SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રબુદ્ધ જીવન ✩ મારા હૃચમાં રહેલી કસ્તુરબાની માનવતા, મમતા (પૂ. કસ્તુરબા ગાંધીજીની આજે (તા. ૨૨-૨-’૭૦ ના રોજ) ૨૬મી પુણ્યતિથિ છે. એની ઉજવણી સાથે ગાંધી શતાબ્દી મહાત્સવનું વર્ષ પણ સમાપ્ત થાય છે. પૂજય બાનું જીવન ગાંધીજીના જીવન સાથે ઓતપ્રોત થયેલું હતું. ગાંધીજીએ પોતાની મહત્તામાં કસ્તુરબાના હિસ્સાને પૂરેપૂરો સ્વીકાર કર્યો હતો. એ હિસ્સા તેમણે આદર્શ હિંદુ નારીને શાભે એ રીતે પૂર્યા હતા અને ગાંધીજીના આદર્શ અને જીવનકાર્ય સાથે તેમણે આત્મસાત કર્યા હતા, એની ઝાંખી લેખકે કરાવી છે. લેખક પૂજ્ય બા સાથે સાબરમતી આશ્રામમાં કેટલાક સમય રહ્યા હતા, અને તેમની સાથે રસોડાનું કાર્ય કર્યું હતું. એ વખતે એમને કસ્તુરબાની માનવતા, મમતા અને અન્ય વિલક્ષણતાઓનું જે દર્શન થયું તેના અહીં સુંદર વિરતાર રજૂ કર્યો છે. આ લેખ જે તા. ૨૨-૨-'૭૦ ના જન્મભૂમિમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. તંત્રી) હું બાને પહેલી વાર મળ્યો એને આજ ૪૬ વર્ષ થઈ ગયાં છે છતાં એમની યાદ મારા સ્મરણપટ પર હજી ય જીવંત છે. બંધ આંખે વિચાર કરતાં બાની મૂતિ મારી આંખ આગળ તરી આવે છે. એમની આ યાદ હૃદયદ્રાવક છે. બેઠું કદ, ઉતાવળી ચાલ, મેટી અને સ્નેહાળ આંખા, ગોળ મુખારવિંદ, સ્પષ્ટ અને મક્કમ સાદ અને એમની પ્રાણવંત માનવતા એ બધાની યાદ આજેય એવી જ તાજી છે. બાની વિનમ્રતા અને મક્કમતા પણ સાંભરે છે. બાનુ સ્વરૂપ, મન, વચન અને કર્મથી સત્યને વરેલી અને સહુને એ માટે પડકાર ફેંકતી એક બહાદુર અને શકિતશાળી નારીનું છે. આ મહાન અને સહુની પ્રીતિ મેળવનાર નારીની યાદ આપણા સહુ માટે પ્રેરણારૂપ બની શકે એમ છે. બા ન તો ભણેલાં હતાં, ન ઝાઝાં બુદ્ધિશાળી હતાં; ન પ્રતિભાવાન હતાં કે ન તેમનામાં કોઇ વિશિષ્ટ શકિત હતી. આમ છતાં તેમણે ઘણી કીતિ મેળવી હતી. અભણ હેવા છતાં તેમણે ડહાપણ મેળવ્યું હતું; બીકણ હાવા છતાં તેઓ બહાદુર બન્યાં હતાં. વિનમ્ર હાવા છતાં તેઓ બીજાને ન્યાય તાળી આપતાં, કારણ તેમને સત્ય સમજાયું હતું અને તેને તેઓ પોતાના હ્રદયથી અને પૂરી શકિતથી વળગી રહ્યાં હતાં. આમ, તેઓ દરેક સ્ત્રી માટે, અદનામાં અદની સ્ત્રી માટે પણ એક આદર્શરૂપ બન્યાં હતાં. પ્રથમ મેળાપ હું પહેલી વાર બાને ૧૯૨૪માં દિલ્હીમાં બાપુ જયારે હિન્દુમુસ્લિમ એકતા કાજે ઉપવાસ પર હતા ત્યારે મળ્યા હતા. બા માટે આ દિવસેા ઘેરી ચિન્તા અને વેદનાના હતા. મને બા માટે ભાજન તૈયાર કરવાનું અને તેમને એ પહોંચાડવાનું કામ સોંપાયું હતું. હું મારું કામ કંઇક રૂઆબ અને બા માટે અદબની લાગણીથી કરતા, તા બાનાં સ્નેહાળ વ્યક્તિત્વ અને તેમની વહાલભરી વાતચીતથી હું ઘણી હાશ પણ અનુભવતા. બા ત્યારે કેટલીકવાર દુધમાં ઘઉંનું થૂલું લેતાં. એ સિવાય મોટે ભાગે તો ફળ અને દૂધ પર જ રહેતાં હતાં. બાને ખાવાનું આપવા જાઉં ત્યારે તેઓ ઘણીવાર એકાએક મારી સામે જોઇ બાપુની તબિયત વિષે કંઇ બેલતાં અને પછી તરત જ એમની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડતી. બાપુના ઉપવાસ દરમ્યાન તેમની નબળાઇ ઘણી વધી ગઈ હતી. તેમની સેવાચાકરી માટે બા એક અનન્ય પરિચારિકા બની રહ્યાં હતાં. આ વેળા મારું હૈયું તે બા માટે કકળી ઊઠતું કારણ તેઓ સઘળી વેદના મૂકપણે સહી રહ્યાં બતાં. છેલ્લે જયારે બાપુએ પૂજ્ય માની મૂર્તિ અને કાર્યશક્તિને અંજલિ તા. ૧–૩–૧૦ ✩ ઉપવાસ છેડયા ત્યારે બાના ચહેરા પર હાસ્ય ચમકનું અને આંખમાંથી હર્ષની અશ્રુધારા વહી રહી ! બાપુ એમના જીવનમાં કોઈક ઉંમદા હેતુ ખાતર વારંવાર બિલિવેદી પર ચઢયા હતા, પણ બા તા આ વેદી પર માત્ર બાપુની વ્યથા અને પશ્ચાતાપમાં સહભાગી બનવા જ ચઢ્યાં હતાં. એમાં અહિંસાના મહાન ભેખધારી બાપુ અને એમને પગલે ચાલનાર બા, એ બેમાં કોનું દુ:ખ વધુ મોટું હતું એ કહી શકાય એમ નથી. પ્રજાને શાંત ક્રાંતિ પ્રતિ દારી રહેલા બાપુ પ્રસિદ્ધિની ઝાકઝમાળમાં રહેતા પણ બીજી તરફ વિનમ્ર અને સ્વકાર્યરત બાના હંમેશાં અંધારામાં જ રહેતાં. મારું માનવું ત એવું છે કે બાપુ કરતાં બાએ જીવનભર વધુ કષ્ટ રાહન કર્યો હતાં અને તે પણ કશીય ફરિયાદ વિના! સાબરમતી આશ્રામ હું ૧૯૨૫ ની સાલમાં સાબરમતીના સત્યાગ્રહ આશ્રમમાં બાના સામૂહિક રીડામાં રહ્યો હતા. આ ઘર બાપુનું હતું, પણ રસેાડામાં બાનું જ રાજ હતું. ત્યાં બાપુના હુકમ ચાલતા નહિ. બાનાં પૌત્ર-પૌત્રી સહિત અમે કુલ ૨૦ આશ્રમવાસીઓ ત્યાં જમતાં હતાં. રસાડાના કારભાર બાના હાથમાં હતેા. અમે બે-ત્રણ જણ રાંધવામાં અને પીરસવામાં બાને મદદ કરતા. બા સહુની પાસે કામ લેવામાં પાવરધા હતાં, તેમની જાત પાસેથી તે તે સૌથી વધુ કામ લેતાં. બા રસેાડા ઉપર દેખરેખ રાખતા એટલું જ નહિ, પણ રસાઇમાં, સાફસૂફીમાં અને વાળઝૂડમાં અમારા જેટલું જ કામ કરતાં. નિયમિતતા, ચાખ્ખાઇ, અને સારી રીતભાતના બા ખાસ આગ્રહી હતાં. આમ પરસ્પર સહકાર અને પરિશ્રમથી અમારું રસોડું અને અમારો રોાડાના પરિવાર શેાભતા હતા. મહેમાનામાં મેતીલાલ નહેરુ પણ અમારે કેટલાક પ્રશ્નો પણ હતા, અને સૌથી મેટો પ્રશ્ન બાપુને એચિંતા મળવા આવતા મહેમાનાના હતા. ઘણીવાર એવું બનતું કે બપારનું ભાજન પતી ગયું હોય, રસોડું ધોવાઇ ગયું હાય, બા બપોરના બે ઘડીના આરામ કરતાં હોય, અમે બીજા કોઇ કાર્યમાં મશગૂલ હોઇએ ત્યાં જ કોઇક મહેમાને ઓચિંતા આવી ચઢે ! એકવાર બપારના આવા સમયે પંડિત મોતીલાલ નહેરુ એમના સંખ્યાબંધ મિત્રા સાથે બાપુને મળવા ઓચિંતા આવ્યા હતા. એ પ્રસંગ મને બરાબર યાદ છે. આ મહેમાનો માટે ભાજન ફરીથી બનાવવાનું હતું. બાપુએ મને બાલાવ્યા અને કોઈકની મદદ લઈ રસોઈ કરવા કહ્યું. બાને તે એ ઊઠે ત્યારે જ કહેવું એવી સૂચના આપી. પણ બા તે રસે ડામાં થતા અવાજથી તરત જાગી ગયાં અને રસાડામાં આવી બધી વાતનો તાગ પામી ગયા. પછી તેઓ તરત જ બાપુ પાસે પહોંચી ગયાં. બાપુને કહે, ‘મને કેમ ન બાલાવી? શું હું રસાઈમાં એવી આળસુ છું?.' બાપુએ કુનેહથી માફી માગી લીધી અને બા રસાડામાં પાછાં ફર્યા . ૨સાડામાં આવી તેમણે મારી ખબર લીધી. સાંભળવામાં આનંદ પડે એવા અંગ્રેજીમાં તેમણે મને પૂછયું, ‘બાપુ કોલ યુ, વ્હાય યુ નોટ કોલ મી? વ્હાય મુ ઓપન કિચન વિધાઉંટ પુરમિશન ?” મેં પણ માફી માગી લીધી અને બા રસાઈમાં પરોવાઈ ગયાં. થોડી જ વારમાં મેતીલાલજી અને તેમના મિત્રાને ગરમાગરમ રસોઈ પીરસાઈ. મોતીલાલજીને ધન્યવાદ આપતા બા આનંદથી મલકાઈ ઊઠયાં. મહત્ત્વનું શિક્ષણ મે શિક્ષણ એકથી વધુ સ્થાને અને વધુ મહાન ગુરુઓ પાસે મેળવ્યું છે, પરંતુ બા પાસે મેળવેલા શિક્ષણનું મહત્ત્વ નિરાળું જ O
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy