SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬–૨–૭૦ પ્રબુદ્ધ જીવન ૨૩૧ (૪) તે તેના રજેરજનાં કામની નોંધ રાખશે. | (૫) પિતાની ખેતી તેમ જ ગૃહઉધોગે દ્રારા ગાંમડાં સ્વયંપૂર્ણ બને એ રીતે તે તેમને સંગઠિત કરશે. (૬) ગ્રામવાસીઓને તે સફાઈ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે અને તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાય લશે. (૭) હિંદુસ્તાની તાલીમી સંઘની નીતિ અનુસારની નવી તાલીમને ધોરણે તે જન્મથી મરણ પર્યન્તની સઘળા ગ્રામવાસીએની કેળવણીને પ્રબંધ કરશે. (૮) જેમનાં નામ સરકારી મતદાર પત્રકમાં નોંધાવા રહી ગયાં હોય તેમનાં નામો તે તેમાં નોંધાવશે. ૯) જેમણે મતાધિકારના હક્કને માટેની જરૂરી યોગ્યતા હજી પ્રાપ્ત કરી ન હોય તે પ્રાપ્ત કરવા માટે તેમને તે પ્રોત્સાહન આપશે. ' (૧૦) ઉપર જણાવેલા અને વખતોવખત જે બીજા ઉમેરવામાં આવે તે હેતુઓ સાધવાને માટે યોગ્ય ફરજ બજાવવા માટેના સંધે ઘડેલા ધારાધોરણ અનુસાર તે પિતે તાલીમ લેશે અને યોગ્ય બનશે. સંઘ નીચેની સ્વાધીન સંસ્થાઓને માન્યતા આપશે. (૧) અખિલ હિંદ ચખા સંઘ (૨) અખિલ હિંદ ગ્રામ ઉદ્યોગ સંઘ (૩) હિંદુસ્તાની તાલીમી સંઘ (૪) હરિજન સેવક સંઘ (૫) ગોસેવા સંઘ નાણાં સંઘ પોતાનું ધ્યેય પાર પાડવાને અર્થે ગ્રામવાસીઓ અને બીજાઓ પાસેથી નાણાં ઉભાં કરશે. ગરીબ માણસોને પાઈ પૈસે ઉઘરાવવા ખાસ ભાર મૂકવામાં આવશે. નવી દિલ્હી, ૨૯–૧–૪૮. ( મ. ક. ગાંધી કોંગ્રેસનું લોકસેવક સંધમાં રૂપાન્તર કરવા અંગે (અમદાવાદથી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા જેઓ એક વખત આગળની લોકસભામાં સભ્ય હતા અને જેઓ આજે પણ સક્રિય કોંગ્રેસી કાર્યકર્તા છે તેમના તરફથી પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ થયેલ ઉપર જણાવેલ વિષયને લગતી મારી નાંધના અનુસંધાનમાં, મારાથી જુદો અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર નીચે આપવામાં આવે છે. પરમાનંદ) અમદાવાદ, તો ૩-૨-૭૦ મુરબ્બીશ્રી પરમાનંદભાઈ, “પ્રબુદ્ધ જીવન’ માટે કોઈવાર કાંઈક લખતા રહેવાનું તમારું આમંત્રણ ઊભું જ છે. હું અને મારા કુટુંબીજનો તે નિયમિત જોઈએ છીએ. તેના વાંચનથી અમારું જીવન વધુ સમૃદ્ધ બને છે, . તેનું ઋણ પણ સ્વીકારવાની આ તક લઉં? પત્ર લખવાનું તરતજનું કારણ પૂરું પાડ્યું છે તમારા તા. ૧–૨–૭૦ના અંકની પ્રકીર્ણ નોંધના ‘કોંગ્રેસને લોક સેવક સંઘ બનાવવાનો વિચાર વ્યવહારુ છે ખરો?’ લખાણે. તમે મારા રાજકીય વિચારોથી સુપરિચિત છે, છતાં પ્રસ્તુત વિષય સંબંધી મારા વિચારોથી તમને આશ્ચર્ય થવા સંભવ છે. ૧૯૪૮માં કોંગ્રેસના વિસર્જનની અને લેક સેવક સંઘ સ્થાપવાની ગાંધીજીની વાત ઘણાની જેમ મને પણ તે વખતે અવ્યવહારુ લાગી હતી. આજે તેમ કરવાનો સમય વીતી ગયો છે, તે પ્રશ્ન બહુ પ્રસ્તુત પણ રહ્યો નથી. લોક સેવક સંઘ બનાવે તેવા ઘણા દેશસેવકો ઘણા વખતથી કોંગ્રેસ છોડી ગયા છે. આજ પૂરતો આ પ્રશ્નનો જવાબ, જુદા જુદા કારણોસર પણ આપણા બન્નેને સરખે છે. રહી ગાંધીજીની ૧૯૪૮ માં તેમ કરવાની વાત. આજે અનુભવે મને દઢ પ્રતીતિ થઈ છે કે તે સલાહ તદ્દન સાચી, ડહાપણભરી અને દૂરંદેશી હતી. સ્વરાજય પહેલા કોંગ્રેસ આથિક સામાજિક કાર્યક્રમની વાત જરૂર કરતી હતી, પણ તેનું મુખ્ય લક્ષ્ય રાજકીય આઝાદી હતી. તે કારણે આર્થિક સામાજિક કાર્યક્રમ ઉપર સંપૂર્ણ રીતે સહમત ન હોવા છતાં, તેના ધ્વજ નીચે ઘણા દેશસેવકો સ્વાતંત્રય હાંસલ કરવા એકત્રિત થયા. રાજકીય આઝાદી પ્રાપ્ત થયા પછી કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી, જોકસભા-વિધાનસભામાં પક્ષ તરીકે પ્રવેશ કરી સરકાર પણ રચી, કોંગ્રેસી સંસદસભ્યમાં શું કે વિધાનસભાના સભ્યોમાં, તમને કોઈ વાર કોઈ નીતિ સબંધી એકવાયતા લાગી છે? ખુદ મંત્રીઓમાં પણ એકવાકયતા બહુ ઓછી દેખાય. એક જ પક્ષના એક મંત્રી નીતિ સબંધી એક વાત કરે તે બદલાય (બહુ ઝડપથી બદલાય છે ખરું?) એટલે એ જ કેંગ્રેસનું શાસન હોવા છતાં તદ્દન ઊલ્ટી જ વાત ! કોંગ્રેસની પાટલીઓ ઉપરથી સામ્યવાદી વિચારસરણીથી માંડી જનસંધી કે સ્વતંત્ર પક્ષના વિચાર રજૂ થતા મેં સાંભળ્યા છે. તદૃન વિરોધી વિચારસરણીવાળા કોંગ્રેસ ટિકિટ ઉપર ચૂંટાય. રાજા મહારાજા પણ આવે અને બિરાદરો પણ હોય. શ્રી કૃષ્ણમેનનને અને શ્રી ઢેબરભાઈને એક જ પાટલી ઉપર તેમના અંતરાત્માને જાળવી રાખી ગોઠવાઈ જતાં આપણે જોયા છે. શા માટે આવી ભિન્ન ભિન્ન વિચારસણીવાળા મહાનુભાવ કોંગ્રેસમાં છે કે હતા? મારા નમ્ર મત પ્રમાણે રાજકીય સત્તા સિવાય કોઈ વસ્તુ આ બધાને ભેગા બાંધી રાખતી નહીં. બધાને જુદા જુદા હેતુ બર લાવવા રાજકીય સત્તા જોઈતી હતી, અથવા તેના ઉપર અસર પાડતી હતી. (સત્તાલોલુપતા માટે તેમ કહેવા જેટલા અનુદાર ન થઈએ.) રાજકીય સત્તા મર્યાદિત છે. પંચાયતથી માંડી દિલ્હી સુધી બધાની વ્યકિતગત કે વૈચારિક મહત્ત્વાકાંક્ષા સંતેષી શકે તેટલી વ્યાપક નથી. પરિણામે આઝાદી પછી થોડા જ સમયમાં ઝગડા શરૂ થયા. પાડ માનવાને પંડિતજીના વ્યકિતત્વનો કે તેમની હયાતિ સુધી આ ઝગડા પ્રમાણમાં ઉગ્ર ન બનાવી શકાય. હવે તેના નગ્ન સ્વરૂપમાં બહાર આવ્યા છે. તેનું આશ્ચર્ય શું?- દુ:ખ શું? હવે આપણે ગાંધીજીની ૧૯૪૮ની સલાહને તપાસીએ. ત્યારે કોંગ્રેસનું વિસર્જન થયું હોત તે રાજકારણીઓ વિચારસરણી ઉપર તરત જ પક્ષે રચતે. પંડિતજી, સરદાર, મૌલાના, રાજેન્દ્રબાબુ, રાજાજી, કૃપલાણીજી વગેરે ઓછા રાજકીય સન્યાસ લેવાના હતા? ગાંધીજીની તેવી કલ્પના પણ નહોતી. તેઓએ પોતપોતાના આર્થિક -સામાજિક કાર્યક્રમ ઉપર પક્ષે રહ્યા હોત તો તેમની આગેવાની નીચે દેશવ્યાપી મેટા પક્ષો રચાઈ જાત અને દેશમાં રાજકીય સ્થિરતા જળવાઈ રહેત, અંગત સત્તા માટેની સાઠમારી ઘણી ઓછી થાત. સારાય દેશમાં આજે કોંગ્રેસનું સ્થાન લઈ શકે તે એક પક્ષ દેખાતો નથી તે એક મોટી રાજકીય કર ણતા છે. કારણકે, તેથી જ આપણી લોકશાહી અને રાષ્ટ્રીયતા ભયમાં મુકાયા છે. ૧૯૪૮માં કોંગ્રેસનું વિસર્જન કર્યું હોત તો આજે વિકરણની જે માગ ઊભી થઈ છે તે કયારની ય હાંસલ થઈ ગઈ હોત અને ઈંગ્લેન્ડ-અમેરિકામાં છે તેવા બે ચાર મજબૂત પક્ષ રચાઈ સ્થિર થયા હોત. ગાંધીજીની વાત તે વખતે દેશનાયકોને અવ્યવહાર લાગી હતી. તે વખતે તેને હિંમતથી અમલ કર્યો હોત તે આજની કર ણ સ્થિતિમાંથી દેશ જરૂર ઉગરી જાત. ગાંધીજી આર્ષદા હતા. તેમની પ્રતિભાએ તેમને ભાવિ ભયસ્થાને સ્પષ્ટ રીતે બતાવ્યા. તે વખતના બીજા આગેવાનો મહાન છતાં માત્ર રાજકારણીઓ હતા. તત્કાલીન રાજકીય લાભાલાભ કે બીજા વિચારોથી પ્રેરાઈ તેમણે જોઈએ તેટલા ડહાપણ કે હિંમત બતાવ્યા નહીં તેમ લાગે છે. મારા વિચારો ટૂંકમાં જણાવ્યા છે. વિજ્યાબહેનને વંદન, કુશળ હશે. ઘનશ્યામ ઓઝાના વંદન
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy