________________
6
૧૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૯૯૦
જોશે તે તમારો પ્રેમ એ પૂજા, મોહ, એ ભકિત, સ્થૂલ સુખ એ પરમાનંદ બની જશે.”
અને બાળભગવાન” ના આગમનને આવકારતો એમને મધુર ઉમળકો કેવો છે . “ઘેર નાજુક મહેમાન છે અને સૂક્ષ્મ ખ્યાલ ઘરની અંદર પગ મૂકતાં જ આવી જાય છે. ઘરનું આખું વાતાવરણ કહી દે છે કે અંદર ઘેરો મહેમાન પધાર્યો છે. રાજગાદીએ બાળરાજા બિરાજે છે .. બાળક લગ્નને સફળ, અખંડ, અમર બનાવે છે. પ્રેમનું બંધન, એકતાને સંકેત, સમર્પણનું ફળ.”
જીવનમાં માંગલ્ય વરસાવતી એમની કલમ કેટલાંક પ્રતીકોને આધારે પુસ્તકમાં આગળ વધતી જાય છે, જેમાં કંકોતરીની વાત કરતાં “શ્રી ગણેશની મૂર્તિનું ચિત્ર “ઈશ્વરકૃપા' નો ઉલ્લેખ, ‘માબાપનાં નામ” થાપાં જેવાં પ્રતીક મનમાં થોડોક પ્રશ્ન જગાવે છે કે આજનાં યુવકોનાં માનસ પર આ પ્રતીકો ધાર્યા મુજબ અસર ઉપજાવી શકે ખરાં? નવદમ્પતી એકબીજાને પોતાને ભૂતકાળ પૂછે નહીં, ને જણાવે પણ નહીં, પરંતુ માત્ર (ઉજજવળ) ભાવિ તરફ મીટ માંડીને જ ડગ ભરે - એવી એમની સલાહ પણ મને સમજાતી નથી. અમુક યુગલો માટે આ રીતે ઊભે થયેલે વિશ્વાસ જરૂરી હશે, પરંતુ એકબીજાને સંપૂર્ણ રીતે ઓળખીને, ઉદારતાપૂર્વક ભૂતકાળના ' પ્રસંગોને અપનાવીને કોઇ પણ અંતરપટ વગર ટકી રહેતો વિશ્વાસ વધુ જરૂરી નથી? વધુ આદર્શ નથી !
હસ્તમેળાપનું પ્રતીક વાર્ણવતા લેખક કહે છે કે “હસ્તમેળાપ એ ખરેખર પ્રથમ જ સ્પર્શ હોય એવી પવિત્ર મર્યાદા પરસ્પર જાળવી હોય તેના માટે જ આ સૂચક વિધિ સાર્થક થાય, નવા જીવનમાં મંગળ પ્રવેશ કરાવનાર થાય છે.” અને બ્રહ્મચર્ય માટે કહે છે કે “બ્રહ્મચર્ય પછી લગ્ન એટલે નરણે પેટે ભેજન–સ્વાદિષ્ટ, પોષક, નિરોગી.”
આ બન્ને કથન આદર્શની દષ્ટિએ ખરેખર સારાં છે. પરંતુ નવલે હિયા કૅલેજીયનને એ જનવાણી લાગે તે નવાઇ નહીં. એમની સેટીમાંથી આ નવી પેઢીમાંથી કેટલાં પસાર થઇ શકે? છતાં એક આદર્શ રજુ કરવાની દષ્ટિએ એ જરૂરી તે છે જ, - લગ્નસમયનું યુવાન માનસ વર્ણવતાં લેખક કહે છે કે “સામાન્ય રીતે પુરુ લગ્ન પછી પત્નીને કેમ અંકુશમાં રાખવી, તથા સ્ત્રીઓ પતિને કેમ વટાવો - તેવું જ વિચારતા હોય છે. અને ઘણાંખરાં લકોમાં લગ્ન એ રસાકસીને વિષય અને સંઘર્ષણના કાવાદાવા
જેવું હોય છે.” [ આ ચિત્ર વધુ પડતું નિરાશાવાદી નથી? અલબત્ત લેખકને આશય ' આ નિરાશામાંથી આશાનું કિરણ જગાવવાને છે અને એ માટે તેઓ સાચી દષ્ટિ આપે છે.
સ્ત્રીસ્વભાવનું વિશ્લેષણ કરતાં તેઓ સ્ત્રીની સમજાવટ, કાકલૂદી, વશીકરણ ને મેહ દ્વારા પુરુ પાસે કામ કરાવવાની આવડત અને કલા’ ને એની વિશેષતા ગણાવે છે. આ વાત કેવી રીતે સ્વીકારવી? પુરુષપ્રધાન હિન્દુ સમાજમાં તો નહીં જ! પરંતુ એ વાતમાં આગળ વધતાં તે સાચું કહે છે કે “સ્ત્રી પાસે બેધારી તલવાર છે–મેહ ને વૈરાગ્ય, પડતી ને ઉન્નતિ, પાપ ને પુણ્ય એ કરાવી શકે છે.” 'આ ‘તલવાર’ ને સાથે ઉપયોગ કરતાં શીખે તે એ જરૂર ધન્ય થાય ને ધન્યતા સર્જી શકે ! - સ્ત્રીસ્વાતંત્ર્યની વાત કરતાં લેખકે સ્ત્રીને પુષ્પ સમવડી થતાં વારી છે તે યોગ્ય છે. તેઓ સાચું કહે છે કે સ્ત્રી - પુરુષનાં મનેભાવ, બંધારણ ને ફરજો જુદી છે. તે મુજબ બેઉનાં વ્યકિતત્વ વિકસે ને એકબીજાના પૂરક થાય તે જ લગ્નજીવન સાર્થક થાય-સફળ થાય.
પરસ્પરના પરિચયમાં ઉતાવળે નજીક ન આવવાની સલાહ લેખકે સારી આપી છે. પરંતુ એક વાર નજીક આવ્યાં, જોડાયાં પછી પણ સહજીવનમાં થોડુંક અંતર શા માટે જોઇએ? તેઓ કહે છે તેમ હૃદયકુટિરમાં ‘ખાનગી' ને ‘જાહેર” વિભાગ પતિ-પત્ની વચ્ચે પણ શા માટે? સંપૂર્ણ આત્મવિલોપનમાં આ અંતરાયરૂપ ન થાય? આને આદર્શ તે કેમ કહેવાય?
આવા નાના નાના મુદ્દો બાદ કરતાં ‘લગ્નસાગર’ એમાં તરનારને અનેકવિધ માર્ગદર્શન ખૂબ સહૃદયતાથી આપે છે. આવી દષ્ટિ પામનાર તરવૈયાનું તરવું ઘણું પ્રસન્નતાભર્યું ને સફળ જ થાય. ‘લગ્નસાગરમાં તરતાં કરતાં મને પણ આમાંથી જે કંઈ જાણવા મળ્યું તે બદલ ફાધર વાલેસને ને આ પુસ્તક આપવા બદલ તમારો હાર્દિક આભાર!
- લે. ગીતાના વન્દન બે ચર્ચાપત્રો (તા. ૧-૮-૭૦ ના પ્રબુદ્ધ જીવનમાં સ્ત્રી જાતના પડછાયાથી દૂર રહેવા માગતા યોગીજી મહારાજ એ મથાળા નીચે પ્રગટ થયેલા મારા લખાણ અંગે નીચે મુજબના બે ચર્ચાપત્રો મળ્યા છે. પરમાનંદ)
(૧) શ્રી નંદલાલ શાહનો પત્ર મારા મિત્ર શ્રી નંદલાલભાઈ તા. ૨૩-૮-૭૦ ના પત્રમાં જણાવે છે કે “પૂજ્ય યોગીજી મહારાજને બચાવ કરવાનો મારો ઇરાદો નથી. તેમનો બચાવ કરનાર હું કોણ? માનવીનાં કર્મો – સપાટી ઉપરનાં કર્મો કયા હેતુથી – તેની પાછળનું પ્રેરક બળ કયું છે–તેની બીજાને ભાગ્યે જ જાણ હોઈ શકે અને તેવી જાણકારીના અભાવમાં થતી યા કરાતી ટીકા યોગ્ય ના પણ હોઇ શકે.
“એક અંગ્રેજી લેખક જણાવે છે તે મુજબ આપણી જાણકારી અધુરી હોય છે; આપણું શ્રાવણ અધુરૂં હોય છે; આપણું દર્શન અધુરૂં હોય છે. તે તે મુજબ આપણા અભિપ્રાય પણ અધુર -- અંશત: જ સાચા--હોઇ શકે છે.”
તંત્રી: જરૂરી જાણકારીના આધાર ઉપર અને પિતાના અનુભવ અને બુદ્ધિપૂર્વક સામાન્ય જનતાનું કોઈ બાબત ઉપર ખાસ ધ્યાન ખેંચવા જેવું લાગે છે તે વિશે કહેવું – અભિપ્રાય આપવો – તે પત્રકારનો ધર્મ છે. વિશેષ જાણકારી પ્રાપ્ત થતાં પેતાના આગળના કથન યા વિધાનમાં ભૂલ દેખાય તો તેને સત્વર એકરાર કરવો એ પણ પત્રકારનો એટલો જ મહત્ત્વનો ધર્મ છે. પૂરી જાણકારીના અભાવમાં મૌન સેવવું એ માર્ગ આત્મલક્ષી સાધકને હોઇ શકે, પત્રકારને નહિ. .
(૨) શ્રી મનસુખલાલ તારાચંદને પત્ર શ્રી મુરબ્બી પરમાનંદભાઇ,
મુંબઇ, ૭-૯-૭૦. વિ. તા. ૧-૮-૭૦ ના પ્રબુદ્ધ જીવન”માં “સ્ત્રીજાતના પડછાયાથી પણ દૂર રહેવા માગતા ગીજી મહારાજ' ના શીર્ષક નીચે તમે જે લેખ લખ્યો છે તે મને બહુ ગમે. “સ્ત્રીસમાગમથી દૂર ભાગવાની જરૂર નથી તેમ જ શીલ વિચારથી વિચલિત ન થવાય એવા Sex-proof જાતીય વિકારથી મુકત બનવાની દઢતા કેળવવાની જરૂર છે એવું તમારું મંતવ્ય તદ્દન સાચું છે અને બ્રહ્મચર્યને મુખ્ય હેતુ પણ આ જ છે. - જ્યારે છેલ્લે તમારે ત્યાં આવ્યો ત્યારે આ લેખ સંબંધમાં કોઇ ભાઈને વાંધો લાગ્યો છે તેવું તમે કહેતા હતા. આ સંબંધમાં એ ભાઇનું ધ્યાન નીચેની વાત પર જરૂર દોરવશે:
શ્રી સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-એના આચારવિચાર પાલનની બાબતમાં સ્પષ્ટ રીતે કહેલું જ છે કે:
. '
પરમાનંદ