________________
2
-
૨ા?
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૭૦
હું સદા નિર્ભયપણે ભણું છું, પણ મનુષ્યસમાજમાં હરતાંફરતાં ગળું સુકાઈ જાય છે, વાણી રુંધાઈ જાય છે, આંખ ઝૂકી પડે છે, શરીરમાં કંપારી છૂટે છે.
એક દિવસ માએ કહ્યું, “તું એકલી તો નથી, ગભરાય છે કેમ?” મેં આશ્ચર્ય સાથે પૂછયું: “એકલી નથી? તો...”
માએ કહ્યું, “ઈશ્વરનિષ્ઠ વ્યકિત એકલી હોતી જ નથી, ઈશ્વર પોતે જ એની સાથે થઈ જાય છે.”
બીજી પણ એક મૌલિક વાત એણે મને કરી હતી: “આપણા પિતાના હૃદયમાં ભગવાસના ન હોય તે કોઈપણ પુરુષમાં આપણા પ્રત્યે ખરાબ નજરે જોવાની લાલસા પેદા થતી જ નથી. અપણી પોતાની વાસના જ સામેવાળાની આંખમાં લાલસા બનીને ભભૂકી ઊઠે છે. નિર્મળ ચિત્ત અને ઈશ્વરનિષ્ઠા રૂપી પાંખે વડે ઊડીને સંસારમાં વિચરો. જા, તું સર્વત્ર, સર્વથા સદેવ સુરક્ષિત જ રહેશે.”
આ વાતને ૧૬ વર્ષ વીતી ગયાં છે. માના શબ્દોની સરચાઈ જીવનમાં પુરવાર થઈ ચૂકી છે. દેશપરદેશમાં ફરવાનું રહ્યાં : કર્યું ને અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા લોકો સાથે રહેવાનું બન્યું ત્યારે પ્રતીતિ થઈ કે સાચેસાચ હું એકલી છું જ નહીં. નિરવ એકાંતમાં પણ મને કદી એકલાપણું લાગ્યું નથી. ,
માનું આ વરદાન જીવનની અમૂલ્ય મૂડી છે.
५. पलमरमें ईश्वरदर्शन મધ્યપ્રદેશમાં મંડલા શહેરથી ૪-૫ માઈલ દૂર હનુમાનઘાટ છે. નર્મદાના કિનારે આ અત્યંત રમણીય સ્થાન છે. આ ઘાટ પર સ્વામી શ્રી સીતારામદાસ મહારાજને નાનકડો આશ્રમ છે. એમને એક આ8ામ રામટેક પહાડ પર ખાક્યૌકમાં છે. સ્વામીજી હઠયોગના એક મહાન અધિકારી હોવા ઉપરાંત પોતે એક મહાન ભકત છે. સાંભળવાપ્રમાણે આજે એમની ઉંમર ૧૫૬ વર્ષની છે. એ જે હોય તે એમની પાસેથી એક મૌલિક વાત શીખવા મળી.
ચક્કસ યાદ નથી આવતું કે આ બનાવ કયાં અને કયારે બન્યું હતું. ચારપાંચ બહેનપણીઓ સાથે સ્વામીજીની પાસે બેઠી હતી. અચાનક સ્વામીજીએ પૂછયું, “જાણો છે, ઈશ્વરદર્શન માટે કેટલો સમય લાગે છે?” અમારામાંથી કોઈએ કહયું, “કેટલાયે જન્મ લાગી જાય છે.” સ્વામીજી ધીમું હસીને બોલ્યા. “પળમાત્રમાં ઈશ્વરદર્શન થઈ શકે છે. પરંતુ આંખ ખોલવા જ કોઈ તૈયાર હેતું નથી. આંખ ખેલવાને અર્થ જ તન અને મનને શુ દ રાખવાં. શુદ્ધિની નજરથી જ પ્રભુનું દર્શન થઈ શકે છે.”
“ઈશ્વરને ચર્મચક્ષુથી કેવી રીતે જોઈ શકશે? ગાભ્યાસથી શરીરની શુદ્ધિ અને પ્રેમરૂપી જળથી મનની શુદ્ધિ - બંને સાધો.
“હઠયોગ સાધવાનું હું કહેતા નથી, એની જરૂર નથી, આહારવિહારમાં નિયમિત રહે અને સંયમી રહે. થોડાંક આસન પ્રાણાયામ વગેરે શીખે. પછી જુવો શરીર કેવું સ્વસ્થ અને સુંદર રહે છે.
જે પરમ મંગળ પ્રભુએ સંસાર બનાવ્યા તેના પ્રત્યે પ્રેમ થઈ જાય તે વિષયમાં રાગ પેદા જ નહીં થાય.”
મને સ્વામીજીની સુમધુર શબ્દો બહુ ગમ્યાં. શુદ્ધિ જ દષ્ટિ છે, શુદ્ધિ જ શકિત છે; અશુદ્ધિ અશકિત છે. તન અને મનની નિર્મળતા એ ધર્મ છે. અશુદ્ધિ અધર્મ છે.
જ્યારથી સ્વામીજીએ રહસ્ય સમજાવ્યું ત્યારથી લક્ષ ઈશ્વરદર્શન ન રહ્યું, લક્ષ રહ્યું અંતરની શુદ્ધિ તરફ, શરીરની સ્વસ્થતા અને મનની નિર્મળતાની તરફ. હવે સમજાય છે કે મનના સહજ મૌનમાં નિર્મળતા છે. મૌનમાં પ્રભુદર્શનની આકાંક્ષા પણ વિલીન થઈ જાય છે. કેમકે મૌનમાં પરમતત્ત્વ સ્વયં વિરાજમાન છે. શાંતિ એને પ્રકાશ છે. પ્રેમ એની ઉષ્મા છે.
'
४. जय जय रामकृष्ण हरि ।
લગભગ બાર - તેર વર્ષની મારી ઉંમર હતી. બાજુમાં - રાવસાહેબ ડોંગરેના ઘેર પંઢરપુરથી શ્રી દાસગણુ મહારાજ આવ્યાં હતાં.
એક વિશાળ મંડપમાં એમની કીર્તનસભાની ગાઠવણ થઈ હતી. સાત દિવસ સુધી સંત જ્ઞાનેશ્વરના અમૃતાનુભવ ગ્રંથ પર આધારિત કીર્તન-પ્રવચન ચાલ્યાં. હું દરરોજ સભામાં જઈને બેસતી હતી.
શ્રી દાસગણુ મહારાજને મધુર અવાજ, ઝાંઝ વગાડનારાંએની રમઝટ, મૃદંગને ગહન ગંભીર બેલ, કે તાનપુરાના તારની ઝંકાર - એમાંથી કોઈ પણ ચીજમાં મારું મન ઠરતું ન હતું. પણ “જ્ય જ્ય રામકૃણ હિર” નું સંકીર્તન શરૂ થતાની સાથે જ ચિત્તામંડપ છોડીને કોઈ ઘેરા ઊંડાણમાં મારું મન ગોથા ખાવા લાગ્યું. ન તે રામની છબીમાં મન રમવું કે ન તો કૃષ્ણની મેહક છબીમાં ચિત્ત ચોટતું. નામ અને રૂપને છેડીને દોડવાની મારાં પ્રાણોની આ આદત કેમ અને કયારે શરૂ થઈ તેની આજે પણ મને ખબર નથી. અમૃતાનુભવ ગ્રંથ પણ અત્યંત પ્રિય ગ્રંથ બને છે.
જ્યારે “સર્વે જૂન્ય નિદર્ષ ” આ પરમતત્વના વર્ણન વિષે સાંભળતી ત્યારે સમસ્ત પ્રાણ જાણે કોઈ ગૂઢ પ્રસાદની અનુભૂતિથી સ્પંદિત થઈ ઊઠતો શિવરાતિસમાવેરા પ્રકરણ તથાળીવનમુવરdarraથન પ્રકરણ સાંભળતી વખતે અભૂત પ્રસાદરસથી રોમેરોમમાં જે પ્રસન્નતા છવાઈ જતી તેનું વર્ણન કેવી રીતે કરું? આજે પણ એ તૃપ્તિને શબ્દોમાં ગૂંથવી શકય નથી.
