________________
તા. ૧-૨–૭૦
પ્રબુદ્ધ જીવન
૨૨૩
થોચિત વિના માલિકના મહાનુભાવો
સમગ્ર જૈન સંઘ આવી ગુણવંત વ્યકિતને આદર કરે એ વિશેષ ઉચિત છે તથા ભગવાન મહાવીરને જે ૨૫૦૦ મી નિર્વાણ જયંતીને ઉત્સવ આવવાનું છે તેની પ્રથમ ભૂમિકા આવા ગુણાનુવાદમાં જ રહેલી છે. ખરી રીતે તે કઈ શ્રાવક દેરાવાસી નથી, તેમ સ્થાનકવાસી નથી તેમ દિગંબર કે તેરાપંથી નથી, તે માત્ર શ્રાવક છે. ‘શા એટલે શ્રદ્ધા, ‘વ’ એટલે વિનય અને ‘ક’ એટલે ક્રિયા. એ ત્રણ ગુણવાળો કોઈ પણ મનુષ્ય શાવક નામને યોગ્ય છે. છતાં દેરાવાસી સ્થાનકવાસી વગેરે જે પરસ્પર ભેદવર્ધક અને આપસમાં ફ_ટ પડાવનાર જે નામે વર્તમાનમાં પ્રચલિત છે તે આ મુનિઓની ગાદીને સાચવવા તેમણે જ શ્રાવકોમાં ઘુસાડયાં છે. આજકાલના રાજકારણી પક્ષે જેમ પોતાની સત્તા સાચવવા લોકોને પણ તે તે પક્ષના નામ આપે છે. તેમ જ આ નામની પણ કથા છે. છેવટે મારા વતી ભાઈ ગિરધરભાઈ દફતરીને મારે આ કાગળ અને ગુણાનુવાદનાં વચને પહોંચાડશે અને તેમને મારા વિનયપૂર્વકનાં વારંવાર નમન કહેશે. ભુલચુક માફ કરશે.
લિ. બેચરદાસ . समाजसेवापरायण गिरधरभाई दफतरी गुणानुवाद वचनानि
વઘુવં fઘર जैनसंधोन्नतिवाश्छिन्, सेवाकर्मठजीवित ॥१॥ स्मरामि ते गुणगणं, बन्धुस्त्वं मे गिरिधर ।। १।। नाहं जानामि प्रत्यक्षं, स्मर्यते न हि मिलनम् । त्वां तु श्लाघे गुणाकृष्टः,बन्धुस्त्वं मे गिरिधर ॥२॥ गुणस्मृतिर्गुणप्राप्ति, हेतुरिति विजानता। क्रियते गुणकीर्तन, बन्धुस्त्वं मे गिरिधर ॥३॥ परिग्रहपरिमाणादतिक्रान्तो मुनिमपि । आनन्दश्राद्धोसि चाद्य, बन्धुस्त्वं मे गिरिधर ॥ ४॥ श्राविकापदालंकारा, सहाया व्रतपालने । सूर्या भार्याऽपि धन्यो, बन्धुस्त्वं मे गिरिधर ।।५।। खेताणी दुर्लभो मित्रं, आवयोः स सखा शुचि । युवां दी जैन संघस्य, उन्नतिमभिवाश्छतम् ॥६॥ समग्रजनसंघस्य, भव सेवापरायण। सारोग्य जीवित ते स्यात् बन्धुस्त्वं मे गिरिधर ॥७॥
અનુવાદ સમાજસેવાપરાયણ શ્રી ગિરધરભાઈ દફતરીના ગુણવાદવને
હે ગીરધરભાઈ! તું મારો બધુ છે. જૈન સંઘની ઉન્નતિનો વાછું સેવાપરાયણ જીવિતને ધરનાર, એવા ગુણગણને હું યાદ કરું છું.'
હે ગિરધરભાઈ તું મારો બંધુ છે. (૧) તને પ્રત્યક્ષ જાણતા નથી તેમ મિલનનું સ્મરણ થતું નથી, તેપણ ગુણેથી ખેંચાયેલ હું તારી સ્લાયા કરું છું.
હે ગિરધરભાઈ! તું મારો ભાઈ છે. (૨) ગુણોના સ્મરણથી ગુણની પ્રાપ્તિ થાય છે એમ જાણતે હું તારું ગુણકીર્તન કરું છું. હે ગિરધરભાઈ તું મારો ભાઈ છે. (૩).
પરિગ્રહના પરિમાણનું વ્રત લઈને તે તું મુનિને પણ અતિકમી ગયો છે. એટલે મુનિથી પણ ચડીયાત થયેલ છે. અને આજકાલ તારું આચરણ આનંદશ્રાવકની જેવું છે.
હે ગિરધરભાઈ ! તું મારો ભાઈ છે. (૪) તારા વ્રતપાલનમાં સહાયક અને શ્રાવિકાપદને શોભાવતી તારી સૂર્ય (સૂરજબેન) પત્ની પણ ધન્ય છે.
હે ગિરધરભાઈ! તું મારો ભાઈ છે. (૫) દુર્લભજી ખેતાણી તારે મિત્ર છે અને એ આપણા બનેને શુચિ એટલે પવિત્ર એવો મિત્ર છે - સખા છે.'
