________________
તા. ૧-૨-૭૦
પ્રભુ જીવન
સ્યાદ્વાદ જીવનદર્શન
☆
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૧૫-૯-૬૯ નાં રોજ શ્રી રોહિત મહેતાએ આપેલા વ્યાખ્યાનની નોંધ. તંત્રી)
દાર્શનિક સાહિત્યમાં જૈન ધર્મના અપૂર્વ ફાળા છે. સ્યાદ્વાદની વિચારધારા ગહન-કઠણ-વિચારધારા છે. વિદ્રાનાએ તેની ખૂબ ચર્ચા કરી છે. ‘સ્યાદ્વાદ મંજરી’ અને ‘સપ્ત ભંગી નય’માંથી આ વિચારધારા વિષે જાણવા મળે છે. એમાં અનેક વિચારકોએ તેને સમજાવવા પ્રયાસ કર્યો છે. હું સ્યાદ્વાદની માનસશાસ્ત્રની દષ્ટિએ ચર્ચા કરવા માગું છું. માનસશાસ્ત્રની દૃષ્ટિએ સ્યાદ્વાદની સમજૂતી દૂરના વિષય રહેતા નથી, દૈનિક જીવન સાથે જોડાય છે. આજના યુગ વિજ્ઞાનના યુગ છે. મનુષ્ય ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, પણ એ વિચિત્ર વાત છે કે ભૌતિક વિજ્ઞાનમાં જેમ જેમ માનવી આગળ વધતા જાય છે તેમ તેમ માનસશાસ્ત્રીય પ્રશ્નો અટપટા બનતા જાય છે. માનવી જેમ જેમ બાહ્ય અવકાશ પર વિજય મેળવે છે તેમ તેમ અંદરના અવકાશના પ્રશ્ના તેને દષ્ટિગોચર થતા જાય છે. જેમ જેમ વિજ્ઞાન ભૌતિક પ્રશ્નો દૂર કરે છે તેમ તેમ માનસશાસ્ત્રીય પ્રશ્નો તીવ્ર બને છે.
આજના યુગના સૌથી મુંઝવતા પ્રશ્ન એ છે, ધર્મની પ્રતિષ્ઠા કેમ કરવી અને તેનાં મૂલ્યો કેમ સમજાવવા? આજે પરંપરાગત વિચારધારા અસ્વીકાર્ય બનતી જાય છે, ત્યારે ધર્મ પાસે જવાના એક માત્ર માર્ગ માનસશાસ્ત્ર જ બાકી રહે છે. માનસશાસ્ત્રીય દષ્ટિએ પ્રશ્નોની સમજણ કેળવવાથી આપણા ધર્મની પ્રતિષ્ઠા કરવી સહજ બનશે.
આજે માનવી વિજ્ઞાનના માપદંડથી જ બધી વસ્તુ તપાસે છે. એવા યુગ માટે એક દષ્ટિબિંદુ–સ્યાદ્વાદ–વૈજ્ઞાનિક દષ્ટિ ધરાવે છે, એટલે તે વિજ્ઞાનના યુગને અનુરૂપ છે. સ્યાદ્વાદ શું છે? તે કઈ રીતે વિજ્ઞાનની બારી ખોલે છે?
સ્યાદ્વાદનો પ્રશ્ન ગંભીર છે. આપણે ઉપર ઉપરથી થોડો પ્રશ્ન જોશું. સ્યાદ્વાદને યથાર્થ સમજવા માટે જૈન ધર્મની ભૂમિકાથી પરિચિત થઈએ.
જૈન ધર્મના બે આધારસ્તંભ છે (૧) અહિંસા—જૈન ધર્મનું મુખ્ય અંગ છે. પણ જૈન ધર્મની અહિંસા સંકુચિત નથી –વ્યાપક છે. તેની વ્યાપકતા બતાવવા જૈન ધર્મના બીજો આધારસ્તંભ, (૨) અપરિગ્રહ, અહિંસાની સાથે જાય છે.
દુનિયાના ઈતિહાસ કહે છે કે જ્યાં જ્યાં પરિગ્રહ છે ત્યાં અધર્મ, હિંસા ને લડાઈ ચાલતી હોય છે. વ્યકિતગત કે આંતરરાષ્ટ્રીય લડાઈના મૂળમાં પરિગ્રહ જ રહેલા હોય છે. જ્યાં સુધી પરિગ્રહ છે ત્યાં સુધી હિંસા પણ રહે છે. જૈન ધર્મ વ્યાપક વિચાર લીધો છે. તેણે અહિંસાને અપરિગ્રહ સાથે જોડી છે.
અપરિગ્રહમાં વસ્તુનો ત્યાગ કરવાની વાત આવે છે, પણ વસ્તુનો ત્યાગ કરવે સહેલા છે. દા. ત. દુનિયા છોડીને એક જણ સન્યાસી બને છે. વસ્ત્રો ફેંકી દે છે. બીજી ચીજોના ય ત્યાગ કરે છે. પરંતુ અપરિગ્રહ વ્યાપક અર્થમાં લેવાનો છે. વસ્તુનો ત્યાગ નહીં પણ વિષયના ત્યાગ પર ભાર મૂકયો છે. અહીં ‘ વિષય ’ ન અર્થ સંસ્કૃત ભાષામાં છે તે લેવાના છે. આપણે વસ્તુને જ વિષય બનાવીએ છીએ. સાચા અપરિગ્રહ એ મનનો અપરિગ્રહ છે. તે સિવાય જે અપરિગ્રહની વાત કરે છે તે ગીતામાં કહેવા પ્રમાણે મિથ્યાચારી છે. મનમાંથી પરિગ્રહ ન છેડનાર માણસ સંન્યાસી થઈને જંગલમાં જશે તો ત્યાં પણ નવા સંસાર ઊભા કરશે. આજના કહેવાતા સાધુ–સંન્યાસીઓ આવા પરિગ્રહથી મુકત નથી. તેઓ સંસારીએથી ય વધુ સંસારી હોય છે. પરિગ્રહ અને અપરિગ્રહનો આધાર બહારના આચાર સાથે નહીં પણ મનના વ્યાપાર સાથે છે.
//
૨૨૭
મનના અપરિગ્રહને સમજવા સ્યાદ્વાદ જ કામ લાગે છે. કારણ, અપરિગ્રહ તેને આધાર છે.
સ્યાદ્વાદ શું છે?
હિંદુ દર્શનશાસ્ત્રનું પુસ્તક તમે વાંચશે તે તેમાં અનેક પ્રકારના ન્યાયની ચર્ચા જોશો. તેમાં એક ન્યાય છે “સર્પ -રજજ ન્યાય” જેમાં દોરડું સર્પ જેવું દેખાય છે. ત્યાં સુધી તો વાંધો નથી, પણ આજે તો રજજૂ - સર્પ ન્યાય છે. સર્પને દોરડું માનવામાં આવે છે. આ સાપને અડકવાથી નુકસાન થશે. આમાં દષ્ટિની વિકૃતિ થઈ છે. દોરડાને સર્પ માનવાનું કારણ શું? જૈન ધર્મના એક સિદ્ધાંત છે - સમ્યક્ દર્શન, સમ્યક ્ જ્ઞાન અને સામ્યક ્ ચારિત્ર્ય.
સમ્યક્ દર્શન એટલે જે વસ્તુ છે તેને એના યથાર્થ સ્વરૂપમાં જોવી. જ્યાં સુધી સમ્યક ્ દર્શન ન હોય ત્યાં સુધી જ્ઞાન સમ્યક ન થાય અને ચારિત્ર્ય પણ સમ્યક ન થાય. આમ સમ્યક ચારિત્ર્યનો પાયો સમ્યક દર્શન છે. માનસશાસ્રીય સ્તર પર સર્પ–રજજૂ ન્યાયનો સિદ્ધાંત છે. આપણે બનાવ મૂળ શું છે એ નથી જાણતા. તેને આપણે આપણા દષ્ટિબિંદુથી જોવા પ્રયાસ કરીએ છીએ,
એક માનશાસ્ત્રીએ પ્રયોગ દાખલ એક અકસ્માત વિષે તેના અનેક શિષ્યોને રીપોર્ટ લખવા કહ્યું. તેણે જોયું કે તે બધાંમાંથી કોઈ પણ બેના રીપોર્ટ એકસરખા નહોતો. દરેક જણે બનાવનું વર્ણન પોતાની રીતે કર્યું હતું. આમ એક જ બનાવ આ દૃષ્ટિએ જુદા જુદા દેખાયો હતા. આ સર્પ-રજજૂ ન્યાય છે. એક સ્વીસ વિજ્ઞાનશાસ્ત્રીએ કહ્યું છે કે, It is the scale of observation that creates, the phenomenon.
એનો અર્થ એ કે હું મારા દષ્ટિબિંદુમાંથી જ બનાવને ઊભા કરું છું. જો દિબિંદુ બદલાય તો એક બનાવ એક રીતનો લાગતો હતા તે બીજી જ રીતના લાગે છે.
.........
વૈજ્ઞાનિક પણ દુનિયાનો અનુભવ આ રીતે જ રજૂ કરે છે: જ્યાં સુધી હું કહું છું કે “મારી દષ્ટિએ આવા બનાવ છે.” ત્યાં સુધી વાંધો નથી. હું સત્ય માનું છું એજ વસ્તુ સત્ય છે એમ કહું ત્યાં જ પરિગ્રહ શરૂ થાય છે. ત્યાં જ હિંસાનું સુક્ષ્મ દર્શન થાય છે. વ્યકિત અને સમાજ વચ્ચેના બનાવે આ રીતે જોવા જોઈએ. એક વ્યકિતનું મારા તરફનું આચરણ મારું દર્શન છે. આ જ સ્યાદવાદ છે. “મને પૂરું સત્ય ખબર નથી. મારા દષ્ટિકોણ મુજબ હું આ વસ્તુને સત્ય માનું છું. સત્ય જુદું પણ હોય”. વૈજ્ઞાનિક પણ આમ જ કહે છે. વૈજ્ઞાનિક જો‘ આ જ સત્ય છે.’ એમ કહે તો તેના પ્રયાગાના જ અંત આવે. એટલે તે કહે છે કે હાલમાં આ સત્ય છે, દષ્ટિ બદલાય તેમ સત્યનું દર્શન જુદું પણ હોઈ શકે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ કહે છે કે વિશ્વમાં બધી જ વસ્તુએ ગતિમાન છે. જેને જોઈએ છીએ તેને ગતિના ચોકઠામાં જ જોઈએ છીએ. જેમ જેમ ગતિ વધે છે તેમ તેમ જુદું જુદું દેખાશે. આ છે સાપેક્ષવાદના સિદ્ધાંત.
ગતિથી ચાલતા આપણા મન દ્વારા જે દેખાયું છે—અવલાકન થયું છે તેને જ બહારના બનાવ કહીએ છીએ.
સ્યાદ્વાદ વિજ્ઞાનયુગને અનુરૂપ છે. તે મનની શકયતા અને મનની મર્યાદા જણાવે છે. વિજ્ઞાન દ્વારા આ મનોદશાને સીમિત સ્વરૂપ આપી શકાયું છે. વિજ્ઞાન મનના અવલાકન દ્વારા જે વાત કરે છે એ સાપેક્ષ વસ્તુ છે. વિજ્ઞાનની આ મર્યાદા સમજાય ત્યાંથી ધર્મના દર્શનની નવી ભાવના જન્મે છે. નેત્રની જ્યોતિની જ વાત લઈએ. વિજ્ઞાન કહે છે કે આંખ નથી જોતી. તે તે વસ્તુની માત્ર છબી જ પાડે છે—જોવાનું–સમજવાનું કામ તો મન કરે છે. તેવી જ રીતે કાન સાંભળતા નથી, મન સાંભળે છે; ત્વચા લાગણી જન્માવતી નથી, મનમાં જ લાગણી જન્મે છે. આમ પાંચે ઈન્દ્રિયા