________________
૧૧૪
•
પ્રભુ જીવન
પ્રકી નોંધ
સ્વ. ડોલરરાય માંકડ
તા. ૨૯ મી ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રના જાણીતા સાહિત્યકાર, પ્રખર શિક્ષણશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રી ડૉલરરાય માંકડનું ૬૮ વર્ષની ઉંમરે રાજકોટથી પચાસ માઇલ દૂર અલિયાબાડા ખાતે હૃદયરોગના હુમલાથી દુ:ખદ અવસાન થયું.
તેમનો જન્મ ૧૯૦૨ ના જાન્યુઆરીની ૨૩ મી તારીખે કચ્છના વાગડ તાલુકાના જંત્રી ગામે થયો હતો. ૧૯૨૭માં સંસ્કૃત અને ગુજરાતી સાથે એમ. એ. થયા પછી ૧૯૪૭ સુધી કરાંચીની ડી. જે, સિંધ કૉલેજમાં તેમણે સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૪૭માં દેશના ભાગલા થયા પછી તેઓ વલ્લભ વિદ્યાનગરમાં જોડાયા. ૧૯૫૩ માં અલિયાબાડા આવી દરબાર ગોપાલદાસ મહા-વિદ્યાલયની સ્થાપના કરી. ૧૯૬૦ ના જૂનમાં એ કૉલેજનું આચાર્યપદ તેમણે છેડયું. અલિયાબાડા તેમની કર્મભૂમિ છે. ત્યાં તેમણે શિક્ષણ, ખેતીવાડી અને વિનયનની કાલેજો શરૂ કરી.
સૌરાષ્ટ્ર યુનિ. ની સ્થાપના થઇ ત્યારે કુલપતિપદ માટે સૌની નજર એમના પર જ ઠરી અને ૧૯૬૬ની ૧૮મી ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સુકાન સંભાળ્યા બાદ તેમણે ઘણા સુખદ:ખ અને વાવાંઝાડામાંથી સૌરાષ્ટ્ર યુનિ. ને હેમખેમ પાર ઉતારી.
તેઓએ સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે બજાવેલી સેવા એટલી બધી સંગીન વૈવિધ્યપૂર્ણ અને ચિરસ્થાયી મૂલ્યવાળી હતી કે એના પરિણામે સમાજના હૃદયમાં તેઓ સાચા વિદ્યાગુરુ તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. તેઓ એક સમાન્ય પ્રાધ્યાપક નહાતા. પ્રાચ્યવિદ્યાઓ, ઇતિહાસ, પુરાણ, સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યના અને વિવેચનના એમના અભ્યાસ તલસ્પર્શી હતા. આ ઉપરાંત નાટક, છંદ, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના પણ તેઓ અગ્રગણ્ય પંડિત હતા. સાહિત્ય - ઇતિહાસ અને શિક્ષણના વિષયમાં તેમણે અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં સત્તર પુસ્તકો લખ્યાં છે.
રણજિતરામ સુવર્ણચન્દ્રકની પ્રાપ્તિથી માંડીને ‘નૈવેદ્ય’માટે સાહિત્ય અકાદમીને પુરસ્કાર પામનાર શ્રી ડૉલરરાય માંકડના નિધનથી ગુજરાતને સાહિત્ય અને શિક્ષણને ક્ષેત્રે જલ્દી ન પૂરાય એવી ખોટ પડી છે.
ઇશ્વર સદ્ગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે અમે એમને અમારી શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
સુમેધભાઇ એમ. શાહ
શ્રી કાન્તિલાલ ઉમેદચંદ બારોડિયાનું દુ:ખદ અવસાન
તા. ૩૦-૮-૭૦ સામવારની સવારના ભાગમાં રાંધની કાર્યવાહક સમિતિના વર્ષોજુના સભ્યશ્રી કાન્તિલાલ ઉમેદચંદ બરોડિયાનું અણધાર્યા હાર્ટઍટૅકના પરિણામે એકાએક આવસાન થતાં સંઘને એક સાથી મિત્રની ખોટ પડી છે. અવસાન વખતે તેમની ઉંમર ૫૧ વર્ષની હતી.
તેમનો જન્મ ૧૯૧૯ ની સાલમાં અમદાવાદ ખાતે થયો હતા. તેમના પિતાશ્રી શ્રી ઉમેદચંદ દોલતચંદ બરોડિયા જૈન સમાજના એક કાર્યકર્તા હતા અને મુંબઇ જૈન યુવક સંઘના પ્રારંભના વર્ષોમાં તેમના સંઘને ઘણા મેટો સાથ હતા. શ્રી કાન્તિભાઇએ ‘સ્ટોક એકસ્ચેન્જ ' એ વિષય ઉપર મહાનિબંધ લખીને એમ. કોમની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને તેમના પિતાશ્રીના પગલે ચાલીને પેાતાની કારકિર્દીની શરૂઆત મુંબઇના સ્ટોક એકસ્ચેન્જમાં જોડાઇને કરી હતી. તેમણે વર્ષોના વહેવા સાથે કેટલેક સમય હૈદ્રાબાદ સ્ટોક એકસ્ચેન્જના સેક્રેટરી તરીકે, ત્યાર બાદ ઇન્ડિયન મરચી ચેમ્બરના સહાયક અધિકારી તરીકે, ત્યાર બાદ ધી
તા. ૧૬-૯-૧૯૭૦
બોમ્બે ઓઇલ સીડ્સ એન્ડ ઓઇલ્સ એકસ્ચેન્જમાં સિનિયર આસિ. સેક્રેટરી તરીકે સેવા બજાવી હતી. ઇ. સ. ૧૯૬૬ માં સોલવન્ટ એકસટ્રેકટર્સ એસોસિયેશનના મંત્રી તરીકે તેમની નિમણુંક થઇ હતી અને જીવનના અંત સુધી તેઓ તે કામગીરી ઉપર હતા. તેમના જીવનના છેલ્લાં દશ વર્ષ તેમણે તેલ, તેલીબિયાં અને ખાળના વ્યવસાયની સેવામાં ગાળ્યાં હતાં.
જીવનનિર્વાહ અર્થે આ વ્યવસાય સાથે તેઓ આજીવન સંકળાયેલા હતા પણ તે સાથે તેઓ અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. કામર્સ ગ્રેજ્યુએટ્સ એસસીએશનના તેઓ ૧૯૬૧ ની સાલથી પ્રમુખસ્થાને હતા અને મહાવીર જૈન વિદ્યાલય, મુંબઇ જૈન યુવક સંઘ, વિલેપારલે કૉંગ્રેસ મંડળ સમિતિ, વિલેપારલે ગુજરાતી સમાજ વગેરે અનેક સંસ્થાઓના તેઓ સક્રિય કાર્યકર હતા. વર્ષોથી તેઓ વિલેપારલેમાં સહકુટુંબ
વસતા હતા.
તેઓ સારા લેખક અને વિવેચક હતા. અર્થકારણ તેમના વિશિષ્ટ અભ્યાસના વિષય હતા. કેટલાક મરાઠી નાટકોનું તેમણે ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું. મુંબઇના ઓલ ઇન્ડિયા રેડિયા ઉપરથી તેમના અવારનવાર વાર્તાલાપો યોજાતા હતા.
તેઓ પેાતાની પાછળ ધર્મપત્ની અને પુત્ર-પુત્રીઓના બહોળા પરિવાર મૂકી ગયા છે. તેમના કુટુંબીજનો વિશે આપણે ઊંડા અન્તરની સહાનુભૂતિ દાખવીએ. તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાર્થીએ ! ડૉ. રમણલાલ ચી. શાહને હાર્દિક અભિનંદન
ડૉ. રમણલાલ ચી. શાહ જેઓ અમારા મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના કેટલાંક વર્ષોથી એક સભ્ય અને સહકાર્યકર છે તેમની મુંબઇ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના ‘રીડર’ તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. આ માટે તેમને આપણાં સર્વના હાર્દિક અભિનન્દન ઘટે છે. આ પ્રસંગે તેમના પરિચય અસ્થાને નહિ ગણાય.
તેમના જન્મ વડોદરા જિલ્લામાં આવેલા પાદરા ખાતે ઇ. સ.૧૯૨૬ માં થયેલા, પણ પ્રાથમિક શિક્ષણ બાદનું તેમનું સમગ્ર શિક્ષણ મુંબઇમાં થયું. ૧૯૪૮ માં તેઓ બી. એ. થયા; ૧૯૫૦ માં તેઓ એમ. એ., થયા અને ગુજરાતીમાં સૌથી વધારે માર્કશ મેળવીને તેમણે બળવન્તરાય ઠાકોર સુવર્ણચંદ્રક અને કેશવલાલ ધ્રુવ પારિતોષિક પ્રાપ્ત કર્યા. ૧૯૫૧ની સાલથી તેઓ જે કાલેજમાં ભણ્યા તે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે નિમાયા. ત્યાર બાદ નળ - દમયન્તીની કથાના વિકાસ ઉપરમહાનિબંધ લખીને ૧૯૬૧ માં તેમણે પી. એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૩ થી પી.એચ. ડી. ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની યોગ્યતાનું મુંબઈ યુનિવર્સિટીએ તેમને પ્રદાન કર્યું. પરિણામે આજ સુધીમાં તેમના માર્ગદર્શન નીચે છ વિદ્યાર્થીઓએ પી. એચ. ડી., ની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને બીજા છ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન નીચે પી. એચ. ડી. માટે થીસીસ તૈયાર કરી રહ્યા છે. આ ‘ઉપરાંત તેમણે ૧૯૫૧ થી ૧૯૭૦ સુધી એન. સી. સી. ના ઓફિસર તરીકે કામગીરી બજાવી છે અને હાલ તેઓ મેજરના હોદો ધરાવે છે.
તેમના આજ સુધીનાં પ્રકાશનોની યાદી આ મુજબ છે: મનીષા; સેનેટ સંગ્રહ (શ્રી મીનુ દેસાઇ સાથે), (૨) કોષ્ઠ નિબંધિકાઓ (સંપાદંક, શ્રી મીનુ દેસાઇ સાથે), (૩) ઍવરેસ્ટનું આરોહણ, (૪) ગુલામેાના મુકિતદાતા, (૫) નળ દમયંતી રાસ, (૬) જમ્મૂસ્વામી રાસ, (૭) કુવલય માળા, (૮) શ્યામરંગ સમીપે’ (એકાંકી નાટક સંગ્રહ જેને માટે વર્ષના શ્રેષ્ઠ એકાંકીનું પારિતોષિક ગુજરાત સરકારે તેમને આપ્યું છે. (૯) ૧૯૬૨ નું ગ્રંથસ્થ સાહિત્ય.
અહિં જણાવવું અસ્થાને નહિ ગણાય કે તેમનાં પત્ની સૌ.
8