________________
તા. ૧-૧૦-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
૧૩૧
આંખ પર જ ધ્યાન જાય ત્યારે આંખ દુ:ખે છે એમ કહેવાય. અનેક સ્વરોથી રચિત રાગમાં તલ્લીન થઈએ ત્યારે સુખ લાગે, પણ જ્યાં કોઈ સ્વર થોડે ખસી જાય ત્યાં સંગીત બસુ અને અપ્રિય લાગે છે. કુટુમ્બના સભ્ય હળીમળી એક સાથે રહે ત્યાં સુધી સુખ લાગે છે, પણ જયાં કોઈ આડે ફાટે ત્યાં દુ:ખ લાગે છે. સ્પર્શ સુખમાં પ્રાણીમાત્ર સૌથી વધારે તાદાભ્ય અનુભવે છે. એકતાને આભાસ સ્ત્રીપુરુષના જાતીય સંબંધમાં સહજસુલભ હોય છે. તેથી તે સંબંધ પ્રેમ તરીકે ઓળખાય છે, પ્રેમ, પ્રણય અથવા કામસુખ માટે માણસને સૌથી વધારે વાસના હોય છે. પ્રણયસુખ સાથે અપીસુખ જોડાયેલું જ છે. તે
માને કે આ પરિસ્થિતિમાં કાંઈક તથ્ય છે.
હા, આ બધું ઠીક, પણ ઐકય છે કયાં? જીવવું કેવી રીતે? ખૂબ મુંઝવણ, વિમાસણા, સંઘર્ષ, મન્થને - આ સર્વને જીરવવા, તે વચ્ચે ટકી રહેવા, તેમાં જીવવા માટે એક સારું મજબૂત જ્ઞાનતંત્ર Nervous System જોઈએ. આપણાં શરીરના જ્ઞાનતંતુ, કરોડરજજુ અને મગજથી બનેલું આ જ્ઞાનતંત્ર છે. જ્ઞાનતંત્ર ઈન્દ્રિ દ્વારા હમેશાં ઉત્તેજિત થાય છે. કોઈ કેકીની જેમ જ્ઞાનતંત્ર હમેશાં વધુ ને વધુ ઉત્તેજનાથી જ સંતેષ પામે છે. અને તેથી વધુ ને વધુ ઉત્તેજના તરફ આપણી ઈન્દ્રિય દોડે છે. ઉત્તેજક પદાથે ઈન્દ્રિયેનો ખોરાક બની જાય છે. સાંભળવાને, જોવાને, સુંઘવાને, સ્વાદને, સ્પર્શન અને વિચારને ચટકો લાગી જાય છે. શરીરની બધી જ પ્રવૃત્તિ આવે ખેરાક શોધવામાં લાગી પડે છે. ધનથી આવો ખોરાક જલદી સંપાદન થાય છે, તેથી ધન - ઉપાર્જન મુખ્ય પ્રવૃત્તિ બની જાય છે. ઈન્દ્રિયગ્ય, વૈવિધ્યપૂર્ણ ખોરાક કોઈ યુગમાં - વ્યાપક રીતે - આજની જેમ પ્રાપ્ત નહીં હોય. આ ખેરાક સર્વસામાન્ય માણસને હવે મળે છે, અને એક પર એક અને એક સાથે ઝડપથી એને પ્રાપ્ય થાય છે. માણસના જ્ઞાનતંતુ તેને ઝીલી શકે - પચાવી શકે તેનાથી અધિક ઝડપથી ઈન્દ્રિયો દ્વારા Impressions પડતી હોવાથી, ખાઉધરા માણસને જેવી અજીર્ણ અને આફરાની બેચેની થાય તેવી બેચેનીને અનુભવ થાય છે. અને ખરેખર, ભેગીમાંથી તે રોગી બની જાય છે. કેન્સર માટે કહેવાયું છે કે દેહમાં વિનાશ પામતા કોષ cells કરતાં જે નવ કષ વધારે જલદી પેદા થાય તે કેન્સર થાય. એવી જ રીતે ઉપરાઉપરી ઉત્તેજના પામેલા જ્ઞાનતંત્રને એક જાતને કેન્સર જ થાય છે. એનાં લક્ષણે symptoms છે રઘવાટ, અધીરાઈ, ગુસ્સે થવું, ચિત્તા થવી, ઉંઘ ન આવવી, અરુચિ, થાક, નિરાશાવાદ, કટુતા, નિન્દાખેરી. આને એકમાત્ર ઇલાજ દવાઓ, સૂવાની ગોળીએ, ‘ટાન્યવીલાઈઝર’ ન જ ગણી શકાય. એ લેવાની સ્થિતિ ગંભીર ગણાવી જોઈએ. તે ગંભીર સ્થિતિમાં ફસાવું ન હોય તે આપણાં જ્ઞાનતંતુને પૂરતો આરામ-Relaxationઆપવું જોઈએ. કાંઈ નહીં તે રોજ સવાર-સાંજ એક આસને વીસથી ત્રીસ મિનિટ એમ બેસવું. આંખ, હાથ, પગ, આંગળીઓ સ્થિર રહે તેવું સુખાસન ગ્રહણ કરવું, ખુરશીમાં બેસવાથી કે બિછાનામાં સૂઈ રહેવા કરતાં પલાંઠીવાળી સીધા બેસવું. બંધ આંખોમાં આકાર - રંગ દેખાય કે કાનમાં અવાજ સંભળાય છે તેમાં રસ લેવા જેવું નથી હોતો. દેવના દર્શન અને યુગના ચમત્કારની વાતોથી આમાં ભરાઈ ના પડવું જોઈએ.
