________________
* ૧૩૬
પ્રભુ
જીવન
તા૧૬-૧૦-૧૯૭૦
અભ્યાસક્રમ પૂરો થતાં સુધીમાં ૧૦૦ નિરામિષઆહાર વિદ્યાર્થિનીમાંથી ભાગ્યે જ ૨૦ ટકા વિદ્યાર્થિનીએ નિરામિષાહારને વળગી રહેતી હોય છે. બીજી બાજુ એ રસેડાની વિદ્યાર્થિનીઓનાં માબાપને ખબર પડે છે ત્યારે ઘણું મોડું થયેલું હોય છે અને તેઓ એ પ્રકારની અવશતા ભગવતા હોય છે કે હવે જો પિતાની પુત્રીને કોર્સ કે કૅલેજ બદલવા કહેવામાં આવશે તો તેની કેરીયરને ધકકે લાગશે. એવા પણ માબાપે છે કે જેમને આ બાબતની પહેલેથી ખબર હોય છે અને આ કારણને લીધે પિતાનાં સંતાનોને આવી કૅલેજમાં ભણવા માટે મોકલતા હોતા નથી.
આ બધાં કારણોને લીધે એ અત્યન્ત આવશ્યક છે કે આપણા દેશમાં નિરામિષાહારી લોકોને સમુદાય ઘણે મોટો અને ચોતરફ
ફ્લાયેલ હોઇને જ્યાં જ્યાં આવી હોમ સાયન્સ કૅલેજ હોય ત્યાં ત્યાં પાકશાસ્ત્ર શિખવવા માટેનાં રસેડાં અને અભ્યાસક્રમે અલગ અલગ રાખવામાં આવે. તે
આ અંગે જે સંસ્થાઓ નિરામિષઆહાર માટે આગ્રહ ધરાવતી હોય તે સંસ્થાઓના સંચાલકોને આગ્રહપૂર્વક વિનંતિ કે આગામી ૨૩ તથા ૨૪ મી ઓક્ટોબરના રોજ નાગપુર ખાતે હેમ સાયન્સ કૅલેજના સંચાલકો અને પ્રાધ્યાપકોની એક કોન્ફરન્સ ભરાવાની છે અને તેનું પ્રમુખસ્થાન કોઈંબતુરના શ્રી અવિનાશી લિંગમ હોમ સાયન્સ કૅલેજના પ્રિન્સિપાલ શોભાવવાના છે તેમના ઉપર વિના વિલંબે તાર યા તે પત્રદ્રારા માંસાહારી અને નિરામિષાહારી વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે અલગ અલગ રસેડા : અને અભ્યાસક્રમોની વ્યવસ્થા કરવામાં આવે છે મતલબનું નિવેદન મોક્લી આપે. ગ્રામસ્વરાજય ફંડમાં ૬૨ લાખ એકઠા થયા.
પૂજ્ય ગાંધીજીની જન્મતિથિ ઑકટોબરની બીજી તારીખને લક્ષમાં રાખીને ગ્રામ સ્વરાજ્ય ફંડ માટે એક કરોડને લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ. આના અનુસંધાનમાં શ્રી જયપ્રકાશ નારાયણની આગેવાની નીચે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ફંડ એકઠું કરવાની દેશભરમાં ઝુંબેશ ચાલી રહી હતી. તેના પરિણામે એકઠા થયેલા ૬૨ લાખ રૂપિયાની રકમ વધુ પવનાર ખાતે હાલ સ્થિર થયેલા વિનોબાજીને ઍકટોબરની બીજી તારીખે અર્પણ કરવામાં આવી. દેશ માટે આ એક અપૂર્વ આનંદની અને ગૌરવપ્રદ ઘટના છે. અલબત્ત, એક કરોડના ધારેલા લક્ષ્યાંકને પહોંચી ન શકાયું તેનું દુ:ખ ચિન્તવી શકાય. આમ છતાં પણ દેશની આજની પરિસ્થિતિ, લોકોના દિલમાં અનેક પ્રકારની ભસના કારણે આવેલી મંદતા, ગાંધીજી અને વિનોબાજીએ અપેલા જીવનમૂલ્ય પ્રત્યે વધતી જતી ઉદાસીનતા, ચેતરફ અનુભવાતી રાજકારણી અસ્થિરતા આવાં કારણોને વિચાર કરતાં જે રકમ એકઠી થઇ શકી છે તે આજની પરિસ્થિતિને અનુરૂપ છે અને તેથી લક્ષ્યાંક પૂરો ન થવાના કારણે નિરાશા ન ચિન્તવતા, આટલે સુધી પહોંચાયું તે અંગે સંતેષ ચિત્તવ એ વધારે ઉચિત છે. આ એકઠી થયેલ રકમને નિધિના આકારમાં રાખીને તેનું વ્યાજ માત્ર ખરચવું–આમ વિચારવાને બદલે ત્રણ વર્ષની અંદર આ આખી રકમ દેશભરમાં ચાલી રહેલા ગ્રામદાનના કાર્યને વધારે વ્યાપક અને નક્કર બનાવવા પાછળ ખરચવાને નિર્ણય કરવામાં આવ્યો છે તે ખરેખર સ્તુત્ય છે. આપણે આશા રાખીએ આ ફાળાના વહીવટ માટે રાંગીન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને આ રકમની પાઈએ પાઈ નિયત કાર્ય પાછળ પૂરી તકેદારીપૂર્વક ખરચાશે. શ્રી જૈન મહિલા સમાજને હીરક મહોત્સવ
શ્રી જેને મહિલા સમાજે ૬૦ વર્ષ પૂરાં કર્યો, તેની ખુશાલીમાં તા. ૯-૧૦-૭૦ થી તા. ૧૭-૧૦-૭૦ સુધીના એક કાર્યક્રમનું આયે
જન કરીને જૈન મહિલા સમાજ પિતાને હીરક મહોત્સવ ઊજવી રહેલ છે. આ શુભ પ્રસંગે જૈન મહિલા સમાજના સંચાલકોનેખાસ કરીને તેના વર્ષોજૂના પ્રમુખ શ્રી. તારાબહેન માણેકલાલ પ્રેમચંદને તથા તેના વર્ષોજના મંત્રીઓ શ્રી લીલાવતીબહેન દેવીદાસ તથા શ્રી મેનાબહેન નરોત્તમદાસને અનેક ધન્યવાદ ઘટે છે. શ્રી જૈન મહિલા સમાજ એક પ્રગતિશીલ સામાજિક સંસ્થા છે અને તેના નામ સાથે જૈન શબ્દ જોડાયેલ છે અને તેને આજ સુધીને વહીવટ જૈન બહેને સંભાળે છેએમ છતાં તેનું સભ્યત્વે જૈનેતર બહેને માટે ખુલ્લું છે, તેની સર્વ પ્રવૃત્તિઓ પૂરા અર્થમાં સાર્વજનિક છે અને તેમાં કોઇ જતને સાંપ્રદાયિક ભેદભાવ નથી. વર્ષોભરની વિકસતી જતી પ્રવૃત્તિઓના પરિણામે નાની મોટી ઉમ્મરની કાર્યકર બહેનેનું એક મોટું જૂથ તેમણે ઉભું કર્યું છે અને તે કારણે સંસ્થાના ભાવી માટે ખૂબ ઉજળી આશાઓ બંધાય છે.
શ્રી નાથાલાલ સ્મારકનિધિએ ભારત સરકાર પાસેથી ખરીદેલે મરીન લાઈન્સ સ્ટેશનની દરિયા બાજુએ આવેલે આશરે ૩૦૦૦ વારનો પ્લોટ શ્રીમતી પ્રભાબહેન પરીખ દ્વારા જૈન મહિલા સમાજને ભેટ મળેલો. તેની ઉપર સંસ્થાએ તાજેતરમાં પોતાનું મકાન બંધાવ્યું છે. સંસ્થાની વર્ષો સુધી એક મંત્રી તરીકે સેવા કરનાર સૌ. જસુમતીબહેન મનુભાઈ કાપડિયાનું થોડા સમય પહેલાં
અવસ'ન થતાં તેના સ્મરણમાં તેમના પતિ શ્રી મનુભાઈ કાપડિયાએ સંસ્થાને રૂ, ૫૧,000 ની રકમ ભેટ આપેલી. તેની કદર તરીકે ઉપર જણાવેલ મકાનને “શ્રી જસુમતી મનુભાઈ કાપડિયા ભવન' નામ આપવામાં આવ્યું છે.
સંસ્થાના ઉપર જણાવેલ હીરક મહોત્સવના અનુસંધાનમાં તા. ૧૦ મી ઑકટોબર–વિજ્યા દશમીના રોજ સવારના ભાગમાં એ ભવનનું ઉદ્ઘાટન કરવા માટે તથા શ્રી નાથાલાલ ડી. પરીખની તેમ જ સૌ. જસુમતી બહેનની અર્ધપ્રતિમાનું અનાવરણ કરવા માટે શ્રીમતી સરલાદેવી સારાભાઈના પ્રમુખપણા નીચે જૈન મહિલા સમાજના નવા મકાનની બાજુએ આવેલ તારાબાઈ હૅલમાં એક સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત ભાઈ-બહેનથી હૅલ ભરાઈ ગયા હતા. આ પ્રસંગે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સ્વ. જસુમતીબહેનને અને શ્રી મણિભાઈ પી. અમીને સ્વ, નાથાલાલ પરીખને ભાવભરી અંજલિ આપી હતી અને શ્રી મનુભાઈ કાપડિયાએ જસુમતીબહેન સાથેનાં કેટલાક સ્મરણ રજૂ કરીને જૈન મહિલા સમાજને બીજા રૂા. ૫,૦૦૦ ની રકમના દાનની જાહેરાત કરી હતી. ઉપરોકત સંમેલન પૂરું થયા બાદ શ્રી નાથાલાલ ડી. પરીખે સ્મારકનિધિ પ્લોટમાં બંધાયેલ નવા મકાનની બાજુએ મુકાયલી સ્વ. નાથાલાલભાઈની અર્ધપ્રતિમાનું શ્રી મણીભાઈ પી, અમીને અને નવા મકાનની અંદરના ભાગમાં મુકાયેલી સ્વ. જશુમતીબહેનની અર્ધપ્રતિમાનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે અનાવરણ કર્યું હતું. આચાર્ય તુલસીની “અગ્નિપરીક્ષા’
આજકાલ આચાર્ય તુલસી રાયપુર ખાતે ચાતુર્માસના કારણે બિરાજે છે તે દરમિયાન આજથી દસ વર્ષ પહેલાં પ્રગટ થયેલા તેમણે રચેલા અગ્નિપરીક્ષા” નામના ખંડકાવ્યના કારણે તેમની સામે એક પ્રચંડ આંદોલન પેદા થયું છે. આ ‘અગ્નિપરીક્ષામાં સતી સીતાની કરવામાં આવેલી બહુ જાણીતી–પણ મૂળ વાલ્મીકિ રામાયણ. કે તુલસી રામાયણ ઉપર આધારિત નહિ પણ જૈન રામાયણ, જેની કથાવસ્તુ પ્રાચીન રામાયણ કરતાં કેટલીક બાબતમાં જુદી પડે છે તેની ઉપર આધારિત–અગ્નિપરીક્ષાનું વિવરણ કરવામાં આવ્યું છે. અને જે આક્ષેપના કારણે સતી સીતાને આવી કસોટીમાંથી પસાર થવું પડ્યું તે આપે આ ખંડકાવ્યમાં કાંઇક આકરી ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. આ અગ્નિપરીક્ષાનું અથવા તો જૈન રામાયણનું ગયા ઑગસ્ટ માસ દરમિયાન આચાર્ય તુલસી માટી શ્રોતામંડળી સમક્ષ . ' પારાયણ કરી રહ્યા હતા. આ અગ્નિપરીક્ષામાં સીતા ઉપર આળ