________________
૨૨૦
પ્રભુ જીવન
ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૫ મું અધિવેશન
સને ૧૯૬૯ ના ડિસેમ્બરની તારીખ ૨૬, ૨૭ અને ૨૮મીએ જુનાગઢની હવામાં નવા ઉત્સાહ થનગની રહેલા - ત્યાંની સાહિત્યપ્રેમી જનતાએ પેાતાને આંગણે આવતા “સારસ્વતપુત્ર” (તેમના શબ્દોમાં) ને આવકારવા ખૂબ કાળજીભરી તૈયારી કરેલી. ખરેખર એમના ઉમંગ એવા હતા કે ગુજરાતી સાહિત્ય પરિષદની નિયત તારીખોના આગલા દિવસે - એટલે કે, ડિસેમ્બરની ૨૫મીએ - પણ તેમણે સાહિત્ય પરિષદના નવા તથા જુના પ્રમુખ - અનુક્રમે શ્રી. સુન્દરમ્ તથા શ્રી ઉમાશંકર જોશીનું - વિશિષ્ટ ઢબે સ્વાગત-સરઘસ કાઢેલું. તેમને બેઉને સુશોભિત બળદગાડામાં બેસાડીને નરસિંહ મહેતાને ચારે - સાહિત્યના મંદિરે - લઈ ગયેલા.
પરિષદનું વિધિસર ઉદ્ઘાટન તા. ૨૬મીએ બપોરે ગુજરાતના રાજ્યપાલ શ્રી શ્રીમન્નનારાયણ અગ્રવાલને હાથે થયું.
તેમણે વિનોબાની વાતો યાદ કરતાં કહ્યું કે “વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની કડી સાહિત્ય જ બની શકે.” (જો કે સાહિત્ય - પરિષદનું ઉદ્ઘાટન રાજ્યપાલ પાસે કરાવીને સાહિત્યને રાજકારણ વચ્ચેની કડી તેા શેાધવાની બાકી જ છે). ત્યારબાદ સંદેશાવાંચન વિગેરે ઔપચારિકતા થઈ.
પરિષદના પ્રમુખ, સાહિત્યરસીકોના લાડિલા કવિ, સાહિત્યકાર ને સમર્થ વિવેચક શ્રી સુન્દરમ હતા. તેમનું પ્રવચન સૌથી આતુરતાના વિય હતું. તેમણે પેાતાનું છપાયેલું પ્રવચન વાંચવાને બદલે બાલવાનું પસંદ કર્યું. પરંતુ તેમાં જે વિચારો તૂટક તૂટક રજુ થયા તેમાંથી સર્જક સુન્દરમ્ ને શેાધવા મુશ્કેલ પડયા. તેમને માટે સહજ ગણાય તેવી આધ્યાત્મિક વાતામાંનું એક કથન મનને સ્પર્શી ગયું કે, “પરિષદ ઉપનિષદ બનવી જોઈએ, આપણા પ્રતિભાશીલ સાહિત્યકારો તથા સિદ્ધ વ્યકિતઓના નિકટતમ સંપર્કમાં આવીને નવી નવી પેઢીએ પુષ્ટ થતી જાય તેવું કંઈક કરવું જોઈએ.” સુન્દરમ્ -
ના પ્રગટ થયેલા પ્રવચનમાં વર્તમાન સાહિત્ય અંગેના તેમનાં વિધાના મનનીય બને એવાં છે. તેમના કહેવા મુજબ આપણી નવી કવિતા, નવલકથા તેમ જ નવલિકા કોઈ અકલ્પિત રૂપેામાં ગતિ કરવા લાગ્યાં છે. “શુદ્ધ કાવ્ય”ની આવી શોધ શૂન્યમાં પરિણમે તો નવાઈ નહીં. છતાં જ્યાં સચ્ચાઈનું તત્ત્વ છે ત્યાં નવા સર્જનમાં નવા લેબાશ હેઠળ પણ શુદ્ધ કવિતા સરજાવા લાગી છે. નવલકથા ને નલિકા પણ સાચા નવાન્મેષા પામવા લાગી છે.'
તા. ૨૭ મીએ વિભાગીય બેઠકો શરૂ થઈ-આ વખતે “વિવેચન વિભાગ” પરિષદે રાખ્યા તેથી એક નવીનતા લાગી - વિવેચન ક્ષેત્રે આગવી દષ્ટિ ધરાવતા અભ્યાસી કવિ - વિવેચક શ્રી સુરેશ જોશીનું અધ્યક્ષ તરીકેનું પ્રવચન તાજગીભર્યું ને વિચારપ્રેરક બન્યું. એમણે વિવેચનના કેટલાક મહત્ત્વના પ્રશ્ન છેડયા.
તદુપરાંત વિવેચકનાં કર્તવ્યો, અધ્યાપકીય વિવેચન, સૌન્દર્યશાસ્ત્રમાં ‘રૂપ’ની વિભાવના, અર્શદર્શન, કર્તાના આશય, નીતિ અને અશ્લિલતાના મુદ્દા, કલાકૃતિની અદ્રિતીયતા વિગેરે પર પ્રશ્ન ઊભા કરીને એમણે એક નોંધપાત્ર ભૂમિકા તૈયાર કરી. આ વિભાગમાં થયેલી ચર્ચા પણ રસપ્રદ બની રહી.
બીજા વિભાગ, “સંશોધન' ના શ્રી કે. કા. શાસ્ત્રીના અધ્યક્ષપદે યેાજાયા હતા. તેમણે પેાતાના પ્રવચનમાં ભાષા, જૂના સાહિત્ય, ઈતિહાસ અને પુરાતત્ત્વમાં થયેલા સંશાધન અંગે કહ્યું હતું. તેમણે છેલ્લા ચારેક વર્ષમાં આ ક્ષેત્રમાં થયેલા કામ અને લેખોની યાદી આપી હતી. “ભાષાના ક્રમિક વિકાસમાં થયેલી ગુજરાતી ભાષાની અર્થક્ષમતાને ખ્યાલ મેળવવાને તેમના મુખ્ય આશય હતા. સંશાધનની બેઠકમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના નિબંધ ઉલ્લેખ
નીય હતા.
તા. ૧-૨-૭૦
આ વર્ષે ગાંધી – શતાબ્દિ હોવાથી તેને અનુલક્ષીને ગાંધી -દર્શન’નો વિભાગ પણ પરિષદે રાખ્યા હતા. તા. ૨૮મીએ આ વિભાગનું સંચાલન ગાંધી-શિક્ષણ પદ્ધતિ - નઈ – તાલીમના સાધક ને અભ્યાસી શ્રી મનુભાઈ પંચાળી, “દર્શક”ને સોંપાયેલું--તેમણે તેમના ટૂંકા પણ પ્રેરક પ્રવચનમાં ગાંધી-દર્શનના પાયે વિશદ વિશ્લેષકની ઢબે રજુ કર્યો. તેમના કહેવા મુજબ આ પાયો - વ્યકિતગત અને સામાજિક જીવનની રચના, સત્ય અને અહિંસાને વળગીને થાય “તેમાં સમાયેલા છે- મનુષ્યમાં રહેલાં ઈશ્વરી તત્ત્વાના વિકાસ આ વગર શકય નથી. ગુણાના વિકાસ માટેની કસેટી માણસના સામાજીક વર્તનમાં થાય છે. પેાતાના યુગને ઓળંગીને કોઈ માનવી યોગી ન થઈ શકે. “જૈસા જુગ, ઐસા જોગી, ' સત્ય અને અહિંસા એક સિક્કાની બે અવિભાજ્ય બાજુઓ છે અને બેઉના ઐક્યમાંથી જન્મે છે વિકેન્દ્રિત સમાજરચના. માનવીની સમાજ સાથેની સંવાદિતા માટે એ અત્યંત જરૂરી છે. નહિંતર એ સમૃદ્ધિની ભરચક વિપુલતા વચ્ચે પણ એકાંકીપણુ અનુભવશે.
આ વિભાગનાં અન્ય વ્યાખ્યાનોમાં શ્રી ઉમાશંકર જોશીનું વ્યાખ્યાન સુંદર હતું. એમના પ્રવચનમાં ગાંધીજીને એ ઊંડાણથી સમજ્યા છે તેની પ્રતીતિ તરત જ થતી હતી. એમણે ગાંધીજીની ઉર્ધ્વયાત્રાને વર્ણવતાં કહ્યું કે “હમણાં આપણે ગાંધીજીને એક ટૂંક પર જોયા હોય અને આપણે ઊંધીને ઊઠીએ ત્યારે એ બીજી ઘણી ઉંચેરી ટૂંક પર પહોંચેલા દેખાય - કર્મયોગ પર વધુ ભાર મૂકનાર ગાંધીજી ત્રિવિધ યોગી પણ હતા,અને એમનામાં વ્યકિતની સાધના પ્રજાકીય સાધના બની ગઈ હતી.”
ઉમાશંકર જોશીના મનનીય પ્રવચન બાદ શ્રી. શિવકુમાર જોશીએ ગાંધીજીવનના બે અલ્પપ્રતિષ્ઠિત પ્રસંગો ખૂબ હ્રદયંગમ રીતે કહેલા.
સાહિત્ય સાથે સીધી રીતે સંકળાયા ન હોવા છતાં આ વિભાગ જીવનસાહિત્યની દષ્ટિએ ઘણા રસપ્રદ બન્યા.
પરિષદની છેલ્લી બેઠકમાં દિવંગત સાહિત્યકારોને શ્રાદ્ધાંજલિ
તથા ઠરાવા વિગેરે થયું. ઠરાવામાં મુખ્યત્વે લાકસાહિત્ય ને લેાકસંસ્કૃતિની પ્રવૃત્તિને વિકસાવવાની ગુજરાત સરકારને વિનંતિ હતી. લેાકસાહિત્યને મહત્ત્વ આપીને સાહિત્યિક જગતમાં નવું પ્રસ્થાન કરવા બદલ પરિષદને અભિનંદન! બીજા ઠરાવમાં પરિષદે પાઠ્યપુસ્તકોનાં રાષ્ટ્રીયકરણ અંગે સરકાર સામે ગંભીર વિરોધ વ્યકત કર્યો હતા. પાઠયપુસ્તકોના નિર્માણ માટેની સમિતિમાં અનુભવ–સમૃદ્ધ શિક્ષકો, વિદ્રાન વિગેરેનો સમાવેશ થવા જોઈએ તેવું પરિષદને લાગે છે.
સાહિત્ય પરિષદનાં રંજન કાર્યક્રમામાં વ્હેલે દિવસે ‘પ્રેમલ જ્યાત” “ નાટક, બીજે દિવસે લેાક્સાહિત્યના ડાયરા તથા ત્રીજે દિવસે કવિ - સંમેલન હતું. ગાંધીશતાબ્દીને અનુલક્ષીને લખાયેલું નાટક ‘પ્રેમલ જ્યોત’ બોધપ્રધાન હતું એટલે સાહિત્યિક પિપાસા ઓછી સંતેષી શકયું પરંતુ લાકસાહિત્યની રસલ્હાણે તો ભલભલા વિદ્વાન સાહિત્યકારોને પણ અચંબામાં પાડી દીધા. એમાં પણ કાનજી ભૂટા બારોટની લાકવાર્તાએ તે વાર્તાને તાંતણે તાંતણે શ્રોતાઓના જીવનને વણી લીધા અને દિવાળીબહેન ભીલના હલકભર્યા લૂંટાયેલાં કઠે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા - આ સાંભળતાં લાગ્યું કે, સાહિત્યનો ઈજારો સુશિક્ષિત સમાજ પાસે જ છે એવું અભિમાન રાખવાનો કોઈ અર્થ નથી. સુંદરમે સાહિત્ય પરિષદ ઉપનિષદ બને એવી આશા વ્યકત કરી, તા મેરુભા ગઢવીએ ઉપનિષદ લાકસાહિત્યમાં કેવું ઝીલાયું છે તે બતાવી આપ્યું !
લ