________________
તા. ૧૬-૧૦-૧૯૭૭
પ્રબુદ્ધ જીવન
*
ના
અને એક
રહો એક બીજામીન લઈ લેવામાં
મળવાની અટક કરવાની થતી
- તંત્રી નોંધ ભારતના ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં અને વિશિષ્ટ અધિકારોની તાજેતરમાં કરવામાં આવેલી નાબૂદીના પ્રશ્ન પ્રજામાનસમાં જેનું સમાધાન થઇ ન શકે એવાં બે છેડાંનાં વલણો પેદા કર્યા છે. એક વર્ગ એમ માને છે કે રાજવીઓએ રાજ્યગાદી છોડી પિતાને મુલક ભારતને સુપ્રત કર્યો તેના બદલામાં તે વખતના આપણા શાસકોએ કરી આપેલા કરારેમાં કશે પણ ફેરફાર કરવાને આપણને અધિકાર નથી. તે અંગે આવો વિચાર કરો તે એકદમ અનૈતિક છે. બીજો વર્ગ એમ માને છે કે આપણને આઝાદી મળી ત્યાર બાદ આજ સુધીમાં પાયાના અનેક ફેરફારો થતાં આવ્યા છે. આર્થિક માળખું બદલાતું રહ્યું છે. સરકારે સ્વીકારેલી નીતિ સમાજવાદની હોઇને અનેક નિહિત હિતે ઉપર કાપકૂપ મુકાઇ રહી છે. જમીનદારની જમીન લઇ લેવામાં આવી છે. વેથ ટૅકસ અને એવા બીજા કરવેરા દ્વારા મુડીવાળાઓની મૂડી ઓછી થતી રહી છે. એક બાજુએ સમૃદ્ધ વર્ગ અને બીજી બાજુએ દારિદ્રપીડિત દલિત વર્ગ વચ્ચે અત્તર કેમ ઘટાડવું એ ધોરણે કાયદાકાનૂન ઘડાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમુક સંયોગ વચ્ચે છેલ્લાં ૨૦ વર્ષથી ભાગવાતા આવેલાં રાજવીઓનાં બાદશાહી સાલિયાણાં અને વિશિષ્ટ અધિકારો હવે ચાલવા દેવાય નહિ. તેને આજે કે કાલે અન્ત આવો જોઇએ. રાજવીઓ આખરે આપણા દેશના પ્રજાજનો છે. તેમની . આવક અને સામાન્ય પ્રજાજનની આવક વચ્ચે આવું અસાધારણ અત્તર નભાવી ન શકાય. તેમને અપાતાં સાલિયાણાં આખરે પ્રજાને માથે બોજો છે. આવું વલણ બીજા વર્ગનું છે.
પહેલું વલણ ધરાવનાર માટે આજે જે કાંઇ થઇ રહ્યું છે. તે અસહ્ય છે અને તે સામે તેનું મન બળ પિોકારે છે. પત્રલેખક શ્રી રામચંદ્ર દેસાઇનું આ વલણ છે. આવું જ વલણ સંસ્થાકીય કેંગ્રેસ અને શ્રી મેરારજીભાઇનું હોત તો લોકસભામાં રજૂ કરવામાં આવેલ સાલિયાણાં નાબૂદીને લગતા પ્રસ્તાવ અંગે તેમને વિરોધ સમજી શકાત. પણ અહિ એ યાદ આપવું જરૂરી છે કે આપણી કેંગ્રેસમાં ભંગાણ પડયા પહેલાં સંયુકત કેંગ્રેસે આ સાલિયાણાંની અને વિશિષ્ટ અધિકારોની નાબૂદીને ઠરાવ કર્યો હતો, એટલું જ નહિ પણ, કેંગ્રેસનું વિભાજન થયા બાદ આ પ્રશ્ન ઉપર ઢીલી નીતિ દાખવતાં શ્રીમતી ઇંદિરા ગાંધીને સંસ્થાકીય પક્ષના નેતાઓ તરફથી અવારનવાર ટપારવામાં આવતાં હતાં.
શ્રી મોરારજીભાઇએ આ નાબૂદીને જે વિરોધ કર્યો છે તે પાછળથી થયેલા કોઈ વિચાર૫લટાનું પરિણામ નહોતું પણ
જે રીતે આ ઠરાવ લાવવામાં આવ્યો છે તે રીત સામે પોતાને ' વિરોધ છે એમ તે સંબંધમાં તેમણે લોકસભામાં જણાવ્યું હતું.
આ “જે રીતે’ એટલે એ બાબતની તેમણે સ્પષ્ટતા કરતાં એ મતલબનું જણાવેલું કે રાજવીઓને અપાતાં સાલિયાણાં રદ કરવા સામે તેમને આપવા જોઇતા વળતરની આ ખરડામાં કશી જોગવાઇ નથી અને બંધારણની ક્લમ ૩૬૩ (૧) મુજબ રાજવીઓની સાથે કરવામાં આવેલા કરારોને લગતી કોઈ પણ બાબતમાં સરકારી અદાલતને વચ્ચે પડવાના અધિકારને નિષેધ કરે છે - તેની હકુમત બહારની હોવાનું જણાવે છે – તે કલમ રદ કરીને રાજવીઓ માટે ન્યાય મેળવવાને માર્ગ ખૂલ્લો કરી આપ જોઇ હતો. આ બે કારણને લઈને તેઓ આ ખરડાને વિરોધ કરે છે.
આવા પ્રશ્નને કેવળ તાત્વિક ભૂમિકા ઉપર ઊભા રહીને વિચાર ન કરતાં વર્તમાન વાસ્તવિકતાને પૂરો ખ્યાલ કરીને આપણે વિચાર કરવો જોઇએ. એ સૌ કોઇ જાણે છે કે આ પ્રશ્ન બંધારણને લગતે હાઇને તેને બન્ને ધારાસભામાંથી પસાર કરાવવા માટે બને સભાની ૨/૩ બહુમતી અપેક્ષિત હતી અને આ બાબતમાં જનસંઘ, સ્વતંત્ર પક્ષ અને સંસ્થાકીય કેંગ્રેસના વિરોધને તેમ જ બીજા તના વિરોધને તેમણે સામને કરવાને હતો. આ પરિસ્થિતિમાં તેમણે આ ખરડો એવી રીતે ઘડવે જોઇએ કે જેથી તેમને ૨/૩ બહુમતી મેળવવામાં સરળતા થાય. આની અંદર ઉપર સૂચવેલી બે બાબતે દાખલ કરી હોત તે તે માટે પણ ૨/૩ બહુમતીનું ધોરણ લાગુ પડત અને એમ કરવા જતાં તે માટે તેમને સફળતા ન જ મળી હોત. તેમની જગ્યાએ મોરારજીભાઈને અથવા તે સંસ્કીય કોંગ્રેસને આ ઠરાવ
લાવવાનું હોય તે તેમને પણ ૨૩ બહુમતી મેળવવા માટે ઇન્દિરા ગાંધી જેવી જ ઓછી વધતી બાંધછોડ કરવી પડી હોત. બીજી બાજુએ ઇન્દિરા ગાંધીને સંસ્થાકીય કેંગ્રેસના ટેકાની ખાત્રી હતા તે કદાચ વળતરના મુદ્દાને તેમણે મૂળ ખરડામાં સમાવેશ પણ કર્યો હોત. અહિં સ્પષ્ટતા ખાતર એ જણાવવું રહ્યું કે, આ વળતરનો મુદ્દો હંમેશને માટે બાજુએ મુકાયો નથી એ ધ્યાનમાં રહે.
આપણે જાણીએ છીએ કે બંધારણીય સુધારાને લગતા પ્રસ્તાવ લોકસભાએ ૨૩ બહુમતીથી પસાર કર્યો હતો. પણ રાજ્યસભામાં એ ઠરાવ ૨/૩ બહુમતી માટે એક મત ઓછો મળવાને કારણે ઊડી ગયો. અને આ એક મત કેમ છે મળે તે અંગેના તત્કાલિન સંયોગે યાદ કરતાં આને એક અસ્માત તરીકે વર્ણવવામાં મને કશી ભૂલ થતી દેખાતી નથી. '
અહિ એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે, આ ૨૩ બહુમતી મેળવવાની ખટપટમાં પડ્યા સિવાય ઇન્દીરા ગાંધી બંધારણની ક્લમ ૩૬૬ (૨૨) પ્રમાણે રાષ્ટ્રપતિ પાસેથી રાજવીઓને અમાન્ય જાહેર કરવાને વટહુકમ મેળવી શક્યા હોત, પણ એમ ન કરતાં તેમણે આ બાબતમાં બન્ને સભાગૃહોની જરૂરી બહુમતી મેળવવાને લેકશાહીને અનુરૂપ માર્ગ ધારણ કર્યો હતે.
આમાં તેમને પૂરી સફળતા ન મળતાં, આ બાબત આટલે સુધી પહોંચાડયા બાદ અદ્ધર રહેવા ન દેવી જોઈએ એમ વિચારીને, પિતાનું ધાર્યું તેમણે રાષ્ટ્રપતિના વટહુકમ દ્વારા સિદ્ધ કર્યું, આ પગલાં અંગે બેમત હોઇ શકે છે. - આ પ્રશ્નના સંદર્ભમાં સંસ્થાકીય કેંગ્રેસે અને તેના આગેવાન શ્રી મોરારજીભાઇએ અખત્યાર કરેલા વલણથી, મને લાગે છે કે, તે બન્નેએ પોતાની પ્રતિષ્ઠાને ઘણી હાનિ કરી છે. સિદ્ધાન્તમાં પરસ્પર મળતાં હોવા છતાં આ પ્રશ્ન પરત્વેના પ્રસ્તાવનો તેમણે જે રીતે વિરોધ કર્યો તે ઈન્દીરા ગાંધીને પછાડવા ખાતર જ કર્યો હતે. એમ મારી જેવા અનેકને પ્રમાણિકપણે લાગે છે. મારી દષ્ટિએ આ એક એવો અવસર હતું કે જ્યારે મેરારજીમાઇએ ખેલદિલીથી ઈન્દીરા ગાંધી સાથે હાથ મિલાવીને કામ લેવું જોઈતું હતું. આમ બન્યું હોત તે એકમેક વચ્ચે વધતું જતું વૈમનસ્ય હળવું બન્યું હોત અને એમાંથી કદાચ બે કેંગ્રેસનું જોડાણ થવાની શકયતાનાં કિરણે ફટયાં હેત. આ બધું જોતાં વિચારતાં આ બાબતમાં મોરારજીભાઇ સિદ્ધાન્તનિષ્ઠા છાડીને પક્ષના દાસ બન્યા છે એમ જો ચીમનભાઈ કહેતા હોય તો તેમાં મને કશું અજુગતું લાગતું નથી.
આ પ્રશ્ન અંગે મારું અંગત મંતવ્ય રજૂ કરતાં જણાવવાનું કે આજની પરિસ્થિતિમાં અને પાયામાંથી પલટાતી જતી સમાજ રચના અને અર્થરચનાના સંદર્ભમાં આવું પગલું અનિવાર્ય હોવા છતાં આપણે કાંઈક ખોટું કર્યું છે– એવો મનમાં ખટકો રહે જ છે. આજે જે રીતે કામ લેવાયું તેના બદલે રાજવીઓ ઉપર દબાણ અને સમજૂતીના સંયુકત પ્રયાસો દ્વારા વર્ષે બે વર્ષે પણ બનેની સહમતી મેળવીને આ સાલિયાણાં અને વિશિષ્ટ અધિકાર નાબૂદ કરાયા હતા તે વધારે સારું થાત. આ એક કલ્પના છે. સંભવ છે કે આવી સમજતી વર્ષ બે વર્ષના ગાળે પણ. શકય બની ન હોત અને આ બાબત બંધારણનું અવલંબન લઈને કાનૂની ઢબે જ ઉકેલવાની ફરજ પડી હોત.' આ બધું વિચારતા હવે જ્યારે રાષ્ટ્રપતિના વટહુકમથી જે નવી પરિસ્થિતિ ઊભી થઇ છે તેને રાજવીઓએ તેમ જ પ્રજાજનોએ સ્વીકારી લેવી–અપનાવી લેવી એમાં ઊભયનું શ્રેય છે એમ મને લાગે છે.
આ વિવરણ પૂરું કરતાં પહેલાં શ્રી રામચંદ્રભાઇએ તેમનાં પત્રમાં ઊભે કરેલો એક મુદો થોડી સ્પષ્ટતા માગે છે તેની ચર્ચા કરી લઉં. તે મુદ્દો છે: “કોઇ પણ પ્રશ્ન ઉપર આખરી ચકા પ્રજાને કે કોર્ટને?” સાધારણ રીતે બંધારણનો અર્થ કરવામાં કોઈ પણ પ્રશ્ન ઊભો થતાં અને તે પ્રશ્ન નિરાકરણ માટે અદાલત, સમક્ષ લઇ જવાતાં તે અંગે અદાલતને નિર્ણય આખરી ગણાય. આમ છતાં પણ પ્રજા એટલે તેમનું પ્રતિનિધિત્વ ધરાવતી લોકસભાને આ રસુકાદો માન્ય ન હોય તો લોકસભા જરૂરી બહુમતીથી બંધારણીય સુધારો કરીને પણ તે ચૂકાદામાં ફેરફાર કરી શકે છે અને એ રીતના ફેરફારને કોર્ટે પણ માન્ય રાખવો પડે છે. આ રીતે કોર્ટના આખરી મનાતા ચૂકાદાને ફેરવી પણ શકાય છે.
પરમાનંદ