________________
તા. ૧૬-૧૦-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
૧૪૩
વસિષ્ઠ ઋષિ હતા, પરણેલા હતા, સે પુત્ર તેમને હતા, ગૃહસ્થાશમી દેખાતા, પણ સંન્યાસી જેવું જીવન જીવતા. બ્રહ્મ સાથે ઐકય સધાયેલું સતત રહેતું એટલે પરણેલા છતાં બ્રહ્મચારી હતા. બ્રહ્મમાં - ચર્યા કરે તે બ્રહ્મચારી કહેવાય. ન પરણે ને વૃત્તિ સ્ત્રીઓમાં ભમતી રહે તે બ્રહ્મચારી ન ગણાય.
તેમને વિશ્વામિત્ર સાથે અથડામણ પેદા થઇ. કેમકે વિશ્વા- મિત્ર ક્ષત્રિય અને અહમ્ જેને પીગળ્યો ન હતો એવા હતા. વિશ્વામિત્ર કહે મને “બ્રહ્મર્ષિ' કહો. તે વસિષ્ઠ ન કહે.
વસિષ્ઠના સો પુત્રોને વૈરવૃત્તિથી વિશ્વામિત્ર મરાવે છે? તો ય જેના મનમાં પ્રેમ સિવાય વિશ્વામિત્ર માટે કાંઇ વસતું નથી. એવા વસિષ્ઠ હતા. તે સાચા બ્રહ્માંધ કે સ્થિતપ્રજ્ઞ, જે કહો તે હતા..
હવે અહમ પ્રિય વિશ્વામિત્રની સ્થિતિ જુઓ. સાઠ હજાર વર્ષ તપ કર્યું. એક દિવસ મેનકા આવી અને તપ ભંગ કરાવી શકી. આ છે અહમ ની ક્ષતિ.
હું ક–હું મહાન. હું તપસ્વી. હું વિદ્રાન વગેરે ‘હું' દ્વારા જે થાય કે કરાય , તે પરિણામે નિષ્ફળ નીવડે છે.
વિશ્વામિત્રને પણ આખરે અહમ પીગળી જાય છે. વસિષ્ઠની વાત તેની પત્ની અરૂંધતિ સાથેની સાંભળીને પત્ની પાસે એકાતમાં વસિષ્ઠ ઋષિ વિશ્વામિત્રનાં વખાણ કરે છે. તપસ્વી, 'નિશ્ચયી, અથાક પ્રયત્નશીલ વગેરે વિશેષણોથી વિશ્વામિત્રને નવાજે છે. તે સાંભળી વિશ્વામિત્ર છતા થઇ વસિષ્ઠને જ્યારે પગે પડે છે ત્યારે તે સાચા બ્રહ્મપિ બને છે. નિહમ બને છે.
આ રીતે અહમની અડચણ તો હોય જ છે–તેને પીગાળવા માટે તપની પદ્ધતિ મહાપુરુએ નક્કી કરી. તે તે જમાના માટે બરોબર હતી કે જ્યારે આ નિયમ ઘડવામાં આવેલા. દા. ત. ખુલ્લા પગે ચાલવું. તેથી મજબૂતાઈ પ્રાપ્ત થાય. કઠિનતાને મન સમજીને સામનો કરી મજબૂત બને. પણ તે વખતે ડામરના રસ્તાઓ ન હતા. એટલે જમીન તપે તે પણ સહા પ્રમાણમાં જ તપતી. આજે ડામર ઉનાળામાં તમે હોય ત્યારે ખુલ્લે પગે ચાલવું એ તપ નહીં પણ દરદ તરવા જેવું થાય. વળી આજે પગમાં પહેરવાનાં સાધન
સહેલાઈથી લભ્ય હોય છે તે ધૂમ તડકા પૂરતાં પણ કાં ન વાપરવા? - સાધુતા તેમાં શી રીતે નષ્ટ થઈ જાય?
પ્રથમ રેલ્વે ન હતી. બેલગાડી હતી. તેમાં જીવંત પ્રાણીઓ બે ખેંચે એટલે જીવદયા માટે પણ ભલે વાહન ને વાપરવાને નિર્ણય તે યુગમાં થયો પણ આજે? આજે યંત્રથી મુસાફરી શકય બની છે ત્યારે કાં વિરોધ ?
સમયાનુકૂળ ફેરફાર ન થાય તો પરિસ્થિતિને ન પહોંચી વળાય. તે દહાડે અમુક ગામડાંઓમાં ફરી, ઉપદેશ આપી સાધુઓ સમાધાન માનતા. આજે આખું જગત સાચી સાધુતાને સંપર્ક ઉપદેશ દ્વારા ઝંખી રહ્યો છે તે સમયે યંત્રને ઉપયોગ ન કરો તે અલાભ છે. - ગાંધીજીએ રેંટિયાની જ ખાદી વાપરવા જે સમયે કહવું તે સમયે યંત્રને બહિષ્કાર જરૂરી હતો – તે પરિસ્થિતિ તેવી હતી–આજે ભારત જ યંત્રો બનાવે છે તે સમયે યંત્રને ઉપયોગ ન કરાય-માત્ર જૂની વાતને વળગી રહીએ તે તેમાં કઈ રીતે ડહાપણ ગણાય?
આ જ રીતે વિચાર કરી સાધુઓ માટે કે સમાજ માટે સમયાનુકૂળ ફેરફા, ચોક્કસ રીતરસમાં કરવા જ જોઈએ. તે જ ધાર્યો હેતુ ફળે. નહીં તે હેતુ બાજુ રહી જાય અને પ્રણાલિકા પર લક્ષ આપવામાં જ સમય વ્યતીત થાય. આમ થતું હોવાથી જ ગતિ ઉર્ધ્વ ને બદલે અધ: થતી ચાલી છે.
લક્ષ્ય સુક્ષ્મ અને અતિક્રિય હોવાથી મન-બુદ્ધિની પકડમાં આવતું નથી. તેથી પ્રણાલિકા કે કર્મકાંડ, જે સહેલાઈથી પકડી શકાય
છે તેને પકડી લઈ, સાધુ, સમાજ કે લોકો બેસી જાય છે. આ છે અપ્રગતિનું મુખ્ય કારણ. - ધ્યાન, આત્મનિરીક્ષણ, અંત:કરણના ભિન્ન ભિન્ન પ્રવાહોને સતત તપાસતા રહી તેમાંના સારાને ઉત્તેજન અને નઠારાનું વિસર્જન વગેરે ક્રિયા કરવામાં નહીં આવે ત્યાં સુધી સત્યની એળખ થઈ શકશે નહીં. - પિતાની સાચી ઓળખ એ જ સત્યની ઓળખ છે અને એ જ પરમનું દર્શન છે.
પરમાત્મા પ્રેયસના આકર્ષણમાંથી છોડાવી આપણને કોયસ પ્રતિ લઈ જવા માગતા જ હોય છે. પણ અહમપ્રધાન જીવ પરમને ઓળખીને સ્વીકારતા ન હોવાથી, ચીજ વસ્તુઓ અને વ્યકિતઓના મહ અને આકર્ષણમાં જ સપડાઈ રહે છે.
આ બાબતને ગંભીરતાથી સમજે અને વ્યવહારમાંનાં સાધનસામગ્રી અને સંબંધીઓને ગૌણ ગણી, પરમાત્માનું મૂલ્ય કરે, તે તે મૂલ્યવાનના સાચા દિલના સંપર્કથી જ મેહમાંથી છૂટી શકે. અન્યથા ચક્રવત જે ક્રિયા ચાલી રહી છે, એક પકડી બીજે છોડવાની ને ત્રીજું પકડી, એથે છોડવાની, તે ચાલ્યા જ કરશે. વિષચક તેડવાનું સાહસ જરૂરી છે.
પ્રથમ પ્રયત્ન અને પછી, પરમાત્માની શરણાગતિ દ્વારા, જીવન સફળ કરવાની, સૌને પરમાત્મા પ્રેરણા આપે, એ જ અભ્યર્થના. મુંબઈ, તા. ૧-૭-૭૦.
જમનાદાસ કે. લાદીવાળા શિક્ષણું ઉપર આફત ગુજરાતમાં શિક્ષણ ઉપર હાલમાં ઊતરેલી એક ભયંકર આફત અંગે આપણા વિદ્વાન વિવેચક અને આજીવન કેળવણીકાર શ્રી નગીનદાસ પારેખે જે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે તે તરફ ગુજરાતનાં મા-બાપ તથા શિક્ષકોનું અને કેળવણીકારો તથા લોકસેવકોનું તાકીદે ધ્યાન દોરવાની જરૂર અમને લાગે છે. બુદ્ધિપ્રકાશ' માસિકના જલાઇ ૧૯૭૦ ના અંકમાં એ વિશે ૧૩ પાનાં ( આશરે " ૭,૫૦૦ શબ્દો) ને લેખ તેમણે અત્યંત ચીવટ અને પરિશ્રમભેર લખ્યા છે, તેમાંથી એકાદ પાના જેટલો ભાગ, એમના જ શબ્દોમાં, નીચે ઉતારેલ છે, તેટલો પણ તત્કાલ જોઇ જનારને પરિસ્થિતિની ગંભીરતાને ખ્યાલ આવશે :
ગુજરાત સરકારે પાઠયપુસ્તકો તૈયાર કરાવી પ્રસિદ્ધ કરવાનું કામ પિતાને હસ્તક લીધા પછી એ માટે તેણે ઊભા કરેલા તંત્રે તૈયાર કરાવેલા પાંચમા ધોરણનાં પાઠયપુસ્તકો હમણાં પ્રસિદ્ધ થયાં છે. એમાંનું ઈતિહાસનું પાઠયપુસ્તક મેં જોયું છે. એ ઉપરથી જે સરકારે ઊભા કરેલા તંત્રની કામગીરીને કયાસ કાઢવાને હૈય તે કહેવું પડે કે તંત્ર તન નિષ્ફળ ગયું છે. જે પુસ્તક આખા ગુજરાતમાં પાંચ લાખ બાળકોએ ફરજિયાત રીતે ભણવું પડવાનું છે, તે પાઠયપુસ્તક થવાને જ લાયક નથી; અને આપણી ઊછરતી પેઢીનું હિત જો સરકારને હૈયે વસતું હોય તો એણે આ પુસ્તક એક દિવસ પણ ચાલવા દેવું ન જોઈએ.
કોઇ પણ પાઠયપુસ્તક પાસે પહેલી અને ઓછામાં ઓછી અપેક્ષા એ રહે કે એ ઠરાવેલો અભ્યાસક્રમ આવરી લેતું હોય. આ પુસ્તક એ પણ કરતું નથી.
પાઠયપુસ્તક પાસે બીજી અપેક્ષા એ રહે કે એ જે માહિતી આપે તે પૂરી ચોકસાઇ કરીને, તે કક્ષાનાં બાળકોને અનુરૂપ, વ્યાકરણશુદ્ધ, સરળ, પ્રવાહી, રસાળ ભાષામાં, તર્કબુદ્ધ અને વ્યવસ્થિત રીતે આપે, જેથી બાળકે સહેલાઈથી ગ્રહણ કરી શકે અને સ્મરણમાં રાખી શકે. ખરું જોતાં આ જ પાઠયપુસ્તકનું મુખ્ય કામ છે, એ સારી રીતે પાર પાડવામાં જ લેખકની સાચી કસોટી છે. પણ દુર્ભામે, આ પુસ્તક એ અંગ જ અત્યંત નબળું છે, અને માટે એ પાઠયપુસ્તક થવાને અપાત્ર છે. 1 આ પુસ્તકમાં અનેક સ્થળે માહિતી કાં તે ખાટી અથવા