________________
પ્રભુ
જીવન
તા. ૧૬-૧-૯%
પત્નીની આંખોમાંથી મૂશળધાર આંસુ વહી રહ્યાં, કેમકે ભાવિના વિચારે તેને ચિન્તામગ્નને ઘાયલ કરી મૂકી હતી. બેહોશીભરી એ ચિત્તાવસ્થામાંથી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે પોતાના પતિની હાજરીમાંથી ઊઠી તેને હુકમ બજાવવા ચાલી.' - થોડી જ વારમાં કરીમબણ પિતાના ઉસ્તાદ-માલિક પાસે હાજર થયો. '
“કરીમ, આ કાગળ લઈ જા અને મહારાજ સાહેબને હાથોહાથ
કરીમબળે. પિતાના માલિકના હાથમાંથી કાગળ લીધો, સલામ ભરી અને પિતાના ‘મિશન’ પર વેગથી ઊપડયા. રાજાના મહેલમાં પ્રવેશ મેળવવામાં તેને કોઇ મુશ્કેલી પડી નહી, કારણ કે જેમ તેના માલિક દરબારીઓમાં પ્રખ્યાત હતા, તેમ તે પણ રાજાના ચાકરવર્ગમાં સારી રીતે જાણીતું હતું. મહારાજાના ખંડ પર પહોંચીને તેણે દરવાજે ટકોરા દીધા અને ઘૂંટણના વળવા તેમ જ મસ્તકને ઝુકવાની સાથે એ પત્ર-સંપત્તિ મહારાજાને સેપી ઘેર પાછા ફર્યો.
મહારાજાએ અધીરાઇથી, ઉતાવળે પત્ર છે અને જેવી તેમની ઝીણી નજર તેના પર ફરી વળી કે તેમના રૂંવાડાં ખડાં થઈ ગયાં અને ગુસ્સાના આવેશમાં તેમના હોઠ ભીંસાઈને પૈસા ભરવાના બટેવા જેવા બની ગયાં ! રાજીનામામાં નીચે મુજબ લખેલું.
હતું.
છે “આજ દિવસ સુધી મેં મારા ગાન વહે રાજની સેવા કરી છે, પરંતુ હવે મારે આત્મા તેના વડે ‘રાજાઓના રાજા'ની સેવા કરવા ઝંખી રહ્યો છે, તલસી રહ્યો છે. રંગબેરંગી ભપક અને ઠાઠમાઠ ભર્યો દરબાર હવે વધુ વાર મારી બેઠક નહીં, બની શકે, હવે તે મારું રહેઠાણ બનશે-સરિતાને કિનારો ને મારા થડા પણ સુયોગ્ય’ તાએ હશે- સાગરનાં મેજાં અને જંગલને ક્લરવ !” ”
- પળભરને માટે તો નેકનામદાર મહારાજા જાણે જમીનથી અદ્ધર થઇ ગયા. પછી તેમને ગાંધાઇ રહેલે ગુસ્સે ગાળાના વહેતા ધોધરૂપે પિતાને બહાર નીકળવાનો માર્ગ ખેળી રહ્યો. જ્યારે તેમણે આ રાડ પાડી ત્યારે તે તેમના સ્વર તાળવે પહોંચી ગયું:
- “નિમકહરામ કૂતરા! એક પિતા જેમ આપેલા મારા આશ્રયના ઉપકારનો બદલો તું આ રીતે વાળવા માગે છે? હું છે કે બેવકૂફ હતો, કે મેં બરફ જેવું ઊજળું દૂધ પાઈને એક સાપ ઊછેર્યો !”
: સૂરજ તેના મધ્યાહને - ઉષ્ણતાના શિખરે પહોંચ્યું હતું. મહારાજાના જન્મદિનના ઉત્સવ પણ પેતાની ઉજવણીના શિખરે પહોંચ્યા હતા. દરબારી ઉસ્તાદની હતી એક દુ:સ્વપ્નની જેમ ભુલાવી દેવામાં આવી, કારણ કે રાજામહારાજાઓ અને તેમના .હજારિયાઓ, રાજકુમાર અને તેમના આશ્રિતાના વ્યવહાર આવા જ હોય છે. ગઇકાલની પૂજાની પ્રતિમાઓ જાણે આજના ભારરૂપ પાષાણ, બની રહે છે!' આ વર્ષે વહી ગયાં. શાહી, સંગીતકાર નદીને કાંઠે એક નાની-શી ઝુંપડીમાં. વસી રહ્યો હતે. તેની પાસેથી. કાળમુખા યમદૂતે દ્વારા તેનું કુટુંબ છીનવાઇ ગયું હતું. હવે તેનું એક માત્ર સંગાથી હતું તેનું વાઘ, તેના દ્વારા તે પૂર્વમાંની ઉષાને અને રાત્રીના તારાઓને સત્કાર શબ્દો, તેને લાગ્યું કે, માલિક સાથેની તેની એકતામાં બાધારૂપ બનશે, તેથી તેણે વાદ્યની સાથે, સાથ તરીકે પછી ગીત કદી ગાયું હતું. '
એક દિવસ તે જાંઓની રમત નિહાળતો બેઠો હતો ને એકાએક ગાવા લાગ્યો :
નાવિક, લઈ જા મને તું પેલે પાર....” .
. ગીતે તેને પૂરેપૂરો પકડમાં લઈ લીધા, તે ગાનની સમાધિમાં ડૂબી ગયે. ગીત ચાલતું રહ્યું : ' .
“ક્યાં, કહીશ રે. કમાં, મુસાફ?” , “મહેલ, ભણી રાજ તણા . . . .
રાજા તણા–રાજાઓના રાજા તણા !”
અને જેવું તેણે ગીતનું છેલ્લું ચરણ ગાયું કે તેની આંખે દૂર દૂરના એક ‘દર્શનથી ભરાઈ. ગઈ, તેની મુખમુદ્રા તેજથી ઝહળળી રહી અને તેની કાયા સૌમ્ય પ્રકાશથી ઝૂમી રહી.. .
દુનિયાએ કહ્યું, “તે મરી ગયો છે, પરંતુ સ્વર્ગમાંના દેવદૂતેઓ વિજયોન્માદપૂર્વક ગાયું: “તે જીવે છે, તે જીવે છે, તે જીવે છે.”
પછી મેં એક અવાજ સાંભળ્યો કે જે હાથની તાળી જેવો જણાયો. એ હતો રાજાઓને રાજા કે જે તાળી વગાડીને પિતાને આનંદ વ્યકત કરી રહ્યો હતો. તાળી આવકારની અને આશ્ચર્યની! અનુવાદક:
મૂળ અંગ્રેજી:' પ્રા. પ્રતાપ જ. ટોલિયા, ' ' સ્વ. શ્રી. ગુરદયાળ મલ્લિક0.
કિોપીરાઇટ: અનુવાદકની પૂર્વસંમતિ વિના અમુદ્ર ય.) નિધિ - સ્વ. મલ્લિકજીના તા. ૧૪-૪-૩૦ના રોજ થયેલા અવસાન પછી તેમની સ્મૃતિમાં “ડીષ્ણવજન' માસિકને જુલાઇ માસને
ક “મલિકજી વિશેષાંક' તરીકે બહાર પડે છે, જેમાં સ્વ. મલ્લિકજીનાં પિતાના અને પં. શ્રી. સુખલાલજી સહિત અનેક પરિચિતેનાં પ્રવચન, લેખ, સંસ્મરણાદિ પ્રગટ કરવામાં આવ્યા છે. સદ્ગતના જીવન અને કવન વિશે આ વિશેષાંક ઘણું બધું કહેશે. વૈષ્ણવજન કાર્યાલય, ૨, રામકૃષ્ણ નગર, રાજકોટ-૨, એ સરનામેથી: ર્મિત મેક્લીને એ મેળવી શકાશે – અનુવાદક.]. . . . ઉગ્રતા ધારણ કરતું જતું રાયપુર પ્રકરણ :
આચાર્ય તુલસી-રચિત ખંડકાવ્ય અગ્નિપરીક્ષાને નિમિતિ બનાવી, રાયપુર ખાતે ઊભા કરવામાં આવેલ આચાર્ય તુલસી-વિરોધી આન્દોલનની કેટલીક વિગતે તા. ૧-૧-૭૦ના પ્રબુદ્ધના જીવનમાં. આપવામાં આવી છે. આ આન્દોલન સ્થાનિક હિન્દુ જનતાએ. એટલે કે એમાંના કેટલાક કટ્ટર સનાતની હિન્દુઓએ ઊભું કર્યું છે. તેની ગયા એગસ્ટ માસથી શરૂઆત થઇ છે, અને દિન પ્રતિ દિન તે આન્દોલન વધારે ને વધારે ઉગ્રતા ધારણ કરી રહેલ છે. મળેલા સમાચાર મુજબ આ આખા પ્રકરણ દરમિયાન આચાર્યશ્રીનું વલણ એકસરખું સૌમ્ય અને સમાધાનલક્ષી રહ્યું છે. એમ છતાં કટ્ટર ઝનૂની તો જાણે કે કશી સમાધાન કે સમજૂતી, ઉપર આવવા માગતા જ ન હોય એ પ્રકારની ઝુંબેશ ચલાવી રહેલ છે. થેડા સમય પહેલાં કરપાત્રીજી મહારાજ રાયપુર આવેલા તેમણે પણ અગ્નિ પરીક્ષા’ વિરુદ્ધ કંગ ઉદ્ગારો કાઢીને બળતામાં ઘી હોમવા જેવું કર્યું છે. આન્દોલનના દબાણને વશ થઇ રાજ્ય સરકારે “અગ્નિ પરીક્ષા' ઉપર કાનૂની પ્રતિબંધ દેઢ મહિના પહેલાં મૂક હેવા છતાં સનાતની હિન્દુઓને આથી કઇ સંતોષ નથી. ગયા મહિના દરમિયાન આચાર્ય તુલસીના નિવાસસ્થાન ઉપર તેમ જ જૈન સાધ્વીઓના નિવાસસ્થાન ઉપર તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. અને ત્યાર પછીના દિવસો દરમિયાન ૨૬ મી ઍકટેબરના રેજ આશુદ્યત મંડપ બાળી નાંખે હતો. ૨૭ મી એકબરના રોજ આચાર્ય તુલસીના અનુયાયીઓ અને વિદ્યાથએ વચ્ચે કાંઇક ઘર્ષણ થયું હોય એમ લાગે છે. આથી ઉશ્કેરાઇને, ગયા માસની છઠ્ઠી કે સાતમી તારીખે લગભગ છેલ્લા એક માસથી ફેજદારી કાયદાની ૧૪૪મી ક્લમ આખા રાયપુર ઉપર લાગુ પાડવામાં આવેલી હોવા છતાં તેની અવગણના કરીને, વિદ્યાર્થીએના એક ટેળાએ મેટું બંડ કર્યું હતું અને જેલની દુકાને