________________
20
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૯૭૦.
લાગણી અને મહેચ્છાએ બાજુએ મૂકીને, આવા વાતાવરણમાંથી કુટુંબના બધાની સુશ્રષા અને આશ્વાસન માટે ભાવનગર પાછા આંવી કાયમી નિવાસ કરવો પડયો.
આ દરમિયાન કુટુંબમાં મોટી આપત્તિ એ હતી કે મોટાભાઇ રતિભાઈના પત્નીનું મગજ સાવ અસ્થિર બનવાથી, તેમને બીજીવારનું લગ્ન કરાવ્યું હતું. આ ગાંડા બનેલાં ભાભીને ઘરમાં સાચવી રાખવાની ચિન્તા બાને ત્રાસજનક હતી, તેમાં નાનાભાઈ ' પ્રાણભાઈને ગંભીર બીમારી આવી અને અનેક ઉપાય કરવા છતાં તેમને જીવનદીપ અકાળે - ભરયુવાનીમાં - બુઝાઇ ગયા. આખાયે કુટુંબમાં વિષાદ અને વેદનાની ઘેરી છાયા ફેલાઇ ગઇ. નવી નાની વિધવા ભાભી અને સુખી માતાપિતાનું જીવન દુ:ખમાં પરિણમ્યું. માતા-પિતા વિનાના નબળા અશકત બાળક જનુને જોતાં જ અમારા સૌનાં હૈયાં દ્રવી ઊઠતાં. બાળવિધવાનું દુ:ખ બાથી સહન થઇ શકયું નહિ એટલે આઘાતને કારણે એમના શરીરને ઘસારો લાગે, અને તેઓ બહુ વહેલાં મૃત્યુ પામ્યાં. નર્મદાબહેનને માથે કૌટુંબિક આપત્તિને પહાડ તૂટી પડશે. પૂ. બાપુજીનાં હૈયાધારણ અને આશ્વાસન માટે ફરી ભાવનગરમાં આવીને તેમને વસવાટ કરવું પડશે. - પૂ. બાપુજીના એક્લવાયા અને વેદનાભર્યા જીવનમાં આશ્વાસન ઉપરાંત ઘરને મોભે ટકાવી રાખવાની અને ઘરની વ્યવસ્થા જાળવવાની મોટી જવાબદારી તેમના ઉપર આવી પડી. આવા અનેક કારણોને લીધે એમનાં આંતર વિવાદ અને અભિલાષાઓને હોમી તેઓ કુટુંબની બધી ફરજો સંભાળવા લાગ્યા. સાંસારિક વ્યવહારમાં તેમની ઉદાસીનતા અને જીવનની નિરાશાઓમાં કાંઈક હિત આપવાના ઉદેશથી, તેમના પિતાશ્રીએ જ્યારે તખતેશ્વર વિસ્તારમાં નવું મકાન કર્યું ત્યારે તેમણે ત્યાં એક બાલગૃહ કરવાની અનુમતિ અને સગવડ પણ આપી.
ગુજરાતમાં ૧૯૩૪ થી ૧૯૩૬ સુધી એકે વ્યવસ્થિત બાલગૃહ હતું જ નહિ. એવું બાલગૃહ ખેલવાને વિચાર નર્મદાબહેનને પહેલવહેલે આવ્યા અને તેમણે પિતાની અનુમતિથી બાલગૃહ ખેલું. તેમાં માતા પિતાને મુંઝવતા કેયડારૂપ બાળકે બહારગામથી પણ આવ્યા. આમાંના તફાની બાળકને અનુકુળ અનેક નાનાં મોટાં સાધનો વસાવી તેમના જીવનવિકાસને માટે રાત દિવસ તેમણે ખૂબ પરિશ્રમ વેઠયો, અને બાળકેમાં જ ખોવાઈ ગયાં.
એક વાર આ બાલગૃહનાં બાળકોને લઈને નર્મદાબહેન ગોપનાથના દરિયા કિનારે ગયાં. બાલસૃહનાં બાળકો સાથેની નર્મદાબહેનની એકરૂપતા અને તન્મયતા ભાવનગરના સદ્ગત મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ જોઇ. (તેઓ પણ ગોપનાથના દરિયા કિનારે તે સમયે હવા ખાવા આવ્યા હતા.) બાળકો વિશેની નર્મદાબહેનની લાગણી અને વિરલ સમજ તથા હૃદયની કુમાશ જોઇ તેઓશ્રીનું ધ્યાન તેમની તરફ ગયું, એથી પોતાના યુવરાજ તથા અન્ય બાળકોમાં સંસ્કારનું સિંચન નર્મદાબહેન જેવાં સાદા, સંસ્કારી. સંયમી અને પવિત્ર બહેનને સોંપવા વિચાર્યું. આજના ભાવનગર નરેશ શ્રી વીરભદ્રસિંહજીના સંસ્કારી જીવનનો પાયો નાખવામાં નર્મદાબહેનને પણ ફાળે છે. રાજમહેલ નિલમબાગમાં બાળમંદિરની જના ઘડાઇ, અને નર્મદાબહેને બાળકોમાં નીડરતા, સાદાઈ અને સંસ્કારીતાના ઉચ્ચતમ ગુણ રેડયા.
૧૯૩૯ માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, એના ઓળા સારા ભારત ઉપર પડયા. તે વખતે સ્વ. અનંતરાય પટ્ટણીએ નર્મદાબહેન, સાગરિકા બહેન અને વસુબહેનની દેખરેખ નીચે તાત્કાલિક સારવાર અને ત્રણ માસના નસિંગ કૅર્સ માટે બહેનોને તૈયાર કરવા સૂચન કર્યું, તેમાં શિક્ષિકાબહેને અને ઉચ્ચ અમલદારનાં પત્નીઓ પણ જોડાયાં. આ તાલીમ વર્ગમાં સૌની સાથે
નર્મદાબહેન પણ હોસ્પિટલમાં જઈ વર્ષોમાં પાટાપિડી વગેરે કામ કરવા લાગ્યાં. તેમનું વ્યકિતત્વ જ એવું છે કે, તેમની સાથે કામ કરવામાં સૌ ‘ ગૌરવ સમજતાં હતાં.
નર્મદાબહેનની. ઇટાલી જવાની ઇચ્છા અધૂરી રહી હતી. ડે. મેન્ટેસરી હિંદમાં આવ્યાં અને મદ્રાસમાં મેન્ટેસારી વર્ગ શરૂ કરવા વિચાર્યું, એટલે તેમની જની મહેચ્છા જાગૃત થઇ, અને તેઓ તાલીમ મેળવીને આવ્યા પછી તેમને જે નવું નવું જાણવા મળેલુ તેનું સતત ચિનાન તેઓ કર્યા કરતાં હતાં. | નર્મદાબહેનના બંગલામાં એક નોકર કુટુંબ રહેતું હતું. તેમના બાળકને રોજ વિચાર આવે કે “બા છું ને ત્યાં બે ઝેરણી છે તે, બા, તું કામ કરવા જાય ત્યારે એક લેતી આવજે, ને? સવાર પડે અને દૂધ દેવા દુધવાળે આવે. વાટકીમાં દૂધ લેવા બાળકો દોડે દૂધવાળો ધુત્કારી કાઢે. નર્મદાબહેનને ઊંઘ ઓછી, તેથી બંગલામાં રહેનારનું નિરીક્ષણ કર્યા જ કરે. તેઓએ દૂધવાળાને કહયું કે, 'તારે રોજ એ છોકરાંઓને દૂધ આપવું અને એના પૈસા મારી પાસેથી લેવા.” આ જ બાળકે એકવાર તેની માતાને કહ્યું કે, ‘બા, મને બાલમંદિરમાં મોકલને?' તેની બાએ જવાબ દીધો કે, આપણે ફીના પૈસા કયાંથી કાઢીએ?' બાળક બોલ્યો, “બા ફઈના કબાટમાં તે ઘણા રૂપિયા છે, ને એમાંથી લેતી આવજે ને?” શુદ્ધ દિલની માતાએ બાળકને કોઇનું કશું જ ન લેવાય’ તેમ સમજાવ્યું.
ઉપરના બાળકના કિસ્સા ઉપરથી નર્મદાબહેનને સામાન્ય જનતા અને મજૂર વર્ગના બાળકો માટે બાલવાડી અને બાલમંદિરને વિચાર આવ્યો. તેમણે પોતાના બંગલા પાસેની જમીનમાં પોતાને ત્યાં પડેલાં બધા સાધને લઈને એવા બાળમંદિરની શરૂઆત કરી. આજે સામાન્ય લોકોનાં બાળકો ખૂબ જ રસથી બીજા બાળમંદિરના જેવી વિના ફીએ ત્યાં તાલીમ મેળવે છે અને બાળકો એ આનંદવાટિકામાં આનંદ કરે છે.
આ બાળમંદિર ઉપરાંત આજે તેઓએ તખતેશ્વર વિસ્તારમાં મહિલામંડળ ઊભું કર્યું છે અને તેઓ પ્રમુખ છે. આજના ભીષણ જીવનવિગ્રહમાં બહેને પણ કાંઇક કમાય અને ઘરમાં સારી રીતે પેટપૂરતું ખાઈ શકે, એ ઉદ્દેશથી નાના પાયા ઉપર નાના હસ્તઉદ્યોગ શરૂ કર્યા છે.
અસત્ય, દંભ, આડંબર કે દેખાદેખી તેઓ જરાયે સહન કરી શકતાં નથી. છેલ્લા ચાલીસ વર્ષમાં અનેક જાતના પહેરવેશ અને કાપડની જાતે આવી અને ગઇ, પરંતુ તેમને સાદા પહેરવેશ એનો એ જ રહ્યો છે. રોજ રાતે કાંતે છે, ખાદીધારી છે, આછકલાઇભર્યા આ યુગના વર્તન અને પહેરવેશ જોઇ ઘણીવાર અકળાય છે.
સહાયુકર્તા તરફ તેમને ઊંડે સનેહ અને સમભાવે છે. તેથી જ તેમનાં કાર્યમાં સતત સૌ મિત્રોની મદદ મળી છે. તેમનું વાચન વિશાળ છે. એથી પ્રાચીન અને અર્વાચીન સાહિત્યને સુમેળ તેઓ સાધી શકયાં છે. આ વિશાળ કુટુંબ પરિવાર વચ્ચે વર્ષો સુધી આદરને પાત્ર રહેવું, એ સહેલી વાત નથી. બાળકોથી માંડીને સૌની વચ્ચે કિલ્લોલ કરવો અને કરાવવું તે કળા તેમને સાધ્ય છે. આજે પણ તેઓ વિશાળ કુટુંબ વચ્ચે ગૌરવથી જીવન માણી રહ્યાં છે. અને ઈશ્વર જ્યાં સુધી કર્તવ્ય કરાવે ત્યાં સુધી કામ કરવા ઝંખી રહ્યા છે.
આજે પણ તેમનામાં આત્મગૌરવનું ઓજસ તરવરે છે. સ્વબળે જ આત્મોન્નતિ કરી તેઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. તેમનું વ્યક્તિત્વ નિરાળું છે. આવા સાદા, સરળ, સેવાભાવી, સંસ્કારી, સંયમી, કાર્યદક્ષ અને પવિત્ર નર્મદાબહેનનું ઉચ્ચ જીવન, જીવનના અંતિમ દિવસે સુધી સ્વસ્થ રહી બીજાને માર્ગદર્શન આપતું રહે એ જ જગનિયંતાને પ્રાર્થના.
શાન્તાબહેન શાહ