SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૭e પડકારી શ્રીની માં માત્ર બે આંધિ સાથે પણ કોઇ રાની અર વિચારો કેવા હતા. ભૂગોળ-ખગોળ સંબંધિત વર્ણનને તે વખતે પણ હું ભગવદ્યાણી માનતો ન હતો. - જે વખતે ઍપલો-૮ નું ચંદ્ર પર ઉશ્યન થયું તે વખતે આગરાના સ્થાનિક તેમ જ બહારના કેટલાંક સજજનેએ મને પ્રશ્ન કર્યો કે –“આ સંબંધમાં આપ કેવા વિચારો ધરાવે છે ? લગવાનની વાણી તો ખોટી હોઈ શકતી જ નથી છતાં ય આપણા જૈન શાસ્ત્રોની વાત કેમ ખોટી ઠરી રહી છે !' તે વખતે મેં એક પ્રવચનમાં વિસ્તારથી સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે ભગવાન મહાવીરના નામથી કહેવામાં આવતી આ ભૂગોળ-ખળ સંબંધી વર્ણનાની વાસ્તવિકતા શું છે? અને તે પ્રવચન શ્રી અમર ભારતીના ગયા ફેબ્રુઆરીના અંકમાં સર્વસાધારણ જનતાની જાણકારી માટે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. લેખનું શીર્ષક હતું - શું શાસ્ત્રોને પડકાર કરી શકાય છે?” ઉપરોકત લેખમાં દર્શાવવામાં આવ્યું હતું કે વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક પ્રાપ્તિના આ ચમત્કારે શાસ્ત્રોને પડકારી શકતા નથી. શાસ્ત્ર આધ્યાત્મિક જીવનને પ્રેરણાસ્ત્રોત છે, તેને કોઈ કેવી રીતે પડકાર ફેંકી શકે? આ ભૂગોળ - ખગોળથી સંબંધિત રચનાઓ તે શાસ્ત્ર નથી, પરંતુ ગ્રંથો છે. એને ભગવદ્વાણી સાથે કોઈ સંબંધ નથી. એ બધી રચનાઓ આચાયૅકૃત છે. આચાર્યો ગાપનકાળમાં હતા તેથી તેમનાથી ભૂલ થઈ જવી સ્વાભાવિક છે. જે તે ભગવાનની વાણી હોય તો તેમાં ભૂલ કેવી રીતે થઈ શકે? પડકારના લેખે જનતામાં ખાસી વિચાર જાગૃતિ પેદા કરી. આ સંબંધમાં સમાજના ચિન્તનશીલ વર્ગ તરફથી પ્રશંસાના ઘણા પત્રો આવ્યા છે. જેમાં કેટલાંક અમર ભારતમાં પ્રકાશિત કરવામાં પણ આવી રહ્યા છે. એ બધા પત્રો એ વાતના સાક્ષી છે કે જનતા સત્ય સ્થિતિના સ્પષ્ટીકરણથી કેટલી બધી પ્રભાવિત થઈ છે, પરંતુ જેવું કે હંમેશા થાય છે તેમ કેટલાક પરંપરાવાદી મહાનુભાવો જરૂરતથી વધારે વ્યાકુળ બની ગયા છે. એમને ભ જ્યાં મારા ઉપર થયું છે ત્યાં શ્રમણ સંધ તેમ જ શ્રમણસંઘના આચાર્યશ્રી ઉપર પણ કાંઈ ઓછો નથી થયો. આ દુ:ખ ામણ સંઘને અમુક વર્ગ વિશેષ તેમ જ આચાર્યશ્રી પણ અનુભવ કરવા લાગ્યા.. આ એક એવી સ્થિતિ હતી કે જેનાથી હું વિચારમાં પડી ગયે. હું ઈચ્છતે હતે કે ઉપરોકત. પ્રશ્ન પર વિચાર-વિનિમય થાય, વિદ્વાન મુનિરાજ મંડનખંડનમાં પોતાના વિચારે સ્પષ્ટ રીતે પ્રગટ કરે. ચંદ્રલોકની વૈજ્ઞાનિક પ્રાપ્તિએ અમારી પરંપરાગત માન્યતાઓને જે પડકાર ફેંકયે છે તેનું ઉચિત મૂલ્યાંકન કરવામાં આવે અને જો તે સત્ય છે તો તેને નમ્રતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. સત્ય સ્વીકાર કરવામાં ધર્મને કોઈ પણ જાતને ભય કે બાધ ન હોય. ધર્મ આધ્યાત્મિક વિકાસનું એક સાધન છે. એને ભૂગોળ - ખગોળની માન્યતાઓ સાથે શું લેવાદેવા? પરંતુ દુ:ખની વાત છે કે એવી કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ નહીં. ફકત શ્રદ્ધાના પરંપરાગત સૂત્રો પિકારીને કેટલાંક લોકોએ તોફાન ઊભું કર્યું અને શ્રદ્ધાળુ આચાર્યશ્રીને મુશીબતમાં મૂકી દીધા. હું નહોતે ઈરછત કે મારા વિચારોને કારણે આચાર્યશ્રીને કોઈપણ પ્રકારની મુશીબતમાં મૂકાવું પડે. હું ખુદ તે આવા કોઈપણ પ્રકારના આધારવિનાના તોફાનની જરાપણ પરવા નથી કરતો. નિરૂપણ તથા નિદાના કોઈ પણ કડવા શબ્દો મને મારા માર્ગથી ચલિત કરી શકશે નહીં. આજે તો શું, હું તો બહુ સમયથી આવું સાંભળતો આવ્યો છું. ચિંતનના શુદ્ધ ક્ષેત્રમાં સ્તુતિ - નિંદાનું કોઈ મહત્વ નથી હોતું, ત્યાં તે ફકત એકમાત્ર સત્યની જ સમીક્ષા કરવામાં આવે છે, તથ્યની શોધ થાય છે. વિચારમંથનને ઉદ્દેશ સત્યરૂપી નવનીતની પ્રાપ્તિ છે, બીજું કાંઈ જ નહીં. હા, તે મેં પણ આ દષ્ટિએ જ વિચારચર્ચા ઉપસ્થિત કરી હતી, પરંતુ આપ જાણો તેમ કેટલાક લોકોએ આ માર્ગ અપનાવ્યો નહીં અને ફોગટ જ શ્રદ્ધાની ચલતી ગાડી એટલે કે સુત્રો પોકારી સમાજમાં મનદુ:ખ ઊભું કરવા પ્રયત્ન કર્યો અને આ રીતે શ્રમણ સંઘ તેમ જ આચાર્યશ્રીજીની સામે એક મુશીબત ઊભી થઈ અને શ્રમણ સંઘ દ્વારા બહુ ચર્ચાયેલું મારું રાજીનામું આ સમસ્યાનું સમાધાનની દિશામાં લઈ જવાનું પગલું હતું. આ સંબંધમાં બહુ પહેલાં મેં આચાર્યશ્રીને એક પત્ર (જુલાઈ ૧૪, ૧૯૬૬) માં લખી પણ જણાવ્યું હતું કે મને મારી જરા પણ ચિત્તા નથી, મને આપની ચિન્તા છે. આપે વિનાકારણ જ નિંદા સાંભળવી પડે છે, મુશીબતt વેઠવી પડે છે. હું વિચારું છું કે આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? કેવી રીતે આપશ્રીને આ વ્યર્થ મુશીબતમાંથી મુકત રાખી શકાય. જો આપને આવી જ મુશીબતો આવતી રહેશે તો આખરે મોડા વહેલા પણ તેને માટે મારે કાંઈક કરવું તો પડશે જ. ઉપર જણાવવામાં આવ્યું છે તે પરથી સૌ કોઇ સમજી શકે છે કે રાજીનામું આપવા પાછળ મારું ધ્યેય શું હતું. શ્રદ્ધાળુ આચાશ્રીની સાથે મારે ઘણે મીઠા સંબંધ છે. હું તેમને માન આપું છું. તેમની સાથે મારે કોઇ આંતરિક કે બાહ્ય કડવાશ કે વિષમતા નથી અને મારે ન તો શ્રમણ સંઘ સાથે પણ કોઇ તકરીર કે મનદુ:ખ છે. આ એક સાત્ત્વિક પ્રયત્ન હતા. મારે મારા વિચારેની સમગ્ર જવાબદારી મારા પર લેવાની હતી. મારા વિચારોને કારણે બીજી કોઇ પણ વ્યકિત કે સંઘ શા માટે મુશીબતમાં મૂકાય અને મારે તેમને શા માટે મુશીબતમાં મૂકવા પણ જોઇએ? કેટલાંક સજજનાને મારા આ રાજીનામાથી શ્રમણ સંઘ માટે મુશ્કેલી ઊભી થયેલી લાગે છે, પરંતુ એમાં મુશીબત જેવું કાંઇ નથી. હું તો મુશીબતોને દૂર કરવા ઇચ્છું છું. મારા રાજીનામાના સમાચારથી અનેક મહાનુભાવોના મારા પર પત્ર આવ્યા અને એમાં જણાવ્યું કે, અમે બધા તમારી સાથે છીએ. અમે પણ શ્રમણ સંઘમાંથી રાજીનામાં આપી દઇએ છીએ. મેં તેઓને આ પગલું લેતાં રોક્યા છે. જો હું કામણ સંઘને તેડવા માંગતે હોત તો હું મારું પિતાનું એક જુદું જૂથ બનાવી શક્યો હતો. શ્રમણ સંઘમાં મારા સહયોગીઓ પણ કાંઇ ઓછા નથી, પરંતુ જો હું આવી બાબતનો વિચાર સરખે પણ ન કરી શકે તે કરવાની વાત તો કયાં રહી ! કોમણ સંઘના નિર્માણમાં મેં પણ મારી સેવાઓ આપી છે. શ્રમણ જાંઘને તેડવામાં તેમ જ વિખેરી દેવા માટે મને પોતાને પણ ખૂબ જ દુ:ખ થાય છે. મેં તે તેને સુરક્ષિત રાખવા માટે જ આ પગલું ભર્યું હતું. એક વ્યકિતની ખાતર બીજા બધાએ શા માટે મુશીબતમાં મૂકાવું જોઇએ એવું મારું ભાવનાશીલ હૃદય તે વખતે પણ વિચારતું હતું અને આજે પણ આવું જ વિચારે છે. જો આચાર્યશ્રીએ મારા રાજીનામાને સ્વીકાર કર્યો હોત તે સારું હતું, પરંતુ આચાર્યશ્રી પોતાના સ્પષ્ટીકરણમાં મારા રાજીનામાને સ્વીકાર કરવા સાફ ઇન્કાર કરે છે. હું તેમના હૃદયને જાણું છું. મારા રાજીનામાને કારણે તેમની સામે એક બીજી પણ. મુશીબત ઊભી થઇ છે. હું તેમના હૃદયને જરા પણ દુ:ખ પહેચાડવા નથી માંગતા. માટે હું મારા રાજીનામાના સ્વીકાર માટે હઠ પણ નથી કરી શકતો. છતાં ય હું હજુ પણ એટલી તો ઇરછા રાખું છે કે જે મારાથી કામણ સંઘને જરાપણ ત્રાસને અનુભવ કરવો પડી હોય તે હું કામણ અંધથી છૂટો થાઉં તે વધારે ગ્ય ગણાય. મારા કેટલાક નેહીઓ કહે છે કે “શ્રમણ સંઘમાંથી રાજીનામું ન આપતા તેમાં રહીને જ તેને મુકાબલો કરવો જોઇએ. તમે તેને છોડીને ભાગે છો શા માટે?” પરંતુ સામના કે ભાગવાને કોઇ પ્રશ્ન જ નથી. સંઘર્ષ કયી વાતને? મને ન તે કોઈ હોદ્દાની અપેક્ષા છે કે ન તો કઇ સત્તા કે અધિકારની, મને એવું કાંઈ જોઇનું નથી. હું તો મારા વિચારને સાત્વિક ભાવથી પ્રદર્શિત કરું છું. ખાટી માન્યતાઓ તેમ જ અંધ વિશ્વાસને વિરોધ કરું છું. ભગવાન મહાવીરની શુદ્ધ ગૌરવને પ્રકાશમાં લાવવા માંડ્યું છે. ભગવાન મહાવીરના નામે મધ્યકાળમાં અહીંતહીંની જે વાતો લખવામાં તેમજ સમજવામાં આવી છે તે બધી વાતોનો ફેંસલે લાવવા માંગું છું. શ્રમણ સંઘમાં રહીને આ સર્વ બની શકે તો ઠીક છે અને જો કોઈને એમ લાગે કે આનાથી શ્રમણ સંઘ માટે ભય ઉપસ્થિત થાય તેમ છે તે હું એમનું સાંઘથી છુટા થઈને મારા વિચારોને પ્રચાર કરવાનું વધુ પસંદ કરીશ. હું કોઇપણ સંધને શા માટે મુશીબતમાં મૂકે? બસ, આટલી જ વાત છે મારા મનની. હું સમજું છું કે હવે આથી વધુ સ્પષ્ટીકરણની જરૂર નથી. અપૂર્ણ કવિશ્રી અમરચંદજી
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy