SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ હાય ત્યાં કાર્યક્ષમતાની કક્ષા ઘણી ઊંચી ના હોત? પૂરા આઠ કલાક પોતાનું કામ પ્રમાણિકતાથી કરવું - મન દઇને આનંદથી કરવું – જવાબદાર નાગરિકની ભાવના એવી ના જોઇએ? એવાં આપણામાં કેટલાં? પ્રબુદ્ધ જીવન સમાજજીવનના પાયામાંથી ધાર્મિકતાની ભાવના દૂર કર્યા પછી ફેર તા પડયો, પણ કેવા? કોમી એકતા પ્રસ્થાપિત થઇ ખરી? લાગતું નથી! શ્રદ્ધા ડગી. જીવનમાંથી યમનિયમનાં બંધને દૂર થયાં. સંયમ, વિવેક ‘વૅદિયાવેડા’ ગણાયાં. મનમાન્યા જીવનનો આનંદ માણવા નિકળેલા સમાજ એ આનંદ માણી શકે ખરો ? એક કવિતાની કડી વાર વાર યાદ આવે છે; દ્વિતીય પુરુષ ન જાણીવ યુથે પ્રથમાચા થાટ સૃષ્ટિચા હા પહિલા પાઠ. દ્વિતિયાથી તે જાણીવ હાતા મુખરિત જે જ્ઞાન સૃષ્ટિચે પહિલે બલિદાન, પોતાના સ્વાર્થ જૉવા એ તે આદિમાનવની સહજવૃત્તિ છે. એના પર જ્યારે સંસ્કાર થાય ત્યારે એ સામાના સુખને વિચાર કરે, સમષ્ટિના વિચાર કરે, સમાજના ભલા માટે પોતે કુરબાન થાય. આજે આપણે કેવા થયા છીએ? સમાજ માટે તો ઠીક પોતાના ઘરડાં મા-બાપ માટે પણ સહેજ અગવડ સહન કરવી પડે તે? તો વ્યકિતત્વનો વિકાસ રુંધાય છે! આપણે આગળ વધ્યાં કે ઊંડા ઊતર્યાં ? આવા સવાલના જવાબ તૈયાર જ હેાય છે. આજની મોંઘવારીમાં માબાપને માબાપ થવું પરવડતું નથી અને છેકરાંઓને માબાપને ખવડાવવું પડે તે પાસાતું નથી. આ મેઘવારી માટે જવાબદાર કોણ ? તે બેશક કહી શકાય છે - ‘ સરકાર ’. હશે. પણ આપણું" ઘર, આપણી કુટુંબભાવના, આપણા સંસ્કાર બધાંને જો એ મોંઘવારી ભરખી જતી હોય તો સરકારનું નામ દઇને આપણાથી બેસી રહેવાય ? મોંઘવારી વધારવામાં આપણા ભાગ ખરો? આપણી રોજની જરૂરિયાત કૂદકે ને ભૂસકે વધતી નથી જતી? અને ઘણીવાર જેની જરા પણ જરુર જ નથી એવી ચીજો માટે પૈસા પડી નથી જતા? અંગ્રેજી કે જાપાની વકિલાતાના માણસાને ઘેર, કચેરીમાં એમના દેશની બનેલી ચીજો રાખવા માટે ચીવટાઇ રખાય છે. પરદેશમાં ગયેલા હિંદી કોઇ દિવસ ત્યાંની બજારમાં ભારતીય બનાવટને શેાધના હશે ખરા ? કે પછી ત્યાંથી ભરી લવાય એટલું કેમ લવાય અને કસ્ટમમાંથી એ બધું કેમ છેડાવાય એ જ પેંતરા એ બુદ્ધિમાના રચે છે? સ્વદેશીનું વ્રત કે સ્વદેશીની ભાવના - આ પોથીમાંના રિંગણા થયા ! દેશની અર્થવ્યવસ્થા માટે સરકારની નીતિ જવાબદાર હશે એનાથી પણ વધારે દેશના નાગરિકો - જે બજારમાં ગ્રાહક તરીકે ઊભા રહે છે - તે સામાન્ય નાગરિકો પણ નથી? પણ પોતાની જવાબદારી ટાળીને સરકાર નાયાલક છે એમ કહી વળી બ્રિટિશ રાજ્ય ઘણું સારું હતું એમ કહેનારાં પણ કર્યાં નથી? પણ એવું કહેનારા ભૂલી જાય છે કે તે વખતે ઘરમાં આજે છે તેના દસમા ભાગનું પણ રાચરચીલું કર્યાં હતું? સિલેટ પાર્ટી લઇ ચાર પાંચ ચાપડી સુધી છે.કરાંઓ ભણતા અને પછી વળી બે પાંચચોપડીઓ લેવી પડતી. આજે ત્રણ વર્ષનું બાળક ભણવા જાય ત્યારે રૂપિયા સાનો ખર્ચો વધે છે. લગ્નમાં એકાદ ભારે મહાવ લીધું હોય ત્યાર પછી બહેન સાડીઓ કેટલી લેતી? અને આજે? સ્ટીલના કબાટો, સાફા, ગાલિચા, ટૅકસી એ બધું તે રાજાને ત્યાં જ દેખાતું, તા. ૧૧૨ ૧૯૭૦ હવે આપણે ઘેર એ ‘લક્ષ્મી’ આવી પછી મોંઘવારી વધે તે સરકાર શું કરે? અમારાં યુવાનો ગરજે છે–આજે આદર્શ નેતૃત્વ નથી—તેથી બધાં બેકાબૂ થયા છે. પણ ભલા, કોઇ દિવસ નેતૃત્વ આદર્શ છે એવું કોઇએ કબૂલ કર્યું છે? આપણી