________________
તા. ૧૯-૯-૧૯૭૭
પ્રમુજ જીવન
તારાબહેન શાહ મુંબઈ યુનિવર્સિટીનાં એમ. એ. છે અને સફિયા કૅલેજમાં કેટલાંક વર્ષોથી ગુજરાતી ભાષાનું અધ્યાપન કરાવે છે. આ બન્ને દંપતી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે અનેક વાર ઉપરિથત થય છે.
આવા રમણભાઈની ભાવી કારકિર્દી સતત ઉજજવલ બનતી રહે અને આપણા સમાજને અને ગુજરાતી સાહિત્યને તેમની સેવાઓને અવિરત લાભ મળતો રહે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના હો! સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર ઉતરેલી દિલ કંપાવતી આફત અને પાર વિનાની સર્જાયેલી તારાજી
વ્યતીત થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રારંભની સભામાં બેલતાં મેં આનંદ વ્યકત કર્યો હતો કે “આ વર્ષે ચોતરફ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે અને સૌરાષ્ટ્ર તથા ગુજરાતના દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં વસતા પ્રજજને ઊંડો સંતોષ, રાહત અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને આગામી વર્ષ અનાજપાણીથી છલકાઇ જશે એવી આશા સેવી રહ્યા છે.” આવો આનંદ વ્યકત કર્યાને અઠવાડિયું દશ. દિવસ પસાર થયા ન થયા અને પરિસ્થિતિએ એકાએક પલટે લીધો છે અને અતિવૃષ્ટિએ સૌરાષ્ટ્રના કેટલાક વિભાગમાં અને ગુજરાતના પણ કેટલાક વિભાગમાં-ખાસ કરીને ભરુચ અને નવસારી જિલ્લામાં - કલ્પનામાં ન આવે એવી તારાજી સરજી છે, ભરૂચ અને ભરૂચ જિલ્લા ઉપર તે કદરતનો કાળો કોપ ઉતર્યો છે. આ તારાજીનાં વર્ણન દૈનિક પત્રોમાં વાંચીને દિલ કંપી ઊઠે છે. ઝઘડિયાના ગ્રામવિસ્તારોમાં સંખ્યાબંધ માનવીઓ મરણશરણ થયા હોવાનું જણાવવામાં આવે છે. ઢોરઢાંખર અને બકરા તથા બીજાં જાનવરોની જાનહાનિનો કોઇ અંદાજ આવી શકતો નથી. અનેરી આશા આપતો પાક પણ જળપ્રવાહમાં તણાઇ ગણે છે. મિલ્કતની હાનિનો આંકડો ત્રણ કરોડ ઉપર અંદાજવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં સુખચેનમાં બેઠેલા–સુતેલા આપણું શું કર્તવ્ય? પરિસ્થિતિ, આભ ફાટયા જેવી લાગે છે. એમ છતાં જેમને આ આફત સીધી સ્પર્શ નથી તેઓ અનેક રીતે - દ્રવ્યથી, જરૂરિયાતની ચીજો પૂરી પાડીને દવાદારૂ પોંચતાં કરીને. રાહતગ્રસ્ત વિસ્તારમાં મદદરૂપ થવા માટે જાતે પહોંચી જઈને - મદદ કરીને આ આફતને હળવી કરી શકે છે. આ સંબંધમાં સમયસર અપીલ બહાર પાડતા ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઇએ જણાવ્યું છે કે “મને શ્રદ્ધા છે કે આવી આપત્તિ વારંવાર આવે છે તેમ છતાં, ગુજરાતી પ્રજા, દેશ અને દેશ બહાર વસતા ગુજરાતીઓ અને ગુજરાત પ્રત્યે મમતા રાખનાર સહુ કોઇ આ કાર્યમાં મદદને હાથ લંબાવશે. કોણ કેટલી રકમ આપે છે તેના કરતાં વધારે અગત્યની વાત તો એ છે કે, સહ કોઈ ઉમ્મર કે સંપત્તિના ભેદ વગર- પિતાના બાંધવોને મદદ કરવા પોતાને હાથ લંબાવે.. જુદી જુદી રાજકીય, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, કર્મચારીઓ અને આમ જન - દરેક પોતપોતાની શકિત અનુસાર આ કાર્યમાં મદદ કરે. વિદ્યાર્થીઓ અને યુવાને આ કાર્ય ઉત્સાહથી ઉપાડી લે અને નાનકડી રકમ આપીને પણ પિતાની ભાવના પ્રદર્શિત કરે એવી મારી સૌને આગ્રહભરી જાહેર વિનંતિ છે.” શ્રી હિતેન્દ્ર દેસાઇની આ વિનંતિ આપણે સર્વ ધ્યાનમાં લઇએ અને આપણાથી બનતું કરી છૂટીએ! સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે અંગત નિવેદન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત તા. ૨૯ ૮-૭૦ થી તા. ૬-૯-૭૦ એમ નવ દિવસની–પર્યુષણ વ્યાખ્યાનમાળા નિયત
કાર્યક્રમ મુજબ પસાર થઇ ગઇ છે અને એમાં ભાગ લેનાર માટે. અનેક મીઠાં સ્મરણો મૂકી ગઇ છે. આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની કેટલીક વિગતે મંત્રીઓના નિવેદનમાં રજૂ કરવામાં આવી છે. તેની વૈચારિક આલેચના પ્રસ્તુત વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન જેમણે શોભાવ્યું હતું તે પ્રાધ્યાપક શ્રી ગૌરીશંકર ઝાલા દર વર્ષ માફક આ વખતે પણ ‘પ્રબુદ્ધ જીવન’ માટે તૈયાર કરી આપવાના છે જે હવે પછીના પ્રબુદ્ધ જીવન માં પ્રગટ કરવામાં આવશે. અહિં તે અંગત નોંધ રૂપે હું થોડુંક કહેવા - સૂચવવા માંગું છું.
ચાલુ મહિના દરમિયાન મારી તબિયત જોઇએ તેટલી સારી રહેતી નહોતી અને અવારનવાર ચક્કરની બિમારી પીડા આપતી હતી. આ કારણે આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં હું હાજર રહી શકીશ કે નહિ અથવા તો કોઈ પણ વ્યાખ્યાનસભા દરમિયાન અડધી સભાએ બહાર ચાલી જવાની મને ફરજ પડશે એવી મને ભીતિ હતી. સભાગ્યે વ્યાખ્યાનમાળાના નવે દિવસ દરમ્યાન બધી વ્યાખ્યાનસભામાં હું હાજર રહી શકયે, એટલું જ નહિ. પણ, ભાગ પણ લઇ શકો એ કારણે હું ખૂબ સંતેષ અને પ્રસન્નતા. અનુભવું છું.
મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી વ્યાખ્યાનમાળા એ મારા સ્વપ્નનું સાકાર દર્શન છે. સદ્ભાગ્યે મુંબઈ જૈન યુવક સંઘ સાથે તેના પ્રાદુર્ભાવથી મારું જોડાણ રહ્યું છે અને ૧૯૩૬ની સાલથી.. આ જોડાણ વધારે ને વધારે સક્રિય બનતું રહ્યું છે. ૧૯૩૩ ની સાલના ડીસેમ્બરમાં હું જેલમાંથી છૂટ અને ત્યાર બાદની ઘણુંખરૂં સૌથી પહેલી વ્યાખ્યાનમાળાનું આયોજન કરવાનું મારે માથ આવેલું. આથી આગળના એક બે વર્ષથી ઇ. સુખલાલજીના માર્ગદર્શન નીચે અમદાવાદ ખાતે નાના આકારમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાની શરૂઆત થઇ ચૂકી હતી. તે સમયથી આજ સુધી, સંઘના સભ્યોના પૂરા સદભાવ અને સહકારને કારણે પ્રસાત આયોજન ઘણા મોટા ભાગે મારા હાથમાં જ રહ્યું છે. આ રીતે આજે જેણે વધારે વિશાળ અને સઘનરૂપ ધારણ કર્યું છે એવી સંઘદ્રારા જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજ સુધીના વિકાસને હું સાક્ષી છું. અતિ સીમિત આકારમાં ભરાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રારંભનાં વર્ષો દરમિયાન તે અંગે મારું સ્વપ્ન હતું કે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા એવું સાર્વજનિક રૂપ ધારણ કરે કે જેમાં જૈનેતરો પણ સારા પ્રમાણમાં હાજરી આપે, જેમાં ભાગ લેવા માટે દૂર દૂર વસતા વ્યાખ્યાતાઓને નિમંત્રણ આપવામાં આવે, જેમાં મુકત ચિન્તનની આપલે થાય, જેમાં કોઈ સંપ્રદાયને આગ્રહ ન હોય પણ માનવી જીવનનાં ઊંચા મૂલ્યોનું મુકત ભાવે વિતરણ થાય, જે માત્ર જૈન સમાજ માટે નહિ પણ સમગ્ર પ્રજાજને માટે વૈચારિક ઉન્મેષનું પર્વ બને, જેમાં આજના વિચારપ્રવાહનું વ્યાખ્યાતાઓ સમ્યક નિરૂપણ કરે અને શ્રોતાઓમાં નૂતન ચેતના જાગૃતી પેદા થાય, જે પ્રવૃત્તિની આર્થિક તાકાત એવી સુદઢ અને વિશ્વસનીય બને કે હિન્દ બહારના વિશ્વચિંતકોને પણ જિજ્ઞાસુ સમુદાય સમક્ષ રજૂ કરવાનું શકય બને અને દેશ - પરદેશના મહાપુરુષોનાં પ્રત્યક્ષ દર્શન–પ્રત્યક્ષ પરિચય–સુલભ બને. આવું મારું સ્વપ્ન આજે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અમુક અંશે સાકાર બની રહ્યું. છે. આ કારણે હું મારા જીવનની અનેરી ધન્યતા અનુભવું છું.
આ જ રીતે આપણે આવતા વર્ષે પર્યુષણના દિવસે દરમિયાન ફરીથી મળીશું અને આથી પણ વધારે તેજસ્વી કાર્યક્રમના ભાગીદાર બનીછું, એવી આપણે આશા રાખીએ. આમ છતાં પણ કાલ કોણે દીઠી છે? અંગત રીતે વિચારતાં-ઘટતી જતી શારીરિક ક્ષમ તાને ખ્યાલ કરતાં–આવતા વર્ષે આપણું ઉભય મીલન કદાચ શકય ન પણ હોય. આમ છતાં હું હોઉં કે ન હોઉં, મને ખાત્રી છે કે મારા સાથી મિત્રો, આ પરંપરાને કુશળતાપૂર્વક ચાલુ રાખશે અને ઉપર જણાવેલ મારા સ્વપ્નને સંપૂર્ણ અર્થમાં સાકાર કરવા માટે પૂરતું સામર્થ્ય અને પુરુષાર્થ દાખવશે. સંઘના ફાળાને લક્ષ્યાંક પૂરો કરવા અનુરોધ
આ વખતે પર્યુષણ વ્યાખ્યાનમાળાની પહેલા અને એ દર મિયાન. નાંધાતા સંધના ફાળામાં આશરે રૂ. ૧૭૦૦૦ ની રકમ
,