________________
૨૩૨
પ્રબુદ્ધ વન
સૌ પ્રથમ તા મારે એ બાબત તરફ ધ્યાન ખેંંચવું જોઈએ કે ભારતીય તત્ત્વજ્ઞાન અને ભારતીય ચિંતનથી સ્વાઈત્ઝર તદૃન અજાણ્યા નહોતા. ભારતના તેમ જ જર્મનીના મહાન વિચારકો વચ્ચે બીજી કેટલીક બાબતો અંગે પણ ઘણું સામ્ય હતું અને જો કે તે બન્ને વિશ્વવ્યાપી માનસ ધરાવતા હતા, એમ છતાં જે જે ધર્મમાં તેઓ ઉછર્યા હતા તે તે ધર્મ પ્રત્યે પ્રત્યેક નિષ્ઠાવાન હતા. આમગાંધી આદર્શ હિન્દુ બની રહ્યા હતા અને સ્વાઈત્ઝર આદર્શ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી બની રહ્યા હતા અને એમ છતાં પણ બન્ને બીજા મહાન ધર્મના શાસ્ત્રગ્રંથેના સારા અભ્યાસી હતા. ગાંધીજી ખાસ કરીને ગાસ્પેલ (ખ્રિસ્તી ધર્મઉપદેશ)ના અમુક ભાગા વડે ખૂબ જ પ્રભાવિત હતા અને સ્વાઈત્ઝર ભારતીય ચિંતનથી સુપરિચિત હતા. ૧૯૩૫ માં સ્વાઈ ઝ્રરે ‘Indian Though: and its Development ' એ નામનું પુસ્તક લખ્યું છતું. તેની પ્રસ્તાવનામાં સ્વાઈત્ઝર કબૂલ કર્યું છે કે જ્યારથી મારી યુવાવસ્થા દરમિયાન હું આર્થર શાપનહેરનાં પુસ્તકો દ્વારા ભારતીય વિચારથી પરિચિત બન્યો હતો ત્યારથી તે પ્રત્યે મારામાં ખૂબ આકર્ષણ પેદા થયું હતું. ભારતીય ચિંતનમાં રહેલી ખાસ કરીને ત્રણ બાબતા અંગે તેમને સવિશેષ આકર્ષણ થયેલું (૧) સર્વ કોઈ સધનતિન માફક માનવીઅનન્ત સત્તા સાથે કઈ રીતે આધ્યાત્મિક એકતા સાધી શકે તે સમસ્યા સાથે ભારતીય ચિંતન ગાઢ સંબંધ ધરાવે છે; (૨) તેના સ્વભાવથી ભારતીય વિચારણા એક પ્રકારનો રહસ્યવાદ જ છે; અને (૩) ‘ ભારતીયનીતિશાસ્ત્ર સમગ્ર જીવસૃષ્ટિ સાથે માણસે કેમ વર્તવું એ સમસ્યા સાથે ગાઢપણે સબંધિત છે અને નહિ કે માત્ર પોતાના સમકાલીન માનવી અને માનવસમાજ પ્રત્યેના વળણ પૂરતું જ એ સીમિત છે. આ પુસ્તકમાં પેાતાથી છ વર્ષ વધારે મેટા એવા પોતાના સમકાલીન મહાત્મા ગાંધીને તેમણે એક આખું પ્રણ સમર્પિત કર્યું છે, સ્વાઈટ્સરનું આ પુસ્તક મુખ્યત્વે કરીને ભારતના ધાર્મિક ઇતિહાસમાંLife – affirmation અને Life-negation- જીવન – સમર્થન અને જીવન-નિષેધ – આ બે તત્ત્વાએ ભારતીય ચિન્તનમાં ક્યા અને કેવા ભાગ ભજવ્યો છે તેની તારવણી કરવા સાથે સંબંધિત હોઈને, સ્વાઈત્ઝર ગાંધીજી વિષે મુગ્ધ બનીને પ્રસ્તુત પ્રકરણની જે આ રીતે શરૂઆત કરે છે કે “મહાત્મા ગાંધીનું તત્ત્વદર્શન એક નાની દુનિયા જેવું છે. તેમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. અને “માનવીની સભ્યતા આ દુનિયા અને જીવનના સમર્થન ઉપર આધારિત છે. ” આ મુજબના સ્વાઈઝરને એક સિદ્ધાંત હાઈને, તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી કે ગાંધીજીએ હાથ ધરેલા વ્યવહારુ સુધારાઓને સ્વાઈટ્સર ખૂબ ભાવથી આવકારે છે. સ્વાઈત્ઝર ખુલાસો કરે છે કે ગાંધીજીએ નક્કર વાસ્તવિકતાઓમાં જેટલે રસ લીધા છે તેટલા રસ અન્ય કોઈ ભારતીય ચિન્તકે—વિચારકે ભાગ્યે જ દાખવ્યો છે.”
જ્યારે સ્વાઈત્ઝર મહાત્મા ગાંધીજીના કાર્યની કદર કરવાના પ્રયત્ન કરે છે ત્યારે ગાંધીજીએ પોતાના જીવનમાં આ પ્રકારની જે ક્રિયાશીલતાને અને પોતાના દેશબંધુઓ પ્રત્યેની કલ્યાણભાવનાને સીધા આચરણમાં ઉતારી બતાવી છે– ગાંધીજીના જીવનની આ બાજુ સ્વાઈત્ ત્ઝરને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે. અને તેથી ભારતના ખેડૂતોના ઉદ્ધાર કરવાના ગાંધીજીના પ્રયત્ના, હરિજનાને ઉત્કર્ષ, સ્ત્રીઓની મુકિત, બાલવિવાહના ઉચ્છેદ અને વિધવાઓની દયાજનક પરિસ્થિતિ સુધારવા માટેના તેમના પ્રયાસાની – આ સર્વની સ્વાઈઝર ખૂબ સ્તુતિ કરે છે. સ્વાઈટ્ટ્ઝર પ્રકરણના છેડે જણાવે છે કે “ગાંધીજીનું સૌથી વધારે મહત્ત્વનું કાર્બ એ છે કે તેમણે ભારતીય નૈતિક ચિન્તનનું વાસ્તવિકતા સાથે સીધું અનુસંધાન કરી આપ્યું છે. જે કાર્યને શુદ્ધ આર’ભ કર્યો તે જ કાર્યને ગાંધીજીએ આગળ વધાર્યું છે. બુદ્ધ દ્વારા પ્રેમની ભાવનાએ દુનિયામાં ભિન્ન ભિન્ન પ્રકારની આધ્યાત્મિક પરિસ્થિતિઓ નિર્માણ કરવાનું કાર્ય કર્યું; ગાંધી દ્વારા એ જ ભાવના આખી દુનિયાની પરિસ્થિતિમાં પલટો લાવવાનું કામ કરી રહી છે.”
અપૂર્ણ
અનુવાદક પરમાનંદ
મૂળ અંગ્રેજી જી. કુંઝ
તા. ૧૬-૨-૭૦
પ્રબુદ્ધ જીવન”ના વાચકા મને ક્ષમા કરે!
કેટલાએક દિવસથી આંખાની તકલીફના કારણે વાંચન તેમ જ લેખન ઉપર અનિવાર્ય કાપ મૂકવા પડયા છેઅને અગત્યના મુદ્દાઓ ઉપર નોંધા લખવાનું પણ બનતું નથી. આ પરિસ્થિતિમાં પ્રગટ થતું પ્રબુદ્ધ જીવન વાચકોને પૂરતો સંતાષ આપતું ન હોય તા તે માટે મને તેઓ ક્ષમા કરે! આંખોના ઉપચાર ચાલે છે અને થોડા સમયમાં વાચન લેખન અંગે પહેલા જેવી સરળતા પુન: પ્રાપ્ત કરવાની આશા રાખું છું. પરમાનંદ
શ્રી વિમલાબહેન હંકારની ઉપસ્થિતિમાં ચેાજવામાં આવેલ સહજીવન શિબિર
ફેબ્રુઆરી માસની આખરમાં શ્રી વિમળાબહેન ઠકાર મુંબઈ આવી રહ્યા છે તેમની ઉપસ્થિતિમાં ફેબ્રુઆરી તા. ૨૭-૨૮ તથા માર્ચ ૧ એમ ત્રણ દિવસની વિહાર સરોવર ઉપર આવેલા મેઈન બંગલામાં મર્યાદિત સંખ્યાની એક સહજીવન શિબિર યોજવામાં આવી છે. આ શિબિરની ૨૭મી શુક્રવાર સવારના ૯-૩૦ વાગ્યે શરૂઆત થશે અને ૧લી રવિવાર સાંજના ૪ વાગ્યે તેની પૂર્ણહૂતિ થશે. આ શિબિરમાં જોડાવા ઈચ્છનાર ભાઈ બહેને રૂા. ૨૦-૦૦ આપવાના રહેશે અને તે બદલે તેના નિવાસ, નાસ્તા તેમ જ ભાજ નની જરૂરી સગવડ પૂરી પાડવામાં આવશે. આ માટે ઉત્સુક ભાઈબહેને શ્રી ચંદ્રાબહેન પારેખ, જગદીશ ટેરેસ, બેપ્ટીસ્ટા રોડ, વિલેપારલે—પશ્ચિમ, મુંબઈ ૫૬ એ. એસ., ટે. નં. ૫૭૩૦૯ સાથે સત્વરે સંપર્ક સાધવો. –શિબિર સંચાલક સમિતિ
સઘ સમાચાર
સધદ્વારા શરૂ થનાર હોમિયેાપથીનુ ઉપચાર કેન્દ્ર
સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી દામજી વેલજી શાહની ઉદાર મદદથી સંઘના કાર્યાલયમાં હોમિયોપથીનું એક ઉપચાર કેન્દ્ર શરૂ કરવાનું વિચારવામાં આવ્યું છે. આ માટે જાણીતા હોમિયોપાથ ડૉ. બહેન પી. જી. સૌંધિયાની નિમણૂંક કરવામાં આવી છે. અને આ ઉપચાર કેન્દ્રનું ઉદ્ઘાટન ૨૪મી ફેબ્રુઆરી મંગળવાર સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં કરવામાં આવશે, તે આ પ્રસંગે સંઘના સભ્યોને વખતસર હાજર રહેવા પ્રાર્થના છે.
હામિયાપથી ઉપચાર કેન્દ્ર અંગે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ફેબ્રુઆરી માસની ૨૪મી તારીખથી શરૂ થનાર ઉપચાર કેન્દ્ર માટે જે ડૉકટર બહેનની નિમણુક કરવામાં આવી છે તે ડૉ. પી. જી. સીંધિયા મુંબઈના ભાતબજારમાં ચલાવવામાં આવતા ચેરીટેબલ દવાખાનામાં વર્ષોથી સેવા આપે છે અને એ લતામાં વસતા લોકોમાં તેમણે સારી પ્રતિષ્ઠા અને નામના પ્રાપ્ત કરી છે. સંઘના ઉપચાર કેન્દ્રમાં અઠવાડિયાના ગુરૂવાર અને રવિવાર સિવાયના બાકીના પાંચ દિવસ બપોરના ૩ થી ૪-૩૦ સુધી સંઘના કાર્યાલયમાં તેઓ બેસશે અને ઉપચાર માટે આવતા દર્દીઓનું મફત નિદાન કરશે અને તેના પરિણામે અપાતા ઔષધના દર્દીએ ચાર આના સંઘને આપવાના રહેશે.
વસન્ત વ્યાખ્યાનમાળા
ગત વર્ષ માફ્ક આ વર્ષે પણ માર્ચ માસની ૩૧ તથા ઍપ્રિલ માસની ૧, ૨, તથા ૩ એમ ચાર દિવસની વસન્ત વ્યાખ્યાનમાળા યોજવામાં આવશે અને આ વ્યાખ્યાનમાળામાં Wither India ?' આજે ભારત કર્યાં છે ?” એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે વિશિષ્ટ કોટિના વિદ્રાનો તથા વિચારકોને નિમંત્રણ આપવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
8