કૉંગ્રેસના ઇતિહાસ જોયો હોય તા નેતૃત્વ મેળવવાની, ટકાવવાની અને બીજાને પાડવાની રાજરમતા એમાં ચાલતી જ આવી છે. એમાંથી કોઇ છૂટયા નથી! ‘ઈંદિરાજીએ દાટ વાળ્યો ' કહેનારા કહે છે ત્યારે હસવું આવે છેઅને ‘પ્રત્યાઘાતીઓને દૂર કરી એમણે ક્રાંતિ કરી' એમ કોઇ પ્રશંસકો કહે છે ત્યારે પણ પ્રત્યાઘાતી દૂર થયા પછી વરદિવસ થયા પછી મોંઘવારી એવી ને એવી જૉઇ - ગરીબાઇ ફાલતી ને ફૂલની જોઇ હસવું કે રડવું તેની ખબર પડતી નથી ! ‘પ્રત્યાઘાતીઓ’ ‘ઈંદિરાજી’ કે ‘સામ્યવાદી' કે ‘જાતીયતાવાદી’? કોઇના ઉપર યૂશનો કળશ ઢાળવાથી કે દોષનો ટોપલો ઊતારવાથી કશો ફેર પડતો નથી! “કાગ્રેસ પથરાને ઊભા રાખશે તે પથરાને ચૂંટી આપીશું ” એવી શ્રાદ્ધાથી નથી કૉંગ્રેસનું ભલું થયું કે નથી દેશનું થયું – કારણ શ્રાદ્ધા હતી, પણ આંધળી હતી. એ શ્રદ્ધા પાછળ ભકિત નહીં પણ પ્રમાદ હતા. આળસુ, નિષ્ક્રિય રહેવાની વૃત્તિ હતી. પાંચ વર્ષે મત આપ્યો એટલે મતદારની જવાબદારી પૂરી થઇ. ખોટું થાય ત્યારે “સરકારે કર્યું” કહેવાને છૂટા! એ વૃત્તિથી જેટલું નુકસાન કર્યું છે એટલું ઓછું છે? તમામ રાજકીય પક્ષે એ વૃત્તિને લીધે નિષ્ક્રિય થયા. મત માંગવા જવું હોય તે। પૈસાની કોથળી ખોલી નાંખા અને પેલા શબ્દના ફ્ુગ્ગા ઉડાડો – કારણ તમારો પક્ષ ક્યા? એની રાજનીતિ કેવી છે? એની અસર અમારા પર કેવી થશે? આવા પ્રશ્નો તો કોઇ પૂછતું નથી! મતદારો રૂપિયા ગણવાને બદલે આવા પ્રશ્નો પૂછે ? અને આપેલા જવાબના શબ્દે શબ્દ નાણી લે તે? કોંગ્રેસમાં ભંગાણ પડવાથી દેશને મોટું નુકસાન થયું હશે પણ એક મોટો ફાયદો પણ થયો છે. બે બળદની એ નિશાની હવે નહીં હાય - ત્યારે કદાચ લોકો વિચાર કરશે! વિચાર કરીને મૃત આપશે — બધાં તે નહીં – પણ થોડા માણસે – વિચારશે તે પણ ભવિષ્ય ઊજળુ થશે. ઈંદિરાજી કે મેરારજીભાઇ પર ટીકા કરવાથી કે એમના ગુણગાન કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય. લોકશાહીમાં સત્તાધારી વ્યકિત ભાગ્યવિધાતા નથી હતી. ... જે નીતિ એ અખત્યાર કરે છે તે નીતિ નિયતી હોય છે અને એ નીતિના ઘડવૈયા લેકો – સામાન્ય લોકો જ હોય છે. સત્તાધારી વ્યકિત એ માત્ર એક ચિહ્ન છે, એક પ્રતીક છે. પણ લાકોએ લાકશાહી સ્વીકારી અને પછી પેાતે નામધારી થઇ બેઠાં ! સારા કાર્યકર્તાઓ, વિચારકો, સાધુચરિત મહાપુરુષો રાજ્ય સત્તાથી દૂર રહે એ તે બરાબર. પણ રાજનીતિ પર એમના પ્રભાવ પડવા જોઇએ તેને બદલે એ બધાંએ એ વિષયનો ત્યાગ જ કર્યો હોય એવું દેખાય છે ! એટલે સંસ્કાર નહીં પણ ભણતર છે–મહેનત વગરના પૈસા હાથમાં છે—સારા નરસાની બહુ પડી નથીએવા એક વર્ગ લોકોમાંથી ઊભા થાય છે અને એની શકિત વધતી જાય છે. સમગ્ર જીવનના દેર એવા માણસોના હાથમાં જાય એ ઇચ્છવા જોગ ના હોય તો બીજાંએ જાગવાની જરૂર નથી? અમે નાનાં બાળકો જ્યારે પેલી ‘ટકા’ વાળી રમત રમ્યા કરતા ત્યારે દાદીમા બહુ ખીજાઈ જતા. કોકવાર મા કે ફોઇ કહેતા, છે ને રમતાં. એક જગ્યા પર બેઠાં છે તે સારા છે. નહીં તો વળી કાંઈ ઉત્પાત મચાવશે.” “ભલે ઉત્પાત કરતા.” દાદીમા કહેતા, “ભાંગફોડ કરશે તે એમાંથી પણ કાંઇક શીખશે. આ તા હાથપગવાળી ને માં ચલાવ્યા કરવું ... વિચાર્યાવગર ભાંડવું...એ તે નખ્ખોદિયાની નિશાની છે!” દાદીમાના એ બાલ સે ઢચના નથી લાગતા ? મૃણાલિની દેસાઈ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy