SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૧૯૭૦ પ્રબુદ્ધ જીવન ૧૩૪ પ્રકીર્ણ નેધ * Rાનું છે. તે કેંગ્રેસના મિનિસ્ટરોએ સર્જેલી પરિસ્થિતિને વારસે મળેલી છે. અત્યારે યુવાન વર્ગ એમ કહે છે કે આ બધાએ ખૂબ ખાધું, હવે અમે ખાવા દેવાના નથી. ' ગાંધી–પ્રતિમાને ન તેડાય, એ ઉપદેશ તેમને આપવા જઈએ છીએ ત્યારે તેઓ કહે છે કે ગાંધી-પ્રતિમાને તો તમે વડેરાઓએ પોતાના આચરણ દ્વારા ખંડિત કરી છે–ગાંધીની પ્રતિમા છે જ કયાં? આ અમે તેડીએ છીએ તે તે માત્ર પત્થર તોડીએ છીએ. બંગાળનું આ વાતાવરણ છે. બાકી આપણે જેટલું કલ્પીએ છીએ એટલું ભયભીત બંગાળનું વાતાવરણ નથી. કલકત્તામાં જે કેંગ્રેસભવન બાંધવામાં આવ્યું છે, એવું ભવને કદાચ આખા હિન્દુસ્તાનમાં નહિ હોય -આ માટે અઢળક નાણું આવે છે ક્યાંથી ? છેલ્લા વીશ વર્ષમાં જે પ્રજાને જન્મ થયે છે તેમણે તે અસલના સેવકોને નથી જોયા અથવા એ આઝાદીની લડતને નથી જોઇ–તેમને તે અત્યારે ચાલી રહેલા નાટકનાં જ દર્શન થયાં છે. એ લોકોમાં દેશદાઝની ભાવના, આપણા ઉપરના આચરણા પછી, કેવી રીતે પેદા થાય—એ લોકો તે માઓના સંદેશાને જ સત્ય રસમજવાની અને એ રસ્તે જવાના. અત્યારે કોષ – કે નિધિમાં કરોડ રૂપિયા કરો કે દસ કરોડ ભેગા કરે તેથી શું થવાનું છે - જયાં સુધી વેલ્યુમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી આ બધું નિષ્ફળ જવાનું છે. - આ હિસાબે અત્યારે તો અંધકાર દેખાય છે–ગાંધીજી જેવી કોઇ લીડરશીપ પેદા થાય તે જ કંઇક આશા દેશ માટે જન્મે. ત્યાં સુધી તે દરેક વ્યકિતએ પોતે નિશ્ચય કરી લે જોઈએ કે બને તેટલું ખેટાં કામેથી આપણે દૂર રહેવું. રાજનીતિમાં આટલી ઓટ આવી છે છતાં આશ્ચર્યની વાત છે કે આપણી વિચારસરણીમાં પરિવર્તન આવતું જ નથી–ઇ પણ સમારંભ હોય તે કોઇ વિચારવાન - વિદ્વાન વ્યકિતને બેલાવવાને બદલે ત્યાં પણ મિનિસ્ટરને બેલાવીને ગૌરવ લેવામાં આવે છે. સર્વોદય સંમેલનની પણ આ જ પરિસ્થિતિ છે. ભલે આપણે ઇન્દિરાજીની ટીકા કરતા હોઇએ પણ સમારંભમાં તે આવે તેમ આપણે ઇચ્છીએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ. ભ્રષ્ટાચાર પણ ચારે બાજુ ચાલી રહ્યો છે અને નવા જનરેશને આવું જ બધું જોયું છે. - આ રીતે અત્યારે કલકત્તાની લાં-એન્ડ ઑર્ડરની પરિસ્થિતિ નબળી થતી જાય છે. કયારેક કયારેક કોપરાના વાયરની ચેરી કરવા માટે પચાસ માણસનું ટોળું આવીને વ્યવસ્થિત રીતે આખી ગલીના થાંભલાઓની બત્તીઓ ફેડીને ઉપરના વાયરે કોઈની રોકટક સિવાય લઇ જઇ શકે છે. વ્યવસાયથી છૂટીને ઘેર જતી વખતે સાંજના સમયમાં ગાડી, ચલાવનારની મરજી પ્રમાણે નહિ પણ રસ્તે ચાલનારની મરજી પ્રમાણે ચલાવવી પડે છે. ભીડમાંથી ગાડી બહાર કાઢવા માટે બે હાથ જોડેલા રાખવા પડે છે–એમ. નમ્રતાથી કામ લ્યો તો જ ગાડી આગળ વધી શકે. આમ છતાં પરિસથત એવી સ્ફોટક ગણી શકીએ એવી તો નથી જ, કેમકે સિનેમાની ટિકિટો હજી પાંચ પાંચ દિવસ સુધીની બૂક થયેલી રહે છે. એટલે આ પરિસ્થિતિને હલ કેમ કરવી એ માટે કેયડા છે. દિવસે દિવસે તેમાં વધારો જ થવાને છે–જ્યાં સુધી રાજકારણીઓ પિતાની વૃત્તિઓમાં સુધારો નહિ કરે ત્યાં સુધી. આ ચિત્ર જોયા પછી દરેક વ્યકિતએ પિતા પૂરતો વિચાર કરી લેવાનો રહે છે, કે આપણે કેમ વર્તવું. દરેક પિતાથી શરૂઆત કરે તે જ કાંઇક સારા પરિણામની આશા બંધાય. આ - પ્રવચન પૂરું થયા બાદ, શ્રીયુત પરમાનંદભાઇએ, ભંવરમલજીએ બંગાલની પરિસ્થિતિ વિશે જે તદ્દન નવો પ્રકાશ પાડયો અને એ રીતે આપણી જાણકારીમાં વધારો કર્યો તે માટે આપણે ખરેખર તેમના ઋણી છીએ એમ જણાવ્યું હતું અને ત્યાર બાદ રાભા વિસર્જન કરવામાં આવી હતી. સંકલન : શાન્તિલાલ ટી. શેઠ શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ સંશોધન મંદિર અમૃતસરની શ્રી સેહનલાલ જૈન ધર્મપ્રચારક સમિતિએ શ્રી પં. સુખલાલજીની સલાહને અનુસરીને બનારસમાં ઇ. ૧૯૩૭માં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાશ્રમની સ્થાપના કરી હતી. એ સંસ્થાને મુખ્ય ઉદ્દેશ જૈન વિદ્યાના ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને મદદ કરવાનું હતું. અત્યાર સુધીમાં અનેક જૈનદર્શનના આચાર્ય પદવીધો ઉપરાંત આ સંસ્થાએ ૧૫ ની સંખ્યામાં પી. એચ. ડી. અને ડિ. લિ. પદવીધરે તૈયાર કર્યા છે. જૈન સાહિત્યના ઇતિહાસના પાંચ ભાગ ઉપરાંત ડોકટરેટ પદવી માટેના સ્વીકૃત એવા વિવિધ વિષયના પાંચ મહાનિબંધ પણ પુસ્તકાકારે પ્રકાશિત કર્યા છે. વિદ્વાન પાસે વ્યાખ્યાને અપાવી તે પણ પ્રસિદ્ધ કર્યા છે. સંશોધન માટેનાં જરૂરી પુસ્તકોની લાયબ્રેરી પણ ઊભી કરી છે. આટલું કર્યા પછી મુંબઇના વિશાળ જૈન સમાજ પાસે પાર્શ્વનાથ વિદ્યાશ્રમના સંચાલકોએ દાન માટેની ટહેલ નાંખવાનું નિમિત્ત લઇ, મુંબઇમાં ‘સંભવામિ યુગે યુગે (પ્યારા બાપુ) એ નામની નૃત્યનાટિકાનું આયોજન તા. ૨૩-૯-૭૦ ના રોજ કર્યું હતું. એ સભામાં મુંબઇના દિગંબર, શ્ય. મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી આગેવાનો હાજર હતા. સભાનું અધ્યક્ષ સ્થાન શ્રી શેઠ લાલચંદ હીરાચંદે શોભાવ્યું હતું. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે ઉદ્ઘાટન કર્યું હતું અને અતિથિવિશેષ તરીકે શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધી, શ્રી પ્રતાપ ભેગીલાલ, શાહુ શ્રેયાંસપ્રસાદજી તથા શ્રી મણિલાલ સુન્દરજી દેશી ઉપસ્થિત થયા હતા. આ આયોજનની સફળતા મુખ્યત્વે શ્રી શાદીલાલ જૈન અને શ્રી. સી. ટી. શાહના ઉત્સાહને કારણે હતી અને આનંદની વાત જાણવા મળી કે મુંબઇમાંથી રૂપિયા સાડા ત્રણ લાખ જેટલી રકમ આ માટેની મુંબઇની કમિટિએ ભેગી કરી છે. જૈન વિદ્રાને ઉચ્ચ અભ્યારાથી ઉપેક્ષિત છે, તેને લઈને જ દેશ-વિદેશમાં જૈનધર્મ વિશેની માહિતી વિદ્વાનોને પણ નથી. પાર્શ્વનાથ વિદ્યાશ્રમે આ દિશામાં પ્રગતિ કરી છે પણ તે પર્યાપ્ત છે એમ ન કહેવાય. તેથી એ સંસ્થાને હજી પણ વધારે સહાયતા મળે એમ અમે ઇચ્છીએ છીએ. અહીં એ પણ જાણવું જરૂરી છે કે આ સંસ્થા જાતિ, ધર્મ કે સંપ્રદાયના કશા જ ભેદભાવ વિના જે કોઈ ગ્ય છાત્ર જૈન સંસ્કૃતિને કોઇ પણ વિષય લઇ ઉચ્ચ અભ્યાસ કરવા તત્પર હોય તેને મદદ કરે છે. આવા વિદ્યાર્થી બનારસ જેવા વિદ્યાધામમાં સહજભાવે અનેક મળી આવે છે, પણ ફંડના અભાવે તેમને માટે પૂરી સગવડ સંસ્થા આપી શકાતી નથી. સરકારે એકવાયર કરી આપેલી જમીનમાં હજી તે માત્ર પુસ્તકાલયનું મકાન બાંધી શકાયું છે. વિદ્વાને અને છાત્રોને રહેવા માટેનું મકાન બાંધી શકાયું નથી. તેથી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં અગર અન્યત્ર રહેવાને પ્રબંધ કરવું પડે છે. અને કઇ વિદ્વાન આવીને જૈનધર્મને વિશેષ અભ્યાસ કરવા માગે છે તેને માટે રહેવાને પ્રબંધ કરી શકાતું નથી. દાતાએ ધારે તે દશપંદર હજાર આપી બ્લેકે બાંધીને જૈનધર્મની સેવા સાથે પોતાના નામને પણ યાદગાર બનાવી શકે છે અને આ કામને જેનવિદ્યાના એક ઉત્તમ કેન્દ્રરૂપે વિકસાવી શકે છે. શ્રી મૃણાલિની બહેન દેસાઇને હાર્દિક અભિનંદન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળાના શ્રોતાઓમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે મૃણાલિનીબહેનને ઓળખતું ન હોય. તેઓ જન્મે મહારાષ્ટ્રી છે અને તેમના પતિ શ્રી પ્રભાકર દેસાઈ ગુજરાતી છે. તેમણે એમ. એ. સુધી અભ્યાસ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy