SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ - પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૭૦ અમે તમને તે આદિપુરુષ આપી દઈએ, અમે મટુકીમાં નાંખી વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઇએ છીએ, કોઇ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઇ ગ્રાહક થાએ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. :, “મટકીમાં નાંખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્ત્રદળકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે. આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે–એવું સૂમસ્વરૂપ છે તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભકિતને ગાઇ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અથારે અક્ષરે ભરપૂર છે અને તે અમને ઘણા કાળ થયા પહેલા સમજાયું છે. જે . અતિઅતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવપ્રાપ્તિ છે અને એને લીધે આજની પરમ અભુત દશા છે.” ચિંચણ ખાતે “મહાવીર નગર’ નામનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની લેજના • તા. ૨૧મી ના જન્મભૂમિમાં પ્રગટ થયેલા સમાચાર મુજબ મુનિશ્રી સત્તબાલજીની પ્રેરણા નીચે ચિંચણ (જિલ્લે થાણા) ખાતે મહાવીર નગર” ના નામે આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરવામાં આવનાર છે, અને “સામાજિક જીવનમાં સમાજના તમામ વ્યવહારમાંધર્મના આચાર-વ્યવહાર કરી શકાય છે અને ધર્મનું પાલન કરીને વ્યકિત અને સમાજ સાચું સુખ પ્રાપ્ત કરી શકે તેમ છે.” એ સિદ્ધાન્તને અનુસરીને આ કેન્દ્રમાં વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે. આ - ' . આ કેન્દ્રના ચાર પેટા કેન્દ્રો રહેશે: શ્રીમદ રાજચંદ્ર કેન્દ્રમાં સર્વધર્મ ઉપાસનાને લગતી પ્રવૃત્તિ ચાલશે. નાનચંદ્રજી મહારાજ કેન્દ્રમાં દરેક ધર્મનાં સાધુ-સાધ્વીઓને ઉપયોગી બને તેવી જીવનપદ્ધતિ વિષે તાલીમ આપવામાં આવશે. જવાહરલાલ નહેરુ કેન્દ્રમાં ભારત અને પરદેશના વિદ્યાર્થીઓને અધ્યયન કરાવવામાં આવશે. અને મહાત્મા ગાંધી કેન્દ્રમાં શુદ્ધિપ્રયોગ, ગ્રામસંગઠ્ઠન, સ્વાવલાંબી અને વિકેન્દ્રિત અર્થતંત્ર તથા નથી તાલીમનું શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ ચાલશે. ' ' મહાવીરનગરના આ કેન્દ્ર માટે ચિંચણના દરિયાકિનારે બાર એકરની ફળઝાડ અને મકાન સાથેની વાડી વિશ્વવાત્સલ્ય સંઘે ખરીદ કરી છે. જમીન માટે ત્રણ લાખ રૂપિયા તથા વિવિધ પેટા કેન્દ્રોની જરૂરિયાત માટે મળી કુલ રૂા. ૧૦૯૫,૦૦૦ ના ફંડ માટે સંઘના પ્રતિનિધિમંડળે અપીલ કરી છે.' ' - આજ સુધીમાં સંઘને મુંબઈ ખાતેથી જુદી જુદી વ્યકિતઓ તરફથી રૂ. ૬,૯૦,૦૦૦ ની કુલ રકમ મળી છે. કુંડમાં મોકલવાની રકમ ભાલ–નળકાંઠા પ્રાયોગિક સંઘના નોમના ચેકથી નીચેના સરનામે મેક્લી શકાશે : . . (૧) વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ, કામાલેન, ઘાટકેપર, મુંબઈ–૭૭. ' '. અથવા | (૨) ઉત્તમલાલ કીરચંદ ગોસળિયા, ટ્રસ્ટી, વિશ્વવત્સલ્ય , પ્રાયોગિક સંઘ, રૂબી પ્રિન્ટર્સ, ૩૦, ડી. કાવસજી પટેલ સ્ટ્રીટ, કોટ, મુંબઈ, ટેલિફોન નંબર : ૨૫૭૫૮૪ આ સંસ્થાને મળેલ દાન ઈન્કમટેકસમુકિતને પાત્ર છે. મુનિ સંતબાલજીના આ બાજુએ થયેલા આગમન બાદ સેવાઈ રહેલા તેમના સ્વપ્નને આમ મૂર્વ આકાર મળી રહેલે જઈને ખૂબ આનંદ થાય છે અને તે માટે તેમને ખૂબ ધન્યવાદ ઘટે છે. આ “મહાવીર નગર' એક આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું પૂરું રૂપ ધારણ કરે તે માટે હજુ ઘણું ઘણું કરવાનું બાકી રહે છે, કેવળ મોટું નામ આપવાથી કોઈ સંસ્થા મેટી બની શકતી નથી. આ માટે ‘ઉપરની અપીલમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ પુષ્કળ દ્રવ્યની તે જરૂર રહેશે જ, પણ તે ઉપરાંત તેને સહસ્ત્રદલકમળને આકાર આપવા માટે અનેક શકિતશાળી પ્રતિભારાંપન્ન કાર્યકર્તાઓના સહકારની અપેક્ષા રહેશે. જે કામ એક નિષ્ઠાવાન જૈન મુનિ હાથમાં લે છે તે કામને ભૂળ આકાર આપવા માટે નાણાં તો મળી જ રહે છે, પણ કાર્યકર્તાઓને સહકાર તો પ્રેરક મુનિની પિતાની પ્રતિભા ઉપર આધાર રાખે છે. શ્રી કાનજી મુનિએ સોનગઢમાં ઘણી મોટી માંડણી માંડી છે પણ પ્રતિભાસંપન્ન વિદ્વાન સહકાર્યકર્તાઓની ત્યાં મેટી ઊણપ નજરે પડે છે. આ નવી સંસ્થાને તેનો વિકાસ કરવામાં જેમ મુનિ સંતબાલજીની વિદ્રા, સાધુતા અને જીવનનિષ્ઠાને લાભ મળશે તેમ પોતાના અભિનિવેશે, તથા વૈચારિક અને બૌદ્ધિક મર્યાદાઓ તેના વિકાસમાં અવરોધક ન નીવડે એવી આપણે આશા રાખીએ. આ સંસ્થા ભવિષ્યમાં ગમે તે આકાર ધારણ કરે, તે પણ એક જૈન મુનિ આવી અનરરાષ્ટ્રીય સંસ્થાનું નિર્માણ કરવાનું સ્વપ્ન સેવે, એટલું જ નહિ પણ, તેને મૂર્ત કરવા પાછળ પિતાની સર્વ શકિતને વેગ આપવા કટિબદ્ધ થાય એ હકીકત જ અત્યંત ગૌરવપ્રદ અને આપણા સર્વના અભિનંદનને પાત્ર છે. શ્રી રાજમલજી લલવાણી પૂર્વ ખાનદેશમાં જામનેર ગામે શ્રી રાજમલજી લલવાણીએ પંચોતેર વર્ષ પૂરાં કર્યો તે નિમિત્તે એક અમૃત મહોત્સવ' જિલ્લાના લોકોએ તા.૪-૨-૭૦ ના રોજ ઉજવ્યું. પ્રમુખસ્થાને મુંબઈ સરકારના શિક્ષણમંત્રી મધુકરરાય ચૌધરી હતા અને મુખ્ય અતિથિ જાણીતા ઉદ્યોગપતિ શ્રી લાલચંદ હીરાચંદ હતા. શ્રી રાજમલજી પંદર વર્ષના થયા ત્યારથી શરૂ થયેલી એમની સામાજિક અને રાજકીય સેવાઓની પ્રવૃત્તિઓ આજે પંચેતેર વર્ષના થયા તે પણ સતત ચાલુ છે. તેઓ સુધારક વિચારો ધરાવે છે. નાના મેટા સામાજિક કુરિવાજો, સ્ત્રીઓના પરદા, મરણ પાછળનાં જમણવારે, જૈન ધર્મમાં ફિરકાટ્વેષ, જ્ઞાતિ બહાર કરવાની વૃત્તિઓ મીટાવવા એમણે સફળ મુકાબલા કર્યા છે. જેની એકતા માટે એમના પ્રયા ચાલુ રહ્યા છે. ભારત જૈન મહામંડળને નિભાવનારાઓમાં એ એક મુખી હતા. બે કે ત્રણ વખત મહામંડળના એ પ્રમુખ હતા. કેટલાક વર્ષ કાર્યાદયક્ષ પણ હતા. મહામંડળે જેનેની એકતાની વાત મૂકી કે રાજમલજીએ તરત જ ખાનદેશની તમામ સંસ્થાઓમાં તમામ જૈનેને દાખલ કરવાની છૂટ કરી દીધી. એ ઉપરાંત જ્યાં જ્યાં એમનું સ્થાન હતું ત્યાં ત્યાં બધે રાજસ્થાન વિગેરેમાં એમણે સંસ્થાએ તમામ જેને માટે ખુલ્લી મૂકાવી. ચારિત્રય ન પાળી શકે એવા સાધુઓને સંસારમાં સન્માનપૂર્વક રહી શકે એ માટે એમણે સગવડ આપી છે. પૂના-નાશિકથી માંડી નાગપુર સુધી કેળવણી ક્ષેત્રે કામ કરતી એક પણ સંસ્થા એવી નહિ હોય જેમાં એમણે તન-મન-ધનથી સાથ આપ્યો ન હોય. વર્ષો થયાં, જ્યારથી એ પુખ્ત ઉંમરના થયા ત્યારથી, એ ત્યાંના જિલ્લાની કેંગ્રેસના પ્રમુખ છે. લોકમાન્ય તિલકને કોઈ હિંમતથી સાથ નહોતું આપતું ત્યારે રાજમલજીએ સ્વાગત સમિતિ નીમી, તેના પ્રમુખ બની કેંગ્રેસનું અધિવેશન. ભરી દીધું હતું. ગાંધીજીના કામમાં પણ એમણે ખૂબ સેવા આપી. મુંબઈની ધારાસભાના અને દિલ્હીની એસેમ્બલીના પણ એ સભ્ય હતા. | દાની તરીકે એમની ખ્યાતિ એટલી બધી છે કે કોઈ પણ સારા કામની તુલના કરી, ધન આપવામાં તેઓ પાછા પડતા નથી કે. કોઈ એમને ત્યાંથી ખાલી હાથે પાછું ફરતું નથી. જિલ્લામાં દુષ્કાળ પડે તો રૂપિયાને માલ આઠ દસ આનાની કિસ્મત આપવા વ્યવસ્થા કરે અને નુકશાન પોતે ભેગવે. જેનાં કામ તો કરે જ ત્તિઓન અ “ શુદ્ધિપ્રો
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy