________________
૨૩૪
પ્રભુ જીવન
નિરર્થક નથી જતું. એક કૃતાર્થતાના ભાવ પણ થયા. શેરડીના રસ પીને, જીવનના પણ એક જુદા જ રસનો આનંદ લૂંટીને ઊતરવા માંડયું. ગામુખ ઊતરીને ઘેર પહોંચી ગયા.
તે બપેરે વિમલાબહેને શ્રી જ્ઞાનેશ્વર રચિત ‘ અમૃતાનુભવ ’ માંથી ત્રીજો અધ્યાય - સંભળાવ્યા. વિમલાબહેનનું જ્યારે જ્યારે જ્ઞાનેશ્વરની આળીયો સાથે તાદાત્મ્ય સધાય છે ત્યારે ત્યારે ચેતનાની એક એવી એકતા સધાય છે કે કાળનું ભાન ભૂલી જવાય છે. એકાગ્રચિત્તનો એ ધન્ય અનુભવ હોય છે. આનંદ એના અવર્ણનીય હાય છે. મૌનમાં એની કૃતાર્થતા થાય છે. આ ત્રીજા અધ્યાયમાં પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી એ વાણીના ચાર સ્વરૂપાની વાત હતી. શી પૂર્વતાથી જ્ઞાનદેવે એ ચાર વાણીરૂપાની વાત કરી હતી! એમની એ અપૂર્ણતાના પ્રાગટયમાં એ વાણીરૂપાની ગરીબાઈ ઉપસી આવી હતી. ચારે ય વાણીસ્વરૂપે વિષે આટલી અનન્યતાથી પહેલી વાર સાંભળ્યું. એને વિષે વળી કાયારેક લખીશું. આખા વિષય નિરાળા નૅ સ્વતંત્ર છે. છેલ્લે દિવસે અંતિમ અધ્યાય જીવનમુકત વિષે સાંભળ્યો. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેની ભસ્મના પેાતાને લલાટે લેપ કરીને પ્રેમ જ્યારે જીવી ઉઠે છે અને પોતાનો આત્મબોધ પણ જ્યારે ગુરુચરણે ધરીને ધન્ય થાય છે એ દર્શનની વાત આટલી સહજતા અને સ્પષ્ટતાથી જ્ઞાનેશ્વર જેવી ઓજસવતી પ્રતિભા જ કરી શકે. જ્ઞાનેશ્વરી સાંભળવાનો લાભ વિમલાબહેન પાસેથી મળ્યો છે. એના સ્વાદ હજી જેવા ને તેવા તાજગીભર્યાં છે. તેમાં આ અમૃતાનુભવનું અમી ઉમેરાયું. બુદ્ધિનું પ્રક્ષાલન થયું. ભાવરમણાનું ઊંડાણ પરખાયું અને સંવેદનશીલતાને નવા પ્રસાદ મળ્યો.
આ બધું ગિરનારના નિવાસ દરમિયાન જીવવાનું મળ્યું. પણ એથી ય જે વિશેષ આનંદ થયો તે તે ગિરનારની વિભૂતિનાં દર્શન થયાં તેને કહી શકાય. પરંપરાગત સાધનાની ભૂમિ, ગુરુ શિષ્યના સાયુજ્યના લાવણ્યની ધરતી અને પ્રેમનું અમૃત જ્યાં ચૅલાયું છે તે જીવનપૃથ્વીના સંસ્પર્શ થયો. એને અપૂર્વના કહીએ તેય વિશિષ્ઠ આનંદની અનુભૂતિ કહેવી પડે એવા ત્યાંના નિવાસ, સહવાસ અને સૌરભ હતાં.
પ્રત્યેક પ્રસંગની જેમ, દરેક સ્થાનની એક વિશેષતા અને વ્યકિતમા હોય છે. તેમાં ય જે સાધનાભૂમિ હોય છે, યૌભૂમિ હાય છે, પ્રેમભૂમિ હોય છે ત્યાંની વાતાવરણની રજમાં વ્રજની રજ જેવી એક સુવર્ણ સ્નેહમયી ભિનાશ હોય છે. એનો ભેજ સદા ઝમ્યા કરતા હોય છે. એના સંસ્પર્શ માનવીના જીવનને જ નહીં, વનસ્પતિ, વનરાજિ અને વનશ્રીના જીવનને પણ હરિયાળુ, અનેં નવપલ્લવિત રાખે છે. જીવનની મૈત્રીને નવી તાજગી મળે છે. જીવન પોતે ખુશ થાય છે. એ ખુશીની ખુશ્બા પછી ચારેય બાજુથી આપણને ઘેરે નાંખે છે. એનો કેફ ચડે છે. એ કેને તાવબૂતા સમાધિનું આંગણું નહીં કહેતા હોય! જે હોય તે હોય ! એ કેફના આનંદ અને એની મસ્તી કદી છેડવાં ન ગમે એવી એની અનન્યતા લાગે છે.
ગિરનારની યાત્રા એકલા કરી હોત તો કદાચ એની જુદી મુદ્રા ઉત. આ વિમલાબહેન સાથેની સહયાત્રા હતી. એમનાં સાંનિધ્ય, સહવાસ અનેં સહજીવનનો જે અપૂર્વ લાભ મળ્યો તેને કારણે સમસ્ત જીવનપિડ આશાના અમીથી રસાયો તો ખરો જ પણ અંતરાત્માને જાણે હરિચરણના પ્રસાદ મળ્યો. કેટલાક વાતાવરણમાં શકિત જ એવી હોય છે કે અંતરના કમાડને ધક્કો મારીને ઉઘાડી નાંખે; અને અંદર પ્રવેશીને જીવનનું અજવાળું પાથરી આપે.
કિસનસિંહ ચાવડા
તા. ૧૬ ૨-૭૦
જૈન સમાજને ગાંધીજીના સદેશ
.
તા. ૨૩-૬-’૧૯૨૭ ના ‘નવજીવન ’ માં મહાત્મા ગાંધીજીએ જૈન સમાજને ઉદ્દેશીને નીચે મુજબ એક નોંધ લખેલી : *સ્યાદ્વાદના પૂજારી અને દયાધર્મના ઈજારદાર જૈનો વિષે વધારે સારી વાતની આશા કરવી જોઈએ. તેમનામાં સહિણતા પણ હોવી જોઈએ એટલે કે મતભેદ ધરાવતા લોકો પ્રતિ તેમના તરફથી ઉદારતાની આશા રાખવામાં આવે છે. તેમણે એમ માનવું જોઈએ કે તેમને પોતાનું સત્ય જેટલું પ્રિય છે તેટલું જ પ્રિય પ્રતિપક્ષીઓને તેમનું સત્ય હોય જ. વિરોધી ભૂલ કરતા માલૂમ પડે ત્યાં રોષના બદલે દયાભાવથી કામ લેવું ઘટે.
“ પરંતુ તેમના ઝગડા જોઈને એવા આભાસ ઊઠે છે કે સ્યાદ્વાદ તેમ જ દયાધર્મ જૈન ભંડારોમાં તથા જૈન મંદિરોના સાહ્મગ્રથામાં જ માત્ર શાભા આપી રહ્યા છે. આ બાબતના મને જ્યાં ત્યાં અનુભવ થઈ રહ્યો છે. કદાચ કોઈ ઠેકાણે દયાધર્મ થતા હાય. તે તેની સીમા કીડીને કણ નીરવામાં અને માછલીઓને બચાવવામાં સમાપ્ત થઈ જાય છે. આ ધર્મનું પાલન કરનારને મનુષ્યની સાથે કેટલીયે ક્રૂરતા થઈ રહી હોય તો પણ તેને ધર્મી સમજવામાં આવે છે.
“રાયચંદભાઈ કહેતા હતા કે જૈન ધર્મ વાણિયાઓને ત્યાં ગયો એટલે તેના હિસાબ પણ વાણિયાઓ જેવા બની ગયો. વિવેક અને વીરતા જે દયાનાં લક્ષણ હોવા જોઈએ તેનો પ્રાય: લાપ થઈ ગયો છે. અદયા અને વીરતા એકાર્થવાચી બનતાં દયાનું પતન થઈ ગયું છે.
“ધન અને ધર્મ તો એકમેકના જાની દુશ્મન છે. આમ છતાં પણ જૈન મંદિરોમાં લક્ષ્મીદેવી આવીને વસી છે. ધાર્મિક સિદ્ધાન્તોનો નિર્ણય તપસ્યા દ્વારા નહિ પણ તેના બદલે અદાલામાં વકીલાની દલીલા દ્રારા થઈ રહ્યો છે. પરિણામે હાલત એવી બની બેઠી છે છે કે જે વધારે ધન ખર્ચી શકશે તે પોતાના પક્ષમાં ધર્મનો નિર્ણય કરાવી શકે.
“શ્વેતાંબરો તથા દિગંબો વચ્ચે દુશ્મની જ શા માટે સંભવે? બન્નેના સિદ્ધાન્ત એક છે; થોડો સરખે ભેદ છે. તે ભેદ એવા નથી કે જેને અસહ્ય કહી શકાય, પણ તે ભેદ એવા છે કે જે વડે બન્ને શાન્તિ અને સમાધાનપૂર્વક પોતપાતાના ધર્મનું પાલન કરી શકે તેમ છે, જેમ કે દ્વેત તથા અદ્ભુ ત.
“નામાં સાધુએ તેમ જ સાધ્વીઓ મોટી સંખ્યામાં છે. તેમની પાસે સમય પણ પુષ્કળ હાય છે. તેઓ સાચી સેવા શા માટે ન કરે? તે શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્ન શા માટે ન કરે? અને પોતાની અનુભૂતિની સમજણ સમાજને શા માટે ન આપે?
“જૈન યુવકો પોતાના વડીલ વૃદ્ધો માફ્ક દ્રવ્યોપાર્જનમાં મશગુલ નજરે પડે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા હોવા છતાં, તેઓ તપસ્વી જેવા બનીને ઉદારચરિત, શુદ્ધ તેમ જ દયાની મૂર્તિ શા
માટે બનતા નથી?
“શ્વેતાંબર - દિગંબરોના ઝગડાઓના નિકાલ અખબારો તેમ જ અદાલતા દ્રારા પ્રાપ્ત થઈ ન જ શકે. એ ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે બન્ને પક્ષ અથવા બેની વતી એક પક્ષ પ્રાયશ્ચિત કરે ને શુદ્ધ બને. જેનાથી આ ન બને તે ધર્મનું નામ છેડીને નમ્રતાપૂર્વક મૌન ધારણ કરે.”
ગાંધીજીના આ વિચારો આજે પણ એટલા જ સાચા અને પ્રસ્તુત છે પણ આજના જૈન સમાજ - આજના જૈન અગ્રણીઓ - આપસઆપસના ઝગડાઓ વિષે આ રીતે વિચાર કરવાને તૈયાર છે ખરા? આ ઝગડાઓ કંઈ પણ અનિચ્છનીય ઘટના બનતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આજે પ્રમાણમાં આ ઝગડાઓ શાન્ત અને પ્રસુપ્ત છે ત્યારે ગાંધીજીએ ઉપર દર્શાવેલા વિચારોનું શાન્તિથી આજના દરેક જૈન મનન—ચિન્તન કરે અને પાતાને પૂછે કે જૈન ધર્મના પાયામાં રહેલા અપરિગ્રહ અને વિશ્વમૈત્રીનો આદર્શ અને હક્ક અને માલેકીના નામ નીચે ચાલતા જૈન તીર્થોના આજના ઝગડાઓ એ બે વચ્ચે કોઈ મેળ છે ખરો? શું આ ઝઘડાઓ એવા છે કે ખેલદિલીથી અને બાંધછાડથી ન જ પતે? પરમાનંદ
6