________________
તા. ૧-૩-૭૦
પ્રબુદ્ધ જીવન
૨૪૫
પણ તમામ સાર્વજનિક કામમાં પણ એ આગેવાન જ રહે, એટલું જ નહિ પણ, જેને ‘મહાજન' કહેવાય છે માટે જેનેએ આવાં કામમાં અગેરાર રહેવું જોઈએ એમ જેનેને રામજાવે અને આગળ રાખે.
એમની આવી પ્રવૃત્તિઓથી ઈલાકાના તમામ જ્ઞાતિઓના લોકો–મુસલમાને સુદ્ધાં--અને તમામ રાજકીય પક્ષે પણ એમને આદર આપે. એટલે સુધી કે નવી કે જૂની સંસ્થાઓ એમને જ પ્રમુખ થવા આગ્રહ કરે. જવાબમાં એમને વ્યાજબી લાગતી સંસ્થાઓને એ સાથ આપે, ગ્ય લાગે તેવાં નામ પ્રમુખપદ માટે બીજાંનાં સૂચવે અને સાથે સાથે તેમને કહે “આમને પ્રમુખ બનાવે, એ હા કહે તો ઠીક, નહિ તો હું તે શું જ.’ સાથે જઈને બીજાને પ્રમુખ થવા સમજાવે. સત્તા અને સ્થાન માટે આજે લડતા ઝઘડતા લોકો વચ્ચે આવી વૃત્તિ પ્રશંસનીય ગણાય.
કશાય દબાણ વગર ઉત્સાહથી એમને પોતેર હજાર રૂપિ- યાની થેલી અમૃત મહોત્સવ પ્રસંગે લોકેએ આપી. એ રકમ તેમણે પિતા તરફથી તેમાં દશ ટકા ઉમેરી કેળવણી મંડળને ભેટ આપી. કેટલીક સંસ્થાઓ અને વ્યાપારીઓએ મળી આ રકમ સવા બે લાખની કરી. આમાંથી તેઓ જાનેરમાં શ્રી રાજમલજીની સ્મૃતિ કાયમ કરવા એક કૅલેજ કરવા માગે છે.
શ્રી રાજમલજી લલવાણી દીર્ધાયુ થાઓ અને આવાં ભલાં કામ કરતા રહો ! એમને માટેની મારી શુભેચ્છાએ આ નેધ દ્વારા પાઠવતાં મને આનંદ થષ છે. બેંગલોર (ગાંધીનગર)માં “જૈન ભવનની યોજના
બેંગલોરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના મંત્રીશ્રી નેમીદાસ જી. ભેદા તરફથી એક પુસ્તિકા મળી છે જેમાં તેઓ બેંગલોરના નવા અદ્યતન રેલવે સ્ટેશનથી દશ મિનિટના રસ્તે વસેલા ગાંધીનગર ખાતે જૈન મંદિરની બાજુમાંજ ધર્મશાળા, હોસ્ટેલ, વાડી, ભેજનશાળા વગેરે અંગેને એક જ સ્થળે સમાવી લઈ શકાય એવા છ થી સાત માળના “જૈન ભવન”ની યોજના વિચારાઈ હોવાનું જણાવે છે અને તે અંગે રૂ. ૮ થી ૧૦ લાખના અંદાજાયેલા ખર્ચ વિશે સંધ તરફથી ધર્મપ્રેમીબંધુઓને ટ્રસ્ટમંડળને તેમ જ સખી ગૃહસ્થોને યથાશકિત ફાળો આપવાની અપીલ કરે છે.
દક્ષિણ ભારતમાં બેંગ્લોર “City of Gardens' તરીકે ભારતભરમાં વિખ્યાત શહેર છે. આજુબાજુમાં આવેલા બાહુબળી, મુળબીદરી, બેલુર, હલેબીડ, હમ્પી વગેરે યાત્રાનાં સ્થળો ઉપરાંત ધંધાના કામે તેમ જ માયસેર, ઊટી, જોગ ફેલ્સ, તુંગભદ્રા વગેરે પ્રવાસના સ્થળોએ પણ અહીં પ્રત્યેક વર્ષે હજારો લોકો આવે છે. ગાંધીનગરમાં જૈનેની વસ્તી છેલ્લાં થોડાં વરમાં ઉત્તરોત્તર ઘણી વધતી ગઇ છે તેમ જ સાધુસાધ્વીઓની અવરજવરને પરિણામે
કેમાં ધાર્મિક જાગૃતિ સારા પ્રમાણમાં આવી છે. વિ. સં. ૨૦૧૦ માં અહીં શિખરબંધી દેરાસરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી, અને ૨૦૧૧ માં બાજુમાં જ પાઠશાળા તથા ઉપાશ્રયને હાલ બાંધવામાં આવ્યું હતું. અત્યારે એક જ કમ્પાઉન્ડમાં દેરાસર તેમ જ ઉપાશ્રય આવેલા છે. - ત્યારબાદ છેલ્લા દશ બાર વર્ષથી એક ધર્મશાળા અને વાડી વગેરેની ખોટ જણાતી હતી. સદ્ભાગ્યે દેરાસરની સામે જ એક ૧૦૦x૮૫નો જમીનનો પ્લોટ તેના માલિક એક સિંધી ભાઇ તરફથી પડતર કિંમતે મળી ગયો અને બેંગ્લરના સ્થાનિક ભાઇઓએ રૂપિયા બે લાખ ભેગા કરીને સદરહુ જમીનને હોટ ખરીદ ક્રી લીધો છે.
બેંગ્લોરના શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ પાસે હવે ‘જૈન ભવન’ની વિચારાયેલી જનાને સાકાર કરવા માટે ૮ થી ૧૦ લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરવાનું ભગીરથ કાર્ય પડેલું છે. અને તે અંગે જુદી
જુદી રકમના દાતાઓના નામે જુદી જુદી રૂમે ઉપર આપવાની તથા ફેટાઓ વગેરે યોગ્ય સ્થળે મૂક્વાની યોજના નક્કી કરી છે, આથી જૈન સમાજના સંપન્ન ભાઇ-બહેનોને પોતાને યથાશકિત ફાળો આપવાને અનુરોધ કરવામાં આવે છે. વધુ જાણકારી માટે મજકુર સંસ્થાના મંત્રીને ૩, ક્રોસ રેડ, ગાંધીનગર, બેંગ્લોર–૯. એ સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ છે. શ્રી જૈન ઉદ્યોગ ગૃહ
સી. પી. ટેન્ક ઉપર છેલ્લા સેળ વર્ષથી ચાલતું શ્રી જૈન ઉદ્યોગ ગૃહ આજે જેન અને જૈનેતર રામાજમાં ખૂબ લોકપ્રિય બન્યું છે; એટલું જ નહિ એની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધતી રહી છે. આ ઉદ્યોગ ગૃહે તારદેવ વિસ્તારમાં પણ એની એક શાખા ખેલી છે. અને, શહેરનાં અન્ય વિસ્તારોમાં ય બીજી શાખાઓ ખેલવાના મનોરથો ઉધોગ ગૃહના સંચાલકો સેવે છે. આ ઉદ્યોગ ગૃહ કોઈ વ્યાપારી અને ધોરણે માત્ર નફે જ કરવાની દષ્ટિ નથી રાખતું, પરંતુ અનેક સામાન્ય અને ગરીબ બહેનને કેમ રોજી મળે, જનતાને કેમ નિર્ભેળ અને શુદ્ધ ખાદ્ય-વાનગી મળે આવી માનવસેવાની દષ્ટિ ઉદ્યોગગૃહના સંચાલન પાછળ રહી છે. આ ઉદ્યોગ ગૃહ આજે તે એક મોટી સંસ્થા જેવું બની ગયું છે અને અહિં અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે.
તાજેતરમાં આ ઉદ્યોગ ગૃહે એક પરિચય સપ્તાહ' થજી, શહેરની જુદા જુદા ક્ષેત્રની આગેવાન વ્યકિતઓને ભોજન ઉપર જુદે
જુદે દિવસે નિમંત્રી સૌને એની પ્રવૃત્તિથી વાકેફ કર્યા હતાં. ‘પરિચય સપ્તાહ ના સુંદર વિચાર માટે ઉદ્યોગ ગૃહનાં સંચાલકો ખરેખર અભિનંદનનાં અધિકારી બને છે. પ્રસ્તુત જૈન ઉદ્યોગ ગૃહ સદ્ગત પૂ. આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાથી ૧૯૫૪ માં શરૂ થયું અને પ્રથમ વર્ષમાં ઉદ્યોગગૃહે વર્ષ દરમ્યાન રૂા. ૩૧૩૦ની મજૂરી આપી અને રૂા. ૧૪,૪૧૦ નું વેચાણ કર્યું, જ્યારે ૧૯૬૯ માં મજૂરી આપી રૂા. ૭૯,૭૧૪ ની અને વેચાણ કર્યું રૂ. ૪,૯૬,૫૪૭નું. ગૃહઉદ્યોગની આ અસાધારણ પ્રગતિ પાછળ સ્વ. શ્રી. રતિલાલ ઊજમશીને આત્મા છે અને અત્યારના પ્રમુખ શ્રી ક્ષભદાસજી રાંકા તથા મંત્રી શ્રી મહીપતભાઈ તથા શ્રીમતી લતાબેનની એકનિષ્ઠ - સેવા છે. - ગૃહઉદ્યોગમાં કોઇપણ જાતના સંપ્રદાયના કે જ્ઞાતિના ભેદભાવ નથી, એટલું જ નહિ, ગૃહઉદ્યોગમાં કામ કરતા બધાના જીવનની શૈક્ષણિક અને વૈદ્યકીય જરૂરિયાત ઉપર પણ ધ્યાન અપાય છે.
‘માનવ સેવા એ જ પ્રભુસેવા’ના આદર્શને વરેલું આ ઉદ્યોગ ગૃહ વધુ ને વધુ ફલે ફાલે એવી અમારી પ્રાર્થના છે. અપર્ણા બાસુને અભિનંદન * શ્રી ગગનવિહારી મહેતા અને શ્રીમતી સૌદામિનીબહેન મહેતાનાં પુત્રી શ્રીમતી અપર્ણા બાસુને સ્ટેકહોમ (સ્વીડન)ની આંતરરાષ્ટ્રીય શાંતિસંસ્થા તરફથી એક પ્રતિષ્ઠાપાત્ર પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ પારિતોષિક આંતરરાષ્ટ્રીય નિબંધ - સ્પર્ધામાં મળ્યું છે. શ્રીમતી અપર્ણાએ બે નિબંધો લખ્યા હતા. એક નિબંધ હતો. ભારત - પાકિસ્તાનના સંબંધો, (૧૯૬૨ - ૧૯૬૫); બીજો નિકાંધ હત ‘ભારતના રાંરક્ષણ સાધનનાં ઉત્પાદનનું અવલોકન” એ વિષય
ઉપર.
ઘણા દેશોને યુવક યુવતીઓએ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અનેક વિષયે ઉપર નિબંધો લખ્યા હતા. આ બધા નિબંધમાં શ્રીમતી અપર્ણાને નિબંધ સર્વશ્રેષ્ઠ પૂરવાર થયો હતો અને તેથી તેમને ૩૬00 ડૉલરનું પારિતોષિક આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આવું મેટું અને આંતરરાષ્ટ્રીય પારિતોષિક મેળવવા માટે શ્રીમતી અપર્ણા બાસુને " આપણાં હાર્દિક અભિનંદન.
પરમાનંદ