તમે બન્ને સમગ્ર જૈન સંઘની ઉન્નતિ ને વાંછા - (૬) સમગ્ર જૈન સંઘની સેવામાં પરાયણ બનો અને તારું જીવન, સારેગ્ય - આરોગ્ય સહિત - રહે. -
હે ગિરધરભાઈ! તું મારો ભાઈ છે. (૭)
વિશેષ નિરૂપણ આજકાલ શ્રાવકપદની અવગણના મુનિએ એમ કહીને કરે છે કે એ તો આરંભસમારંભી છે. પણ એ મુનિઓને એ હકીકતની યાદી આવતી નથી કે સમગ્ર મુનિસંઘ કેવળ શ્રાવકની હયાતીને જ આધારે ટકેલ છે, એટલે ચતુર્વિધ સંઘમાં શ્રાવકશ્રાવિકા સાધુ અને સાધ્વી આમ ગણના કરવી. સમુચિત છે. અમે સર્વવિરતિ છીએ એવો ફાંકો રાખીને પણ મુનિએ શ્રાવકપદની અવગણના કરી બેસે છે. તેઓ (મુનિઓ) એમ સમજે છે કે, શ્રાવક તે અવિરતિ છે અથવા હોય તો કોક દેશવિરતિ હોય. અમે સર્વવિરતિ હોવાથી સૌથી મોખરે છીએ, પણ આ તેમની માન્યતા અહંકારગર્ભિત છે અને અહંકાર સર્વવિરતિનો નાશ કરે છે. જૈન ધર્મનું મૂળ વિનય છે એ વાત પણ આ સર્વવિરતિ મહાનુભાવે વિસરી ગયા જણાય છે. મુનિઓ પણ શ્રાવકશ્રાવિકાને અનાદર તે ન જ કરી શકે, પણ યથોચિત વિનય જરૂર કરે એ જૈનધર્મને છાજે તેવું અને સર્વવિરતિને શેભાવે તેવું વર્તન છે.
મને યાદ છે કે, મુંબઈમાં સ્વ. શ્રી. વીરચંદ રાઘવજીના ગુણાનુવાદને માટે એક સભા ત્યાંના કોઈ ઉપાશ્રયમાં મળવાની હતી. ત્યારે ત્યાં રહેલા કોઈ મુનિએ એમ કહેલ કે ઉપાશ્રયમાં શ્રાવકોના ગુણાનુવાદની સભા ન હોય. મુનિનું આ વચન શ્રાવકો તરફ તેમના અવિનયનું અથવા અશાતનારૂપ વચન ગણાય. મુનિએ રોજ તેમના પ્રતિક્રમણ સૂત્રમાં બોલતા રહે છે કેસાવ ri , सावियाणं असायणाऐ।।
અર્થાત : અમે શ્રાવકોની આશાતના કરી હોય તથા શ્રાવિકાની અશાતના કરી હોય તો તે અંગે મિચ્છામિ દુકકર્ડ દઈએ છીએ. આમ શાસ્ત્રીયવિધિને આચાર છે. સભાની ના પાડનાર મુનિ પતે પ્રતિક્રમણ સૂત્રમાંનું ઉકત વચન ભૂલી ગયા જણાય છે.
પ્રતિક્રમણમાં જ્યારે ત્રીજું વંદનક નામનું આવશ્યક આવે છે ત્યારે ભગવાનાં વગેરે ચાર પદો બોલ્યા પછી ‘સર્વ શ્રાવકોને વાંદ’ એવું ખાસ વાકય બોલવાને વિધિ છે, એ ઉપરથી જણાય છે કે શ્રાવકપદનું જૈન શાસનમાં કેટલું બધું મહત્ત્વ છે. આજકાલ આ વાકય બલવાને પ્રચાર ગમે તે કારણે અથવા અજ્ઞાનતાને લીધે બંધ થઈ ગયા છે અથવા કોઈ મુનિએ જ આ વાકય બોલવાનો નિષેધ કર્યો હોય, પણ વિધિમાં તે આ વાકય બલવાનું વિધાન છે જ, એ હકીકત તમામ જૈનેએ યાદ રાખવા જેવી છે.
ખુદ ભગવાન મહાવીરે પોતાના મુખ્ય શિષ્ય ગૌતમને આનંદશ્રાવકની પાસે ક્ષમા માગવા મેકલેલા એ પણ શ્રાવકપક્ષની મહત્તાનું જ સાચક છે અને માંસાહારી રેવતીના પતિ મહાશતક શ્રાવકને પણ તેની ભાષાશુદ્ધિ અંગે સમજ આપવા ભગવાને પોતાના પટ્ટશિષ્યને મોકલેલા એ વાત પણ ભગવાન મહાવીરની કથામાં પ્રસિદ્ધ જ છે. આ અંગે સર્વવિરતિને ફાંકો ધરાવનાર મુનિઓ જરૂર એમ કહેવા તત્પર થશે કે કયાં આનંદ અને કયાં આજના શ્રાવકો? એના જવાબમાં શ્રાવકો એમ કહી શકે એમ છે કે ક્યાં ગૌતમ અને કયાં આજકાલ સર્વવિરતિ હોવાને ફાંકો ધરાવનાર આ કલિપ્રધાન મુનિઓ? - જૈન શાસનમાં ગુણ જ પૂજ્ય છે. લિગ-વેષ-પૂજ્ય નથી જ. એ વાતને ધ્યાનમાં રાખીને સેવાવ્રતધારી ઉત્તમ શ્રાવકોને આદર થાય, સન્માન થાય તે અત્યંત અનુમોદનીય છે અને આ અંગેની સભાઓ ઉપાશ્રયમાં થાય તેમાં કાંઈ અજુગતું નથી અને જેઓ ગુણપ્રેમ અને ગુણગ્રાહક છે તેવા મુનિએ પણ આમાં ભાગ લે તે પણ ઉચિત જ છે.
બેચરદાસ