શ્રી દાસગ ણ મહારાજના કીર્તને સપ્તાહથી અંતર આનંદથી ભરાઈ ગયું. જીવનમાં સુખદુ:ખના પ્રસંગે બન્યાં નથી એવું નથી, શારીરિક કે માનસિક દુ:ખ આપનારાં પ્રસંગો પણ નથી બન્યું એવું નથી. સમાજની વચ્ચે રહેતાં રહેતાં દરેક જાતનાં અનુભવો થયાં. માન અપમાનના પ્રસંગો પણ બન્યાં. આસકિત તેમ જ ઉપેક્ષાભાવથી મને ઘેરી લેવાના પ્રયત્ન પણ થયાં. દરેક અનુભવમાં હું સભાન ને જાગૃત રહી. આ રીતે સજગ રહેવાનું બળ મને બાલ્યાવસ્થામાં પ્રાપ્ત થયું હશે કે જ્યારે વડીલો પાસેથી પરમમંગળ ચિત્તાસત્તાનું નિરુપણ સાંભળ્યું હશે.
આજે પણ ‘જ્ય જ્ય રામકૃષ્ણ હરિ’ ની ઘોષણા કાન પર પડે છે તે તે ચેતનાની અતળ ઊંડાણમાં લઈ જાય છે, કે જ્યાં “સર્વ શૂન્ય નિદઉં ” માં સમરસતા પ્રાપ્ત થાય છે.
૬. પરમ આપ્તજન–રામભાઊ આકોલાની સીતાબાઈ આર્ટસ કોલેજના ત્રીજા વર્ષમાં હું અભ્યાસ કરતી હતી. શ્રી રામભાઊં મરકટે દર્શનશાસ્ત્ર શીખવતા હતા. પહેલા પરિચયમાં જ જાણ થઈ કે આચાર્યજી બીજા પ્રાધ્યાપકોથી ભિન્ન વ્યકિતત્વ ધરાવતાં હતાં. કસાયેલું સપ્રમાણ શરીર, વેધક આંખે, પ્રખર મુદ્રા, તીક્ષણ અવાજ, અને અલિપ્ત તથા તટસ્થ વ્યવહાર! તેઓ જ્યારે શીખવતા હોય ત્યારે શબ્દેશબ્દમાં વિદ્રતા ઝળકી ઉઠતી.
એકવાર પ્રસંગવશાત એમને ઘેર જવાનું થયું. એમના એરડામાં પગ મૂકતાં જ કોઈ સાધના સ્થાનમાં આવી હોઉં એમ લાગ્યું. ખૂણામાં પાથરેલા મૃગચર્મ પર ભાઊ બેઠા હતા. બાજુના ગેખમાં શ્રી રામપંચાયતનની છબી હતી. ધૂપચંદનની સુગંધ હવામાં પ્રસરી ગઈ હતી. ભાઊ. ઘણું કરીને એકનાથી ભાગવત વાંચી રહ્યા હતા.
આ નિષ્ઠાવાન પ્રાધ્યાપકમાં મેં એક પ્રેમાળ શિક્ષક, વિનમ્ર ભકત, નિ:સ્પૃહ સાધક અને કર્મઠ તપસ્વીના દર્શન કર્યા. જેમ જેમ તેમનો પરિચય વધતો ગયો તેમ તેમ તેમના જીવનના અનેક પાસાઓ દેખાવા માંડયા. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અને નેકરીની મર્યાદાનો ખ્યાલ રાખીને પણ ભાઊની અંતરસાધના અબાધિત રીતે ચાલુ જ હતી. તેઓ કહેતાં: “ભકિત માત્ર પ્રભુને જ વિદિત હોવી જોઈએ, બીજાંઓને જે એની જાણ થાય તો ભકિત વ્યભિચારિણી કહેવાય. આત્માના અનુસંધાનનું પ્રદર્શન કેમ થઈ શકે? આત્મરતિને આનંદ ગોપવવામાં જ છે.”
સમય અને સંજોગ પ્રમાણે આવી પડેલા કર્તવ્ય વૈજ્ઞાનિક તટસ્થાપૂર્વક કરતા કરતા આંતરિક સાધના જીવતી રાખવાની કલા ભાઊના જીવનમાંથી શીખવા મળી. એ સંતના વત્સલ સ્નેહસિચને મારા અંતરંગમાં જે શકિત વિકસીત થઈ અને મારામાં જે આત્મવિશ્વાસ પેદા થયો, તે અનંતની યાત્રામાં માર્ગદર્શક બની રહ્યો છે.