________________
તા. ૧-૧૨-૧૯૭૦.
પ્રબુદ્ધ જીવન
૧૭૩
આજે આપણે ક્યાં છીએ?
જવાબ પ્રિય ભાઈશ્રી રજનીકાન્ત કુંભાણી, *
તમારો તા. ૯-૧૧-૭૦ ને પત્ર મળ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે હું અહિણી ૧૯મી ઓકટોબરે જમશેદપુર ગયેલા અને ત્યાંથી બીજી નવેમ્બરથી આઠમી નવેમ્બર સુધી કલકત્તા હતે. એ દરમિયાન પ્રબુદ્ધ જીવન માં આટલે બધે રસ ધરાવતી - કલકતામાં વસંતીતમારા જેવી વ્યકિતને મળવાનું બન્યું હોત તે મને જરૂર આનંદ થાત.
બીજી બાબતોને ખુલાસો કરતાં પહેલાં એક બાબત સ્પષ્ટ કરી દઉં કે “પ્રબુદ્ધ જીવન’ માત્ર એક ધાર્મિક અને સામાજિક પત્ર છે અને રાજકારણ સાથે તેને કશે સંબંધ નથી–આ તમારી એક પાયાની ગેરસમજ છે. “પ્રબુદ્ધ જીવન’ તેના પ્રારંભથી રાષ્ટ્રીય મહાસભાના અને આપણી આઝાદીના આન્દોલનના સંદર્ભમાં રાજકારણી પ્રશ્નની વિસ્તારથી ચર્ચા કરતું રહ્યું જ છે. ઉલટું આજે તે રાજકારણી પ્રશ્નોની ચર્ચા પ્રબુદ્ધ જીવનમાં પ્રમાણમાં ઘણી ઓછી આવે છે.
એ વખતે પ્રબુદ્ધ જીવન પાછળ કેંગ્રેસના કોઇ પ્રચારને હેતુ નહોતે, એમ છતાં આઝાદીના આન્દોલન સાથે જોડાયેલી કેંગ્રેસ તરફ તેનું વલણ રહ્યું હતું. આજે કેંગ્રેસ દેશના કમનસીબે બે પક્ષમાં વિભાજિત થઇ છે અને પ્રત્યેક બાજુએ અમુક વ્યકિતઓ કટ્ટર વલણ ધરાવતી જોવામાં આવે છે. બીજી બાજુએ ગમે તેટલી તટસ્થતાને આગ્રહ રાખવામાં આવે તો પણ આ વિષયના લેખકનું વલણ આજની પરિસ્થિતિમાં અમુક અંશે એક યા બીજી બાજુ તરફ કાંઇક ઢળતું હોવા નું છે. તમે તેમ જ તમારા મિત્ર સંસ્થાનિષ્ઠ કેંગ્રેસ તરફી કટ્ટર વલણ ધરાવતા હો એમ તમારા આવેશભર્યા ઉદ્ગારે ઉપરથી લાગે છે. અને એ જ કારણે 'પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા અમુક લેખ અંગે તમે આટલે ઉકળાટ અનુભવી રહ્યા છે. જે પ્રકારનાં લખાણે મારા સાથી સહકાર્યકર્તા શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઇ રહ્યા છે કારણ કે હાલ કેટલાક સમયથી, આંખની તકલીફના કારણે છાપાંએ બહુ ઓછા વંચાતા હોવાથી રાજકારણી વિષયો ઉપર હું બહુ જ ઓછું લંખું છું-તેવા જ સમધારણપૂર્વકના લેખે, ભલેને તે અન્ય તરફી હોય તે પણ, તેને પ્રબુદ્ધ જીવનમાં અવકાશ આપવાને મને જરાય વાંધો નથી. - તમારા પત્રના છેવટના ભાગમાં જે મુદ્દો રજૂ કરવામાં આવ્યા છે તે કોને ઉદ્દેશીને તમે રજૂ કર્યો છે તે મારી સમજણમાં આવતું નથી. અમારૂં ‘પ્રબુદ્ધ જીવન’ આ પ્રકારની ચર્ચાથી યા વલણથી સદા દૂર રહ્યું છે એમ હું માનું છું.
તમારી અપેક્ષા મુજબ તમારો પત્ર પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરી રહ્યો છું એટલા પુરતી તટસ્થતાનું તમારા તરફથી મને પ્રમાણપત્ર મળશે તો તેથી મને સંતોષ થશે.
નેહાંકિત પરમાનંદ
| (સાથે લેખ મોકલતાં શ્રી મૃણાલિની બહેન જણાવે છે કે, આજની પરિસ્થિતિ અંગે હું વિચારે ત્યારે મારી પોતાની મર્યાદા છે. તેમાં મને રાજ્યખટપટ કરતા પણ સામાન્ય જીવનની વાત જ વધારે સાલે છે-જે મારું પોતાનું જીવન છે. સૂરજ તપે– તાપ વધી જાય ત્યારે એને ઢાંકવાનું ગજું જેમનું હોય તેમને શતશ: પ્રણામ ! પણ મારા જેવી એ હામ ધરે તે આંખ ખેઇ બેસે. સૂરજ ઢાંકવાની વાત કરવા કરતાં માથે છત્રી ધરી માથું ઢાંકવું– પિતાને દોષ કયાં એ જોઇ એટલો દૂર કર-એવી આ સામાન્ય નાગરિકની દષ્ટિ છે.”).
આજની પરિસ્થિતિ અંગે વિચાર કરું છું ત્યારે નાનપણમાં અમે બાળકો એક રમત રમતાં એ યાદ આવે છે. ત્રણ કે ચાર જણ કુંડાળું કરીને બેસતા અને એક જણ સવાલની શરૂઆત કરે–
“કોણ કહે છે ટકે આખ?” સામે બેઠેલાએ ત્રીજી વ્યકિતનું નામ દઇ છૂટા પડવાનું - “મીના કહે છે કે, ટકો આપ્યો .” તરત જ સવાલ ઊભું થાય, “કેમ રે મીના ટકો આપ્યો ?” મીના ફફડે મારે “કોણ કહે છે કે ટેકો આપ્યો?અને પછી આ સવાલ જવાબ કરનારનું અને સાંભળનારાઓનું માથું ભમે ત્યાં સુધી બસ રમત ચાલ્યા જ કરે —- અનંત કાળ ચાલવાની શકિત એ રમતમાં ખરી ! એટલે જે હશે – હજુ પણ મને લાગે છે કે સંસારમાં પણ એ રમત ચાલે જ છે ! રમનારાની સંખ્યા ને વય વધી ગયાં છે એટલું જ ! ટકો આપ્યાની કબૂલાત આપવી નહીં - જવાબદારી લેવી નહિઅને બીજાને માથે બધું ઢાળી દઇ બેલ્યા જ કરવું. આ વ્યવહારચાતુરી નાનપણથી જ શીખવાડી દેનાર ખરેખર માદામ મેંટેસરી કરતા પણ વધારે વિચક્ષણ બુદ્ધિવાળા કહેવાય ! - આજના જીવનની વિશેષતા છે ગતિ. અવિરત ફરી રહેલું કાળચક્ર હવે અસહ્ય વેગથી ફરતું લાગે છે. સવારના ઊઠયા ત્યારથી રાતે જંપી ગયા પછી સ્વપ્નમાં પણ એ કેડે છોડતું નથી. ઘડિયાળના સેકંડના કાંટાની માફક દોડયા કરવાનું ... અને અથાક મહેનતને અંતે પાછાં ત્યાંના ત્યાં જ - જરા જેટલું આગળ જવાનું નહીં – પેલી રમત જેવું જ ચાલ્યા કરે - પણ ફેર ના પડે.
કેટલાંક વર્ષો પહેલાં વિચારકોને લાગતું આપણે અભણ રહ્યા તેથી સુખી નથી. બા ભણવા લાગ્યાં. બહેને પણ ભણી. ચારે વર્ણના લોકો ભાગવા લાગ્યા –- પણ એ ભણતરનાં સંસ્કાર કયાં? બાલવામાં સંસ્કાર છે? ભલભલાના મૅમાંથી અશિષ્ટ કહેવાય એવા શબ્દ નીકળતા નથી? સાહિત્યને વિકાસ થાય છે? સાહિત્ય છપાય છે તો ઘણું—પણ કેવું? કળાને ક્ષેત્રે આપણે આગળ વધ્યા? નાટયગૃહની અને ચિત્રગૃહોની સંખ્યામાં સારો એવો વધારો થશે... પાણ યુગ યુગ સુધી સંઘરી રાખવા જેવી કલાકૃતિ નિર્માણ થઈ છે ખરી?
આપણા કુટુંબજીવન અને સમાજજીવન વિશે પણ લાગતું હતું કે પુરાણી કુટુંબવ્યવસ્થા વિકાસને રૂંધી રહી છે. ધાર્મિકતાની ભાવના વિજ્ઞાનયુગમાં પ્રગતિ થવા દેતી નથી. રૂઢીઓ અને ચીલાચાલુ રીતરિવાજોની ઘરેડમાંથી બહાર નીકળી જઇશું ત્યારે જ આપણું ભલું થશે અને એ રીતે એ માર્ગ પર આપણે આગળ વધી રહ્યા. આજે સંયુકત કુટુંબના રડયા ખડયા અવશે કો'ક જગ્યાએ દેખાય છે. વ્યકિતત્વના વિકાસને પોષક એવા સ્વતંત્ર કુટુંબને આ સમાજ છે. હવે એક કમાય અને બધાં ખાય એવું પણ નથી રહ્યું. મધ્યમવર્ગના કુટુંબમાં તે લગભગ બધાં ભણે છે અને બહેને પણ બેને તેમ કામધંધે શેધવાની વૃત્તિ ધરાવે છે. છતાં એમાંથી વ્યકિતત્વને વિકાસ થાય છે? વિકસિત વ્યકિતત્વના નાગરિકોની સંખ્યા આ દેશમાં મોટી હતી તે એઓ જયાં જયાં કામ કરતા
અદ્યતન રાજકીય પરિસ્થિતિ
ગયા અંકમાં જાહેરાત આપવામાં આવી હતી એ મુજબ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, સંઘના કાર્યાલયમાં, “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય અધતન રાજકીય પરિસ્થિતિ” એ વિષય ઉપર ચાલુ માસની તા. ૭ના રોજ નહિ પરંતુ તા. ૯ને બુધવારના રોજ સાંજના ૬-૦૦ વાગ્યે જાહેર વ્યાખ્યાન આપશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