________________
૧૧૮
પ્રબુદ્ધ જીવન
સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂંસવાના પ્રયાસ
(ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રસિદ્ધ થતી તા. ૨૫-૭-૭૦ ની કાગ્રેસપત્રિકામાં પ્રગટ થયેલ તંત્રીનોંધમાંથી નીચેની નોંધ અહીં સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. ભારતથી છુટા પડેલા પાકિસ્તાન તરફથી પ્રગટ થયેલા આઝાદીના ઇતિહાસમાં આવી ક્ષતિઓ જોવામાં આવે તો તે સમજી શકાય તેવું છે પણ કેન્દ્ર સરકારના પબ્લિકેશન ડિવિઝન તરફથી પ્રગટ થતી ‘આપણે સૌ એક દેશના વાસી' એ મથાળાની પુસ્તિકામાં સરદાર વલ્લભભાઈ પટેલના નામના ઉલ્લેખ ન હોય એ કલ્પી ન શકાય. આવી ત્રુટિ કોઇ આકસ્મિક ભૂલના કારણે ન જ હોઇ શકે પણ સહેતુક જ હોય એવા અનુમાન તરફ આપણું મન આપણને લઇ જાય છે. અને એ રીતે વિચારતાં કોઇ ચોક્કસ પક્ષ - વિપક્ષ બુદ્ધિ કેન્દ્રવર્તી ખાતા પાછળ કામ કરી રહી હોય એમ લાગ્યા વિના રહેતું નથી. હકીકતના તથ્યને વટાવી જવા સુધીની આ ધૃષ્ટતા આપણી નૈતિક અધેાગતિનું સૂચક છે અને એ વિચાર, દુ:ખ અને શરમ બન્ને લાગણીઓને આપણને એક સાથે અનુભવ કરાવે છે. પરમાનંદ)
કેન્દ્ર સરકારના પબ્લિકેશન્સ ડિવિઝન તરફથી “આપણે સૌ એક દેશના વાસી” નામની પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. “૧૯૪૭માં ભારત આઝાદ થયું તે આ સદીની એક મહાન ઘટનાઆમાંની એક હતી.” આ વાક્યથી શરૂઆત કરીને દેશમાં ભાવાત્મક એકતાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વચમાં ‘આઝાદીના વર્ષો’ શીર્ષક નીચે નીચેનું લખાણ છાપવામાં આવ્યું છે:
“કરોડ ભારતીયોના લાડીલા, ગાંધી – વિચારસરણીથી ઘડાયેલા, સ્વાતંત્ર્યસંગ્રામવીર જવાહરલાલ નેહરુએ સ્વાતંત્ર્ય પછીનાં કટોકટીભર્યાં વર્ષોમાં દેશનું સુકાન ઉત્તમ કલ્પનાશકિત અને બાહોશીથી સંભાળ્યું. અખંડ અને પ્રજાસત્તાક ભારતની રાજકીય અને આર્થિક બુનિયાદી તૈયાર કરવામાં જવાહરલાલ નેહરુના જેટલા વ્યકિતગત ફાળા બીજા કોઇને નથી. સ્વતંત્ર રાષ્ટ્ર અને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક તરીકેની ભારતની ઘણી સિદ્ધિ ઉપર એમના નેતૃત્ત્વની મુદ્રા અંકિત થયેલી છે.
“આઝાદી પહેલાંના ભારતના રાજકીય નકશા ઉપર નજર કરો. એ નકશા “બ્રિટિશ” ભારત અને “રજવાડાં” ભારતના હતા. પાંચસેા ને ત્રેસઠ જેટલાં રજવાડાં અખંડ ભારતના લગભગ અડધા જેટલા પ્રદેશ રોકીને પડયાં હતાં. એક રીતે તા એ બધામાં સાર્વભૌમ ‘રાજ્યા' ની ક્ષમતા હતી. બ્રિટિશરોએ ભારત છેડયું ત્યારે તેમણે મૂળ આ રાજવીઓ પાસેથી પેાતાના હાથમાં આવેલી સંપૂર્ણ સત્તા એમને જ પાછી સોંપવાના નિર્ણય કર્યો. વળી અંગ્રેજો જતાં ભારતના જે ભાગમાં રાજકીય સત્તા સીધી લોકોના હાથમાં આવી પડી હતી, ત્યાં રાષ્ટ્રીય એકતાના પ્રશ્ન ઊભા થયા હતા. ભારત અખંડિતતાની પેાતાની આ સમસ્યા કેવી રીતે ઉકેલે છે તેના ઉપર તેની અખંડિતતા ટકવાનો કે તૂટી પડવાનો આધાર હતો.
“ભારતની અત્યારની વસતિના લગભગ અડધા જેટલા લોકોએ ત્યાર પછીના નોંધપાત્ર બનાવો સગી આંખે જોયા. પ્રત્યેક રાષ્ટ્રપ્રેમી ભારતીય, જે રાજવીઓને રાષ્ટ્રવિરોધી, બ્રિટિશતરફી અને રૂઢિજડ માનતા હતા, તે રાજવીઓએ ઉદાત્ત વિવેકબુદ્ધિ દાખવીને કેન્દ્ર સરકારને પેાતાનું સાર્વભૌમત્વ અર્પણ કર્યું. ત્રણ અપવાદને બાદ કરતાં બાકીનાં બધાં જ રાજ્યા, ભારત આઝાદ બન્યું તે જ દિવસે, અખંડ ભારતમાં ભળી જવા સંમત થયાં. આ રકતહીન ક્રાન્તિ ઇતિહાસમાં અજોડ છે.”
ઉપરના બે લખાણોના અભ્યાસ કરીશું તો જણાશે કે જવાહર
તા. ૧૬-૯-૧૯૭૦
લાલ નેહરુને જેટલા બિરાદાવવામાં આવ્યા છે તેની સરખામણીમાં, રાજ્યોના વિલિનિકરણ માટે સરદાર વલ્લભભાઇ પટેલને યશ આપીને ફરજ અદા કરવાનું ભૂલીને, તેમના નામમાત્રના ઉલ્લેખ કરવાનું પણ કેન્દ્ર સરકારના પબ્લિકેશન ડિવિઝનને યોગ્ય લાગ્યું નથી. રાજ્યાનું વિલિનીકરણ કરાવવા માટે સરદાર વલ્લભભાઇ પટેલે કુનેહ અને દીર્ઘદષ્ટિ વાપરીને ભારતની જે સેવા કરી છે, તેટલી બીજા કોઇએ કરી નથી; તેમ છતાં પબ્લિકેશન્સ ડિવિઝનને એમના નામના ઉલ્લેખ કરવા જરૂરી લાગ્યો નથી એ શેાચનીય છે.
ઇતિહાસને ભૂંસવાના ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરવામાં આવે, તેવા પ્રસંગા ઘણા છે. સ્ટૅલિનના શબને કાઢીને બીજે દાટવામાં આવ્યું. ટ્રોમ્સ્કીના નામમાત્રનો ઉલ્લેખ પણ રશિયાનાં પ્રકાશનમાં બાદ રાખવામાં આવ્યો છે. ભારતના ઇતિહાસના બનાવા તાજા છે. તેને ઇરાદાપૂર્વક ભૂંસવાનો પ્રયાસ થાય ત્યારે, પ્રસ્તુત બાબતમાં ગુજરાત એકલું નહીં પરંતુ આખુંયે ભારત, ભારતના બિસ્માર્કનું બિરૂદ જેમને આપવામાં આવ્યું છે તેમના ઉલ્લેખ અંગે અનિચ્છનીય ક્ષતિ કરે તેની નોંધ લીધા વિના ચાલે તેમ નથી.
નમ્ર વિજ્ઞપ્તિ
સ્વ. યુગવીર આચાર્ય શ્રી વિજ્યવલ્લભ સુરીશ્વરજી મહારાજની જન્મ સતાબ્દી સં. ૨૦૨૭ ના કારતક સુદ ૨ તા. ૨-૧૧-૭૦ ના રોજ ભારતભરમાં ઉજવાશે તથા તા. ૨૬, ૨૭, ૨૮-૧૯૭૦ ડિસેમ્બરમાં મુંબઇમાં ગોવાલિયા ટેંક મેદાનના ભવ્ય મંડપમાં ઉજવાશે. તે પ્રસંગે ભવ્ય સાહિત્ય - પ્રદર્શન ભરાશે. તે પ્રદર્શનમાં રાખવા માટે સ્વ. ગુરુદેવના જીવન પ્રસંગાના જે કંઇ ફોટાઓ જેમની પાસે હોય તે માકલાવી આપવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
ફોટાઓ મેકલવાનું સ્થળ :
(૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગાવાલિયા ટેંક, મુંબઇ-૨૬. (૨) પૂ. આ. શ્રી વિજય સમુદ્રસૂરિશ્વરજી મહારાજ ગોડીજી ઉપાશ્રય, પાયધૂની, મુંબઇ - ૨.
કાન્તિલાલ ડી. કોરા
મંત્રી શ્રી આત્માનંદ જૈન સભા સિત્તેર વર્ષની સંધ્યાએ’ના સંદર્ભમાં તા. ૧૫-૮-૭૦ ના ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ - સિત્તેર વર્ષની સંધ્યાએ એ લેખ વાંચીને ભૂમિપુત્રના તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ શ્રી ગગનવિહારી મહેતા ઉપર તા. ૧૯-૮-૭૦ ના રોજ તંત્રી.
પત્ર લખતાં જણાવે છે કે :
“આપનો પરિચય નથી છતાં પૂ. સ્વામીદાદા પાસેથી ઘણીવાર આપના વિશે સાંભળ્યું છે. આજે ‘પ્રબુદ્ધ જીવન' માં આપના લેખ વાંચ્યા, પરિચય માટે તે પૂરતા છે. તેમાં જીવન વિશેના જે નરવા દષ્ટિકોણ અભિવ્યકત થાય છે, તે પુલકિત કરી મૂકે એવા છે અને હૃદયમાં પિરિચત પડઘા પાડે છે. અમારા જેવા જુવાનને તેમાંથી ઘણુ શીખવાનું મળે તેમ છે.”
*
*
બીજાઓને તિરસ્કાર કરવા તે સાવ અસ્થાને છે. કેમકે ખાસ તો ભગવાન સર્વની અંદર રહેલા છે. એ વસ્તુ પણ સ્પષ્ટ છે, કે માણસની પ્રવૃત્તિઓ તથા અભિલાષા તે ક્ષુદ્ર અને નિરર્થક વસ્તુઓ નથી, કારણ કે, આખું ય જીવન તે આત્માના અંધકારમાંથી દિવ્ય પ્રકાશ પ્રત્યે થઇ રહેલી અભિવૃદ્ધિની ક્રિયા રૂપે છે. પરંતુ અમારું વલણ એવું છે, કે માનવ મન જે સાધનો વાપરે છે, રાજકારણ, સામાજિક સુધારા, પરોપકાર, વગેરે, તે સાધનાથી માનવજાતિ તેની સીમાઓની બહાર નીકળી શકે તેમ નથી—આ બધું તે ફકત તાત્કાલિક કે સ્થાનિક રાહત રૂપે જ હોઇ શકે છે. આથી સાચેસાચ મુકત થવાની એક માત્ર રીત એ છે, કે ચેતનાના પલટો થાય; એ પલટો તે એક વધારે મહાન, વધારે વિશાળ અને વધારે વિશુદ્ધ સ્વરૂપમાં થાય, અને તે પલટાના પાયા ઉપર જીવનની અને કામની રચના બની રહે.
શ્રી અરવિંદ
12