________________
પ્રભુ
નામ રાષ્ટ્રીય માવડીઓએ વિચાર્યું જ નહાતું. રેડી પરદેશ જવાના હતા તે પહેલાં તેઓ વડા પ્રધાનને મળવા ગયા ત્યારે વડા પ્રધાને તેમને કહ્યું કે તમારો મને ઉપયોગ છે અને તમારા જેવા લાયક માણસ કોઈ નથી – છતાં તેમણે અનિચ્છા દર્શાવી – અમ છતાં દબાણ કર્યું અને હા પડાવી. આ જાણી મોરારજીભાઈ અને કામરાજે તેમને અભિનંદન આપ્યાં-પરદેશમાં તેમણે નવો ધડાકો સાંભળ્યો. પરદેશથી આવીને વડા પ્રધાન સમક્ષ પાછી તેમણે અનિચ્છા દર્શાવી અને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખપદ ઝઘડાનું મૂળ બને તેમ હું ઈચ્છતા નથી. આમ છતાં વડા પ્રધાને લેખીત આગ્રહ કર્યો અને મેં જ તમારૂં નામ સૂચવ્યું છે તેમ કહ્યું : આટલા આગ્રહ કરીને તેમણે હા પડાવ્યા પછી વડા પ્રધાન જેવી વ્યકિત આવા વચનભંગ કરે તેવા બનાવ દુનિયાના ઈતિહાસમાં બન્યો નથી.
“ વડા પ્રધાને દીવાળીનાં કાર્યો બધાને માકલેલા તેમાં આબિદઅલીના કાર્ડમાં ગાંધીજીને ટાંકીને તેમણે જણાવેલું કે :
“સત્ય અને અસત્ય વચ્ચે ઝઘડો થાય ત્યારે સત્યની જ જીત
૨૧૪
થાય.”
આના જવાબ રૂપે આબિદઅલીએ પણ ગાંધીજીને ટાંકીને વડા પ્રધાનને જણાવેલું કે :
છે.”
“ જીવ જાય પણ વચન ન જાય એ મોટા માણસના ગુણ સત્તાસ્થાનનો પ્રશ્ન હાય ત્યાં આડીઅવળી વાતા થવાની. પણ મોટી જગ્યાએ બેઠા હો પછી હળાહળ પીવાની તૈયારી હોવી જોઈએ. વડા પ્રધાનને હઠાવવા માટે પણ અંદરખાને પ્રયત્નો થયા હશે. આ ગમે તે હોય પણ વડા પ્રધાને પોતાના સ્થાનના ગૌરવ અને મેાભાને ધક્કો લાગે તેમ કદી પણ વર્તવું ન ઘટે.
‘હું એમ પૂછી શકું કે જે પોતાની સરકાર સામે સત્યાગ્રહ કરે છે એવા પ. બંગાળના વડા પ્રધાનને ઈન્દિરાજી મળી શકે, દિવસમાં ચાર વખત અલગ અલગ વિચારસરણીવાળા ચાર પક્ષને મળે તે દસ મિનિટ નિર્જલિંગપ્પાને મળવામાં શું વાંધો આવે?
“દેશના દુશ્મનો સાથે સાદાબાજી કરીને શું કરશે ?
“ પ્રેમાળ, સજજન, સહ્રદયી, વિનમ્ર એવા નિર્જલિંગપ્પા જેવા બીજો માણસ મે જોયો નથી. તેમને માઈસારનું વડા પ્રધાનનું પદ છેડાવીને ઈન્દિરાજી આ પદે લાવ્યા – કામરાજે તે ના જ પાડી હતી—અને પેાતે જ લાવીને બેસાડેલા કૉંગ્રેસપ્રમુખ સામે ઈન્દિરાજી અવિશ્વાસની દરખાસ્ત લાવે - આના કરતા ચડે એવું હીંચકારું કોઈ કૃત્ય ન હોઈ શકે.
“આ કટોકટીના જવાબદાર વડા પ્રધાન જ છે. બસ! વર્ષની ગુલામી કરતા પણ આના પરિણામો ખરાબ આવશે.
“ આ બધી હકીકતો રજૂ કરવા પાછળ કોઈને ઉતારી પાડવાના મારો આશય નથી.
“સિદ્ધાંતવિહાણી નીતિથી દેશ આગળ વધી શકેશે નહિ. જનરલ ઈન્સ્યુરન્સનું રાષ્ટ્રીયકરણ એ તો ગારખધંધા જેવું થશે—જેમાં કાંઈ કમાવાનું છે જ નહિ. ઉત્પાદન વધારવા વિષે વિચારવું જોઈએ. આવા કામેા નક્કર રીતે કરવા માગતા હો તે એમાં હૃદયથી સાથ આપવા બધા તૈયાર છીએ. સાત વાત તમારી માનીએ તે તમારે સામાની ત્રણ વાત પણ માનવી જોઈએ. જીદથી – ભ્રાંતિથી જીવવાનું છેડો.
“તમે રાષ્ટ્રીયકરણ કર્યું તેને તો બધાએ અપનાવ્યું છે, તે બધાને સાથે લઈને કામ કરો. ફકત રાષ્ટ્રીયકરણ શબ્દમાં કોઈ જાદુ નથી – જો બાલવાથી ગરીબી ચાલી જતી હોય તે ચોવીસ કલાક આપણે તેમ બોલ્યા કરીએ - પણ તેના શું અર્થ?
“ સમગ્રપણે આયાતનું રાષ્ટ્રીયકરણ કરવું એના જેવી બીજી કોઈ મોટી મૂર્ખતા નથી. અજાણી લાખ આઈટોમાની ચકાસણી કોણ કરશે અને કેમ કરશે? આમ તે ઘણા નકામા માલ ઘુસી જશે
જીવન
10
૨
તા. ૧૬-૧-૭૦
અને દસ લાખ
વ્યાપારીઓ અને એની પાછળ નભતા બીજા પચાસ લાખ માણસને બેકાર કરીને તમે શું મેળવશેા? અમુક મહત્ત્વની થોડીક વસ્તુઓનું જ રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. --નિકાસનું રાષ્ટ્રીયકરણ તા અસંભવ અને અશકય જ છે. આના માટે ૧૯૬૭ માં મને કહેવામાં આવ્યું હતું અને મેં ના પાડી હતી." અમેરિકામાં જૈન ધર્મના પ્રચારની શરૂઆત ચિકાગેા શહેરમાં જૈન સાસાયટીની સ્થાપના
ભૌતિક જીવનની સફળતાઓ ધર્મને અવગણી શકે નહીં. જગતની કોઈ પણ સફળતા માનવીને ધર્મ – વિમુખ બનાવી શકી નથી. ‘અમેરિકા’ જેવા ભૌતિક સમૃદ્ધિથી સભર દેશમાં, ત્યાંની પ્રજાના “અધ્યાત્મ પ્રેમ ” આ વિષયના જીવતા જાગતા પૂરાવા છે.
તાજેતરમાં જ શિકાગા શહેરમાં સ્થપાયેલ “ જૈન સાસાયટી” માં ભારતીય જૈનો, જૈનેતર તથા બીજા ધાર્મિક આગેવાનો તેમ જ અમેરિકનો ખૂબજ રસપૂર્વક જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો તરફ આકર્ષાઈ, આ પ્રવૃત્તિને રાષ્ટ્રવ્યાપી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
જૈન સેાસાયટીની સ્થાપનાના વિચાર શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહ, શ્રી રમેશ સેાલંકી, શ્રીમતી નયનાબહેન સેલંકી, શ્રી પ્રવીણ એમ. શાહ, શ્રી જયકુમાર શાહ વગેરે ભાઈ-બહેનોને આવતાં, આ ભાઈબહેનોએ બીજા ઉત્સાહી ભાઈબહેનોના સંપર્ક સાધી તા. ૧૪-૪-૧૯૬૯ રવિવારના દિને શ્રી રમેશભાઈ સોલંકીને ત્યાં અવિધિસરની બેઠક ગાઠવી.
આ અવિધિસરની બેઠકના પરિણામે, તા. ૫-૧૦-૧૯૬૯ રવિવારના દિને શ્રી પ્રવીણ એમ. શાહના નિવાસસ્થાને, જૈન સેાસાયટીની સ્થાપના કરવામાં આવી, અને સેાસાયટીની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તરીકે શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહની વરણી સર્વાનુમતે કરવામાં આવી.
ભજનો, પ્રવચનો ઉપરાંત જૈન ધર્મના અમેરિકામાં તેમ જ અમેરિકન પ્રજાજનોમાં યોગ્ય પ્રચાર કરવાના હેતુથી, સંસ્થાની પ્રવૃત્તિઓને વિકસાવવા માટે કેટલાંક સૂચનો કરવામાં આવ્યા.
સાસાયટીની બીજી સભા તા. ૯-૧૧-૧૯૬૯ ના રવિવારે “શ્રી મહાવીર નિર્માણ દિન તથા દિપોત્સવી નિમિત્તે,” શ્રી ઉમેશ ચાકસીના નિવાસસ્થાને મળી હતી ત્યારે શિકાની શ્રી વિવેકાનંદવેદાંત સસાયટીના સ્વામીજી શ્રી ભાષ્યાનંદજીનું “ધર્મ અને આધ્યાત્મિક શિસ્ત ” પર પ્રવચન રાખવામાં આવ્યું હતું.
તા. ૭–૧૨–૬૯ના દિને શ્રી રમેશ સોલંકીના નિવાસસ્થાને શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહના અધ્યક્ષપદે, સોસાયટીની ત્રીજી સભા યોજવામાં આવી હતી. તેમાં શ્રી જવાહર મણિયારનું “ જૈનીઝમ પરનું પ્રવચન મનનીય હતું.
ભારત, દક્ષિણ આફ્રિકા તથા અમેરિકાના જુદા જુદા ભાગોમાંથી સેસાયટીની પ્રવૃત્તિ સંબંધી માહિતી પૂછતા પત્ર આવી રહ્યા છે.
પરદેશમાં વસતાં જૈનમાં ભાતૃભાવ કેળવી, ધાર્મિક જ્ઞાનના પ્રચાર અર્થે તથા જૈનેતર ભારતીયો તેમ જ અમેરિકનમાં જૈન ધર્મ તથા જૈન સંસ્કૃતિનાં પ્રચારઅર્થે પ્રવચનનું માધ્યમ અંગ્રેજી રાખવામાં આવેલ છે.
અમેરિકામાં લગભગ ૧૫૦ જૈન કુટુમ્બા હોવાના અંદાજ છે. આ બધાંની એક ડિરેકટરી પણ તૈયાર કરવાની નેમ છે.
‘ જૈન ધર્મ ’ ના સંદેશ, ભાષાપ્રાંત તેમ જ દેશની સીમા વટાવી સામાન્ય જનસમૂહ સુધી પહોંચી શકે, એ હેતુથી પુસ્તકો, રેકર્ડો તથા ‘ટૅપ ’ના ઉપયોગ સાસાયટી કરી રહેલ છે.
સેસાયટીની ચાથી સભા જાન્યુઆરી માસમાં શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહ ને ત્યાં મળશે. આ સભામાં સેાસાયટીનું બંધારણ પસાર કરી હોદ્દેદારો તથા કમિટી મેમ્બરોની ચૂંટણી કરવામાં આવશે.
આ સંબંધી વધારે માહિતી અમેરિકામાં શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહ, ૭૭૪૨, નોર્થ હેસ્કીન્સ, ચિકાગે, ૬૦૬૨૬, યુ. એસ. એ. અથવા ભારતમાં શ્રી અમૃતલાલ લ. શાહ, જન્મભૂમિ પંચાંગ કાર્યાલય, ઘોઘા સ્ટ્રીટ, મુંબઈ-૧ પાસેથી મળી શકશે.