________________
૨૨૨
પ્રબુદ્ધ જીવન *
તા. ૧–ર–૭૦
- શ્રધ્યેય સેવામૂર્તિ શ્રી ગિરધરલાલ દફતરીનું સંઘે કરેલું બહુમાન 3
પહેલાં કદી જોયા નથી એવા ગિરધરભાઈને અનુલક્ષીને વારં જે frઘ—“ગિરધરભાઈ તું મારો બંધુ છે.” - એ ધ્રુવપદ પૂર્વકની સાત શ્લોકની પ્રશસ્તી મારી ઉપર લખી મોકલી અને એ રીતે તેમના દિલના અભાવ તેમણે પ્રગટ કર્યો.”
આમ જણાવીને શ્રી પરમાનંદભાઈએ પ. બેચરદાસને પત્ર અને ઉપર જણાવેલ સાત શ્લોકોને અનુવાદ વાંચી સંભળાવ્યો.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્થાનકવાસી સમાજના લોકપ્રિય આગેવાન નેતા (જેમની ૭૮ મી જન્મગાંઠ નિમિત્તે તાજે- તરમાં શ્રી કાંદાવાડી સંઘે રૂા. ૧૩૧૧૩૧ ની થેલી આપી જાહેર સન્માન કર્યું હતું.) શ્રી ગિરધરલાલ દફતરીનું બહુમાન શનિવાર તા. ૧૦-૧-૭૦ ની સાંજે શી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈના પ્રમુખપદે કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં શ્રી પરમાનંદભાઈએ શ્રી ગિરધરભાઈને પરિચય કરાવી આજના આ બહુમાન સમારંભ પાછળ રહેલી દષ્ટિને ઉલ્લેખ કરતા કહ્યું કે:
શ્રી ગિરધરલાલભાઈને આ પ્રકારને સન્માન સમારંભ ગોઠવીને આપણા મુંબઈ જૈન યુવક સંઘે એક નવું પ્રસ્થાન કર્યું છે. તા. ૧૬-૧૨-૬૯ના પ્રબુદ્ધ જીવનમાં તેમને પરિચય આપવામાં આવ્યો છે તે ઉપરથી માલુમ પડશે કે જૈન સમાજની કોઈ વ્યકિતનું
જ્યારે આપણે સંઘ સન્માન કરે છે ત્યારે એવું ગૃહિત હોય છે તે વ્યકિત પ્રગતિશીલ વિચાર ધરાવતી અને પરંપરાભંજક હોવી જોઈએ,
જ્યારે ગિરધરભાઈનાં ધાર્મિક વળા જોતાં કેઈને પણ એમ જરૂર લાગવાનું કે ગિરધરભાઈને આ કોટિમાં મૂકી ન શકાય. ધાર્મિક બાબતમાં તેમનું વળણ જેને આપણે Orthodox કહીએસ્થિતિચુસ્ત કહીએ- તે પ્રકારનું ગણાય. હવે જો આમ છે તે સહેજે પ્રશ્ન થાય કે આ યુવક સંઘ આવી વ્યકિતનું સન્માન કરવા શા માટે પ્રવૃત્ત થયે છે? આને જવાબ એ છે કે આજ સુધી આપણે સુધારક અને સ્થિતિચુસ્ત - ક્રાન્તિકારી અને નાફેરવાદી - એમાંના કોઈ પણ એક ચેગઠામાં એક યા અન્ય વ્યકિતને ગોઠવીને તેને વિચાર કરતા હતા. અનુભવથી એમ માલુમ પડે છે કે કોઈ પણ વ્યકિત એકાન્ત સુધારક કે એકાન્ત સ્થિતિચુસ્ત નથી હોતી. મેટા ભાગના માનવીએ અમુક બાબતમાં સુધારક હોય છે તો બીજી કેટલીક બાબતમાં સ્થિતિચુસ્ત હોવાનું માલુમ પડે. સુધારક કે સ્થિતિચુસ્તનું વિશેષણ આપણે માનવીને મોટા ભાગે તેના ઉપરના સ્તર ઉપરથી લગાડીએ છીએ. મહત્ત્વ છે તે નીચે રહેલા તેના સમગ્ર વ્યકિતત્વનું. આ કસેટીએ કસતાં ગિરધરભાઈનું વ્યકિતત્વ, જે રીતે તેમના વિશે મેં જોયું જાયું અને સાંભળ્યું તે રીતે વિચારતાં, અસામાન્ય ઉચ્ચ કોટિનું સુગ્રથિત વ્યકિતત્વ લાગ્યું અને તેથી મને વિચાર આવ્યો કે આપણા કાર્યાલયનું અને સભાગૃહ ગઈ ૨૫મી તારીખે ઉદ્ઘાટન કર્યા બાદ સૌથી પ્રથમ ભરવામાં આવતી સભાની મંગળ શરૂઆત ગીરધરભાઈ જેવી પવિત્ર અને ચારિત્ર્યસંપન્ન અને પૂરા અર્થમાં શ્રાવક એવી વ્યકિતના જાહેર સન્માનથી કરવી. આ વિચાર મેં તેમની સમક્ષ રજૂ કર્યો અને તેમણે બહુ આનાકાની અને સંકોચપૂર્વક મારી માગણીને સ્વીકાર કર્યો.
“અહિ આ સન્માન આયોજનના એક નિમિત્ત બનેલા પં. બેચરદાસને ઉલ્લેખ કરવો જ જોઈએ. ‘પ્રબુદ્ધ જીવનમાં આપવામાં આવેલ તેમનો પરિચય વાંચીને પંડિત બેચરદાસ ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે એક પત્રદ્વારા જણાવ્યું કે, “આવી વ્યકિતનું માત્ર મુંબઈને સ્થાનકવાસી સંઘ સન્માન કરે તે પૂરતું નથી, તેમનું તે આખા મુંબઈના જૈન સમાજે સન્માન કરવું જોઈએ.” તેમની સૂચનાને વિચાર કરતાં આવા કાર્ય માટે મુંબઈના આખા જૈન સમાજને કટિબદ્ધ કરવાનું સહજ શકય ન લાગ્યું, પણ તે સાથે મને વિચાર આવ્યો કે આપણે મુંબઈ જૈન યુવક સંઘ ગિરધરભાઈનું સન્માન કરીને નવા સભાગૃહના જાહેર ઉપયોગને પ્રારંભ શા માટે ન કરે? તેના પરિણામરૂપ આજે આપણે આ સભાના રૂપમાં એકઠા થયા છીએ. આ પ્રસંગે ગીરધરભાઈને અને અમારા ખાસ નિમંત્રણને માન આપીને અહિં ઉપ- સ્થિત થયેલાં તેમનાં પત્ની - સહધર્મચારિણી - સૌ. સૂરજબહેનને અમારા સંઘ તરફથી હાર્દિક આવકાર આપું છું.
આ પ્રસંગે વિશેષમાં એ જણાવવાનું છે કે, પં. બેચરદાસે ઉપર જણાવેલી સૂચના કરીને સંતેષ ન માન્ય પણ જેમને તેમણે
ત્યારબાદ શ્રી ગીજુભાઈ મહેતા, શ્રીમતિ લીલાવતીબેન દેવીદાસ, શ્રી રમણિકલાલ કોઠારી તથા શ્રી ચીમનલાલ જે. શાહે શ્રી ગિરધરભાઈનાં જીવનની અનેક વિશિષ્ટતાઓને ઉલ્લેખ કર્યો હતેા. શ્રી ચીમનલાલ જે. શાહે વિશેષમાં જણાવ્યું હતુ કે “જેમ અન્ય સંસ્થાઓ પોતાના વિશિષ્ટ કાર્યને ભાગવત સપ્તાહ કે સત્યનારાયણની કથા બેસાડીને પ્રારંભ કરે છે, તેમ આપણે ગિરધરભાઈ જેવી પવિત્ર વિભૂતિનું ગુણસંકીર્તન કરીને આપણા આ સભાગૃહનાં જાહેર ઉપગને પ્રારંભ કરીએ છીએ.” સમારંભના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી ગિરધરભાઈને સ્થાનકવાસી સમાજની એકધારી ૪૦ વર્ષ સુધી સેવા આપવા માટે અભિનંદન આપતાં કહ્યું,
શ્રી ગિરધરભાઈનું બહુમાન કરવાની જ્યારે પરમાનંદભાઈએ મને વાત કરી ત્યારે મને કેટલે આનંદ થશે, એટલું જ નહિ, એમને આ બહુમાનને વિચાર આવ્યો એથી પણ મને કેટલા બધા આનંદ થયો એ હું કહી શકું એમ નથી.'
પરમાનંદભાઈએ ગિરધરભાઈને રૂઢિચુસ્ત – orthodox 'તરીકે વર્ણવ્યા તેના સંદર્ભમાં મારે કહેવું જોઈએ કે આજે સાધુસંસ્થાઓ ઉપર જે નિયમન છે એ એમને આભારી છે. આજે શ્રમણ સંઘમાં જે કયાંય ખેટું થતું હોય છે તેઓ સાધુ - સાધ્વીઓને એમના મોઢે સ્પષ્ટ કહી શકે છે. એમના જીવનમાં સંયમ છે, ત૫ છે- એટલું જ નહિ માનવતાના કાર્યો માટે તે દિવસ કે રાત જોતા નથી. ગિરધરભાઈમાં શીલ છે - અને શીલથી સમાધી આવે છે અને સમાધીથી પ્રજ્ઞા આવે છે. સમાધી અને પ્રજ્ઞા માટે શીલને પાથ જોઈએ - ગિરધરભાઈની સ્વસ્થતાનું રહસ્ય એમનું શીલ છે. આજે સ્થાનકવાસી સમાજની અનેક સંસ્થાઓ પાંગળી થઈ જાય, જો ગીરધરભાઈ હોય તે.
આ પ્રસંગે પંડિત બેચરદાસ જેવા સ્તુતિ શ્લોક લખી મોકલે ત્યારે મારે કહેવું જોઈએ કે શ્રાવકે શ્રાવકને ઓળખ્યો છે. જેમને પ્રત્યક્ષ જોયા નથી કે મળ્યા પણ નથી એને માટે લખે, “હગિરધર - તું મારે બંધુ છે. કેટલું બધું ગૌરવ લેવા જેવું કહેવાય? ગિરધરભાઈની સેવા વર્ષો સુધી સમાજને મળતી રહે એ માટે પરમાત્માને મારી - પ્રાર્થના છે.” - ત્યારબાદ શ્રી પરમાનંદભાઈએ ગિરધરભાઈને તથા લીલાવતીબહેને તેમના પત્ની શ્રીમતી સુરજબહેનને સુખડને હાર પહેરાવ્યો હતો.
શ્રી ગિરધરભાઈએ આ બહુમાન માટે યુવક સંઘને આભાર માની યુવક સંઘને એમની સેવા આપવા તત્પરતા દાખવી હતી.
મંત્રીઓ શ્રી ગિરધરલાલ દફતરી અંગે પં. બેચરદાસને પત્ર
અમદાવાદ, તા. ૫-૧-૭૦ રા. શ્રી પરમાનંદભાઈને- ' .
માલૂમ થાય કે હું જાતે ભાઈ ગિરધરભાઈ દફતરીને મળે હોઉં એવું યાદ નથી તેમ છતાં તેમના ઉત્તમ આચરના ગુણને તથા તેમની સેવાપરાયણતાના ગુણને અને આ જમાનામાં વિરલ જોવા મળતી તેમની સાદાઈના ગુણને તથા તેમના પરિગ્રહ અંગે સંયમના ગુણને સાંભળીને - વાંચીને તેમના તરફ મારૂં આકર્ષણ સહજભાવે થયેલ છે અને એને જ લીધે મેં તમને નમ્રપણે સૂચવેલું કે, ,