SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ t ૧૩ર. પ્રબુદ્ધ જીવન તા. ૧–૧૦–૧૯૭૦. . સાફ કરવાનો - સમાવવાના સમીકરણને. પણ સરવરિયે જે વધુ કણ - કસ્તર પડયાં જ કરે, તરંગ ઊઠે તે પહેલાં નીર સરે તે પહેલાં, હા, કણ-કસ્તર કંકર જે પડયાં જ કરે, તો જલ ભારે થવા માંડે. ડોળાય - ગન્ધાય - લીલ બંધાય એ જ તે મેલાં પાણી - મરેલાં પાણી તેય, મનુષ્ય ભીતરે યુ , એક સરોવર, પંખીની ચાંચ જ નહીં, જનુની પાંખે જ નહી, વાયુ લહરે જ નહીં, પણ પથ્થરપાણા - પાન-પત્તાં , માણસે નાખેલાં ધાગા ચીંથરાંએ તરંગા ઊઠે, કિનારા લદાય - બન્ધાય - ગન્ધાય, તળિયાં દટાય સ્થિર આસન, અશ્રુ વહેતાં નિશ્ચલ નયન-પુલકિત વદન, * હાથપગ -- અંગે અંગ લોપાવા માંડે છે, દેહભાર. ચાલી જાય છે. ફ_લ જે હળવે બને છે દેહ, “ ઊડવા માંડે છે ઊંચે ઊંચે પ્રાણ. આનન્દની તન્માત્રા વધતી જાય છે. પણ હા ઊડી ઊડીને પાછું ફરવાનું? . દેહભાન હાથ અને પગ વદન નયન પ્રવૃત્તિ ફરી શરૂ થાય છે. પણ દેહે છે ચેતના, હાથે પગે જેમ, વદને નયને ઉમંગ, પ્રવૃત્તિઓ વિહાર, અખૂટ પ્રસન્નતા શાન્તિ. જૂથે જ માત્ર મનુષ્ય આટઆટલું જે લાદે નહીં, નાખે નહીં, બાંધે નહીં, પણ વચ્ચે વચ્ચે શંભે, તે એનું એ ભીતર સરોવર સદા સારું રહે. એ. ભવું એ જોવું એનું નામ ધ્યાન. એ જ ધ્યાન - શાન્તિસમય. એ નવરાશ કોઇ મનુષ્ય ચૂકે ના.. લીલા લસલસતા ઘાસચારામાં હરણટોળાં ચરે છે. ઝટપટ કેળિયા લઇ દોડી જાય છે. . એમ માનવ દિન આખે ભલે ચરતે. લઈ લે જેટલું લેવું હોય તેટલું. પણ હરણટોળાંની જેમ કો શીળી ઘટામાં આંખ મીંચી ચારાને વાગેળેઅ વાગોળવું તે ધ્યાન-શાન્તિસમય. એકલાં બેસતાં સર્વ કૃત્યેના તરંગે ઊઠશે. ઊઠી ઊઠી, શમી શમતાં સ્તબ્ધ થશે. પછી સરવરિયાનું તળ દેખાશે, ન દીયાં એવાં પરવાળાં મેતી. સરવરતલમાં પ્રતિબિમ્બ ઝીલાશે, સર્વ ફરી વિમલ થાશે: એ વિષદતી. એ શાન્તિ સુખ - પરમાનન્દ – મુકિત ! એ શાન્તિ સમયે ન કોઇ રોકે કે ન રોકાય ન કો શિકારી કે ન શિકાર ન ધ્યાતા કે ધ્યેય ન નિર્માતા કે નિમેં. હવે કેટલીક ભાવકણિકાઓ આપને સંભળાવીશ: સવારને તારો જ્યારે અંધારામાં હોય છે, ત્યારે તે વાતાવરણથી ભિન્ન તરી આવે છે. તેનું કદ મોટું દેખાય છે. પછી જેમ જેમ તે અજવાળામાં ઉત્થાન કરે છે, તેમ તેમ એને પ્રકાશ વાતાવરણથી જુદો રહેતો નથી. શરૂઆતમાં તે શિરીષનાં ફુલ જેવા અથવા મોટા એક હીરા જે ભાસે છે; પણ છેવટે તે ઝાકળ જેવો અથવા નાના મોતી જે બની પ્રકાશમાં પૂરો ભળી જાય છે. અજ્ઞાનતામાં માનવ અહંથી પ્રેરાઇ વાતાવરણથી છૂટા પડવા મિથે છે. તેને પિતાની મહત્તા પ્રસિદ્ધ કરવા વાસના હોય છે; તેનું જીવિત બસૂરું બને છે. પછી જેમ જેમ તે જ્ઞાની બનતો જાય છે . તેમ તેમ તેનું વ્યકિતત્વ–તેનું અહં ઓસરી જાય છે, કુદરત સાથે તે ભળી જાય છે, વિશ્વમાં તદાકાર બની તેનું જીવિત એકસ્વર બની રહે છે. આ એક બીજી ભાવકણિકાઆકાશે સૂર્ય, એને અંશ તે પૃથ્વી પરને અગ્નિ, એની જવાળા હમેશાં ઊંચે ઊઠે છે, સૂર્યને પહોંચવા યત્ન કરે છે, પણ છેવટે અગ્નિપદાર્થ સ્વયં ખાખ બને છે – એવો છે મનુષ્ય યત્ન ! ગંગાના પ્રવાહમાં ભળતાં નાળાએ ન પૂછયું “મારું શું?” -ઊ. બી. પૃ. ૨૨ લીનાબહેન મંગળદાસ સમાપ્ત માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૯ મુદ્રણરથાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy