SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પબદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'તુ. નવસંસ્કરણ વર્ષ ૩૨ : અ ૧૨ મુંબઇ, એકટાબર ૧૬, ૧૯૭૦, શુક્રવાર પરદેશ માટે શીલિંગ ૧૫ તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા કલકત્તાની અદ્યતન પરિસ્થિતિના ચિતાર તા. ૩–૧૦–૭૦ શનિવારના રોજ સંઘના કાર્યાલયમાં, સાંજના ભાગમાં કલકત્તા નિવાસી જાહેર સેવક અને વિદ્વાન વકતા શ્રી ભંવરમલ સિંધીનું ‘કલકત્તાની અદ્યતન પરિસ્થિતિના અનુસંધાનમાં રાજકીય પ્રવાહા' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં સંસ્થાના ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ ભંવરમલજીને આવકાર આપતાં, તેમની પ્રવૃત્તિ વિષેની જાણકારી શાતાઓને આપી હતી અને તેમને પ્રવચન શરૂ કરવા વિનંતિ કરી હતી. શ્રી ભવરમલ સિંધીએ પ્રવચનની શરૂઆત કરતાં જણાવ્યું કે હું સંઘમાં આવ્યો છું એટલે મારા ઘરમાં જ આવ્યો છું એમ મને લાગે છે, કેમકે સંઘ સાથે મારૂં એટલું તાદાત્મ્ય છે. ત્યાર બાદ તેમણે જણાવ્યું કે ભારતીય પરિવાર નિયોજનનું જે કામ ચાલે છે તે કાર્ય માટે મુંબઈ આવવાનું બન્યું અને પરમાનંદભાઈની અહીં વ્યાખ્યાન આપવાની દરખાસ્ત આવી એ મારે સ્વીકારવી જ રહી એટલે હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ શકયો છું. આજની પરિસ્થિતિ વિશે વિચાર કરવા બેસીએ છીએ ત્યારે ગાંધીજીની સ્મૃતિ તાજી થાય છે, તેમણે પ્રસ્થાપેલી રાજનીતિમાં સંઘર્ષ અને ત્યાગ હતા. પરંતુ આજની રાજનીતિ જે રીતની ચાલી રહી છે તેમાં આ બન્ને તત્ત્વાના અભાવ દેખાતાં દિલમાં રંજ થાય છે. ૧૯૪૬ની સાલથી, ગાંધીજીએ પ્રબોધેલ રાજનીતિના ધારણમાં આપણે ત્યાં એટ આવતી રહી છે. આના સંદર્ભમાં બાપુજી સાથેના એ દિવસના એક પ્રસંગ યાદ આવે છે. તેઓ નોઆખલી ગયા ત્યારે કેટલાક મિત્રા સાથે તેમને મળવાનું બનેલું. તે વખતે પ્રફુલ્લાપ તેમની સાથે ચર્ચા કરીને બહાર નીકળેલા અને અમે બાપુ સમીપ પહોંચ્યા અને તેમના મોંમાંથી અચાનક આ ઉદ્ગાર નીકળી પડેલા કે “ આપણે ત્યાં આઝાદી આવી નથી પણ બલા આવી છે. ” આ ઉદ્ગારોમાં તેમના દિલની એ વખતની વ્યથા અને ભાવી વિષેની આગાહીં આપણને જાણવા મળે છે. અત્યારની બંગાળની પરિસ્થિતિને અનુલક્ષીને કહેવામાં આવે છે કે જ્યોતિ બસુએ બંગાળની શાંતિ નષ્ટ કરી છે, પરંતુ આ રીતે કહેવું બરાબર નથી, એક વ્યકિત કાંઇ કરી શકતી નથી, આ તો પરંપરાએ પેદા કરેલી પરિસ્થિતિ છે. જો આગલા સત્તાધીશોએ આજનું પમંત્ર ન રચ્યું હોત તે આવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાત, આ તે પરિસ્થિતિના પરિપાક છે. આજે જે બંગાળમાં બને છે તે આવતા દસ વર્ષમાં આખા ભારતમાં બનશે એવી પૂરતી સંભાવના છે. શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા બેંગાલીઓમાં બે ચીજો મુખ્યપણે દેખાય છે – વિચારશકિત અને ભાવના—જ્યારે આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે માટા ભાગે ભાવનાશીલ બેંગાલી શૂળી પર ચઢવામાં આગળ પડતા રહ્યા હતા, મોખરે હતા. અત્યારે તે દેશમાં એકસ્ટ્રીમ અને માર એકસ્ટ્રીમ વચ્ચે હરિફાઇ ચાલી રહી છે. અત્યારે જ્યોતિ બસુને ઊલટી વધારો ગાળા દેવામાં આવે છે, કારણ કે લાકશાહીના ઢાંચાને તેઓ અપનાવીને ચાલ્યા છે એમ એમના ઉપર આક્ષેપ કરવામાં આવે છે. જ્યારે વિઘાર્થી—વિદ્યાર્થિનીઓ તોફાન કરતા હતા ત્યારે અમે તેમના માતા-પિતાને માધ્યમ બનાવીને તેમની પાસે જતા હતા. પરંતુ તેઓ તેમને કહેતા હતા કે તમે અમને શાંતિ રાખવાની શીખામણ આપે છે. પણ એ શાન્તિ કોના માટે ? આ લોકો બંગલા, વ્યાપાર, ગાડી, વાડી—બધું બનાવીને બેસી ગયા છે તેના માટે? અમને ગ્રેજ્યુએટ થયા પછી પણ નોકરી કે કામ મળતું નથી, ખાલી પેટમાં આગ જલી રહી છે અને એ પરિસ્થિતિમાં તમે અમારી પાસેથી શાંતિની અપેક્ષા રાખો છો? અમે બસેા અરજી કરીએ તો પણ અમને કારખાનામાં જગયા નથી મળતી—અમને પૂછવામાં આવે છે તમો નોકરી કેમ નથી કરતા? અમે પ્રમાણિકપણે કામ કરવા માગીએ છીએ અમને નોકરી અપાવો. સમાજમાં જ્યારે એક લગ્નપત્રિકા—કંકોત્રી છપાવવા પાછળ છ રૂપિયા લગભગના ખર્ચ થાય છે, અને એ ઉપરાંત લગ્નસમારંભા વિગેરેમાં અન્ય મોટા ખર્ચાઓ કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ મોટા પ્રમાણમાં માનવશકિત ગરીબીમાં—બેકારીમાં સબડી રહી છે. આ માણસાના રોપને કેમ રોકી શકાય? બેંગાલમાં પગારધોરણ પણ સૌથી ઓછું છે. આપણે તેમને કેવી પરિસ્થિતિમાં રાખ્યા છે? અને આ રીતે સામાજિક આર્થિક વિષમતા આટલી વ્યાપક બની હોવા છતાં તેને બદલવાના કોઇ ચિન્હ ન દેખાય ત્યારે આજની પરિસ્થિતિ પેદા ન થાય તો બીજું શું થાય ? બેંગાલની બ્યુટ મીલામાં માણસોને ૧૫૦ થી ૨૦૦ નો પગાર આપવામાં આવે છે અને મેનેજરને ૮૦૦૦ પગાર આપવામાં આવે છે–તેમને ૨૦૦૦ પગાર આછા આપવામાં આવે તા બીજા દસ માણસના વધારે . નિભાવ થાય. આવી અસમાનતા હોય ત્યારે તેમના પ્રશ્નોને શું જવાબ આપવા ? આપણા રાજકારણીઓની વિચારધારાની પરાકાા. તે જુઓ – રાષ્ટ્રના મુખ્ય પ્રધાન કહે છે કે મુસ્લિમ લીગ કોમવાદી નથી, મેારારજીભાઇ દાવા કરે છે કે જનસંઘમાં કોમવાદ નથી અને નવી કોંગ્રેસના પ્રમુખના હોદ્દો ધરાવનાર પ્રથમ ફૂડ મિનિસ્ટર અને હાલના સંરક્ષણ પ્રધાન એવા જગજીવનરામ દસ દસ વર્ષ સુધી ઇન્કમટેકસ ભરતા નથી અને આ હકીકત જાહેર થઇ જાય છે ત્યારે કહે છે કે એ તે ભૂલમાં રહી ગયું. જેઓ રાષ્ટ્રના વડેરા છે અને ઊંચામાં ઊંચા સ્થાને બેઠા છે તેઓ છડેચોક આવા અસત્ય ઉચ્ચારવાનું શરૂ કરતા હોય ત્યારે પ્રજા પાસે આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ ? જ્યોતિ બસુ અને તેમના સાથીઓ પણ આવી વસ્તુથી મુકત નથી પરંતુ તેમને
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy