________________
૧૭૨
બબુ જીવન
તા. ૧-૧૨-૧૯૭૦
મુરલીમેના અંગત કાયદામાં દખલગીરી થવી ન જોઇએ અને તે કુરાનને અંગભૂત ભાગ હોઇને સરકારે તેમાં દખલગીરી કરવી ન જોઇએ. વકફના વહીવટમાં મુસ્લીમ સંસ્થાઓ અને પક્ષમાંથી પસંદ કરાયેલા પ્રતિનિધિઓને તેને વહીવટ સુપ્રત કરીને જરૂરી સુધારણા કરવી જોઇએ. પોલીસ અને રક્ષણ ખાતામાં મુસ્લીમેની યોગ્ય પ્રમાણમાં ભરતી થતી રહેવી જોઇએ.”
મુસ્લીમ લીગ અલગ મતાધિકાર માગશે કે નહિ તે પ્રશ્નને જવાબ આપતાં શ્રી શેઠે જણાવ્યું કે “આ બાબત અત્યારે અમારા મનમાં નથી, પણ આજની ચૂંટણી પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે એમ અમને જરૂર લાગે છે. અને તે ફેરફાર પાર્શનલ રેપ્રીઝેન્ટેશનની પદ્ધતિ દ્વારા અથવા કયુમ્યુલેટીવ પ્રેફરન્સ પદ્ધતિ દ્વારા એવી રીતે લાવી શકાય કે જેથી લઘુમતીઓને વધારે સારું પ્રતિનિધિત્વ મળી શકે.” ' આજનું કલકત્તા
અઢી વર્ષ પહેલાં કલકત્તા ગમે ત્યારે ૨૦ દિવસ રહેશે અને અનેક લોકોને મળવાનું બનેલું. આ વખતે પણ જમશેદપુરમાં હતો તે દરમિયાન કેટલાક મિત્રોને મળવાના હેતુથી તેમ જ ત્યાંની પરિસ્થિતિને પ્રત્યક્ષ ખ્યાલ લેવાના હેતુથી છ દિવસ માટે કલકત્તા ગયો હતો. કેટલાક જુના અને અમુક નવા મિત્રોને મળતાં સ્વાભાવિક રીતે ખૂબ આનંદ થશે. તેમના દિલમાં પણ એટલો જ સ્નેહાદર જોઇને ધન્યતા અનુભવી. - અઢી વર્ષ પહેલાં ક્ષકતા ગયેલ ત્યારની માફક કલકત્તા આજે પણ એનું એ જ હતું - માણસેથી ઊભરાતું અને વાહનવ્યવહારની ભીંસથી રંધાતું. ફરક એટલે જ કે કલકત્તામાં કેટલાએક દિવસથી જે છૂટાછવાયાં ખૂને થઈ રહ્યાં છે– પછી આ ખૂને માઓવાદીનકસલવાદીઓના હાથે થતાં પોલીસ અમલદાર કે શહેરનાં નાગરિકોનાં હોય કે પ્રતિકાર રૂપે પોલીસના હાથે નકસલવાદી સાથે રેડયા ખડયા રાહદારીઓનાં ખૂને હોય – આ કારણે, જો કે આવી હત્યા હજુ શહેરના અમુક ભાગ પૂરતી મેટા ભાગે મર્યાદિત છે એમ છતાં, આખા શહેરના વાતાવરણમાં એક પ્રકારની બેચેની અનુભવી -જે પહેલાં નહોતી.
આ આખી હીલચાલને દબાવવા માટે પોલીસને ખૂબ સત્તા આપવામાં આવી છે અને હજુ નવા કાનૂનદ્વારા વિશેષ સત્તા આપવામાં આવનાર છે. એમ છતાં પડોશમાં આવેલા ચીની શાસન પ્રેરિત આ ખૂનપ્રવૃત્તિને કયારે અને કેમ અન્ન આવશે તેની ક૯૫ના આવતી નથી. .
આવું જ એક બીજું અનિષ્ટ તત્ત્વ આપણ સર્વની આદરપાત્ર વિભૂતિ - પછી તે ઇશ્વરચંદ વિદ્યાસાગર છે કે આશુતોષ મુકરજી, રવીન્દ્રનાથ ટાગોર છે કે મહાત્મા ગાંધી - આ મહાનુભાવની શહેરના મહત્વના જાહેર વિભાગેમાં પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમાઓનાં માઓવાદીઓના હાથે ચાલી રહેલાં ખંડન અને ઉત્થાપન. સમય બદલાય તે સાથે ભૂતકાળમાં પ્રવેશેલી દેશની મહાન વિભૂતિઓ પ્રત્યેના અહોભાવમાં ભરતી-ઓટ આવે એ સ્વાભાવિક છે. એમ છતાં આજે જે સંસ્કૃતિ અને સભ્યતાને આપણે વારસ છીએ તે સંસ્કૃતિ અને સભ્યતાના તેઓ ઘડવૈયા હોઈને આજે તેઓ આપણા એટલા જ આદરપાત્ર હવા ઘટે. પણ આજે જે બની રહ્યું છે તે એક પ્રકારની નાસ્તિકતા સૂચવે છે; સ્થિર બનેલાં જીવનમૂલ્યોને ઈનકાર સૂચવે છે; અને આપણી ઉંગતી પ્રજા કયા પ્રકારના ભાવી તરફ ઘડસડાઇ રહી છે તેને કાંઇક અંગુલિનિર્દેશ કરે છે.
આ બધાં કારણે આપણે કલકત્તાના વર્તમાન રૂપરંગ વિષે અને ત્યાં વસતા આપણા સ્વજન સ્નેહીઓ વિષે ચિત્તાવ્યગ્રતા અનુભવીએ અને તેમના સ્વાસ્થ અને સહીસલામતી અંગે
આપણું ચિત્ત પ્રાર્થનાપરાયણ બને છે તે સ્વાભાવિક છે.
તા. ૧૬ મી ઓકટોબરના ‘પ્રબુદ્ધ જીવન માં મારા મિત્ર શ્રી ભંવરમલ સિંધીએ કલકત્તાની પરિસ્થિતિનું જે ચિત્ર રજુ કર્યું છે તેની પુરવણી રૂપે મારી આ નેધ છે. રાયપુર પ્રકરણ અંગે મુનિ સત્તબાલજી
મધ્યપ્રદેશમાં રાયપુર ખાતે આચાર્ય તુલસીના ચાતુર્માસ દરમિયાન બનેલી દુર્ઘટનાઓના સંદર્ભમાં મુનિશ્રી સત્તબાલજી તેમના તરફથી તાજેતરમાં મળેલા એક પત્રમાં નીચે મુજબ જણાવે છે:
શુભ આશયથી જો વિચારસ્વાતંત્ર્ય પણ ન મળે તેવું સામ્પ્રદાયિકતાપૂર્ણ ઝનૂન વાસ્તવિક ધર્મથી અને લોકશાહીથી પણ દૂર જ ફેંકી દે. જે ભારતે જગતમાં આદર્શ લેકશાહી અને ધાર્ષિક સહિષ્ણુતા જ નહિ, સર્વધર્મ સેવાને આદર્શ અપનાવ્યો છે, તેમાં કેટલી બધી આ ઘટનાથી ક્ષતિ પહોંચી એ વિચારથી ઊંડું દુ:ખ થાય છે. આ વખતે દેશનાં લોકશાહીવાદી તથા ધાર્મિક પરિબળોએ થશેચિત સક્રિય ભાગ ભજવ જોઈતું હતું, તેટલ ન ભર્જવાયો. બીજી બાજુ જૈનેની એકતા બતાવવાને. આ અવસર હતો અને કદાચ સંશોધન કરવું હતું, તેય જૈનેએ સાથે મળીને કરવાનું હતું. ટૂંકમાં જેમ હિંસક તોફાને થયાં, તેમ જૈને એ ત્યાં સાસુદાયિક તપ:પ્રયોગ કરી હિંસક તોફાને સામે અહિંસક પ્રતિકાર મૂંગાપણે અને પ્રાર્થનાદ્રારા આપ જોઈતો હતે. બાકી આપે તે ૨ાને ભાઈશ્રી રિષભદાસ રાંકાએ અને આપણા ભાઈશ્રી ચીમનભાઈ ચકુભાઈએ પણ સક્રિય અને વિધેયાત્મક દિશાને પૂરો રસ લીધે, તે જોઈને મને આનંદ થાય છે. વિચારભિન્નતાને આવે વખતે પણ જો અલગ ન રાખી શકાય, તે પછી જૈનેને અનેકાંતવાદ શી રીતે શાભી શકે ? આ પ્રસંગે જ આપણી જૈનત્વ સાધનાની કસોટી થાય છે.”
પરમાનંદ પ્રબુદ્ધ જીવનની નીતિ અંગે એક પત્ર
કલકતાં, તા. ૯-૧૧-૭૦ તંત્રીશ્રી, પ્રબુદ્ધ જીવન’
પ્રથમ તે “પ્રબુદ્ધ જીવન” જેવું જૈન યુવક સંઘનું મુખપત્ર રાજકારણમાં સક્રિય રીતે ઝંપલાવે એ જ ખૂબ આશ્ચર્યજનક છે. તેમાં ય, તા. ૧૬-૯-૭૦ ના અંકમાં છપાયેલા રાજવીઓના સાલિયાણાના પ્રશ્ન સંસ્થાનિષ્ઠ કેંગ્રેસ તેમ જ મોરારજીભાઈને ઉતારી પાડવાની કોશિષ કરતે એક લેખ તથા ૧-૧૦-૭૦ ના અંકમાં છપાયેલે સંસ્થાનિષ્ઠ કેંગ્રેસને ઈંદિરા પક્ષમાં ભળી જવા આગ્રહ કરતા એક બીજો લેખ એટલે સડસડ એકપક્ષીય અને તકવાદી છે કે આવા લેખોને મુખપત્રમાં સ્થાન આપી તમે મુખપત્રની કિંમત ઘટાડી રહ્યા છે.
તંત્રીને, ઉપરથી પણ એમ લાગે છે કે એક ધાર્મિક અને સામાજીિક પત્રના જવાબદાર તંત્રી તરીકે જે સમતુલા અને તટસ્થતા . તમારે દાખવવી જોઇએ તેને બિલકુલ અભાવ છે.
અહિના દસકંદર જૈન મિત્રો વચ્ચે અમે એક દિવસ આ પ્રશ્ન ચર્યો ત્યારે અમારા બધાનું સંયુકત મંતવ્ય એમ થયું કે “પ્રબુદ્ધ જીવન’ સળગતા સામાજિક અને ધાર્મિક પ્રશ્ન પર ભલે ખળભળાટ ઊભા કરે, પણ રાજકીય પ્રશ્ન પર તે તેણે મૌનવ્રત જ પાળવું જોઇએ.
સાથે સાથે અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે દેશના અત્યારના કપરા સંજોગોમાં મુસ્લીમો તથા હરિજને જેવી લઘુમતિએની માફક જ આપણા કેટલાક જૈન અગ્રણીએ જૈન સમાજને પણ આવા તકવાદી માર્ગે લઈ જવા તૈયાર થયા છે એ મોટી ભૂલ છે. ઉલટાનું એમાં તો તેઓ પોતાનું સમાજમાં જે માનસ્થાન છે તે ગુમાવી બેસશે.
આશા રાખી શકીએ કે આ પત્રને પ્રબુદ્ધ જીવનમાં છાપવા જેટલી તટસ્થતા તે તમે દાખવશે?
રજનીકાન્ત કુંભાણી તથા મિત્રો,