SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અન શ્રી વિમલાબહેન કારની નેવે તથા ઈગ્લાંડની પ્રવચનયાત્રા [તા. ૧-૮--૭૦ના પ્રબુદ્ધ જીવનમાં શ્રી વિમળાબહેન ઠકારના એક પત્ર પ્રગટ કરવામાં આવ્યો હતો અને તેમાં ગયા ઉનાળા દરમિયાન તેમણે કરેલ હિમાલયનાં તીર્થધામાની યાત્રાનું વર્ણન આપવામાં આવ્યું હતું. તે પત્રમાં જણાવ્યું છે તે મુજબ તેઓ અહીંથી ૧૦મી જુલાઈએ યુરોપ તરફ રવાના થયા અને હાલૅન્ડ થઈને નવે અને ત્યાંથી ઈંગ્લાંડ ગયા. તે દરમિયાન તેમના નિકટવર્તી મિત્ર શ્રીમતી પ્રેમલતા શર્મા જેમણે પંડિતમકારનાથની નીચે સંગીતની તાલીમ લીધી છે, જેને ડા. ગેાપીનાથ કવિરાજના અન્તવાસી જેવા મિત્ર છે અને હાલ જેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીત વિભાગનાં ડીન છે. તે રોચેસ્ટર ( ન્યુયૉર્ક ) થી પાછા ફરતાં નવે માં વિમલાબહેન સાથે જોડાયાં અને તેમની સાથે નેવેમાં દશ દિવસ અને ઈંગ્લાંડમાં ત્રણ દિવસ ગાળ્યાં તે સહવાસનાં સ્મરણે તેમણે હિંદીમાં દાદા ધર્માધિકારી ઉપર લખી મોકલેલાં. તે નોંધની નકલ મળતાં તેને અનુવાદ કરી આપવા મેં કુમારી બહેન પુષ્પા જોષીને વિનંતિ કરી. મારી વિનંતિને ધ્યાનમાં લઈને પુષ્પાબહેને કરી આપેલા અનુવાદ પ્રબુદ્ધ જીવનના વાચકોને રસપ્રદ નીવડશે એમ સમજીને નીચે આપું છું. પરમાનંદ ] કાશી વિશ્વવિદ્યાલય, વારાણસી-૫ ૧૪૮ પૂજ્ય દાદા, રોચેસ્ટર (ન્યુ યાર્ક) વિશ્વવિદ્યાલયમાં બે મહિનાના અધ્યાપૂન-ક્રમ પૂરો કરીને ભારત પાછા ફરતી વખતે નવેમાં દસ દિવસ સુધી અને માર્ગેટ (ઈંગ્લેન્ડમાં) ત્રણ દિવસ સુધી પ્રિય વિમલબહેનની સાથે રહેવાનો મને જે મોકો મળ્યો એનું કંઇક વિવરણ આપના સુધી તેમ જ વિશાળ ‘વિમલપરિવાર ' સુધી પહોંચાડવા માટે આ પત્ર છે, વિમલબહેન ૨૧ મી જુલાઇએ બપોરે હિલવરસમ ( હાલૅન્ડ ) પહોંચ્યાં હતાં. ૨૨ જુલાઇએ તેઓ "કેના દમ્પતીની સાથે સ્ટીમરમાં નીકળ્યાં. ૨૪ મીએ બર્મન પહોંચીને તેઓ મોટરમાર્ગે બાકીની યાત્રા પૂરી કરીને નવેના ઉત્તર – મધ્ય પ્રદેશમાં ‘ ગાલા ’ નામના સુરમ્ય સ્થાનમાં તા. ૨૫ મીએ પહોંચ્યાં. ત્યાં શ્રી આયનાર બીયરે પોતાનું આખું. મકાન બહેનના ઉતારા માટે તૈયાર રાખ્યું હતું. ૧૫ મી ઑગસ્ટ સુધી ત્યાં બહેને આરામ કર્યો. વચમાં થોડા દિવસ ‘આલવદાલ ' માં ( નવે ના ઉપરના ભાગમાં ) ‘ આયનાર બીયર' ના આશ્રામમાં પણ તેઓ જઇ આવ્યા. ‘આયનાર બીયર’ ૮૪ વર્ષના