SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ✩ શિશુવત્સલ શ્રી નર્મદાબહેન રાવળ (જેમનું જીવન પ્રારંભથી જ અનેક પ્રતિકુળ સંયોગોના કારણે રૂંધાતું રહ્યું હતું તેવાં નર્મદાબહેન આ સંયોગોનો એક યા બીજી રીતે સામના કરીને તે સામે ઝુર્ગીને કેવાં ઉપર ઉઠે છે અને ધ્યેયનિષ્ઠ બનીને જીવનને કેવી રીતે ધન્ય બનાવે છે, સુવર્ણ-મિશ્રિત મટોડું ધોવાઇ ધાવાઇને અને અગ્નિમાંથી તવાઈ તવાઇને કેવું શુદ્ધ કાંચન પ્રગટ કરે છે તેનું દર્શન કરાવતી શ્રી નર્મદાબહેન રાવળની જીવનકથા, નર્મદાબહેન રાવળ (બાફૈ) સ્ત્રીઓની હાસ્પિટલ અને કમળાબહેન ભગવાનજી પરીખ પ્રસૂતિગૃહના તા. ૨૩-૮–૭૦ના રોજ ઉદ્ઘાટન પ્રસંગે પ્રગટ કરવામાં આવેલ ‘સાવૅનીર ' માંથી, સાભાર ઉષ્કૃત્ત કરું છું. આ જીવનકથામાંથી કુટુંબ અને સમાજની રૂઢિઓ અને પૂર્વગ્રહો નીચે કચડાઇ રહેલી બહેનોને આશાનાં બે કિરણા જરૂર પ્રાપ્ત થશે એવી આશા છે. ૧૫૨ અહિં જણાવવું પ્રસ્તુત થશે કે જેને માબાપના અભાવમાં શ્રી નર્મદાબહેને ઉછેરીને મોટો કર્યો તથા ભણાવ્યા તે ભાઇ જનાર્દન રાવળ આજે અમદાવાદના ક્લેકટરપદે નિયુકત થયેલ છે. પરમાનંદ) રૂઢિપરંપરાની સાંકળામાં, કળાભિમાનના વ્યવહારોની જટિલતામાં જકડાયેલાં, ખાનદાનીના ખોટા ખ્યાલામાં સપડાયેલાં સુશીલ કુટુંબામાં પણ સમાજના રિવાજોના ભાગ બનેલાં પુત્રપુત્રીઓ, બહેનો માતાઓની અસહ્ય યાતનાઓ અને બલિદાનની કથાઓ હિંદુ સમાજમાં એકેએક ઘરમાંથી મળે છે; છતાં પણ રાજ્ય, જ્ઞાતિ, વડીલા, વિદ્રાન કે આચાર્યો તેનું નિવારણ કરવા અસમર્થ અને લાચાર રહ્યાં છે અને પેઢીઓ સુધી અસંખ્ય નિર્દોષોના સામાજિક ભાગ લેવાયા છે. કોઇ પ્રબળ પુણ્યપ્રભાવે જ થેાડાક જીવો સંસારના કેટલાક ત્રાસદાયક પ્રતિકૂળ સંજોગામાંથી પોતાના આત્મબળે તરીને, એ જ સમાજની સેવા કરતા પોતાના જીવનને સાર્થક કરી જીવી ગયા છે તેમાંના એક શ્રી નર્મદાબહેન રાવળ છે. ગુજરાતમાં શિશુશિક્ષણના નવા યુગ પ્રવર્તાવનાર સ્વ. ગિજુભાઇ બધેકાના પહેલી હરોળના સાથીઓ જેવાં શ્રી તારાબહેન મેાટક, સ્વ. શ્રી મોંઘીબહેન બધેકા વગેરે સાથીઓમાં શ્રી નર્મદાબહેનનું નામ છે. ગિજુભાઇની બાળશિક્ષણ પ્રણાલીને પૂર્ણ આત્મસાત કરી મુંબઇમાં સ્વ. શ્રી મગનભાઇ વ્યાસે સ્થાપેલી લાશીપ સ્કૂલમાં એક બાળમંદિરના સફળ સંચાલક તરીકે કામ કરી, મેડમ મોન્ટેસરી પદ્ધતિના જાણકાર મિસ મેકાનકીની પ્રશંસા અને ચાહ મેળવનાર નર્મદાબહેનનું જીવન સંસારની કટોકટીમાંથી અગ્નિપરીક્ષા પસાર કરી આજે સ્વસ્થ અને શાંત નિવૃત્ત જીવનમાં પરિવ્યાપ્ત થયું છે. તેમનું દષ્ટાંત અનેક બહેનને ઉપકારક અને પ્રોત્સાહિત બનાવશે. તેમના જન્મ ભાવનગરના કુલીન બ્રાહ્મણ કુંટુંબમાં માતા ઊજમબાની કૂખે સને ૧૮૯૫માં થયા હતા. પિતા સ્વ. મહાશંકરભાઇ બેંક અવસ્થામાંથી સ્વાાય–બળે પાસ્ટ ઑફિસની નોકરીમાંથી આગળ વધ્યા હતા અને શ્રી નર્મદાબહેન તેમના સ્વ. રતિભાઇ, શ્રી રવિભાઇ અને સ્વ. પ્રાણશંકરભાઇ-એમ ત્રણ સુશીલ ભાઈનાં ખોટની એક જ બહેન હતાં. તા. ૧-૧૧-૧૯૭૦ માતાપિતાએ એમને કેળવણી આપવાને ઘણી કાળજી લીધી હતી, પણ એ જમાનાની રૂઢિ પ્રમાણે પુરી થઈ શકી નહિ, લગ્નવય-મર્યાદા તેર વર્ષની હાવાથી માત્ર ચાર ગુજરાતી ચાપડી સુધીના અભ્યાસ તેઓ કરી શકયાં. લગ્ન પછી દૈવયોગે એમને સાસરવાસમાં કોઇપણ જાતની અનુકૂળતા મળી નહીં અને ઘણા વિકટ સંૉંગા પ્રાપ્ત થયા. થેાડા જ વર્ષામાં સાસરાના સંબંધથી તેમને વિમુકત થવું પડયું; શરીર પર ઘણી આપત્તિ કરવી પડી, અને સદાને માટે પિતાને આશ્રયે રહી પોતાના જીવનમાર્ગ શેાધી લેવાનો પ્રયત્ન કરવા પડયા. છેવટે અભ્યાસ ફરી શરૂ કર્યા. રાજકોટ જઇ ફાઇનલની પરીક્ષા પાસ કરી. તેમાં તેમણે પ્રથમ શ્રેણીમાં આવી તેમની બુદ્ધિની પ્રતિતી કરાવી. પછી આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હોવા છતાં સમાજના બંધનને કારણે કુટુંબ વિરુદ્ધ જઈ શક્યાં નહિ. આ દરમિયાન કુટુંબમાં નાનાભાઇપ્રાણશંકરભાઇનાં પત્ની એક બાળક મૂકીને ગુજરી જતાં તે બાળકની સારસંભાળના ભાર તેમણે ઉપાડી લીધા. તેમાં એ પ્રકારે તેમના વાત્સલ્ય અને મમત્વનો ઉદય થયો. જાણે વિધિનિર્માણ હાય તેમ સ્વ. ગિજુભાઇએ થોડા જ વખતમાં જબરજસ્ત અંત:પ્રેરણાથી અને મોન્ટેસારીનાં ગ્રંથ વાંચીને બાળજગતની સેવા કરવા બાળમંદિરની સ્થાપના કરી. ગોહિલવાડના વિદ્યાધામ જેવા ભાવનગરમાં તખ્તેશ્ર્વર પ્લેટ જેવા સ્વચ્છ, નિર્મળ અને રમણીય ભાગમાં બાળકોની સુષુપ્ત શકિત પાંગરવાને માટે દક્ષિણામૂર્તિ ભવનના આંગણામાં બાળમંદિરની સ્થાપના સ્વ. ગિજુભાઇ દ્વારા થઇ હતી. ભાવનગરના સદ્ભાગ્યે પાયાથી માંડીને ઉચ્ચ કેળવણી સુધીના સતત વિચાર કરનારા ત્રણ પ્રખર શિક્ષણશાસ્ત્રીઓશ્રી નાનાભાઇ, શ્રી હરભાઇ અને શ્રી ગિજુભાઇ હતા. તે ત્રણેની વિદ્રત્તા અને કેળવણીના નૂતન પ્રયોગે એ ભાવનગરને જ નહિ, પરંતુ દૂર દૂરના દેશોને આકર્ષણ કર્યું હતું. તેમાંના શ્રી હરભાઇ આજે પણ શિક્ષણના સતત વિકાસની ઝંખના કરી રહ્યા છે. આજે સ્વ. નાનાભાઇ અને સ્વ. ગિજુભાઇ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ બન્ને કેળવણીના પ્રખર હિમાયતી હતા અને દક્ષિણામૂર્તિના પ્રાણસમા એ બન્ને શિક્ષણશાસ્ત્રી હતા. શિક્ષણમાં ધરખમ સુધારા કરી બાળકોનાં શરીર, મન, હૃદય અને બુદ્ધિના સર્વાંગી વિકાસ તેઓ ઇચ્છતા હતા. બન્નેએ જીવનના અંતિમ દિવસો સુધી તેમના જીવનધ્યેયને ઉજજવળ બનાવ્યું. સ્વ. ગિજુભાઇએ, ડૉ. મેન્ટેસારીના પુસ્તકોને ઊંડો અભ્યાસ કર્યા. ‘બાળકોના જીવનવિકાસ આડે આવતા શિક્ષણના જૂનવાણી વાતાવરણને ઊડાવી દીધું. બાળકોને ‘સ્વતંત્રતા અને સ્વયંસ્ફૂરણા આપવાથી તેઓનાં જીવન ગુલાબના ફૂલ પેઠે વિકસે છે’ તે વિચાર Mo
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy