________________
૧૩૦
સ્વરક્ષણની વૃત્તિ મિત્રાચારીમાં પણ પ્રકટ થાય છે, જ્યાં માણસની કોઇ તૃષ્ણા સંતોષાય છે,
ત્યાં તે દીવાની આગળ રંદાની જેમ ફાંફાં મારે છે. કેટલાકને દીવા થવામાં
તો કેટલાકને રૈદા થવામાં
અમરત્વ જણાય છે.
જે કોઇને માટે દીવા છે
તે બીજાને માટે ફૂંદાની દીનતા ભાગવે છે.
એકબીજા પાછળની દોડપકડ
—શિકાર ચાલ્યા જ કરે છે.
પ્રબુદ્ધ જીવન
એકય માટેના પ્રયાસા : કેટલાક અનુભવા
(ગતાંકથી ચાલુ)
હૂંફ, ફાયદો, નામના, ઇન્દ્રિયસુખની બાજ
મનુષ્યના સંબંધમાં થતી હોય છે.
એને સંતાષવા મૈત્રી અને ઓળખાણા
કરવામાં આવે છે.
તૃષ્ણા વધુ સંતાષાતી નથી,
ત્યારે મૈત્રીનો ત્યાગ કરવામાં આવે છે.
એ સંબંધમાં જે પક્ષની હજી તૃષ્ણા બાકી હોય
તે પક્ષ નિરાશા અને શૂન્યતા અનુભવે છે.
તેથી કરીને મનુષ્યસંબંધમાં
બહુ ઓછા લોક શ્રાદ્ધા રાખે છે,
નિરાશ જન મનુષ્યસંબંધને સ્વાર્થી – મતલબી કહે છે.
“મારુ કોઇ નથી.” એવાં રોદણાં રડનારને
પૂછવા મન થાય છે:
“તમે કોઇનાં છે?’’
સ્વરક્ષણવૃત્તિ એક બાજા મિત્રતા તરફ બીજી બાજુ ઇર્ષ્યા તરફ દોરે છે.
આકાશપાતળની જમ
લોકવ્યવહાર મિત્રતા અને ઇર્ષ્યાથી અવિભકત છે.
પોતાના તરફના અસંતોષ
બીજાના દોષ શોધવા તરફ વળે છે.
વાંક કાઢવાની આદત પડી જાય છે.
કૌટુમ્બિક અને સામાજિક વ્યવહારમાં તે ટેવ
પ્રકટ થાય છે.
આ બધા પ્રપંચ
આ ગૂંચ
માનવની કોઈ ભૂલને લીધે હશે?
વિશાળ એક ગુંબજમાં એક નાનો ઝરમર ધ્વનિ પ્રતિધ્વનિત થતા થત
મોટો અવાજ બની ગુંજ્યા કરે છે:
તેમ માણસનું એક નાનું કૃત્ય
તેના આખા જીવનમાં પ્રસરી ગુંજે છે,
માનવનું કર્યું કૃત્ય ?
કઈ ભૂલ ?
માનવ કુદરત સાથે તદાકાર ન થયો,
તે સંગ્રામે ચઢયા.
કુદરત સાથેના યુદ્ધને
તે પુરુષાર્થ સમજ્યા.
માનવે માંગી બે બક્ષીસ; અન્ન અને આકાય.
દરેક પ્રાણી ચાહે છે આ બે બક્ષીસા
પણ તે તેના વિશે બહુ લાંબા વિચાર નથી કરતું. પ્રાણીઓ દિવસ કાજે દિવસે મેળવી લે છે પણ આપણે
એક દિવસની નહિ, પણ આવતી કાલની - વર્ષોની પોતાની નહિ પણ સાત પેઢીની
અથાગ ચિન્તા કરીએ છીએ.
“Sufficient unto the day is the evil thereof;"
ન્યુ ટેસ્ટામેન્ટમાં કહ્યું છે,
“દિને સભર
એની હિંસા - પાપ - દુષ્કૃતિ.”
દિનરાત આપણે વેઠવૈતરું કરીએ છીએ.
આ લાભ - આ સંગ્રહ સુખને હણે છે.
કલ્પિત જરૂરિયાતો મેળવવા માનવ
મોટા ખતરા પેદા કરે છે.
તેને માટે શકિત અને સાધન રોકી
તે કોઈ એક જગ્યા સાથે બંધાઈ જાય છે.
તેનાં રક્ષણ અને વર્ધન માટે
અન્ય જરૂરિયાતો પેદા થાય છે.
તા. ૧-૧૦-૧૯૭૦
વધુ માણસો ઊભરાય છે.
લાભવશ સહુ તે સ્થાનને વળગી રહે છે: અકુદરતી જીવનનું મંડાણ થાય છે, કુદરત પેાતાનાં શસ્રો અજમાવે છે: મનુષ્ય પર મન અને શરીરના રોગા વરસાવે છે. તેની સામે ઝઝૂમવા મનુષ્ય ઉપાયો યોજે છે. આ યુદ્ધનું બીજું નામ સંસ્કૃતિ.
સંસ્કૃત માનવ વિજય પામે તે પહેલાં કુદરત તેને પછાડે છે.
એક ધરતીકંપ, એક જવાલામુખી, એક ઝંઝાવાત તેના ગર્વને ફગાવી દે છે.
સદા સફળતા લાધ્યા કરે તો મનુષ્યનો અહં
ગૂમડાંના વિકાર ધારણ કરે.
એવાં ગૂમડાં – ભીં ગડાં - શીંગડાં
ખૂબ વધવાને લઈને
દુનિયામાં ચાલવાની જગ્યા પણ ન રહે. નિષ્ફળતા - આઘાત - આપત્તિથી
માનવનું અહં ફૂટી જાય છે
અને દુનિયા બની રહે છે
ચાલવા જેવી જ નહીં
પણ રહેવા જેવી જગ્યા.
મહાવીર સ્વામીએ કહ્યું છે:
સર્વ સુખદુ:ખાનું મૂળ પેાતાનાં હૃદયમાં છે.
શરીરનાં બધાં અંગો તન્દુરસ્ત હોય ત્યારે સુખ લાગે, પણ જ્યાં આંખમાં એક નાની રજકણ પણ પડે અને આખા શરીરને બદલે
lo