SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રભુ* જીવન ન શક્યો. છતાં માયાનો અર્થ મિથ્યા એમ તે હું કરી તેથી જ હિમાલયથી પાછે. આવી રામકૃષ્ણ મિશન અને શાન્તિ નિકેતન જેવી સંસકારી દુનિયાઓમાં પ્રવેશ કરી શકયા. આ બધી જૂની વાતો છે. ગીતાએ મારા ઉપર અદ્ભુત અસર કરી અને તેથી હું ‘સુખેદુ:ખે સમકૃત્વાના આદર્શ સ્વીકારી શક્યો. સુખ અને દુ:ખ બંને છીછરા છે. બંનેમાંથી એકકે તત્વ જીવન-સાધના માટે પ્રેરક તત્વ ન થઇ શકે, એ વાત ગળે ઊતરી, અને તેથી સુખદુ:ખથી પર થઇ કેવળ કર્તવ્યથી પ્રેરાઇને જીવવું જોઇએ, એમ બધા સાધકોની પેઠે મારા પણ મનમાં વસી ગયું. ત્યાર પછી જે નવા સાક્ષાત્કાર થયો તેની વાત કરવા માંગું છું. સુખ અને દુ:ખ એ બંને ઇન્દ્રિયોની લાગણી છે એટલી વાત તો એ શબ્દોએ જ સમજાવી હતી. (કેમકે સંસ્કૃતમાં ખ એટલે ઇન્દ્રિય. ઈંન્દ્રિયોને જે અનુકૂળ જણાય, તે સુ-ખ અને ઇન્દ્રિયો, જેથી અકળાય તે દુ:-ખ) પણ કુદરતનાં ભગવાને આ સુખદુ:ખ બનાવ્યા જશા માટે? એ જાણ્યા વગર સુખદુ:ખ પ્રત્યે કેવળ બેદરકાર થવાથી અંતેષ ન મળ્યો. અંતે ઊગ્યું કે સુખ તે જીવન જીવવા માણસ રાજી થાય એટલા માટે એને આપેલું કેવળ આશ્વાસન છે. જીવનની કેળવણી તો માણસને દુ:ખ મારતે જ મળી શકે છે. સુખ છે ખોરાક, દુ:ખ છે કેળવણી. એમ યારે જોયું ત્યારે હું કહેવા લાગ્યો દુ:ખ એ જ આપણું પરમ ધન છે. જીવન કૃતાર્થ કરવાનું સાધન છે. દુ:ખના અનુભવ કરતાં કરતાં શરીર અને ચિત્ત થાકે નહિ, જીવન-વિમુખ થાય નહિ . એટલા માટે કેવળ શરીર અને મનને ખારાક તરીકે, કેવળ પાષણ તરીકે સુખ આપેલું છે. વેદાન્તની અસરને કારણે મે મારું સૂત્ર બનાવ્યું– દુ:ä સત્ય, ખુલ્લું માયા, દુ:લ ખન્તો: વર્ધનમ્ । આ થયું મારું અદ્યતન જીવન-દર્શન. આમાંથી મને અદ્ભુત શકિત મળવા લાગી. જીવન જીવવામાં મન કોઇ પણ ક્ષણે વિરસ થાય જ નહિ. સફળતા અને નિષ્ફળતાના આદર્શો જ બદલાઇ ગયા. દુનિયાના વૈરાગી સાધુએ જેમ જીવન જીવે છે તેમ જીવવાની મારા હ્રદયે ના પાડી. એમાં કબીરનું વચન મદદમાં આવ્યું: સાધો ! સાતમાધિ મહી આવા માણસને ‘ઘડપણ એ જીવનની ઊતરતી કે ક્ષીણ અવસ્થા છે' એમ શી રીતે લાગે ? ગૃહસ્થાશ્રામમાં કામવિકારના અનુભવ મેળવ્યા પછી જેણે બ્રહ્મચર્યની સાધના શરૂ કરી અને શરીર-શકિત ક્ષીણ થતા પહેલાં જ બ્રહ્મચર્યના આંનંદ, જેને મળવા લાગ્યો, એને ઘડપણ આવ્યા પછી કામ-વિકાર માણવાની શકિત ક્ષીણ થઇ એનું દુ:ખ થાય ખરું? જે વસ્તુ ઇષ્ટ હતી, અને જે સાધના એટલે સંકલ્પશકિતને જોરે મેળવી લીધી તે સ્થિતિને ઘટવાની ઘડપણ મદદગાર થયું તે! માણસની પ્રસન્નતા વધવાની, તો નહિ જ. દઢસાધનાથી જે સ્થિતિ મેળવી તેને જ ઘડપણે મદદ કરી એના તો માણસ આનંદ જ માણવાના. જે માણસને મુસાફર થઈ દેશ-દેશાન્તર જોવાની ઉત્કટ ઇચ્છા, તેને મુસાફરી કરવાની સગવડ ન રહી તો દુ:ખ થવાનું, એ સ્પષ્ટ છે. પણ જેણે ચારખંડની મુસાફરી કરી દેશદર્શન મેળવ્યું અને સાધક હાવાથી, મુસાફરી દ્વારા વિશ્વાત્મકય કેળવી જે ધરાયા અને કહેવા લાગ્યો કે હવે કશું જોવાનું બાકી રહ્યું નથી, તેનું મન નૃપ્ત થવાનું જ. હવે ‘એક ઠેકાણે બેસી, બધા સાથેના સંબંધ જાળવી શકું તો જીવનમાં કશી ઊણપ આવવાની નથી.' આટલા સંતોષ મળ્યા પછી એ માણસને જે ઘડપણ આવે અને મુસાફરી કરવાની શકિત ` રહે નહિ તે એ થોડા જ દુ:ખી થવાના? આખી માનવજાતિ સાથે સામ્ય કેળવવા માટે જેણે સંભાષણા ચલાવ્યાં, અનેક લોકોના અનુભવા સાંભળ્યા, ચર્ચાઓ કરી, વિનોદ કર્યો અને અંતે જેને અંદરથી તૃપ્તિ ઊગી કે ભ્રષ્ટ દ્રષ્ટવં, શ્રુત તા. ૧૬-૧૧-૧૯૭૭ સ્ત્રોતમ્ ! ‘જોવાનું બધું જોયું, સાંભળવાનું બધું સાંભળ્યુંએવા માણસની સાંભળવાની શકિત ઘડપણ જો છીનવી લે તે એ શાના અકળાય ? નિ:સ્વાર્થ માણસની પેઠે એ કહેવાના (Who steals My Purse, Steals trash. મારી પૈસાની થેલી જેણે ચેરી લીધી તેણે મારા ઘરના અથવા મારા ખીસામાંનો કચરો ચારી લીધા, મારે એ પૈસા જોઇતા જ ન હતા. એ જ રીતે સાંભળીને ધરાયા પછી સાંભળવાની શકિત ગઇ તો એના ખરખરો મનમાં કયાંથી ઉઠવાના? હમણાં હમણાં મારી યાદ કરવાની શકિત ઓછી થતી જાય છે. અત્યારે ફકત નામે યાદ નથી રહેતાં. માણસનાં, સ્થળાનાં અને ચાપડીઓનાં નામે વખતસર યાદ નથી આવતાં. તેથી બાલવામાં વિરસ થાય છે. બાકીની યાદદાસ્ત હજી કાયમ છે. હું કબૂલ કરું છું કે નામા યાદ નથી રહેતાં ત્યારે મૂંઝાઉં છું, કોક કોક વાર દુ:ખી પણ થાઉં છું. ’પણ એ ઉપર ઉપરની વાત છે. અંદરનું મન કહે છેકે નામ યાદ ન રહ્યાં તેથી આપણું શું ગયું? વ્યકિતત્વ મુખ્ય છે, નામરૂપે ગાણ છે. આવી સ્થિતિને કારણે ઘડપણની અસર મારા ઉપર થાય છે અને છતાં નથી થતી. ‘જન ગણ મન અધિનાયકને મારી પાસેથી જ્યાં સુધી સેવા લેવી હશે ત્યાં સુધી તે તે શકિતએ ટકશે અને એવું પ્રયોજન ન રહે ત્યારે એ શકિત ગઇ તો એને અભાવ મને કઠવાના નથી.. ઘડપણને કારણે અપંગ બનું તો બીજાની સેવા લેવી પડશે— આજે એના પ્રારંભ થયો જ છે. પણ ઇશ્વરની કૃપા કહા અથવા માણસમાત્રમાં રહેલી પ્રેમભાવની ખૂબી કહેા, અત્યાર સુધી જે લાકોની સેવા લેવાનો વારો આવ્યો છે તે બધા પ્રેમથી સેવા આપે છે, એટલું જ નહિ પણ, ‘એક સજ્જન માણસની સેવા કરવાની તક મળી' એમ માની એમને આનંદ અનુભવતા જોઉં છું, એટલે થોડુંક પરાવલંબન આજે તે કઠતું નથી. પોતાની હાજતા ઓછી કરવાની શકિત જ્યાં સુધી કેળવી શકાય છે ત્યાં સુધી ઘડપણની ચિન્તામાં ડૂબી જવાની જરૂર જણાતી નથી. અને ‘સદ્ભાગ્ય’ જેવી વસ્તુ પણ દુનિયામાં હોય જ છે. તેથી હું માનું છું કે આજે છે એવી મજાની પરિસ્થિતિમાં જ મારા જીવનના અંત થશે. પણ કેવળ આવા મીઠા વિચારોને આધારે હું સંતુષ્ટ નથી. મારો સિદ્ધાંત છે (અને હવે તો એ અનુભવ પણ થયો છે) અને એ સિદ્ધાંત અને અનુભવ એવા તો દઢ થયો છે કે જીવનમાં દુ:ખ આવે છે તે સાધનારૂપે જ આવે છે. શકિત હોય તો દુ:ખમાંથી પણ ઉત્તમમાં ઉત્તમ કેળવણી મળવાની છે. એ ખાત્રીથી હું ઉત્સાહપૂર્વક બધી સ્થિતિમાંથી પસાર થઈશ. સામાન્ય વ્યવહારમાં હું સામાન્ય માણસ જેવા જ દેખાઉં છું અને જીવું છું. પણ એનો અર્થ એ નથી કે હું સાધક નથી. મારી સાધના જુદી છે, નક્કર છે. લોકોના ધ્યાનમાં એ ન આવે તે એનાથી મને નુકસાન નથી, લાભ જ છે. તમારા જેવા જૂના સાથી પૂછે ત્યારે નક્કર સત્ય છે તે સંતાડાય નહિ, એટલા માટે જ આ કાગળને આટલા વિસ્તાર કર્યો. તમે મજામાં હશેા. ફરી મળીશું ત્યારે વિચાર-વિનિમય અને વિનોદ-વિનિમય થવાનો જ. काका कालेलकरना સપ્રેમ વંદેમાતરમ્. પરિસ્થિતિ અધતન રાજકીય તા. ૭મી ડિસેમ્બર સોમવારના રોજ સાંજના છ વાગ્યે શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સંઘના કાર્યાલયમાં ‘રાષ્ટ્રીય તેમ જ 'આંતરરાષ્ટ્રીય અદ્યતન પરિસ્થિતિ’ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ Z
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy