________________
તા. ૧-૧૧-૧૯૦
પ્રબુદ્ધ જીવન
સયુક્ત રાષ્ટ્રોની રજત્ યન્તી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે સંયુકત રાષ્ટ્રસંસ્થાની રજત જયન્તી દિનના અનુસંધાનમાં શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાનું એક જાહેર વ્યાખ્યાન તા. ૨૪-૧૦-૭૦ના રોજ યોજવામાં આવ્યું હતું.
શ્રીયુત જી. એલ. મહેતાએ જણાવ્યું હતું કે “પરમાનંદ ભાઈએ આજના વ્યાખ્યાન માટે મને નિમંત્રણ આપેલું, પરંતુ તેઓ બહારગામ ગયા હોવાથી હાજર નથી રહી શક્યા, પરંતુ તેમના નિમંત્રણને હું હંમેશાં સહર્ષ સ્વીકારતા હાઉં છું – તેમની સાથેના મારો સંબંધ ૫૦ વર્ષ જૂના છે. તેઓ ભાવનગરના અને હું પણભાવનગરના–પરંતુ મને મોટું આકર્ષણ તો તેમની નિડરતા અને પ્રમાણિકતાનું રહ્યું છે. આવા માણસા અત્યારે બહુ ઓછા જોવા મળે છે. આજે તેમના નામ સાથે સંકળાયેલા “ પરમાનંદ કાપડિયા સભાગૃહ”માં આવ્યો છું. તેને એક લ્હાવા સમજું છું.”
ત્યાર બાદ આજના વિષય ઉપર બેલતાં તેમણે જણાવ્યું કે “આપણે ઐતિહાસિક રીતે અહિંસક હાવાનો દાવે કરીએ છીએ તે સત્યથી વેગળા છે. દરેક માણસના સ્વભાવમાં હિંસા અને અહિંસા બન્ને રહેલાં છે. પણ જો માણસ ફકત હિંસા તરફ જ દોરવાય તે તે અરસપરસની હિંસાથી બધાના નાશ થાય-એટલે અહિંસાના સંદેશા ફેલાવનારા મહાનુભાવો અવારનવાર સમાજમાં જન્મ લેતા હોય છે, જેમકે હાલના યુગમાં ગાંધીજી, થારો, માર્ટીન લ્યુથર કીંગ, વિગેરે થઈ ગયા, ઈંગ્લાંડ જેવા દેશમાં યુદ્ધો ચાલતા હોય છે ત્યાં પણ યુદ્ધનો વિરોધ કરીને જેલમાં જનારા પણ જોવા મળે છે. જેમ ચાલુ સમાજમાં ત્રીજા માણસને ન્યાય સ્વીકારવામાં આવતા હોય છે, તેમ રાજ્યોએ પણ આ વલણ રાખવું જોઈએ.
“ લીગ ફ્ નેશન્સની. ૧૯૧૪માં સ્થાપના થઈ અને તે વીસ વર્ષ ચાલી - આંતરિક કારણેાને લીધે તેનું વિસર્જન થયું.
* ત્યાર બાદ ૧૯૪૫ની ૨૪મી ઑકટોબર સંયુકત રાષ્ટ્રસંસ્થાની સ્થાપના થઈ. આજે આખી દુનિયામાં તેની રજત જયન્તી ઉજવાઈ રહી છે. આની સ્થાપના પાછળ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટના મુખ્ય ફાળે હતો. આને લગતું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું ત્યારે ૫૦ રાષ્ટ્રો તેના સભ્ય હતા. તેમાં મુખ્ય રાષ્ટ્રો હતા – અમેરિકા, રશિયા, અને ચીન (ફોર્માસા ). આજે તેના ૧૨૬ રાષ્ટ્રો સભ્યો છે. આ રાષ્ટ્રસંસ્થામાં ચીન જેવું મોટું રાજ્ય નથી તે એક અપવાદ કહેવાય. અત્યારના ચીનને સભ્ય બનાવવા માટે દર વર્ષે ઠરાવા લાવવામાં આવે છે પરંતુ તેમાં અમેરિકા નડતરરૂપ રહે છે– પરંતુ હવે તેના ટેકેદારો વધતા જાય છે અને બેએક વર્ષમાં ચીનને સભ્ય બનાવવું પડે એવી પરિસ્થિતિ પેદા થાય.
“સ્વીટ્ઝરલેન્ડ જેવું રાષ્ટ્ર યુનેનું સભ્ય નથી, પણ તે તેના નિરિક્ષકને મેલે છે.
“ યુનાની જનરલ એસેમ્બલીમાં નાના કે મોટા દરેક રાજ્યોને એક મતના સમાન હક્ક છે,
“ સલામતી સમિતિના ૧૧ સભ્યો છે, જેમાં પાંચ મહારાષ્ટ્રોને કાયમી સભ્યો ગણવામાં આવે છે અને તેમને વીટો વાપરવાની સત્તા આપવામાં આવેલ છે. આ પાંચમાંથી કોઈ પણ એક આ વીટોના ઉપયોગ કરીને ગમે તે ઠરાવને રદબાતલ કરી શકે છે. આ વીટા પાવરના ઉપયોગ અમેરિકાએ કદિ કર્યા જ નથી. જ્યારે રશિયાએ એકસે તેર વખત, ફ્રાન્સે ત્રણથી ચાર વાર અને ઈંગ્લેન્ડે બેએક વખત અને ફાર્માસાએ એક વખત કરેલ છે.
“ આ સંસ્થાના ઉદૃા છે – આન્તરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, હિંસાત્મક બળનો ત્યાગ કરવા રાષ્ટ્રોની આંતરિક બાબતેમાં ડખલગીરી કરવાને લગતી તેને સત્તા નથી. આના કારણે ઘણા પ્રશ્નોનો નિવેડો આવી નથી શકતો-જેમકે, કાશ્મિર–ગાવાઈઝરાયલ-ઈજિપ્ત વિગેરે.
+
૧૫૧
“ ત્યાં જે પ્રતિનિધિએ વક્તવ્યો કરતા હોય છે તે પોતાના દેશને લક્ષ્યમાં રાખીને જ કરતા હોય છે, જ્યાં સુધી રાષ્ટ્રવાદ પ્રથમ છે ત્યાં સુધી આ ચાલવાનું છે. પરંતુ ગમે તેમ પણ જે ચર્ચાઓ કરવામાં આવે છે તેનાથી દુનિયાના લોકમત ઘડાઈ રહ્યો છે. ૨૫ વર્ષમાં શાંતિ જાળવવા માટેના ઘણા પ્રયત્નો તેણે કર્યા છે—સાથે સાથે કેટલાક પ્રશ્નમાં તેણે આંખઆડા કાન પણ કર્યાં છે--જેમકે નિ:શસ્ત્રીકરણના પ્રશ્નમાં આ સંસ્થા સફળ નથી થઈ શકી.
“ મેટા રાજ્યો પોતાને જરૂર હોય ત્યારે જ તેને આશરો લે છે, નહિ તો તેને ગણકારતા નથી હોતા. આ સંસ્થાનો મુખ્ય હેતુ તે વિશ્વશાંતિ જાળવવાને લગતો છે – એની સફળતાના આધાર તેના સભ્યો ઉપર છે. આ સંસ્થાની રચના સાના નિયંત્રણ માટે થઈ છે.
“ આજે આ સંસ્થાની હયાતી ન હોય તો શું થાય ? એવા પ્રશ્ન દરેકને થાય છે. હવે પછીના યુદ્ધમાં બધા જ રાષ્ટ્રો સંકળાયલા હશે—અને મોટી ખુવારીને તેમાં ભય રહેલા છે તેથી માનવજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ સંસ્થાની મેટી ઉપયોગિતા છે. માટે સંસ્થાને મજબૂત બનાવવી હાય તે। નાના નાના રાજ્યોએ પણ લડવાનું બંધ કરવું જોઇએ—તા તેમની એકતા દ્વારા પોતાનું બળ તેઓ વધારી શકશે અને આ સંસ્થા પણ એ કારણે સુદૃઢ બનશે.”
ત્યાર બાદ શ્રીયુત ચીમનભાઈ ચકુભાઈ શાહે પોતાના અનુભવા ટાંકતા જણાવ્યું હતું કે, “તેમને પણ ૧૯૫૩માં ભારતના પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે યુનાની એક પરિષદમાં જવું પડયું હતું, ત્યારે આ સંસ્થાની કાર્યપદ્ધતિના સારા એવા અનુભવ પ્રાપ્ત થયો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રનું પ્રતિનિધિમંડળ ત્યાં જાય છે ત્યારે તેને બ્રીફ તૈયાર કરીને આપવામાં આવે છે—તેની બહાર જઈને તેનો કોઈ પણ સભ્ય કાંઈ વધા૨ે બાલી શકતા નથી. તેમણે કહ્યું કે યુદ્ધના દૈત્યથી માનવજાતને બચાવવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સુધી મનુધ્યમાં હિંસાઅહિંસા, સત્ય-અસત્ય, શાંતિ—અશાંતિના દ્વંદ્નો ચાલુ હશે ત્યાં સુધી આવી સંસ્થાની જરૂરત રહેશે. જો આ સંસ્થા એવા નિર્ણય કરી શકે કે, કોઈ રાષ્ટ્ર બીજા કોઈ પણ રાષ્ટ્રને શો વેંચી નહિં શકે તે તેણે એક મહત્ત્વતી સિદ્ધિ પ્રાપ્ત કરી ગણાશે.”
સંકલન : શાન્તિલાલ ટી. શેઠ
જીવન – એક અનુભવ
નવમી આકટોબર ! આજે ‘ સાહેબ’ ની–મારાં પતિની-વર્ષ-ગાંઠ નિમિત્તે મિત્રાને ઘેર ન બોલાવતાં બીજા એક મિત્રને ત્યાં બધા મિત્રાએ ભેગા થવું એમ નક્કી કર્યું. આનંદપૂર્વક પ્રેમનું ભેળ જમીને, ફ્ટને મુખવાસ લઈને સૌ રાત્રે ૧૦ વાગે છૂટા પડયા. એક મિત્રની ગાડીમાં અમે ‘ લીફ્ટ ’લીધી. મરીનડ્રાઈવનાં મેન રોડ પર ગલીમાંથી નીકળીને અમારી ગાડી વળાંક લેવા માટે જરા વાર સેન્ટરમાં રોકાઈ ત્યાં તે જમણી બાજુથી આવી રહેલી એક ગાડીવાળા પૂરી બ્રેક મારી ન શક્યો અને ધડમ કરીને અમારી ગાડી સાથે અથડાઈ પડયો.
જીવનના અકસ્માત સર્જાયો. એક ક્ષણમાં ન કલ્પેલું બની ગયું. ગાડીમાં બેઠેલા બધાને મનમાં થયું કે “બસ ગયા ! ! ”
અકસ્માતનું ભાન થતાંની સાથે જ આંખા બંધ કરીને મે' જીવનની સમાપ્તિનો અનુભવ કર્યો. એ અનુભવમાં પ્રથમવાર જ જીવનની સ્વીકૃતિ હતી – અને સમાપ્તિ પણ હતી -- જીવનની સમાપ્તિમાં મેં એક પ્રકાશને અનુભવ કર્યો. જે પ્રકાશના આધારે જીવન પ્રગટે છે તેના અદ્ભુત અનુભવ કર્યો, એ કોઈ જુદો જ અનુભવ હતો. એક ક્ષણ માટે જીવનનો સંદેશ હતા. સમાપ્તિમાં પરિતૃપ્તિ હતી. સાથે સાથે નવી તાજગી—તેજ-સાથે જીવનને આગળ ધપાવવાનો આનંદ પણ હતો,
ઈશ્વરનો આભાર – તાજગીભર્યું જીવન જીવવાની એક નવી તક આપવા માટે; મિત્રાને દશમી ઓકટોબરની સવા૨ે ‘ ગુડ મેાનિંગ ' કરી શકાયું તે માટે.
નિરુબહેન સુબાધભાઇ શાહ