સવારે ઊઠતાં વેંત બલબલ કરવું, રેડિયો સાંભળવા, છાપાં વાંચવાં - તેથી મને ળાઈ જાય છે. ઊઠયા પછી એકાદ કલાક મીનમાં જ જોઈએ. કાંઈ નહીં તે ૧૦-૧૫ મિનિટને વ્યાયામ, ઊંડે શ્વાસોશ્વાર, કોઈ એક કાવ્ય કે ગીત, શાન્તિસમય કે ધ્યાન અને ઓછામાં ઓછું ૧૦-૨૦ મિનિટનું વાંચન. આ સર્વ સ્વાસ્થયપ્રદ ટેવ પાડવા જેવી છે. કોઈ પણ ગૃહસ્થીને માટે દુર્લભ નથી.
હવે શાન્તિસમય કે ધ્યાન વિશે વિચારીએ :
ઓરડામાં પ્રકાશ ન હોય, સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછીને સમય સૌથી સારે. શૌચ-સ્નાનાદિથી પરવારી શરીર નિર્મળ હાય-પેટ ખાલી હાય, ચા કે કોઈ ખાદ્ય પદાર્થની ઉત્તેજના ન હોય. માથા અને શરીર પર કાંઈ એઢિયું હોય. આંખ પર કાંઈક હળવાશથી બાંધવાથી પણ આરામ Relaxation વધે છે. કોઈ બાબતનું નિરીક્ષણ કે અન્વેષણ કરવું છે - કોઈ વિચાર કે પ્રતીકનું ધ્યાન કે જપ કરે છે, આ વિચાર સાર, આ વિચાર ખરાબ - એવા કોઈ પણ ખ્યાલ વિના એક દટાની જેમ બેસવું; જે કાંઈ અસરો મન માંહે પડી હશે તે ઉપસીને સામે ખડી થશે. તે જોયા કરવી, ને હાંકી કાઢવી, ન દબાવવી, ન વખડવી, ને તેની પાછળ દોડવું.
એક મિત્રે મને કહ્યું કે, “શાન્તિસમયમાં બધા ખરાબ વિચારે.
હુમલો કરે છે, તેથી ખૂબ ગભરામણ થાય છે તેને લઈને હું એકાતેમાં બેસતા નથી.” , “ખરાબ” વિચારે કયાં છે? અંદર જ છે ને? એનું સમાધાન થાય નહીં, Unresolved ચિત માંહે ભરાઈ રહે તો તે અસાવ -ધાન જાગુત સ્થિતિમાં, સ્વપ્નમાં, ઊંઘમાં, મૃત્યુ સમયે સતાવશે અને પછાડી મહાત કરશે. શાન્તિથી બેસીએ તે તે બહાર આવે, ખુલ્લા થાય, સન્મુખ થવાથી કોઇ દિવસ નિમ્ળ થાય; પણ વિચરોના હુમલાની બીકથી શાન સમયમાં બેસીએ જ નહીં તે વિચારે અન્દર અને અન્દર રહેશે. વિચારોને પણ બચ્ચાં આવે છે. તેની જલદી વંશવૃદ્ધિ થતી હોય છે. વિચારે દબાવી રાખવાથી તેનું વિષ વધારે ફેલાતું હોય છે. વિશ્વનું વધારે વમન થતું હોય છે. સારા-ખાટાનાં ન્યાય આપવા શાન્તિ- સમયમાં બેસવાનું નથી. માત્ર જોવાનું જ છે અને એ તટસ્થતામાં અન્તરની સાફસૂફી થાય છે અને જ્ઞાનતંત્ર ફરી તાજગી સંપાદન કરે છે. - આ પ્રક્રિયાને સાયકએનેલિસિમ, વેગ, ધ્યાન, અધ્યાત્મવિદ્યા ઇત્યાદિ ભારે શબ્દો આપવા તે કોઇ જ્ઞાની કે મુમુક્ષુને જ સુગ્રાહ્ય બને છે. આપણા જેવા માટે તે દુર્ગધ બને છે. તેથી દૂર - પર - એ આંજી નાખનારો, ડર ઉપજાવનારો ભ્રમ પેદા થાય છે. અને આપણા ઉત્સાહ-ઉમંગને ક્ષીણ કરનારો પ્રભાવ આપણા પર પડે છે. આ કોઇ super human પ્રક્રિયા નથી. ઘડિયાળની કળ unwind કરવાની-ઉકેલવાની તથા ઘડિયાળને ચાવી આપવાની પ્રક્રિયા જેવી આ સાદી સીધી વાત છે.
આ ઘડિયાળની જેમ પ્રવૃત્તિમાં ઉક્લતી-unwind થતી આપણી જ્ઞાનતંત્રની શકિત-nervous energy - અને નિવૃત્તિમાં-શાન્તિસમયમાં wind થતી, સંચિત થતી nervous energy-એ પ્રમાણે આપણું દેહરૂપી ઘડિયાળ સાજુંસમું ચાલે છે. | પ્રવૃત્તિ અને નિવૃત્તિ - જીવનમાં પચાસ પંચોતેર વર્ષ પ્રવૃતિમાં અને છેલ્લાં ઘડપણનાં વર્ષ નિવૃત્તિમાં એમ નહીં. નિવૃત્તિ સેવવા માટે જોમ જોઇએ, તે જોમ - શકિત - પ્રવૃત્તિનિવૃત્તિમાં જ રોજ શાન્તિસમય - ધ્યાનમાં પ્રાપ્ત કરવા જોઇએ. આ દિવસ
આખું જીવન ધ્યાન અને નિવૃતિમાં ગાળવાથી મને તે કાંઇ માર્ગ દેખાતું નથી. છતાં ખાવાપીવા ફરવા - સુવા જેવી રોજબરોજની એક અતિ મહત્ત્વની આવશ્યકતા એ ધ્યાન અથવા શાન્તિસમય છે - જે અચૂક, અતૂટ સાધવો જોઇએ..
કદાચ આપને થયું હશે કે કોઇ ઠેકાણે મેં પરમેશ્વર કે આત્માની વાત કેમ ન કરી? બહુ વાર ઉચ્ચારવાથી શબ્દો જડતા ઉપજાવે છે. ઉછીના લીધેલા, આડમ્બર ભરેલા શબ્દો પોપટીયા હાઇ, દંભને પાપનારા બની જાય તેવી સંભાવના છે. છતાં એક વ્યાપક ચૈતન્યની અનુભૂતિ કોઇ ધન્ય ક્ષણોમાં કોને નહીં થઇ હોય? એ જ ઐકયભાવ એને પરમાત્માન કહી શકાય.
આપણા ચિત્ત - અંતરને એક સરોવર સાથે સરખાવીશું. પ્રથમ " ભૂતળનાં સરોવરવરનું વર્ણન સાંભળીએ: એક સરોવર એની સપાટીએ પંખી ચાંચ ડુબાડે જનું પાંખ અડાડે, વાયુ લહેરે, પરાગરજે તરંગ ઊઠે છે. ઉપસેલાં જલ શમતાં શમતાં શમી જાય, ત્યાં ફરી પંખી ચાંચ ડુબાડે જનું પાંખ અડાડે વાયું લહેર, પરાગરજ વડે તરંગ ઊઠે - શમે. સરવરિયે છે જીવતાં પાણી, એક એક સ્પર્શ - સંઘર્ષે તંરંગેતરગે જલ વિમલ થાય. જલકુંડાળાં કણને ત્યજી દે યા કણને ઓગાળી વિલીન કરે છે. તે જીવતાં પાણી - નિર્મળ પાણી તેય.
જીવતાં પાણીને ગુણ છે - અજવાને : ગાળવાને