________________
૧૮
પ્રબુદ્ધ જીવન
..
ભગવાનને કહ્યું, “ હે પ્રભુ! મેં કંઇ ખરાબ કૃત્ય કર્યું નથી. હું આ દારૂવાળા જેવા નથી. હું તે દાન કરું છું; ગીરબ પર દયા રાખું છું; ઉપવાસ આદિ વ્રત કરું છું.”
આઘે ખૂણે ઊભેલા દારૂવાળાએ માથું નમાવી પ્રાર્થના કરી : . ‘હું દોષિત છું. પ્રભુ! મારો ઉદ્ધાર કર ! ” ભગવાન ગરીબ દારૂવાળા પર રાજી થયા, કારણ કે તેની વાણીમાં સત્ય હતું. શ્રીમંત માણસે પોતાના સત્કાર્યાના ઉલ્લેખ કર્યો અને દોષોને છૂપાવ્યા એટલે એ ખોટા ઠર્યો.
કુદરતના ન્યાય તો મહાન છે. પોતે ઘણું બધું છે એવા દંભ કરનારા લોકો ખરેખર તે કંઇ જ હોતા નથી એ સત્ય એક દિવસ તા પ્રગટ થાય જ છે. એ જ રીતે આ વિશાળ જગતમાં પોતે કંઇ જ નથી એવી નમ્રતા રાખી જીવનારા લોકો ખરેખર કંઇક છે એ સત્ય પણ પ્રગટ થયા સિવાય રહેતું નથી.
નહિ પ્રભુની મદદ વગર આપણે જીવનની સાચી ઉન્નતિ સાર્ધી શકીએ એ સત્ય આપણે સતત ખ્યાલમાં રાખવું ઘટે. જે પ્રભુની આ સમગ્ર વિશ્વ પર સત્તા છે એ પ્રભુ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોવા ઉપરાંત કરુણાભરપૂર છે. આપણી ધારણાઓ અને તમન્ના ફળીભૂત થાય છે તેની પાછળનું પ્રેરક બળ આપણે નથી, પરંતુ કુદરતની ગૂઢ યોજના હોય છે, એક ચેક્કસ રીતે અને ગતિએ કાર્ય કરતી શકિતની ઇચ્છા હેાય છે.
આપણામાંથી જ્યારે ‘આપણે’· અસ્ત થઇ જઇશું ત્યારે સાચા જ્ઞાનનો ઉદય થશે, અને ત્યાર પછી જ જીવનને તેના પૂર્ણ સ્વરૂપમાં જોવાની આપણને દૃષ્ટિ પ્રાપ્ત થશે.
જે વિનમ્રતાનું આપણા જીવનમાં આટલું બધું મહત્ત્વ છે તે ગુણ આપણે કઇ રીતે પ્રાપ્ત કરવા? એને માટે ટૂંકા અને સીધા તો કોઇ જ રાજમાર્ગ નથી. આપણી જાતનું સતત પરીક્ષણ કરતા રહી આ ગુણને વિકસાવવા જીવનભર આપણે પુરુષાર્થ કરવા પડે છે.
હું તે! માત્ર થોડી સૂચના આપી શકું. આપણે વિનમ્ર બની શકીએ જૉ
(૧) આપણને જે કાંઇ મળી રહ્યું છે તેનાં આપણે કદરપૂર્વક વિચાર કરતા રહીએ અને આપણા પાપા - દોષો માત્ર આપણા પોતાના જ છે તે આપણે યાદ કરતા રહીએ.
(૨) આપણી જે કોઇ સ્તુતિ કરવામાં આવે તે આપણે ઇશ્વરને અર્પણ કરતા રહીએ.
(૩) બીજા લોકો જુએ અને વખાણે એવા હેતુથી આપણે કશું જ ન કરીએ.
(૪) જ્યારે આપણે દોષમાં હોઇએ ત્યારે આપણે તે અંગે ખોટો બચાવ ન કરીએ, પણ નમ્રભાવે તેને એકદમ એકરાર કરીએ.
(૫) આપણે દોષમાં ન હોઇએ તો પણ તેને લગતા ઠપકો સ્વીકારી લઇએ અને નમ્રભાવે તે માથે ચઢાવીએ.
(૬) બીજાએ આપણાથી ચઢિયાતા છે એમ ગૃહિત કરીને તેમના વિચાર કરીએ અને તેમની સાથે તે રીતે વર્તાવ કરીએ અને વિનમ્રતા માટે સદા પ્રાર્થના કરતા રહીએ.
અન્તમાં નમ્રતા માટેની પ્રાર્થના સૂચવું,
અભિમાન અને અભિનિવેશથી, આ ઇશ્વર, મને સદા મુકત રાખજે!
– બીજાઓ મારી મેાટી કીંમત આંકે એવા મેાહથી, એ ઇશ્વર, મને બચાવજે!
બીજાએ મને ચાહે એવી આકાંક્ષાથી, એ ઇશ્વર, મને મુકત
રાખજે!
– બીજાઓ મને શેાધતા આવે એવી વૃત્તિથી, એ ઇશ્વર, મને મુકત રાખજે!
.
તા. ૧-૧૨-૧૯૭૦
બીજાએ મારૂં બહુમાન કરે એવી ઇચ્છાથી, એ ઇશ્વર, બચાવતો રહેજે !
મને
બીજાએ મારા વખાણ કરે એવી વૃત્તિથી, એ ઈશ્વર, તું મને મુકત રાખજે!
– બીજા કરતાં મને વધારે પસંદગી આપવામાં આવે એવી ઇચ્છાથી, એ ઇશ્વર, મને બચાવ
બીજાએ મારી સલાહ લે એવા વ્યામાહથી, આ ઇશ્વર, મને બચાવજે!
~~ બીજા મારૂં અપમાન કરશે એવા ભયથી, એ ઇશ્વર, મને મુકિત આપજે!
- બીજા મારા તિરસ્કાર કરશે એવા ભયથી, એ ઈશ્વર, મને બચાવજે!
બીજાએ મને ભૂલી જશે એવા ભયથી, એ ઇશ્વર, મને
બચાવજે!
બીજાએ મારી મશ્કરી કરશે એવા ભયથી, આ ઇશ્વર, મને બચાવો!
બીજાએ મને હાનિ કરશે એવા ભયથી, આ ઇશ્વર, મને
બચાવજે!
બીજાઓ મને વહેમથી જોશે એવા ભયથી, આ ઇશ્વર, મને
બચાવજે !
એ ઇશ્વર મારી એવી ઇચ્છા પાર પાડવાની કૃપા કરજે કે જેથી લોકો મારા કરતાં અન્યને વધારે ચાહે, જેથી બીજા માટે દુનિયાના અભિપ્રાય અનુકૂળ બને અને મને તેમનાથી ઉતરતું સ્થાન મળે, જેથી બીજાને કામ મળે અને ભલે હું બેકાર બનું, જેથી બીજાના વખાણ થાય અને મારી ઉપેક્ષા કરવામાં આવે, જેથી બધી બાબતમાં મારી જગ્યાએ બીજાને પસંદગી આપવામાં આવે અને હું જેટલા પવિત્ર બની શકું તેટલા પવિત્ર બનું એ સરતે મારા કરતાં બીજાએ વધારે પવિત્રતાને પ્રાપ્ત કરે.
એ ઇશ્વર, મારી ઉપર તારી એવી કૃપા હા કે જેથી તું મારા કાર્યના સાક્ષી છે એ હકીકતને યાદ કર્યા સિવાય હું કોઇ પણ કાર્યનો પ્રારંભ ન[કરૂ' અને જેથી તું મારી સાથે રહીને એ કાર્ય ક૨ે અને એ કાર્ય તારૂં જ હોય એવા સમર્પણભાવપૂર્વક એ કાર્ય કરવાની મને તું પૂરી સગવડ આપ, અને એ કાર્ય કરતી વખતે બને તેટલી વાર હું આ જ ભાવનાનું પુનરાવર્તન કર્યા કરૂં અને તને રાજી રાખવાની ઇચ્છાને તાજી કરતો રહું.
અનુવાદક :
સૌ. શારદાબહેન બાબુભાઈ શાહ (સમાપ્ત)
મૂળ અંગ્રેજી રેવરન્ડ ફાધર લેસર
નૂતન વર્ષ અંગે કલ્યાણ-પ્રાર્થના
એક એક ડગલું ઉજાળતી
ટમટમતી
દિલ-દીવડી
પ્રભુના પથ કંડારતી જતી;
ચોગમ છે . આંધી ચડી. – ઉમાશંકર જોશી પ્રભા પ્રગટ દેવ સૂર્ય પરબહ્મ પ્રત્યક્ષ હા. મનુષ્ય ઉર-વિશ્વનાં તમસને સદા સંહરા, પ્રકાશમય ચેતના સમ્લ વિશ્વમાં ભરો, જગે પરમ દિવ્ય મેાદ તવ નિત્ય વ્યાપી રહે ! નટવર મ. દવે પૂર્વે હણે મંગલ વાયુ વાય, —–ને લાલ રંગા, નભમાં પુરાય, જુઓ ! સિંધુના રમ્ય તરંગ-આરે, ઉગે ઉષા ને રિવદેવ આવે. આપના સર્વ સુખાના, એવા સૂર્ય ઊગા જંગે, વામીને વાટડી ઘેર, રેલા તેજ પદે પદે,!
- ગજાનન વ. જોશી
2