________________
ત૧૬-૨-૭૦
પ્રબુદ્ધ જીવન
૨૩૯
=
dlevel or a fe
l ca au ale te cilat
કિતત્વને પ્રશ્નને મહત્ત્વ અપાય છે; સ્વાતંત્રયની આડશમાં રહેલ અભિમાન પણ કયારેક દેખા દે છે. આપણને એ વસ્તુ જ સમજાતી નથી કે જે પછાત-પાછળ છે અને જેની ગતિ મંદ છે તેઓ સૌ પ્રથમ આપણી સાથે થયા વિના આપણા જેટલી ઝડપ પ્રાપ્ત કેમ કરી શકે ? સાથે થવા માટે ય કદાચ હોંશમાં કરેલી દોડના થાકને પરિણામે ગતિ પકડતા ય વાર તો લાગે જ, એ આપણે સમજતા નથી. પરિણામ એ આવ્યું કે અહલ્યાની– શીલાની માફક આપણું ગૃહજીવન નિત્ય કલ્લોલતું નથી રહ્યું, આપણું કુટુંબજીવન માનમરતબે અને વ્યકિતત્વના પ્રાણપ્રશ્નના કલહનું કેન્દ્ર બન્યું અને દુનિયાની સરખામણીમાં આપણા સમાજ અને રાષ્ટ્રના માર્ગમાં આપણી જ ભૂલના ભાગે રૂકાવટ આવતાં જાણે નિચેતન પડ છે. મહર્ષિ ગૌતમને શાપ એ એની પવિત્રતાની નિશાની ન હતી – એની ભલન પરિણામ હતું. એમ આપણી ઉચ્ચતા અને જેની સાથે આપણે સહવાસ છે એના અધિકારની પરખ વિના આપણે જે રીતે દોડીએ છીએ એનું આ પરિણામ છે!
એ પરિણામનું પ્રાયશ્ચિત આપણે જ કરવું પડે છે. યુગદષ્ટા– યુગપુરુષે આ દુનિયા પર અવતરી એ ભૂલને ધોઈ નાખવા પોતાનું જીવન ગાળી નાખે છે. ઈક્વાકુ કુળની પ્રજા સાવ નિર્માલ્ય બનીદીન બની અને દશરથ રાજાની સામે એક શબ્દ પણ ઉચ્ચારી ન શકી એ દિવસે ભગવાન રામચંદ્ર વનવાસ લીધા. ગાંડીઘેલી પ્રજાને રાજાએ કેળવી નહીં એ માટે રામે સીતાને ત્યાગ કર્યો. મહર્ષિ ગૌતમે પણ હિમાલયને માર્ગ લીધો ! ‘રગશિયું ગાડું” આપણી ધીમા રે જેવી ભૂલને પરિણામે તદ્દન અટકી પડે છે ત્યારે રામચંદ્ર જેવા ઉદ્ધારક પુરુના ચરણસ્પર્શથી સમાજને નવજીવન પ્રાપ્ત થાય છે.
પણ એમ શા માટે ?
ભૂલે કરવી અને પ્રાયશ્ચિત કરવું એવું શા માટે? શું આપણે આપણી ગતિને નિરોધ ન કરી શકીએ ? એક જ ધૂસરીમાં રહેલાં બે બળદમાંથી એક પણ વધુ ગતિશીલ બન્યા વિના એકવાકયતા જાળવે જ છે ને?
આપણે એ સમજવું જોઈએ કે આપણા મુરબ્બીઓ રૂઢિરાતે છે–હશે; પણ હકીકત તો આપણને ય એકસરખી રીતે લાગુ પડે છે. નવી પેઢીની સરખામણીમાં તે આજની પ્રજા-આપણે યુ-૨૫-૫૦ વર્ષ પછાત જ રહેવાના. અલબત્ત, આર્ષદષ્ટિ તેમાં ન હોય એટલે તેઓ ભાવિને વીંધીને-ભાવિના ગર્ભમાં રહેલાં આપણી દોડના પરિણામે સ્પષ્ટ જોઈ શકતા નથી, પરંતુ એની મહત્તાની વાત તે એમના મનમાં ઊગી જ નીકળી હોય છે. એ તો આપણને આપણા માત-પિતા નવી કેળવણીની દીક્ષા આપે છે અને નવા જમાનાની તાસીર આપણને વાતવાતમાં સમજાવે છે એના પરથી જ આપણને સમજાઈ જવી જોઈએ. માત્ર સહધર્મચારિણી, કુટુંબ અને સમાજની મંદગતિને ઉન્નત કરવાને બદલે એમને તરછોડી ઉપેક્ષાથી રગશિયા ગાડાંને ઢસડતું કરવું અને એ રીતે વિનાશ નેતર એ શું વ્યાજબી છે?
ઊલટું એમની મંદગતિના કારણે સમજી એના ઉપાયો જવા અને એ સમય દરમિયાન આપણી ગતિ પર નિયંત્રણ મૂકવું, પરંતુ એ થોડા સમય પૂરતું જ જેવાં એ આપણી ઉચ્ચ ભૂમિકાને પામે, આપણી સાથે દોડમાં આવી શકે અને જ્યારે આપણને એમ સમજાય કે લગભગ ‘સર્વાનુમતે' આપણે પ્રગતિશીલ રહી શકીશું, ત્યારે આપણે આપણી મૌલિક-મૂળ ગતિ પ્રાપ્ત કરવી જોઈએ. શહેરમાં પસાર થતાં વાહનોને હાથગાડી અને વિકટોરિયાથી રૂકાવટ આવે છે ખરી, પણ એ વખતે ડ્રાઈવર ગતિ ન સંધે ? તે તો અકસ્માત જ થાય ને? પણ થોડી રૂકાવટ બાદ જયાં જરાક જગ્યા મળે તે ડ્રાઈવર કેવી સિફતથી પોતાના વાહનને તારવી લે (Overtake) છે?! એવી જ રીતે આપણે આપણા જીવનનું સમજવાનું છે.
અલબત્ત, મંદગતિ ધરાવતી વ્યકિતઓએ પણ સક્રિય થવું જ જોઈએ. પરંતુ શિક્ષિત અને સમજુ લોકોની જવાબદારી આ બાબતમાં વધુ હોવાથી જ એમની ગતિ પર નિયંત્રણની વાત જાણીજોઈને કરી છે.
આર્યસંસ્કૃતિનો ઈતિહાસ તપાસે. આમ જ્યારે જ્યારે નથી બન્યું ત્યારે પ્રાયશ્ચિત કરવાને જ પ્રસંગ આવ્યું છે. ભગવાન પરશુરામે ક્ષત્રિયોના નાશ સાથે જાણે ક્ષાત્રવૃત્તિને ઉરછેદ કર્યો ! બ્રહ્મવૃત્તિ, ક્ષાત્રવૃત્તિ, વૈશ્યવૃત્તિ અને શુદ્રવૃત્તિની સમતુલામાં જ સમાજની રક્ષા છે, સ્થિરતા છે અને પ્રગતિ છે. એ વાત હકીકતમાં ભૂલાઈ ગઈ. ભગવાન પરશુરામે અન્યાય માટે ક્ષત્રિયોને નાશ કર્યો પણ નિર્ભેળ થયેલ ક્ષાત્રવૃત્તિને જ સતેજ કરવા ભગવાન રામચંદ્ર જીવન સમર્પે. અન્યાય અને અધર્મ સામે ધર્મરાજ યુધિષ્ઠિરે શાંતિ અને ક્ષમાથી સમાધાનવૃત્તિ દાખવી પણ જ્યારે એને અર્થ નિર્માલ્યતા અને નિર્બળતા ગણાય ત્યારે મહાભારત યુદ્ધ પણ અનિવાર્ય ગણ્યું. આમ ગૃહજીવન, કુટુંબ અને સમાજમાં દરેક બાબતની સમતુલા જાળવવી એ જ મહત્ત્વનું છે અને એ સમતુલાથી જ આપણે સહીસલામત છીએ, એમાં જ આપણી સ્થિરતા છે અને એ સ્થિરતા હશે તો જ પ્રગતિ થઈ શકશે એ આપણે સમજવું જોઈએ. એ સમતુલા મહર્ષિ ગૌતમ અને અહલ્યાના જીવનમાં ન રહી તે પ્રાયશ્ચિત બન્નેને ભોગવવું પડ્યું-એમ જીવનના સર્વ ક્ષેત્રમાં સમતુલા ન રહે તે વિનિપાત આપણે સહુએ ભોગવવો પડે. સાર્વત્રિક વિકાસ માટે આથી જીવનના સર્વ ક્ષેત્રોમાં સમતુલા હોવી જરૂરી છે, એ જ સફળતાની ચાવી છે.
પન્નાલાલ રસિકલાલ શાહ બાદશાહખાન અને રાજકારણ આ સર્વ સેવા સંઘના અધ્યક્ષ શ્રી જગન્નાથન તથા મંત્રી શ્રી ઠાકુરદાસ બંગ બાદશાહખાનને મળ્યા. સર્વોદય કાર્યકરોએ સારી સરકારની સ્થાપના કરવાનો પ્રયત્ન કરવો એવું આવાહન સર્વે દય કાર્યકર્તાઓને બાદશાહખાન વારંવાર કરતા રહ્યા છે. અને તે સિવાય ભૂદાન-ગ્રામદાનનું કામ પ્રભાવહીન રહેશે એવું કહેતા રહ્યા છે.
આ અંગે સર્વ સેવા સંઘની ભૂમિકા બાદશાહખાનને સમજાવતાં જગન્નાથને કહ્યું કે, “ગ્રામદાન આંદોલનને પૂરેપૂરો પ્રભાવ ભારતભરમાં પડયા સિવાય આગળનું કામ શક્ય નહોતું. પણ હવે દોઢેક લાખ ગામનાં ગ્રામદાન થયાં છે એટલે સર્વ સેવા સંઘ ગામડાંઓની ગ્રામસભાઓને પોતાના પ્રતિનિધિ સરકારમાં મેકલવાનું કહેશે.”
‘સર્વ સેવા સંઘના કાર્યકર્તાઓએ પોતે ચૂંટણીમાં ભાગ લેવા કે?’ એ પ્રશ્ન જગન્નાથજીએ તેમને પૂછો, ત્યારે બાદશાહખાને કહ્યું કે, “હું તેમ કહેતા નથી. તમે લોકો નિ:સ્વાર્થ સેવા કરવા ઈચ્છે છે. એ તમારે સૌથી મોટો ગુણ છે. એ (ગુણ) તમારે ગુમાવવાનું કામ નથી. તેથી ચૂંટણીમાં જાતે ન ઊભા રહેવાનું તમારું ધોરણ મને માન્ય છે. મારે તો એટલું જ કહેવું છે કે સરકાર પણ એક શકિત છે, તેની ઉપેક્ષા ન કરે. સરકારમાં સારા માણસે જ ચૂંટાય તેની બધી રીતે ચિન્તા તમારે કરવી જોઈએ.’
પિતાને અનુભવ કહેતાં તેમણે કહ્યું કે, “મારી જાતને સેવક જ માનું છું. અંગ્રેજો સાથે મેં ગાંઠ રાખી હોત તે હું ખાસ્સા ઊંચા હોદ્દા પર પહોંચી ગયા હોત. મારી પાસે તેવા સંદેશા અંગ્રેજી રાજકર્તાઓ તરફથી વારંવાર આવતા હતા. પાકિસ્તાનની જેલમાં હતા ત્યારે પણ દર ત્રણ વર્ષે મને સરકારમાં આવવાનું આમંત્રણ મળતું અને દર વખતે હું તેમને કહે કે હું સેવક છે, તમે સત્તાધિશ છે, સત્તરાબાજ અને સેવક વચ્ચે સહકાર હોઈ શકે નહીં. સત્તા બજાવવા હું સરકારમાં તમારી સાથે સહકાર કરવા આવવાના નથી. દર ત્રણ વર્ષે આવેલાં આમંત્રણાને મેં ધુત્કારી કાઢયાં છે. તેથી સત્તા સેવા માટે જ છે અને મારે સત્તા બજાવવી નથી, એ બનને વાત મારા મનમાં સ્પષ્ટ છે.
‘પણ જે સત્તા સમાજમાં રહેવાની જ છે તે તે સજજનેના હાથમાં રહેવી જોઈએ એ મારો આગ્રહ છે. અને તે સજજનેના હાથમાં જ રહે તેની કાળજી રાખવી એ સેવકોનું કર્તવ્ય છે. (ભૂમિપુત્રમાંથી સાભાર ઉદ્દધૃત.)