SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૧૯૭૦ પ્રભુ જીવન ૧૫૩ તેમણે ગુજરાતમાં સૌથી પહેલ વહેતે મૂકો. ‘બાળકોના વ્યકિત- ત્વને માન આપે, શિક્ષકોએ તે માત્ર માળી જ બનવાનું છે, તે તેમણે સમજાવ્યું. આથી બાળશિક્ષણના પાયાથી નવીન વિચાર આવ્યો. તેમણે રૂંધાઇ જતાં બાળકોનાં જીવનમાં ચેતના જગાડી; બાળમંદિરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્યું. - સ્વ. ગિજુભાઈ અને સ્વ. નાનાભાઇ એક વાર નર્મદાબહેનના બાપુજી પાસે આવ્યા અને તેઓએ બાપુજીને કહ્યું કે “બા ફઈ' અમને સંપી દો. (ભાઇઓના છોકરાઓ નર્મદાબહેનને ‘બા ફઈ, નામથી બેલાવે, તેથી નર્મદાબહેન ભાવનગરમાં ‘બા ફઈ' તરીકે જાણીતાં થયાં છે). બાપુજીને દુભાયેલી દીકરી માટે ખૂબ મમતા વાત્સલ્ય અને પ્રેમ હતો જ; તેથી પોતાની નજર સમક્ષ બહેન રહે તેમ તેઓ ઇચ્છતા હતા. તેમાં અનુકૂળ માર્ગ જડે, તેથી બાપુજીએ બહેનને સ્વ. ગિજુભાઈને સોંપ્યાં. ગિજુભાઇએ બા ફઈની જીવનદષ્ટિ ફેરવી ના અવતાર આપ્યો. ગિજુભાઈ સાથે કામ કરતાં કરતાં તેમણે બાળશિક્ષણને પ્રત્યક્ષ અનુભવ લીધે. તેમનું જીવન બાળકોમય બન્યું. તેઓ પણ બાળશિક્ષણના શૈક્ષણિક ચિકિત્સક બન્યાં અને ભાવનગરના આ ઉજજવલ કારકીર્દિવાળા બાળમંદિરના સંચાલનનું એક પ્રેરક બળ બન્યાં. આ સંસ્થામાં રહીને એમણે મેન્ટરી સિદ્ધાંતને પૂરો પરિચય મેળવ્ય; એટલું જ નહિ, પણ બાળકો સાથેના વ્યવહારમાં પૂર્ણ સાક્ષાત્કાર કર્યો. ગિજુભાઇની પ્રેરણા, પ્રેમ અને પ્રોત્સાહનથી તેમને બાળશિક્ષણને અભ્યાસ પાકો થશે. નર્મદા- બહેનના માનસિક વિકાસમાં ગિજુભાઈને ફાળે ઘણે છે. ઉપરાંત નર્મદાબહેનની નિસર્ગદત્ત બુદ્ધિ, કાર્યશકિત, હૈયાઉકલત અને ઊંડી સૂઝ અને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છાથી પોતાને વિકાસ સ્વબળે ઘણા સાધી શકયાં. | નર્મદાબહેન વારંવાર ગિજુભાઈને કહેતા ‘ભાઈ, મને અધ્યાપનમંદિરમાં સૌને આપે છે તેવું પ્રમાણપત્ર આપો ને?' ગિજુભાઈ હસીને કહેતા કે, “બહેન, તમારું કાર્ય જ તમારું પ્રમાણપત્ર છે, તમારા માટે કાગળ ઉપર લખેલા પ્રમાણપત્રની કશી જરૂર નથી.' અને બન્યું છે. પણ એવું જ. અત્યારે મુંબઇની ફેલેશીપ હાઇસ્કૂલ વિશાળ વૃક્ષ બનીને ફાલી છે, તે “ફેલેશીપ’ને પાયો નાખનાર તેના પ્રિન્સિપાલને સ્વ. શ્રી મગનભાઇ વ્યાસ (એમ. ટી. વ્યાસ) ને ગિજુભાઇ ઉપર પત્ર આવ્યું કે સારા સંસ્કારી અને બાળશિક્ષણના અભ્યાસી એક બહેન અમારા બાળમંદિર માટે મેકલી આપે.” ગિજુભાઈએ તરત જ ‘બા ફઈ’નું નામ સૂચવ્યું. ‘બા ફઈ’ ને પૂછતાં તેમણે હા પાડી, કરણકે, નર્મદાબહેનની ઇચ્છા પણ સ્વતંત્ર રીતે પોતાની શકિતને વધુ વિકાસ બાળ-ઉપગ સંસ્થામાં કરવાની હતી, આથી તેઓ તેમના ભાઈ રવિભાઇ સાથે મુલાકાત માટે મુંબઇ જવા ઊપડયાં. ફેલેશીપ હાઇસ્કૂલને ભપકો, શિક્ષકો અને શિક્ષિકાઓને દમામભર્યો પહેરવેશ ઉપરાંત ધમધમતું વાતાવરણ જોઇને સાદાં અને જાડી ખાદીધારી નર્મદાબહેન અચકાયાં. ત્યાં મોન્ટેસરી પ્રણાલિના નિષ્ણાત એક આઇરીશ બહેન- મિસ મેનકી બાળવિભાગનાં મુખ્ય હતાં. તેઓ અંગ્રેજી જ જાણતાં હતાં. ફલ જેવાં કોમળ બાળકોને અંગ્રેજીમાં વાર્તા કહેતાં અને સુંદર જોષાકથી સજજ એવાં એક પારસી બહેન તેનું ગુજરાતી કરતાં હતાં. શ્રીમંત અને સંસ્કારી કુટુંબનાં બાળકો. ત્યાંના બાળમંદિરમાં આવતાં. બા ફઇએ ત્યાંની આ બંધ બારણે અપાતી શિક્ષણપદ્ધત્તિ જોઇ, અને ભારે વિમાસણમાં પડી ગયાં. . ગિજુભાઇનું મુકત હવામાં મઘમઘતું, બાળકો સાથે નાચતું અને નચાવતું-સ્વતંત્ર સાહજિક અને સ્વયંરૂરિત વાતાવરણ કયાં? અને કયાં આ ચાર દીવાલે વચ્ચેનું શિક્ષણ? “બા ફઈએ તે શ્રી મગનભાઇ વ્યાસને કહી દીધું કે “મને અહીં નહિ ફાવે.' શ્રી વ્યાસભાઇ પિતાની શાળાને સવાંગી વિકાસ સાધવા માગતા હોવાથી અને પોતે શિક્ષણના પાકા જ્ઞાતા અને માણસની શકિતના પારખુ હેવાથી, તેમણે વિચાર્યું કે, “મુ. ગિજુભાઇએ મોકલેલ બહેન કાંઇ કમ હોય ?' તેઓએ નર્મદાબહેનને બે દિવસ વધુ રોકાઇ જવા આગ્રહ કર્યો, અને જે જે ત્રુટિઓ. લાગે તે લખી આપવા કહ્યું. નર્મદાબહેન નીડર અને સ્પષ્ટ વકતા હતાં એટલે એક લાંબા ચેડા કાગળમાં બાળશિક્ષણ કેવી રીતે અપાય તે મુદ્દાસર લખીને આપ્યું. મગનભાઇ - ખુશ થયા અને તેનું અંગ્રેજી રૂપાંતર કરીને મિસ મેકોનકીને સમજાવ્યું. મિસ મેકોનકી ખેલદિલ હતાં. તેથી બધી વાતમાં 'Yes' Yes,’ કરીને ભૂલ સ્વીકારી લીધી. આ હતે તેમને બાળશિક્ષણની ઊંડી સમજ અને હૈયા–ઉકલતવાળા શિક્ષણનો વિજય ! ” શ્રી મગનભાઇ વ્યાસ હતાં શિક્ષણશાસ્ત્રના નિષ્ણાત. હવે એ કાંઇ નર્મદાબહેનને છોડે ? પરંતુ બાપુજીની રજા લીધા વગર નર્મદાબહેન કયાંથી હા પાડી શકે ? તેઓ ભાવનગર ગયાં અને બાપુજીને બધી વાત કરી. તે સમયે બાપુજી દરબારી બેંકમાં મેનેજર હોવાથી તેમની જાહોજલાલી અને આર્થિક સ્થિતિ બહુ સારી હતી, એટલે નર્મદાબહેનને કમાવા માટે કયાંય બહાર મોકલે તેવું ન હતું, પરંતુ સંસારથી દુભાયેલી પુત્રીને મનનું સમાધાન રહે અને જીવનસાર્થકતા પામે એ જ હેતુ હતો. નર્મદાબહેનને પણ અંદરથી કોઈ અદમ જુસ્સો પ્રેરણા આપણો હતો. બાપુજી ભાવનગર દરબાર બેન્કના મેનેજર હતા તેથી તેમને વારંવાર “દરબાર બેન્ક’નું ભાણું ભરવા મુંબઇ જવું પડતું. શ્રી મગનભાઇ તેમને મળ્યા અને બાપુજીને કહ્યું કે “રવિભાઈની જે જ મને માની, નર્મદાબહેનને મારે ત્યાં કામ કરવાની તક આપે. શ્રી વ્યાસભાઇની વાતોથી બાપુજી સંતોષાયા અને નર્મદાબહેન પંચેતેર રૂપિયાના પગારથી ફેલોશીપમાં કામ કરવા જોડાયાં. તેઓને પગારની પડી નહોતી, માત્ર જીવન કોઇક વ્યવસાય માગી 'રહ્યું હતું. તે વખતે ગ્રેજ્યુએટ કે એમ. એ. થયેલાને પાંત્રીસથી સાઠ રૂપિયા પગાર મળતો હતો. શ્રી મગનભાઇએ, મુંઝવતા પંદર તોફાની બાળકો નર્મદાબહેનને સોંપ્યા. નર્મદાબહેન પણ ભારે જબરાં ! બાળકોને કારાગાર જેવી ચાર દીવાલમાંથી મુકત કરી, તેમને હવાવાળા પ્રફુલ્લિત બગીચાના મઘમઘતા વાતાવરણમાં લઈ આવ્યાં અને પ્રાર્થના, ગીતે અને રસિક વાર્તાઓથી તેમને અભિમુખ કર્યા. એમની સાથે ખેલ્યાં. તેમણે બાળકોની નાડ હાથમાં લીધી. બાળકો નર્મદાબહેનમય બન્યા. પછી બાળકોની સાહજિક શકિતને વિકાસ થાય તે રીતે બાળકોને વ્યવસ્થિત કર્યા અને વર્ગની સુંદર સજાવટ કરી. - શ્રી વ્યાસભાઇએ બાળવિકાસમાં બધાં સાધને પૂરાં પાડયાં. નર્મદાબહેનના જીવનધ્યેયની સર્વાગી પ્રગતિમાં શ્રી મગનભાઈને ફાળો પણ છે. તેના કુટુંબે પણ નર્મદાબહેનને કુટુંબના એક અંગ તરીકે ગણી પૂરતી સગવડ આપી હતી. તેમણે બાળકોમાં થતાં શારીરિક અને માનસિક ફેરફારોની સુંદર અને વિગતપૂર્ણ રોજની ડાયરી લખીને દરેક બાળકની એટલી સૂક્ષ્મ અને ઝીણવટભરેલી વિગતો લખી હતી, કે શ્રી મગનભાઇએ તેમની શાળાના ગ્રેજ્યુએટ શિક્ષકોને પણ તે નોંધ લેવા કહ્યું હતું. - ડે. મેન્ટેસરી પાસે જઈ ( ઇટાલીમાં ) અભ્યાસ કરવાની નર્મદાબહેનની તીવ્ર ઇરછા હતી, અને પ્રત્યક્ષ અનુભવ લેવાના કોડ પણ હતા. નર્મદાબહેન માટે ઇટાલી જવાની શિષ્યવૃત્તિની પણ સ્વ. પટ્ટણી સાહેબે હા પાડેલી. પટ્ટણી સાહેબ શિક્ષણના પ્રખર હિમાયતી હતા. . પણ પછી એવી પરિસ્થિતિ સર્જાઇ, કે નર્મદાબહેનને પિતાની
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy