SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ પરમ આપ્તજન ભાઊના ચરણામાં સાદર અભિવાદન ! તા. ૧૨-૭૦ ૭. “કાનું ધ્યાન કરી રહી છું!” સંત તુકડૉજી મહારાજનું નામ ન સાંભળ્યું હોય યા તેમના કામથી પરિચિત ન હોય એવી કોઈ શિક્ષિત વ્યકિત વિદર્ભમાં ભાગ્યે જ જોવા મળે. વિદર્ભની ભૂમિમાં આ રત્ન પેદા થયું. ગ્રામ્ય જનતાને માટે એમણે જે દિશાસૂચન કર્યું તે અત્યંત મહત્ત્વનું છે. ખંજરીના અદ્ભૂત નાદ દ્રારા જનતાને પ્રભાવિત કરીને એમણે જીવનઉપયોગી શિક્ષણ વિશાળ પાયા પર આપ્યું. લગભગ ૪૦ વર્ષથી આ ખંજરી વાગતી રહી છે. શ્રી ગુરુદેવ સેવા મંડળ બન્યું. વ્યાયામ વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતી વિભાગ, વૈદ્યકીય વિભાગ, વાચનાલય, પ્રાર્થના મંદિર, ભજન વિભાગ એવા અનેક વિભાગેામાં આકામની પ્રવૃત્તિ ચાલી રહી છે. હજારો ગ્રામ્યજના તાલીમ મેળવી ચૂકયાં છે. શ્રી મહારાજ સાથે મારો પરિચય વિદ્યાર્થી અવસ્થામાં થયા. મારાં દાદી સાથે હું પહેલી વાર મહારાજશ્રીને મળવા ગઈ હતી. ભંડારા જીલ્લાના કોઈ નાના ગામમાં મળવાનું બન્યું. મેં નાનીને કહ્યું કે હું બહાર બેસી રહીશ, તમે જઈને દર્શન કરી આવે. કોઈને પગે પડવું, હાર પહેરાવવા, પ્રસાદ ખાવા - આવું બધું મારાથી થશે નહીં. નાની માની ગયાં અને દર્શન કરવા ગયા. મહારાજે એક સેવકને મેકલીને મને અંદર બાલાવી, પોતાની પાસે બેસાડી અને કહેવા લાગ્યા. ‘અહીં માળા પહેરવાની કે ચરણસ્પર્શ કરવાની જરૂર નથી, પ્રભુદર્શનના લાભમાં અમે તો સંત સંન્યાસીઓનું એઠું પણ ખાધું છે, પણ તારે તેમ કરવાની જરૂર નથી.” પ્રસન્ન થઈને મહારાજશ્રી સાથે વાત કરવા માંડી. એમણે મને વાતચીત દરમ્યાન પૂછ્યું, “તું કોનું ધ્યાન કરે છે?” મેં કહ્યું: “શ્રીરામનું.” એમણે પૂછ્યું “કયા રામનું?” મેં કહ્યું: “મારી પાસે એક રામની તસવીર છે.” તેઓ એકદમ ખડખડાટ હસી પડયા, અને બાલ્યા, “આ તા ચિત્રકારની કલ્પનાના રામ છે, શું ઈશ્વર કદી માનવનિર્મિત હાઈ શકે ખરા ?” મેં કહ્યું, “વારૂ, તે હું સૂર્યનું ધ્યાન ધરીશ.” મહારાજશ્રીએ ગંભીરપણે કહ્યું હતું કે “જ્યાં સુધી રૂપ ગુણ અને આકાર છે ત્યાં સુધી બધા મનના ખેલ છે, જ્યાં સુધી આંખોથી જોઈ શકે છે ત્યાં સુધી મનની માયા સમજજે. ધ્યાનનો આરંભ મનથી પર છે.” સંતપુરુષોના સહજ બાલ પણ જિજ્ઞાસુઓ માટે સત્યના દ્વાર બની જાય છે. શબ્દોમાં ગુંથાયેલા ઈશારાની મદદથી સત્યની ઉપલબ્ધિ અનાયાસે થઈ જાય છે. તે દિવસથી ધ્યાન “કરવા” નું બંધ કર્યું છે. ધ્યાન થઈ જાય છે, ધ્યાનમાં જીવી શકાય છે, અને એ જ રીતે ધ્યાનમાં જીવાઈ રહ્યું છે. ૮. શિવ અને શકિત કયાં ભિન્ન છે ? કાજ (ઉ. પ્ર.) ના શ્રી ગૌરીશંકર મહારાજ દેવીના પરમ ભકત હતા. દૂરથી કોઈ જુવે તે લાગે કે જાણે શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતે આવી રહ્યા છે. એમના જેવું શરીરનું કદ, દુબલી પતલી કાયા; અર્ધી મીંચેલી આંખો પણ એવી જ, હોઠો પરનું ચિરવિલસિતમંદ મંદ સ્મિત પણ શ્રી રામકૃષ્ણદેવની યાદ આપે એવું! જાતે બ્રાહ્મણ હોવાથી આહારવિહારમાં ચુસ્ત હતાં. સંત તુકડોજી મહારાજને લીધે જ શ્રી ગૌરીશંકર મહારાજના પરિચય થયા હતા. મારો હાથ પકડીને એમણે મને પોતાની પાસે બેસાડી હતી. હોઠો દ્વારા અક્ ટ જાપ ચાલુ હતા; આંખો મારા પર સ્થિર હતી તો પણ મારી આરપાર કોણ જાણે તેઓ કર્યાં જોઈ 2 ૨૧૯ જીવન રહ્યા હતા. કોને જોઈને મંદ મધૂર સ્મિત કરી રહ્યા હતા તે પણ શી ખબર? જ્યારે એમના જાપ પૂરા થયા ત્યારે મેં પૂછ્યું, “આપ દેવીના ઉપાસક છે એમ સાંભળ્યું છે.” ગૌરીશંકરજીએ મને પૂછ્યું હતું, “કઈ દેવી, બેટા ?” મેં છૂટતાં જ જવાબ આપ્યો. “શકિત !” મહારાજે મૃદુતાને શરમાવે એવી કોમળ વત્સલતાપૂર્વક કહ્યું હતું, “શું શકિત શિવથી અલગ છે? એક જ તત્ત્વનાં બે નામ છે. જેને જે નામ ગમે તે નામથી પુકારેં, તે નામથી ભકિત કરે, પ્રકૃતિ અને પુરુષ એક જ પરમ મંગળની બે બાજુ છે. જડ કહો કે ચેતન- બેમાંથી અર્થ એક જ નીકળે છે. તારાં આ બે હોઠ છે, બંને મળીને જ એક શબ્દ બાલાય છેને? બસ એ જ પ્રમાણે સમજજે,” મહારાજની મારા પર નિષ્કારણ કૃપા રહી છે; અનાયાસ ઉત્કટ સ્નેહ રહ્યો છે. હુ... જાતિભેદ, ધર્મભેદ વગેરેમાં માનતી નથી તેમ જ જીવનચર્યામાં અનાકામી, અદીક્ષિત અને અવ્યવસ્થિત છું એમ જાણવા છતાં પણ એમની પ્રગાઢ પ્રેમવર્ષા મારા પર વરસતી. એક દિવસ કાલેજના કેટલાક મિત્રાને લઈને એમને મળવા ગઈ હતી. એ દિવસેામાં હું નાગરપુરની મેરીસ કાલેજમાં એમ. એ. ન અભ્યાસ કરતી હતી. મહારાજશ્રી થોડા દિવસ માટે ત્યાં પધાર્યા હતા. મિત્રામાં મેડિકલ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ હતાં. અમે પહોંચ્યા ત્યારે જોયું તે! મહારાજ પથારીમાં સૂતેલા હતા, આંખા એકદમ લાલ હતી, માથા પર હાથ મૂકીને જોયું તે શરીર તાવથી ધગી રહ્યું હતું, અમને જોઈને મહારાજ સ્ફુર્તિ પૂર્વક ઉઠીને બેઠા. અમે સૌ નીચે ચટાઈ પર બેઠા. મહારાજશ્રીએ હસીને માથા નીચે રાખેલા તકિયા ઉઠાવીને માથા પર મૂકયો. પછી ધીમે સાદે એની સાથે વાતચીત શરૂ કરી. “તક્રિયા મહારાજ, આ બાળકો મળવા આવ્યાં છે, અર્ધા કલાક આ તાવ આપ લઈ લે, હું જરા એમની સાથે વાતચીત કરું. હા જી, તકિયા મહારાજ, કૃપા કરીને આ જવર લઈ લે.” અમારા સૌના ચહેરા પર આશ્વર્ય છવાઈ ગયું હતું. એટલામાં મહારાજે તકીયો માથાપરથી ઉતારીને નીચે મૂક્યા. પોતે પણ ખાટલા પરથી નીચે ઉતર્યા. તકિયાને સુવાડીને શાલ ઓઢાડી, જ્યારે મહારાજશ્રી આવીને અમારી પાસે બેઠાં તે જોયું કે દિલમાં જરા પણ તાવ ન હતે. ઊઠીને તક્રિયા પર હાથ મૂકયા તે તકિયા તાવથી ધગી રહ્યો હતો. એક પછી એક બધા મિત્રએ હાથ મૂકીને સ્પર્શ કરી જોયો. બધાં આશ્ચર્યથી અવાક થઈ ગયાં! મહારાજશ્રીએ મારાં મિત્રાને કહ્યું, “તમે સૌ ડૉકટર થવાનાં છેને? વારુ, જૂઓ હું જીવતો છુ કે નહી; મારી નાડ તપાસે, તમે લોકો ગળામાં કશું લટકાવે છે (સ્ટેથ સ્કોપ) અને કાનમાં ભરાવીને સાંભળેા છે અને હૃદય ચાલે છે કે નહીં તે તપાસે છે. આવા, ગભરાશે! નહીં, મને તપાસો.” એક મિત્રે મહારાજની નાડી જોઈ, છાતી પર હાથ મૂકીને જોયું ને આશ્ચર્યથી એની આંખો ફાટી ગઈ. બીજી વિદ્યાર્મિનીએ નાડી જોઈ તે નાડી ગાયબ! હ્રદયની ગતિ બિલ્કુલ બંધ ! નાકની પાસે આંગળી ધરી તે। શ્વાસગતિ બંધ ! મહારાજ હસી રહ્યા હતા. મૃદુ અવાજે બાલ્યા, “શરીર તે નાકર છે, જેવું શીખવશેા તેવા જ વ્યવહાર કરશે. તમે સૌ અનેક ગ્રંથા ભણા છે, સૃષ્ટિમાતાને જીતવાના દાવા કરો છે પણ શરીરના તમને પરિચય નથી, શરીર પર આધિપત્ય નથી. પછી મન પર તે કાબૂ કયાંથી જ હાય? વાહૐ તમારૂં શિક્ષણ !’’ અનુવાદક : મૂળ હિન્દી વિમલા ઠકાર શ્રી સુબોધભાઈ એમ. શાહ મુનિશ્રી નગરાજજીનું સધના કાર્યાલયમાં ચેાજાયેલુ' જાહેર :વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં—ફેબ્રુઆરી માસની પહેલી તારીખ રવિવારે સવારના દસ વાગ્યે તેરાપંથી મુનિશ્રી નગરાજજી પોતાના શિષ્ય સમુદાય સાથે પધારવના છે અને મુનિશ્રી નગરાજજી “જૈન સમાજની સમસ્યાઓ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપવાના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy