________________
Regd. No. M H. 17 વાષક લવાજમ રૂા. ૭
प्रमुद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન'નું નવસ’કરણ વર્ષ ૩૧ : અંક ૨૦
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬ ૧૯૭૦, સામવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી : પરમાનંદકુવરજી કાપડિયા
બર્ટ્રાન્ડ રસેલ
(બર્ટ્રાન્ડ રસેલનું ૯૭ વરસની વયે બીજી ફેબ્રુઆરીએ અવસાન થયું) બર્ટ્રાન્ડ રસેલે પોતાના જીવનના પ્રેરક બળા તેમની આત્મથામાં આ પ્રમાણે જણાવ્યા છે:
“મારા જીવનમાં ત્રણ પ્રેરણાઓનું પ્રભુત્વ રહ્યું છે. એ પ્રેરણાઓ આમ તો સાવ સાદી ને સર્વસામાન્ય છે; પરંતુ મારા જીવનમાં એ પ્રેરણાઓ અતિશય પ્રબળ રહી છે. એ ત્રણ પ્રેરણાઓ છે: પ્રેમના તલસાટ, જ્ઞાનની ખાજ, અને માનવજાતના દુ:ખ માટે અસહ્ય કરુણા. આ પ્રેરણાઓએ ઝંઝાવાતની જેમ મને અહીંથી તહીં ફંગોળ્યા છે. આ પ્રેરણાઓએ મને કાંય ઠરીઠામ થઈને બેસવા દીધા નથી. એણે મને યાતનાઓના ઊંડા સાગર ઉપર ફ્ ગાળ્યો છે, ને કયારેક હતાશાની બિલકુલ અણી સુધીએ પહોંચાડયો છે.
“પ્રેમ માટે હું તલસ્યો, કારણ કે તે આનંદોલ્લાસથી આપણને સભર બનાવી મૂકે છે. - એવા પ્રબળ આનંદોલ્લાસ કે પ્રેમના આનંદભર્યા થેડાક કલાકો સારું હું મારી બાકીની બધી જિન્દગી ન્યોછાવર કરી દેવા પણ તૈયાર થાઉં. પ્રેમ માટે હું તલસ્યો, કારણ કે તે આપણને એકલવાયાપણામાંથી મુકત કરે છે—એવું ભયંકર એકાકીપણું કે જેમાં એક થથરતી ચેતના દુનિયાની કોર ઉપરથી ઠંડી અતાગ ચેતનહીન ગર્તામાં ડોકિયું કરતી હોય. પ્રેમ માટે હું તલસ્યો, કારણ કે પ્રેમભર્યા મિલનમાં મેં સંતા ને કવિઓએ કલ્પેલા સ્વર્ગની એક અગમ્ય વામન સ્વરૂપમાં ઝાંખી કરી. આવા પ્રેમનો મે તલસાટ અનુભવ્યો, અને માનવજીવન માટે જો કે વધુ પડતું કહેવાય, છતાં કહ્યું કે આવા પ્રેમ હું આખરે પામ્યો.
“આટલી જ પ્રબળ લાગણી સાથે મેં જ્ઞાનની ખાજ કરી છે. મે માણસાનાં હૃદય. સમજવાની ઈચ્છા સેવી છે. મેં તારાઓ ચમકે છે શા માટે એ જાણવાની ઈચ્છા કરી છે. સતત ગતિશીલ અણુમંડળ ઉપર અંકનું પ્રભુત્વ સ્થાપતી પાયથાગોરાસની શકિતનો તાગ પામવા પણ હું મળ્યો છું. આમાંથી બહુ નહીં, કિંચિત્ માત્ર હું પાર્મી શકયો છું.
“પ્રેમ અને જ્ઞાન, જ્યાં સુધી શકય બન્યાં ત્યાં સુધી, મને ઉપર સ્વર્ગ ભણી લઈ ગયાં. પરંતુ કરુણાએ મને હમેશાં પૃથ્વી ઉપર પાછે આણ્યા છે. માનવજાતના દુ:ખ-દર્દભર્યા ચિત્કારોના પડઘા મારા હૃદયમાં પડયા કરે છે. દુકાળને લીધે ભૂખે મરતાં બાળકો, જુલમગારોના સિતમનો ભાગ બનેલ માનવીઓ, એમનાં સંતાનો માટે ઘૃણાસ્પદ બજારૂપ બનેલ અસહાય વૃદ્ધો, અને એકલવાયાપણું, ગરીબી તેમ જ યાત્રનાઓની આખી લંગાર માનવજીવનના આદર્શની હાંસી ઉડાવી રહી છે. આ અનિષ્ટને ઓછું કરવા હું મથું છું, પણ હું કરી શકતા નથી, અને હું પોતે યે યાતના અનુભવું છું.
“મારૂં જીવન આવું રહ્યું છે. મને તે જીવવા જેવું લાગ્યું છે, અને મને તક આપવામાં આવે તો હું ખુશીથી તે ફરી જીવું.”
લગભગ ૪૦ વર્ષની ઉંમર સુધી તત્ત્વજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર, વિજ્ઞાન વિગેરે વિષયોમાં જ્ઞાનની શોધમાં જીવન વીતાવ્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ તેમના જીવનમાં ખોટો પલટો આણ્યો. શુષ્ક જ્ઞાનનું ક્ષેત્ર છેડી, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવ્યું. પણ આ જીવનપરિવર્તન કોઈ સત્તા કીર્તિની ઝ ંખનાથી ન હતું. તેમના જીવનનું બીજું પ્રેરક બળ હતું માનવજાતના દુ:ખથી થતી અસહ્ય વેદના. એ બળે તેમને માનવજીવનની વાસ્તવિકતાનું ભાન કરાવ્યું. જ્ઞાનની ઉપાસના સાંસારિક કઠોરતાથી દૂર રહી, એકાન્તમાં ભવ્ય - જાણે સ્વર્ગમાં વિચરતા હોય. પ્રથમ વિશ્વયુદ્ધથી માનવ સ્વભાવ વિષે તેમના વિચારો બદલાયા. માનવી પરસ્પરના સંહારમાં રાચે અને વિનાશ નોતરે એ તેમની કલ્પનામાં ત્યાં સુધી ન હતું. માનવી, પ્રેમ, કરૂણા, સત્ય, સૌન્દર્યના ઉપાસક છે. પણ તે સાથે તેનામાં આટલી હદે પોતાના સાચા સ્વાર્છા ભૂલીને પણ, વિનાશ વૃત્તિ હોય તે નવું દર્શન હતું. રસેલ યુદ્ધના કટ્ટર વિરોધી બન્યા અને યુદ્ધ સામે મોટી પ્રચારબેશ ઉપાડી, પોતાના વિદ્રાન મિત્રો પણ અંતે ફરી બેઠા અને યુદ્ધમાં જોડાયા. પણ રસેલ છેવટ સુધી યુદ્ધના વિરોધી રહ્યા, ઘણું સહન કર્યું, જેલ ગયા અને એકલા છતાં, નિડરપણે મક્કમ રહ્યાં.
યુદ્ધ પુરૂં થયું ત્યારે રસેલ લખે છે:
“મને જણાયું કે મારા પોતાના (ઉત્કર્ષ) સિવાય, મેં જે કાંઈ કર્યું હતું તે કાર્ય નિષ્ફળ ગયું. એક પણ માણસને હું બચાવી શકયો ન હતા, એક ક્ષણ પણ યુદ્ધને ટુંકાવી શકયો ન હતો. છેવટની સંધિ-વર્સેલ્સની થઈ તેનાથી ઉત્પન્ન થતી કડવાશને ઓછી કરી શકયા નહિ. પણ એટલું તો થયું કે, યુદ્ધમાં જોડાયેલ પ્રજાઓના અત્યાચારોમાં મેં કાંઈ સાથ આપ્યો નહિ અને મને એક નવી જીવનદિષ્ટ અને નવજીવન પ્રાપ્ત થયું.”
ચાર વર્ષના આવા અવિરત પ્રયત્નો પછી પણ દેખીતી રીતે શૂન્ય પરિણામ આવ્યું તેથી રસેલ જરા પણ નિરાશ ન થયા. પણ ત્યાર પછીના પચાસ વર્ષમાં અન્યાયો અને અત્યાચારો સામે વધારે જોરથી ઝઝુમ્યા.
રસેલ પ્રખર બુદ્ધિશાળી અને પ્રાણવાન વ્યકિત હતા. સામાજિક અન્યાય અને અસમાનતાઓ તેમને અસહ્ય થઈ પડતી. વ્યકિતસ્વાતન્ત્ય અને માનવ જીવનનો સર્વતામુખી વિકાસ તેઓ ઈચ્છતા. તેથી સામ્રાજ્યવાદના વિરોધી હતા. સમાજવાદના હિમાયતી હોવા છતાં, માનવવિકાસને રૂંધતા બંધના અને રાજકીય પદ્ધતિએના સખત વિરોધી હતા. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રશિયામાં ક્રાન્તિ થઈ અને ઝારશાહીના નાશ થયો તેને આવકારી - પણ ૧૯૨૦ માં રશિયા ગયા અને ત્યાં જે જોયું તેથી ભારે નિરાશ થયા. બેલ્શેિવીઝમની ક્રૂરતા, માનવ પ્રત્યેની નફરત, ઝારશાહીને પણ વટાવી જાય તેવા અત્યાચારો જોઈ તેઓ કંપી ઉઠયા, લેનીનને મળ્યા તેમાં ખિન્ન થયા. લેનીનમાં તેમને એવી બુદ્ધિપ્રતિભા કે માનવપ્રેમ દેખાયો નહિ. બલ્કે લેનીનની ઠંડી ક્રૂરતાથી વેદના અનુભવી. સામ્યવાદની વાસ્તવિકતા જૉઈ, તેના આદર્શોથી અંજાયા નહિ.
નાઝીવાદ અને ફાસીવાદ - હીટલર અને મુસાલીની - ને ઉદય થયા ત્યારે તેના પણ એટલા જ સખ્ત વિરોધી રહ્યા. એટલી હદ