SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૧૯૭૦ પ્રબુદ્ધ જીવન ૧૩૫ કર્યો છે અને ગુજરાતી, મરાઠી તથા હિંદી ભાષા ઉપર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવે છે. તેમના તરફથી થોડા સમય પહેલાં મરાઠી ભાષામાં “પુત્ર માનવા ચા” એ શિર્ષકની એક નવલકથા પ્રગટ કરવામાં આવી છે. મહાત્મા ગાંધી જન્મશતાબ્દી દરમિયાન લખાયલા સાહિત્યમાં ગાંધીજીના જીવન અને તત્ત્વજ્ઞાનને આવરી લેતા આ પુસ્તકને મહારાષ્ટ્ર સરકારે રૂા. ૩૦૦૦ નો પુરસ્કાર આપ્યો છે. નવલકથા દ્વારા આ રીતે આ મહારાપુરુષના જીવનને આલેખ અને ઇતિહાસની ઝાંખી કરાવવાના આ પ્રયાસમાં, શ્રી મૃણાલિની બહેન જણાવે છે તે મુજબ, પૂજ્ય કાકાસાહેબે ખૂબ રસ લઈને તેમને માર્ગદર્શન કર્યું છે. આ નવલકથાને ગુજરાતી અનુવાદ પણ શ્રી મૃણાલિની બહેને કર્યો છે, જે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે. ઉપર જણાવેલ પુરસ્કાર અંગે શ્રી મૃણાલિની બહેનને જેમના અદ્ભુત વકતૃત્વ અંગે અનેક ભાઇ બહેને ખૂબ જ પ્રભાવિત બન્યા છે તેમને આપણાં સર્વનાં હાર્દિક અભિનન્દન અને અત્તરની અનેક શુભેચ્છાઓ. ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્રની રાહતપ્રવૃત્તિ ૧૯૬૭ ની સાલમાં ભગવાન મહાવીરની જન્મજયંતી અંગે મુંબઈ ખાતે યોજાયેલા સમારંભમાં શ્રી જ્યપ્રકાશ નારાયણ અતિથિવિશેષ તરીકે પધારેલા અને તેમના મંગળ પ્રવચનમાં તેમણે બિહારમાં દુષ્કાળના કારણે પેદા થયેલી દુ:સ્થિતિ અને તેના નિવારણ અંગે વેધક અનુરોધ કરેલ, તે જ વખતે લગભગ લાખ રૂપિયાનું ફંડ કરવામાં આવેલું, ત્યાર બાદ જૈનેની એક રાહત સમિતિ ઊભી કરવામાં આવી, વધારે ફાળા માટે અપીલ કરવામાં આવી અને શેઠ રતિલાલ મનજીની આગેવાની નીચે બિહાર રીલીફ કમિટીના સહકારમાં રાહત પ્રવૃત્તિ હાથ ધરવા માટે કાર્યકરની એક મંડળીને રવાના કરવામાં આવી. આ મંડળીએ ત્યાં સાડા પાંચ મહિના કામ કર્યું, ચાલીશ સેન્ટરોમાં રસોડા શરૂ કર્યા અને રોજના લગભગ ૪૦,૦૦૦ ભાઈ - બહેનેને જમાડવાની વ્યવસ્થા કરેલી. આ કાર્ય માટે બિહાર રીલીફ કમિટીએ પણ પુષ્કળ પ્રમાણમાં સાધનસામગ્રી પૂરી પાડી હતી. આ રાહતકાર્ય પૂરું થતાં સમિતિ પાસે બે લાખ રૂપિયા બચ્યા. તેનું એક ટ્રસ્ટ કરવામાં આવ્યું અને તે રીતે ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્રની સ્થાપના કરવામાં આવેલી. . આ કેન્દ્ર તરફથી ૧૯૬૮ ની સાલમાં ગુજરાતમાં આવેલા જળ સંકટ પ્રસંગે સુરત, અંક્લેશ્વર તથા એક અન્ય સ્થળે ત્રણ રાહતકેન્દ્રો ખોલવામાં આવ્યા હતા અને રૂા. ૧,૩૦,૦૦૦ ની મદદ અને ત્રણથી ચાર લાખની–જરૂરિયાતવાળા લોકોને બેંકની મારફત લોન આપવામાં આવી હતી. આ આ પ્રમાણે ૧૯૬૮-૬૯ તથા ૭૦ ની સાલ દરમિયાન રાજસ્થાનના અમુક વિભાગમાં વ્યાપેલા દુષ્કાળ અંગે કેન્દ્ર તરફથી જેસલમેર ખાતે એક મોટું સેન્ટર ઊભું કરીને લગભગ દોઢ લાખની રકમની સાધન સામગ્રી પહોંચાડવામાં તેમ જ વહેંચવામાં આવી હતી. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ પશુ-રાહત પાછળ એક લાખની રકમ ખરચવામાં આવી હતી. ચાલુ વર્ષ દરમિયાન અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના અમુક વિભાગમાં તેમ જ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર બાજુએ લોકો પાર વિનાની દુર્દશાના ભંગ થઈ: પડેલા. આફતને પહોંચીવળવા માટે શ્રી રમણીકલાલ કોઠારી, શ્રી ગીરધરલાલ દફતરી, રવિચંદ સુખલાલ, શ્રી વાડીલાલ જેઠાલાલ વગેરેને ઝાલાવાડ બાજુએ મોકલવામાં આવ્યા અને કેન્દ્રના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પણ ઝાલાવાડ બાજુએ ત્રણ દિવસ ફરી આવ્યા અને આશરે એક લાખની રકમનું .. અનાજ, કાપડ, વાસણની પૂરી તપાસપૂર્વક વહેંચણી કરવામાં આવી અને એવી જ રીતે શ્રી રિષભદાસ રાંકા, શ્રી છોટુભાઇ કામદાર, શ્રી અમરભાઈ કરીવાળા, દાદા ધામ નસ્કર અને શ્રી સુખલાલ ખાવીચાને ભરૂચઅંકલેશ્વર બાજુએ મોકલવામાં આવ્યા અને પૂરી જાતેતપાસથી આશરે રૂા. ૬૫,૦૦૦નું અનાજ, વાસણ તથા કપડાંની વહેંચણી કરવામાં આવી. અહિં જણાવવું પ્રસ્તુત છે કે, ઉપર જણાવેલ બન્ને મંડળીમાંના ઘણા ખરા ગૃહસ્થોએ પ્રત્યેક વિભાગમાં : દશથી પંદર દિવસ સુધી રોકાઇને તથા જુદા જુદા સ્થળે ફરીને તથા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મળીને કાર્ય કર્યું હતું અને તેમાંના છેડા ભાઇઓ તે હજુ પણ રોકાઇને કામને થાળે પાડી રહ્યા છે, જો કે આ મંડળીમાંની પ્રત્યેક વ્યકિત અત્યત વ્યવસાયગ્રસ્ત છે અને મુંબઇથી આટલો સમય દૂર રહેવું સામાન્યત: તેમને પરવડે તેવું નથી. તત્કાળ રાહત પહોંચાડવાનું કાર્ય હવે લગભગ પતી ગયું છે અને તારાજ થયેલા આફતગ્રસ્ત વિસ્તારમાં બે લાખની રકમ રોકીને ગુજરાત સરકારના સહકારપૂર્વક કાયમી મકાનો બાંધવાની યોજના હાથ ધરવાનું કેન્દ્ર નક્કી કર્યું છે. આ - આ રીતે ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્રની કલ્યાણપ્રવૃત્તિ દિવસનુદિવસ વધારે ને વધારે વેગ પકડતી રહી છે; નાતજાત, સંપ્રદાય કે સ્થળના કશા પણ ભેદભાવ સિવાય જ્યાં જરૂર પડે અને પહોંચી શકાય ત્યાં શકય તેટલી રાહત, પહોંચતી કરવામાં આવી રહી છે અને લોકો–વિશેષે કરીને જૈન સમાજ-પિતાને " ઉદાર હાથે લાંબાવી રહેલ છે અને કેન્દ્રની આર્થિક અપેક્ષાઓને સારા પ્રમાણમાં સંતોષી રહેલ છે. હોમસાયન્સ કૅલેજમાં અપાતા પાકશાસ્ત્રના શિક્ષણના સંદર્ભમાં માત્ર હોમસાયન્સને લગતી કૅલેજોમાં અથવા તો જ્યાં હોમસાયન્સ શિખવવામાં આવે છે તેવી કૅલેજોમાં અપાતા હોમસાયન્સના શિક્ષણમાં માંસાહારને કેન્દ્રમાં રાખીને પાકશાસ્ત્ર શિખવવામાં આવે છે. આ કોલેજોમાં એક વખત નિરામિષાહારની પરંપરાવાળી કુટુંબની વિદ્યાર્થિનીઓને પણ માંસાહારની વાનીઓ બનાવવાની ફરજ પાડવામાં આવતી હતી. આ સંબંધમાં થોડાંક વર્ષ પહેલાં મારા મિત્ર શ્રી માણેકલાલ રાંઘવીએ વડોદરાની હોમસાયન્સ લેજમાં ભણતી પોતાની પુત્રીના સંબંધમાં આ પ્રશ્ન ઊભો કર્યો હતો અને તે સંબંધે અમદાવાદ બાજુના છાપાઓમાં જોરદાર આંદોલન ઊભું થતાં વડોદરાની કૅલેજના સત્તાધીશોએ એ નિર્ણય જાહેર કર્યો હતો કે નિરામિષાહારી વિદ્યાર્થિનીને આમિષ આહાર તૈયાર કરવાની ફરજ પાડવામાં નહિ આવે. આ નિર્ણય, હું ધારું છું કે, જ્યાં જ્યાં બંને પરંપરાની વિદ્યાર્થિનીઓ ભણતી હોય ત્યાં ત્યાંની બધી કૅલેજોમાં સ્વીકારવામાં આવ્યો છે. આમ છતાં આજે પણ બન્ને પ્રકારની વિદ્યાર્થિનીઓને કુકીંગનું રસોઈ બનાવવાનું–શિક્ષણ આપવા માટે રસોડું તે એક જ સંયુકત હોય છે. આ સંયુકત રસેડાને પ્રબંધ અનેક રીતે વાંધાપડ છે. નિરામિષાહારી કુટુંબના વડીલોને ખબર જ હોતી નથી કે હોમસાયન્સના અભ્યાસક્રમમાં બન્ને પ્રકારની વાનગીઓ તૈયાર કરતા શિખવવાનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. હોમસાયન્સના 'વિદ્યાર્થીઓમાં મોટે ભાગે કન્યાઓ હોય છે. આ છોકરીઓ તેમના વડીલ જે જાણશે તો આ અભ્યાસક્રમ છોડી દેવાની તેમને ફરજ પાડશે એવી દહેશતથી પિતાના વડીલને આ પ્રકારની વસ્તુસ્થિતિથી મોટા ભાગે અજાણ રાખે છે. શરૂઆતનાં એક બે વર્ષ આ વિદ્યાર્થીનીઓ માંસાહારી વાનીઓ તૈયાર કરવાથી અલગ રહે છે, પણ સમય જતાં આ વિદ્યાર્થિનીઓ માંસાહારી વાનગીઓ તરફ આકર્ષાય છે અને
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy