાં. પિતાના સાથીઓને પિતાની જોડે બેસાડી જમાડવામાં બાને અનેરો આનંદ થતો. જે કોઈ બરાબર જમે નહિ તો બા એની તરત જ ખબર પૂછતા. ખાવામાં પાછળ પડી જાય એવા લોકો બાને ગમતા નહિ. કોઈ માંદું હોય તો બા એની માની જેમ સંભાળ લેતાં. પિતાની સાથે બેસી ઈ ભરપેટ જમે તે જોઈ બાને ખૂબ ખૂબ આનંદ થતા. બાને કોફી ખૂબ ભાવતી અને એકવાર દક્ષિણ ભારતમાં પીવાય છે એવી કોફી મેં બનાવી આપી ત્યારે તેઓ મારા પર પ્રથમ વાર ઘણાં ખુશ થયાં હતાં. બાને રસોડામાં બાપુની દરમિયાનગીરી ગમતી નહિ અને બાપુ પણ ભાગ્યે જ ત્યાં આવતા. બાપુનું ભજન બા ઘણી જ સંભાળથી બનાવતાં, એ તો સ્વાભાવિક છે.
રાજાજીની કટોર સત્યાગ્રહ આશ્રમની એ નાના રસોડામાં હું બા પાસેથી નિયમિતતા, સ્વચ્છતા, કયારેય ભૂલ વગરની સારી વર્તણૂક, સહકારી ભાવના અને નિયમોનું ચુસ્ત પાલન શીખ્યો હતો. જીવનભર મને આ શિક્ષણ ઘણું મદદરૂપ નીવડયું છે. વર્ષો પછી હું વેલેરની - સેન્ટ્રલ જેલમાં કેદી હો ત્યારે મારી સાથે જ કેદમાં રહેલા રાજાજી એકવાર મારી ઓરડી જોવા આવ્યા. રાજાજી “એ” વર્ગના અને હું “બી” વર્ગને કેદી હતો. મારી ઓરડી પાસે તેઓ થોડાક થાંભી ગયા અને અંદર આવવા આનાકાની કરવા લાગ્યા. મને કહે, “તમારી
ઓરડી એટલી બધી સ્વચ્છ છે કે મારે અંદર આવી રેતી કે કચરો ઠાલવી એને બગાડવી નથી.” તેમના બોલવામાં કંઈક વ્યંગ હતો અને થોડીક મિત્રતા પણ. મેં એમને જવાબ આપતાં કહ્યું, “આ સાફસૂફી હું બા પાસેથી શીખ્યો છું” અને પછી રસોડામાં બા સાફસુફીના કેટલાં આગ્રહી હતાં એ મેં તેમને કહ્યું.
આંતરજ્ઞાતિય લગ્ન મારી ભત્રીજી સરસ્વતી અને બાના પૌત્ર કાંતિલાલનું લગ્ન એક આંતરજ્ઞાતિય અને આંતરપ્રાંતિય લગ્ન હતું. છતાં બાએ તેની સામે કયારેય વાંધો ઉઠાવ્યો ન હતો. તેના પિતાને ઘણો આનંદ થયો હોવાનું, બાપુએ મને જણાવ્યું હોવાનું મને યાદ છે. અગાઉ જ્ઞાતિપ્રથામાં માનતાં બાએ નાતજાતના ભેદભાવને મનમાંથી સંપૂર્ણ પણે દૂર કર્યા ત્યાં સુધીમાં તો બા લોકસેવાના રાહે બાપુ જોડે ઘણી લાંબી યાત્રા કરી ચૂકયો હતાં.
બા બ્રિટિશ સરકારનાં કેદી તરીકે ૨૨મી ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે મૃત્યુ પામ્યાં ત્યારે હું મદ્રાસમાં ‘ઈન્ડિયન એકસપ્રેસ ને કાર્યકારી તંત્રી હતો અને મેં “ધી મુવીંગ ફિંગર રાઈટસ” એ શિર્ષક હેઠળ એક અગ્રલેખ લખેલો. આ અગ્રલેખથી મદ્રાસના ગવર્નર એટલા તે ગુસ્સે થયા હતા કે તેમણે મને છાપું બંધ કરાવવાની ધમકી આપી હતી ! મારા આ અગ્રલેખ તરફ ત્યારના ભારતના વાઈસરોય લોર્ડ વેવલનું પણ ધ્યાન દોરાયું હતું. મેં લડું વેવલ કા–પુરુષ હોવાનું જણાવ્યું હતું, કારણ કે તેઓ મોતને ઉંબરે આવી ઉભેલી ઘરડી સ્ત્રીને પણ કેદમાંથી મુકત કરતા ગભરાયા
હતા. મેં લખ્યું હતું કે બાથી ડરી ગયેલી સલ્તનત વિનાશને આરે આવી ઊભેલી છે.
- એકબીજાના પૂરક ભારત અને વિશ્વના ઈતિહાસ પર બાપુ તેમની ભૂંસાય નહિ તેવી છાપ પાડતા ગયા છે. પરંતુ બાપુના પ્રભાવની ભીતરમાં અને તેના અતલઊંડાણમાં બાની મૂર્તિ રહેશે. બા અને બાપુ છૂટા ન પાડી શકાય એવાં, અભિન્ન હતાં, તેઓ એકબીજાનાં શકિતરૂપ હતાં, એકબીજાના પૂરક હતાં, બા વગર બાપુ અને બાપુ વગર બા સિદ્ધિ અને મહાનતાનાં શિખરો પાર કરી શકયાં ન હોત અને તે ભારત અને વિશ્વ માટે તેમને તેજપુંજ સમો વારસો પણ ન રહ્યો હોત. (કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક લેખક : જી. રામચંદ્રન ટ્રસ્ટના સૌજન્યથી) આબર્ટ સ્વાઈઝર ને મહાત્મા ગાંધી
(ગતાંકથી ચાલુ) આમ છતાં સ્વાઈઝર જે બરાબર સમજી શક્યા નહોતા. તે હતે રાજકારણી જીવનમાં ગાંધીજીએ કરેલે અહિંસાનો ઉપયોગ. તેને લાગે છે કે “ગાંધીજીનું Passive Resistance –સવિનય પ્રતિકાર એ બળને જ અહિંસક ઉપગ છે ” અને એ એક એવું આક્રમણ છે કે જેને પહોંચી વળવાનું સીધા આક્રમણ કરતાં વધારે મુશ્કેલ હાઈને તે પ્રતિકાર સફળ બનવાને વધારે સંભવ છે.” પણ. આ બાબતમાં ઈતિહાસે, ખાસ કરીને અંગ્રેજી અને હિન્દીઓના સંબંધને લગતા ઈતિહાસે – બતાવી આપ્યું છે કે સ્વાઈડ્ઝરની સમજણ ભૂલભરેલી છે. – વાઈડ્ઝરને એમ ભય રહે છે કે બળને આ પ્રછા ઉપયોગ હિંસાના સીધા ઉપયોગ કરતા વધારે કડવાશ પેદા કરે. આથી આગળ વધીને સ્વાઈડ્ઝરને લાગે છે કે “સવિનય અને સક્રિય પ્રતિકાર–Passive and activenesistance
– વચ્ચે રહેલે ભેદ માત્ર ગુણવત્તાને નહિ પણ માત્ર એક જ બળની ઓછી વધતી માત્રાને છે.” અને ઉમેરે છે કે “જ્યારે ગાંધીજી સવિનય-પ્રતિકાર સાથે અહિંસાને જોડે છે ત્યારે અભૌતિકને ભૌતિક સાથે લગ્ન કરે છે.” અને આ વિષેની તેની શંકા- અશ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચે છે, જ્યારે તે એમ જાહેર કરે છે કે “જિ મૂળમાં જુદું છે તેનું મિશ્રણ અકુદરતી બને છે અને એ પ્રક્રિયા ઘણી જોખમી છે.”
આવી ગેરસમજૂતીને ખુલાસે શી રીતે કરવો? પ્રથમ તો, ન્યાય આપવાની ખાતર આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે ભારતીય ચિન્તન ઉપર સ્વાઈડ્ઝરે આ પુસ્તક ૧૯૩૫ માં લખ્યું છે કે જયારે ગાંધીવિચારની ઘણી બાજુઓ ખાસ કરીને ભારતની બહાર પૂરા પ્રમાણમાં જાણવામાં આવી નહોતી. બીજું, આપણે એ બાબત ઉપર ભાર મૂકવો જોઈએ કે આ વિષયમાં ખરી રીતે ગેરસમજૂતીથી વિશેષ કશું નથી. કારણ કે, “મહત્ત્વની બાબત એ નથી કે માત્ર અહિંસક પ્રતિકારને ઉપયોગ થવો જોઈએ પણ આ દુનિયાનાં બધાં કાર્યો હિંસાથી બને તેટલા દૂર રહેવાની –પૂરી કાળજી રાખીને હાથ ધરાવા જોઈએ- અહિંસાની ભાવનાપૂર્વક બળના આવા ઉપયોગમાં માનવીય સમસ્યાને ખરો ઉકેલ રહ્યો છે.” આમ જણાવીને સ્વાઈડ્ઝર પ્રસ્તુત સમસ્યાને જો કોઈ જુદે ઉકેલ સૂચવવા માંગતા હોય તે આપણે જાહેર કરવું રહ્યું કે એ કોઈ જુદો ઉકેલ તેમણે રજૂ કર્યો નથી અને ગાંધીજી અને સ્વાઈડ્ઝર વચ્ચે આપણને કશે પાયાને મતભેદ નજરે પડતો નથી. આમ છતાં, આ બાબતમાં ગેરસમજૂતીથી વિશેષ કશું નહિ હોવા છતાં, સ્વાઈઝર જેવી મહાન અને ખ્યાતનામ વ્યકિતમાં આવી ગેરસમજૂતી હોય એ એક ખાસ ધ્યાન ખેંચે એવી બાબત છે. ખરેખર, મારા અભિપ્રાય મુજબ, આ પ્રશ્ન માનવજાતના બે મહાન શિક્ષાગુરુઓના વ્યકિતત્વના