SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ત, ૧૬-૧૨-૧૯૭૦ પ્રબુદ્ધ જીવન ૧૮૧ સારી રીતે ઓળખાણ પિછાણ કરી ન શકયા. માત્ર મિત– હાસ્ય કરી શક્યા ખરા, અને દૂર દૂરથી પણ એ બાળકોને ઉલ્લાસ અને ક્લબલાટ અમે સાંભળતા રહ્યા. જાણે લાગતું હતુંમુંબઇમાં પિતાના ગુંગળાયેલા અવાજો અહીં ખુલ્લાં ચગાને અને ખેતરીયામાં ફેલાવતાં ન હોય ! - જે દિવસે બાળક આશ્રમમાં આવ્યાં ત્યારે ગણવેશમાં હતાં. પણ બીજા દિવસથી રંગ બદલવા લાગ્યા અને આશ્રમમાં નાનકડું પચરંગી મુંબઇ સર્જાઇ ગયું. તેમનાં કપડાં, તેમનાં ચંપલ, બૂટ વગેરે યુપીય ઢબનાં હતાં, તેમના વાળ અને ઓળવાની પદ્ધતિ પણ જુ દી જ વરતાતી હતી ત્યારે અમારું નાનકડું મનડું કહેતું હતું જન્મથી જ જેણે યુરોપને નવાજ્યું છે તે ભારતનું બની ને રહેશે ખરું ! - તા. ૬ઠ્ઠી ને ઉકાઇ જવાને કાર્યક્રમ રદ થતાં મુંબઇનાં બાળકેને સહવાસ કરવાને અમને મોકે મળે ખરો. અમે મુંબઇવાળા બાળકોને બોલાવી તેમને પૂછતા કે ભાઈ, તમારા મુંબઇની વાત કરોને! અને બાળકો ગુલાબી હોઠ ફફડાવી અમને કહેતાં અને તાજુબ બની અમે મુંબઇની વાત સાંભળી રહેતા. કોઇક બાળકે એવાં પણ હતાં કે જે છેડી પૂછપરછ કરતાં આમતેમ વાત કરી ભાગી જતાં. ' એક દિવસ મુંબઇનાં બાળકો અને આશ્રામનાં બાળકો કબડ્ડી રમવાનાં થયાં ત્યારે અમને હરાવું આવ્યું કે મુંબઇનાં બાળકે શું રમી જાણવાનાં, એ તે દોરી કુદી જાણે પણ એમણે જ્યારે રમત રમવા માંડી ત્યારે ખબર પડી કે તેઓ પણ રમવાનાં શોખીન અને આવડતવાળાં બાળકો છે. અમે ન્યૂ ઇરાનાં બાળકો સાથે મિત્રતા બાંધતા રહ્યા અને આશ્રમનો પરિચય કહેતા રહ્યા તથા મુંબઈના સમાચાર, ત્યાંનું જીવન, કોની રહેણીકરણી સાંભળતાં ત્યાંના લોકો પણ કેવી હાડમારી ભેગવે છે તે જાણ્યું અને મુંબઈ એટલે સુખસાગર-દરિયો એવી જે કંઇક ભ્રમણા હતી તે દુર થઇ. અમારા મનમાં એક એવી ગ્રંથિ બંધાયેલી હતી કે મુંબઇનાં લોકો-બાળકો મિલનાં પાતળાં અને મુલાયમ કપડાં પહેરે, તેમને ખરબચડી અને જાડી ખાદી ગમે ખરી! પણ ના, તે ગ્રંથિ પણ બાળકોએ તેડી, બાળકે પૂછતાં આવતાં કે ખાદીભંડાર ક્યાં છે? કયારે ખુલશે? તેમણે ખાદી લીધી, એટલું જ નહિં, રેંટિયા પણ એક બે વિદ્યાર્થીએ લીધા ત્યારે અમને ઘણું જ આશ્ચર્ય થયું કે આ બાળકોને ખાદી ગમતી જ નથી એવું નથી પણ તેમને એવા સંસ્કારો અને સંજોગે છે. ન્યૂ ઇરાના બાળકોની શિસ્ત તે ખરી જપણ બીજી એક ખાસિયત પણ નોંધવા જેવી છે. તા. ૭ મીએ જ્યારે એ બાળ- કેએ મનરંજન કાર્યક્રમ ગોઠવ્ય અને ભજવાય ત્યારે જોવા મળ્યું કે ન્યૂ ઇરાનાં બાળકો સ્ટેજ પર આવવા અને કાર્યક્રમ આપવા ઘણી જ તત્પરતા બતાવતાં હતાં અને ગભરાયા વિના કાર્યક્રમ આપતાં હતાં, જ્યારે આશ્રમનાં બાળકો એવી તત્પરતા અને હિંમત નથી બતાવતાં. આને માણસના સહવાસ અને નૈતિક હિંમતને ઉત્તમ ગુણ ગણાવી શકાય. તા. ૮ ના રોજ બાળકને મુંબઈ જવા તૈયારી કરવા લાગ્યાં ત્યારે કે કોઈ બાળક આવીને પોતે બાંધેલ દસ્તને કહી જતાં કે કાગળ જરૂર લખજો, આવવાના હો તે જણાવજે, એટલું જ નહિં પણ ભેટ ગાદો પણ અપાઇ. મિત્રતાની કેવી લીલા ! બાળકો બધાં બસમાં ગોઠવાઈ ગયાં અને બધાએ નમસ્કાર કર્યા પછી જ્યારે અમે આશ્રમમાં આવીને થોભ્યા ત્યારે નિરવ શાંતિમાં આશ્રમ સતે હોય એવું લાગતું હતું અને ત્યારે મિત્રતા કેવી વિરહી હતી તેનું ભાન થયું અને મનમાં કવિ ઉશનસનું પેલું સોનેટ કાવ્ય “વળાવી બા આવી' યાદ આવ્યું. પછી ધીરે ધીરે કાળને પડદો પડતાં ધીરે ધીરે ભાઇબંધીની યાદ દબાઈ ગઈ અને ઊખડી પણ ગઈ. ન્યૂ ઇરાનાં બાળકે આશ્રમમાં કંઈક જીવનભાથું લેવા આવ્યાં હતાં તે લઈ ગયાં અને પિતાની સુગંધ મૂકી ગયાં પણ ખરાં. ગયા તે તો ભલે ગયા, પગલાં પાડી તે ગયા! ભાઈ અરવિંદને પત્ર સ્વરાજ આશ્રામ, વેડછી, તા. ૧૪-૯-૭૦ બહેન પુષ્પાબહેન, નમસ્તે, તમારું સંપેલું કામ પૂરું કરવા મેં યથાશકિત પ્રયત્ન કર્યો છે, છતાં ક્ષતિ તે ઘણી હશે. નિબંધ લખ્યો છે ખરે પણ એમાં ઘણી વાતે રહી પણ ગઇ છે. જેમ કે શિક્ષકો અંગેની વાત, છોકરાછોકરીની બેલવાની ઢબ અને બહેનની પીરસવાની કળા. થોડો ઉલલેખ કરું છું. શિક્ષક વિદ્યાર્થીને બેટા કહી બોલાવતા, છોકરાની કડાકટ બેલવાની ઢબ અને બહેનો માટે આશ્ચર્યજનક વાત છે. એ કે જ્યારે તેઓ શીરે વગેરે પીરસતાં તે વખતે શીરે આ બાજુ તે બાજુ પડી પણ જતે, જ્યારે અમારે ત્યાં છોકરાઓ પણ સારી રીતે પીરસે છે, બહેનશ્રી, તમને હું સારી રીતે નિબંધ લખી મેક્લત, પણ રવિવારે હિન્દીની પરીક્ષા ગઇ અને આવતા અઠવાડિયાથી ત્રિમાસિક પરીક્ષા શરૂ થાય છે તેની પૂર્વતૈયારી પાછળ આદુ ખાઈને મંડવું પડે એમ છે. બહેનશ્રી, આ નિબંધ મથે પત્રોત્તર આપશે. સાથે એક તકલીફ આપું છું, કે સંગીતકાર પાસેથી “આવકાર મીઠો આપશે” આ ભજન ઉતારી મેક્લાવી આપશે. સૌ મિત્રોને મારી યાદબસ ભૂલચૂક ક્ષમ, લિ. વેડછીને વિદ્યાર્થી અરવિન્દના પ્રણામ. સાભાર સ્વીકાર સંતની અમૃતવાણી : શ્રીમદ્ રાજચંદ્ર: સંપાદક : મુનિ પુણ્યવિજયજી, પ્રકાશક: શ્રી જમનાદાસ પી. શેઠ, માઉન્ટ યુનિક, પેડર રોડ, મુંબઈ-૨૬. પ્રાપ્તિસ્થાન, શ્રી ભેગીલાલ ગિરધરલાલ શેઠ, ૩૪, મેરબી હાઉસ, કોટ મુંબઇ-૧. " શ્રીમદ્ રાજચંદ્ર: નાર પરિચય : સંપાદક : શ્રી ભાગીલાલ ગિરધરલાલ શેઠ. સરનામું ઉપર મુજબ, , કણમાં મણ: મુનિ ચિત્રભાનુ, પ્રકાશક : શ્રી કાન્તિલાલ ન્યાલચંદ શાહ, દિવ્ય જ્ઞાન સંઘ, ઇ-૧, કવીન્સ લુ, ૨૮ ૩૦, વાલકેશ્વર, મુંબઈ-૬. કિંમત રૂ. ૧-૫૦.. ચાર તીર્થંકર : લેખક પંડિત સુખલાલજી, પ્રકાશક : ( બીજી આવૃત્તિ) શ્રી રતિલાલ દીપચંદ દેસાઇ, મંત્રી જ્ઞાનેદય ટ્રસ્ટ, અનેકાન્ત વિહાર, શ્રેયસ કૈલોની પાસે, અમદાવાદ-૯, કીમત સ્વ. શ્રી ધર્મચંદ્ર કમાણી "ય-સ્મૃતિ : પ્રકાશક : સ્વ. શ્રી ધર્મચંદ્ર કમાણી. પુણ્ય સ્મૃતિ પ્રકાશક સમિતિ, જમશેદપુર. મંગલવિહાર : પ્રકાશક : નરભેરામ હંસરાજ કમાણી, મૂલ્ય રાદુપયોગ. નિર્વાણ કે પથ પર: લેખક શ્રી જયંતિ મુનિજી મહારાજ, પ્રકાશક : પૂર્વભારત, સ્થા. જૈન સંઘ, ૨૭, પિલક સ્ટ્રીટ, કલકત્તા, ૧. મૂલ્ય ૧ રૂપિય. એક સંસારમાં સુખ કયાં છે? લેખક : સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ: સંપાદંક : ત્રિભુવન વીરજીભાઇ હેમાણી. ૨, શ્રીનગર સેવાયટી, મહાત્મા ગાંધી રોડ, ગોરેગાંવ, (પશ્ચિમ) મુંબઇ-૬૨.
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy