________________
પ્રબુદ્ધ ન
તા. ૧-૧૦-૧૯૭૦
છતાં મક્કમ પગલે પાસે ને ડોક, હોઠ...બસ હવે થોડી જ
પાસે આવતું રહ્યું છે. કમર, છાતી, વાર છે! એ આવ્યું...આ આવ્યું....
ગામમાં ચાર પાંચ પાકા મકાનો છે તેમાં બૈરાં-છેકરાંઓને બેસાડી દીધાં છે. એક એક મકાનમાં સા---દોઢસો કે બસે। માણસે ભરાયા છે, પણ પૂરના પાણી ધૂઘવાટા સાથે અટ્ટહાસ્ય કરતા આગળ વધે છે અને મકાનોની દીવાલાને થપાટ મારીને ગબડાવે છે-છત ભાંગી પડે છે કડડભૂસ...અને અંદર આશરા માટે બેઠેલા માણસાની કાળી
કીયિારીના ચિત્કાર સંભળાય છે. બચાવા...કોઇ બચાવે....કેટલાક
ત્યાં ને ત્યાં જ છૂંદાઈ ગયા, કેટલાક તણાઇ ગયા−કોઇના હાથમાં ઝાડનું ડાળખું આવી ગયું તે પકડીને તેઓ ચાલુ પ્રવાહમાં ખેંચાવા લાગ્યા અને એ રીતે કુટુંબના એક પછી એક માળા વીંખાવા લાગ્યા– પીંખાઇ ગયા. આ રીતે માનવસમુદાયનું, મેાત કોળિયો કરી ગયું અને માનવ-પંખીના માળા વીંખી પીંખી નાંખ્યા. કેટલીયે મા વિધવા થઇ, કેટલાયે બેટાએ વિધુર થયા. એક બહેન પૂરના પ્રવાહમાં ખેંચાતા-ખેંચાતા હાથ વીંજતા-વીંજતા બચવાના પ્રયત્ન કરતી હતી, તેને ગળે નાનકડો નટુ હાથ ભરાવીને વળગી રહ્યો હતો, અને પાણીના ચાલુ પ્રવાહમાં તે કાલાવાલા કરતા હોય છે, ‘ ફઇ મને મૂકી દેતી નહીં... ફઇ મને મૂકી દેતી નહીં '... એ રીતે નર્મદાના પાણીમાં તેનો શ્વાસ ગળતા જતા હો.....અવાજ ડૂબતા
(‘લગ્નસાગર' લેખક: રેવ. ફાધર વાલેસ, પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, મહાત્મા ગાંધી માર્ગ, અમદાવાદ - ૧. કીંમત રૂા. ૯-૨૫. આ પુસ્તકનું અવલાકન મારી ઉપરના એક પત્રમાં બહેન ગીતાએ લખી મોકલ્યું છે. તેના ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પણ લાભ મળે એ હેતુથી તે અવલાકન નીચે રજૂ કરું છું. પરમાનંદ)
અમદાવાદ, તા. ૨૪-૭-૭૦
પૂજ્ય ભાઈ,
તમે મને ‘લગ્નસાગર' વાંચવા આપી ત્યારે ખૂબ આનંદ થયા, પરંતુ તમે જ્યારે એનું અવલોકન લખવાનું કહ્યું ત્યારે એવી જ મૂંઝવણ થઇ. સમાજ અને સાહિત્ય ક્ષેત્રે અગ્રગણ્ય સ્થાન પામેલા ફાધર વાલેસ જેવા પૂજનીય લેખકના પુસ્તક અંગે લખવું એ કેટલી મેટી જવાબદારી છે? છતાં તમે તમારો આગ્રહ છેડયા નહીં ત્યારે મને જે લાગ્યું તે નિખાલસભાવે જણાવું છું. ફાધર માટે ખૂબ જ આદર અને આવા પુસ્તક માટે પૂરો ઉમળકાભર્યો આવકાર આપતાં પતાં પણ મારાથી કોઇ વિચાર સાથે અસંમતિ દર્શાવાઇ જાય તે ક્ષમ્ય ગણશે.
રેવરન્ડ ફાધર વાલેસરચિત ‘લગ્નસાગરમાં તરતાં
જાતે સ્પેનિશ હાવા છતાં ફાધરનું ગુજરાતી પરનું સિદ્ધહસ્ત પ્રભુત્વ સાહિત્યરસિકોને હમેશાં આશ્ચર્ય પમાડે છે. વળી અનેક પ્રસંગોને કથાત્મક રીતે વણી લેતી એમની શૈલી ગંભીર ઉપદેશને પણ નવલક્થા જેવા રસાળ બનાવી શકે છે. આ પુસ્તકની વિશેષતામાં એની કલામયતા પણ એને લગ્નપ્રસંગની એક આકર્ષક ભેટ તરીકે યોગ્ય પુરવાર કરે છે. પરંતુ એથી ય વધુ મહત્વની છે એની ચિંતનસામગ્રી.
યુવાજગતન રાદિવસ સહવાસ પામતા ફાધરે માનવ સ્વભાવના ઘડતર અને જીવનના વિવિધ પ્રશ્નો અંગે ખૂબ ઊંડું ચિન્તન કર્યું છે અને આ વિષય પરની એમની લેખમાળાએ અનેક યુવકયુવતીઓ માટે પ્રેરણાના ખજાનારૂપ બની છે. જીવનમાં સાચે રાહ ભૂલેલા યુવાનદયને એ ખૂબ મમતાભર્યા હાથે પંપાળીને સાચે રાહે દોરવતાં જાણે કે કહી રહ્યા છે કે “બેટા, આમ ન કરાય !”’ આવી મીઠી દોરવણીથી જીવનમાં સુંદર પલટો લાવનાર એમની
વિનાયક કા અદા કર્યા
ળ
૧૨૫
પ
હતા...ત્યાં શાન્તાબહેનને ખ્યાલ આવ્યો કે નટુના હાથની પેાતાનાં ગળા પરથી છૂટી ગઇ છે... અને એની લાશ પ્રવાહમાં વિલિન થઈ ગઈ. ત્યાં જ શાન્તાબહેનના હાથમાં એક ઝાડની ડાળી આવી. તેને તે બાઝી પડી-જે રીતે નટુ તેની ડોકને વળગી પડ્યો હતા એ રીતે. ”
આવા કરુણ દશ્યો તેં કેટલાય સરજાયા અને કેટલાય માનવા આ રીતે .જળરાશિમાં સ્વાહા થઇ ગયા. હજારોની સંખ્યામાં ઢોરોને વિનાશ થયો-કરોડોની મિલકત તારાજ થઈ અને કરોડો રૂપિયાના ઉભા પાકનો નાશ થયા—આ બધી વિગતો કાળજા કંપાવે છે, જ્યારે આપણે ઇશ્વરકૃપાએ સાવ સલામત બેઠા છીએ, ત્યારે આવા ઝંઝાવાતની સામે ઝઝુમીને આકસ્મિક રીતે જેઓ બચી ગયા છે અને જેણે સર્વસ્વ ગુમાવ્યું છે – જે આપણા જ બાંધવા છે–તેમને શક્ય તેટલી મદદ કરવી તે સામાન્યમાં સામાન્ય પ્રજાજનની પવિત્ર ફરજ બની રહે છે. કાલે સવારે આપણી પર પણ આવી આફત નહિ ઊતરી આવે તેની કંઇ ખાતરી છે ખરી ?
તે. આ દારુણ દુ:ખમાં સપડાયેલા આપણા બાંધવાને મદદ કરીને આ જ પળે આપણે આપણી ફરજ બજાવીએ. તો મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત રેલ રાહત ફંડમાં આપની રકમ સત્ત્વર મોકલી આપવા વિનંતિ છે. શાન્તિલાલ ટી. શેઠ
તરતાં...
કલમે ‘લગ્નસાગર’ દ્વારા પણ યુવકોને અદ્ભુત પ્રેરણા આપી છે. પોતે અપરિણિત હોવા છતાં લગ્ન જેવા નાજુક ને અતિ મહત્વના પ્રશ્નને તેઓ સુંદર રીતે આત્મસાત કરી શકયા છે. વળી આવા નાજુક પ્રશ્નની ચર્ચામાં પણ એમની ભાષા આર્યસંસ્કારને ખૂબ ગૌરવભરી અભિવ્યકિત આપે છે.
લગ્નની મંગળ વધામણી આપતી કંકોતરીથી શરૂ થતું આ પુસ્તક હસ્તમેળાપની પવિત્રતા, કન્યાવિદાયના ધાપા, માતૃત્ત્વની માધુરી, બાળભગવાનના આગમનની પ્રસન્નતા વિગેરે પ્રસંગાને આવરે છે. આ સાથે વિવિધ વ્યકિતઓના જીવનમાં લગ્ન અંગે જે જે સંવેદના, મંથન, સમસ્યાએ અને તેના ઉકેલ થયાં હૈય તેનાં કથાપ્રસંગો પણ આલેખે છે. એ બધી વાતામાં ભારોભાર વાત્સલ્યથી અને ઊંડા સદ્ભાવથી ફાધરે આપેલા બાધ અનેક અજાણ વ્યકિતઓને પણ માર્ગદર્શક બની રહે છે. જો કે, આટલાં ઉદાહરણાથી સામાન્ય સિદ્ધાંત તારવવા મુશ્કેલ તો છે. કદાચ કોઇના અનુભવે આથી જુદી જ જાતના હાય તે! તેની દષ્ટિ પણ કંઇક જુદાં તારણ પર આવતી હોય—છતાં સમગ્રપણે જોતાં એમની આ સલાહ ઘણાંને જીવનનાં લગ્નવિષયક ઝંઝાવાતોમાં ટકી રહેવાનું બળ આપે છે. ઘણાને એમના ધ્રુવતારક લગ્નસાગરમાં તરતાં તરતાં સાચી દિશા બતાવી શકે છે. આજે પશ્ચિમી મનાભાવ અને નીતિશિથિલતા સામે ટકી રહેવા માટે તે આ પુસ્તક દ્રારા આર્ય સંસ્કાર ને પરમ્પરાન પાયો મજબૂત કરી રહ્યા છે. જે આજના આદર્શવિહીન યુવામાનસ માટે અત્યંત જરૂરી છે.
સાચા પ્રેમનું મહત્ત્વ ગાતાં તેએ સુંદર રીતે કહે છે કે, “જીવનનાં શાશ્વત મૂલ્યો, ધર્મ અને ભકિત, શાંતિ અને શ્રાદ્ધા એ જ મનની સ્વસ્થતા, દેહની તંદુરસ્તી, માણસના ક્લ્યાણના અટલ પાયો છે. પ્રેમ એ જીવનની ઉત્તમ દવા છે ને એ પુણ્ય દવાખાનામાં તમે હમણાં દાખલ થયા છે.”
અને એ માતૃત્વની મંગલગાથા એમણે કેવી સચોટ રીતે કરી છે: – “માતાનું બલિદાન પુત્રના ચારિત્ર્યનો પાયો છે ... માતા એ જીવનસ્ત્રોત, આદર્શ મૂતિ, પ્રેરણાતીર્થ છે ... તમે તમારી પત્નીને માત્ર પત્ની તરીકે નહીં પણ તમારાં ભાવિ બાળકોની માતા તરીકે