સરલ, ભાવિક યુવાન પુરુષ છે. જેમણે ૫૦ વર્ષ પહેલાં ભારતના એક બંગાળી સાધક શ્રી આનંદ આચાર્યના સત્સંગના પ્રભાવથી ભારતના ‘હાર્દ 'ને— રહસ્યને અપનાવીને નવે ના શરીરમાં ભારતના આત્માનું અવતરણ કરવા માટે તત્પરતા દર્શાવી હતી, સ્વામી શ્રી આનંદ આચાયૅ લગભગ ૪૦ વર્ષ પર્યંત નવેમાં વેદ, ઉપનિષદાદિના પ્રચાર કરી ત્યાં જ દેહત્યાગ કર્યો હતા. એમના જ આશ્રમમાં આયનાર બીયર હજી પણ રહે છે અને એમના ગ્રંથોનું પુન:પ્રકાશન, વિતરણ ઇત્યાદિમાં અપૂર્વ ઉત્સાહથી મગ્ન છે. બહેનને તેમને પરિચય ૧૯૬૬ માં નવે માં એ સમયના ભારતીય રાજદૂત શ્રી આપા પન્ત દ્વારા થયા હતા. ત્યારથી તેમની બહેનની પ્રત્યે અપાર શ્રદ્ધા બેસી ગઇ છે. ૧૫ મી ઓગસ્ટે ગાલામાં એક સપ્તાહના ધ્યાનશિબિરની શરૂઆત થઇ. શિબિરમાં ૨૫ વ્યકિત ( સ્ત્રી-પુરુષ ) હતી. જેમાંથી ૧૨ જ ત્રીસ વર્ષથી નીચેની ઉંમરની હતી. બાકી ૩૦થી ઉપરની હતી. ઓછી ઉંમરવાળામાં ૩ શિક્ષક અને બાકીના વિદ્યાર્થીઓ હતા. વધુ ઉંમરવાળાએમાંથી પણ ૬ શિક્ષક હતા. નવે ના બધા પ્રદેશામાંથી લોકો આવ્યાં હતાં. એટલું જ નહિ, સ્પેન, ડેનમાર્ક, ઈંગ્લેન્ડ, સ્વીડનના પણ થેાડા લોકો સામેલ થયા હતા. નોર્વેનાં ઉપરના ભાગમાંથી “Institute for Social studies'નાં “ Director” પણ આવ્યા હતા. ઉમ્મર, જાતિ, વર્ણ, ધન ઈત્યાદિ કોઇ પણ જાતના ભેદભાવ વગરના શિબિરાર્થીમંડળમાં એક પ્રકારની સમગ્રતાના ભાવ હતો. પ્રતિદિનિ સવારના ૧૦ વાગ્યાથી એક ક્લાક સુધી બહેનનું પ્રવચન થતું. અને ૧૧૫ થી ૧૨ સુધીનું અડધા કલાકનું મૌન રહેતું. બપોરના પાંચથી છ વાંગ્યા સુધીની એક કલાકની ચર્ચાસભા રહેતી. આ કાર્યક્રમે બહેનના નિવાસસ્થાનમાં જ ચાલતાં. આયનાર બીયરના એ મકાનમાં એક તા. ૧-૧૧-૧૯૦ મેટા ઓરડા હતા જેમાં આવી સભાઓ થતી. બહેનના પ્રવચન અને ચર્ચાસભાની વચગાળાનો જે સમય મળતો, તેમાં શિબિરાર્થીઓ આપસ-આપસમાં ચર્ચા કરતા. બહુ જ અનૌપચારિક એવા ઘરેલુ વાતાવરણમાં આ શિબિર ચાલ્યો. હું ૧૭મી ઑગસ્ટે રાત્રે બહેનની પાસે પહોંચી હતી. ૧૮ થી ૨૨ ઑગસ્ટ સુધી શિબિરમાં સામેલ રહી. ૧૯ ઓગસ્ટે સાંજની સભામાં ચર્ચાની જગ્યાએ ભારતીય સંગીતનો પરિચય આપતાં આપતાં એક સદષ્ટાંત વાર્તાલાપ, પ્રસ્તુત કરવાની મને તક મળી હતી. શિબિરાર્થીઓમાં જે ૧૨ યુવકયુવતીઓ હતાં તેમણે ૨૧ ઑગસ્ટની સાંજે લોકસંગીત તથા લોક-કાવ્યના એક મધુર કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. બહેનનાં પ્રવચના તથા ચર્ચાસભાની ગાલામાં કંઈક વિશિષ્ટતા હતી. પ્રકૃતિની ગાદમાં વસેલું ગામ, પહાડીઓ અને સરોવરોથી ઘેરાયેલા પ્રદેશ, ઉત્તરધ્રુવની નજીક હોવાને કારણે માથા પર ઝળુંબેલું ગાળ ગુમ્બજવાળુ` આકાશ—જાણે કે હમણાં આ છત્રી જેવા આકાશને આપણે અડી શકીશું. લીલીછમ વનરાઇ– આ બધું જોતાં પ્રાકૃતિક સૌન્દર્યને માકળે મને લૂંટાવતી ભૂમિ હતી. યાંત્રિક સંસ્કૃતિના કોલાહલથી દૂર રહેલા હિમાલયની દિવ્યતાનું સ્મરણ કરાવનાર આ પ્રદેશ બહેનની મસ્તીને ઉભરાવા માટે સંપૂર્ણ સશકત હતા. એમની વાગ્ધારાની ઉન્મુકતતા-સહજતા શબ્દાતીત હતી. એ વર્ણવવાની મારી કિત નથી. ભારતીય મિત્રપરિવારને એ પ્રવચનાની ‘ટેપ ' સાંભળવાનો મોકો મળે એ માટે જરૂર પ્રયત્ન કરીશ. પ્રેમનું સ્વરૂપ, માનસિક પ્રક્રિયાઓની યાંત્રિકતા અને મર્યાદા, જિજ્ઞાસાનું સ્વરૂપ, ‘ સંગ્રહ–ત્યાગ ’ નું ઘર્ષણ, આંતરિક યાત્રામાં ‘ગુરુ 'નું સ્થાન, સ્વતંત્રતા અથવા સ્વચ્છન્દતાનું વાસ્તવિક સ્વરૂપ, કાળનું અખંડ સ્વરૂપ, એક ક્ષણમાં અનન્ત કાળના સમાવેશ—આવા આવા ગંભીર વિષયાનું જે હળવી મધુર રીતથી થતું નિરૂપણ સાંભળવા મળ્યું, એનું વર્ણન શકય નથી. એવું લાગતું હતું જાણે વાગ્ધારા અદશ્ય વેગથી ફટતી હતી અને એને સમગ્ર રૂપમાં સમાવવી એ વકતાને માટે મુશ્કેલ હતું. જેટલું કહેવા માંગીએ એટલું કહેવાનું તો સામાન્ય વ્યકિત માટે પણ કયારેક મુશ્કેત્લ થઇ પડે છે, તેા પછી બહેનની સ્થિતિની તે શી વાત કરવી? શબ્દાતીતને શબ્દમાં બાંધવાના પ્રયાસ • થતો. વાવા નિતંત્તે ' । ની સ્થિતિમાં પહોંચીને ફરી વાણીના ક્રમમાં આવવું-આ પરસ્પરવરોધી પ્રક્રિયાને સંભાળવામાં કેટલી શકિતના વ્યય થતા હશે, એના કંઈક અંદાજ આ વખતે મળ્યા. એમના શરીર પર આને પ્રભાવ સ્પષ્ટ દેખા દેતા હતા. મૌનમાં બેસતી વખતે પણ એવા અનુભવ થયો કે પોતાની મેળે મૌનમાં બેસવું અને બહેનનાં સાન્નિધ્યમાં બેસવું–બેમાં કેટલું અંતર છે! શિબિરાર્થીઓની જિજ્ઞાસા, સરળતા પ્રશંસનીય હતી અને સર્વોપરી હતી બહેનની સહિષ્ણુતા, ચર્ચાની મધ્યમાં કયારેક બહુ જ મામૂલી શી વાત પર તેઓ અટકી જતા, બહેન સમજાવતાં રહેતાં અને અધીરતા જેવું તે નામનિશાન ન હતું. ફૂં કેના દમ્પતી, બહેનની સગવડ માટે હાલૅન્ડથી પાતાની કાર પણ લાવ્યા હતા. એમના આતિથ્ય અને સ્નેહના પરિચયથી
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy