SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૧૯૭૦ પ્રબુદ્ધ જીવન મિશનરીઓને આપણે સેંપી દીધું છે. ભલા આ કામે તે દરેક વ્યકિત માટે છે. આપણા બે હાથ લંબાવીએ એટલા જ પરિઘમાં આપણું કર્તવ્ય શરૂ થાય છે. આવું સમજાય તે સમાજની શકલ પલટાઇ જાય ! દુ:ખનો અનુભવ થતાંની સાથે જ તેમાંથી ભાગવાનું મન થાય છે. જીવનમથન અને દુ:ખમાંથી છટકવાની તરકીબે ઘણી ઘણી છે: એક તરકીબ છે ગણ્યાં કરવાની. ઘણીવાર ગણવાનું છોડીએ ત્યારે જવાબ મળે, પણ આપણે દરેક સવાલને ઝટ જવાબ મેળવી નિ:સંશય થવા માગતા હોઇએ છીએ. બે ને બે ચાર એવી રીતે બધી જ બાબતેને પલાખાંથી મેળ નથી ખાતો, તાળે નથી મળતો. “હું, સ્ત્રીઓ તે ચંચળ જ હાય!”' “હું, કાઠિયાવાડી છે ને !” “હં, પેલા ચટણા, પીળા ચાંદલા, કાગડા, ટીલા પર વિશ્વાસ પૂર્વે જ નહીં.” વાત કરીએ છીએ સમાનતા અને ઍકયની, પણ મેતલબથી માણસનું વર્ગીકરણ કરી, વ્યકિતને સ્વીકારવાને બદલે વ્યકિતને અલગ પાડીતેને આપણે સદંતર વખેડીને, ડામી, હોમી દેતાં હોઇએ છીએ.' Sweeping statements થી કેટલી ચઢવણી, કેટલે ઉશ્કેરાટ થાય છે? પરિણામે મોટા ખટલા ઊભા થઇ જતા હોય છે. ઘણીવાર જીવનમાં એમ થતું હોય છે ત્યારે પાણી ભરવા ગયેલી બાઈ, ઘેર મૂકે તેનું ધાવણું બાળક, રાપ અને પાળેલાં નોળિયાની વાર્તા યાદ આવે છે. કેટલી નિર્દોષ વ્યકિતઓ પેલા નેળિયાની જેમ આપણા નિર્ણયોને ભેગ બનતી હોય છે !' થોડીક વ્યકિતઓ વચ્ચેના ઝઘડાના જનસમૂહમાં આઘાતપ્રત્યાઘાત પડે છે. એને લઇને વેરઝેર ખૂબ વધી જાય છે. મોટી તડો અને ફાટફ ટને પરિણામે હિંસા થાય છે. કોઇ પણ પક્ષે માણસને હિંસા પિતા માટે ગમતી નથી અને તેથી તેને પ્રતિકાર કરવામાં હિંસા વધુ ભયંકર બને છે. તે માણસ શોધે છે શું? એને જોઇએ છે શું? મહાવીર સ્વામીનું એક વચન છે: “સર્વ પ્રાણીઓને પોતાનું આયુષ્ય પ્રિય છે, રસુખ અનુકૂળ અને દુ:ખ પ્રતિકૂળ છે. મરણ સર્વને અપ્રિય લાગે છે અને જીવવું સર્વને પ્રિય લાગે છે. જીવમાત્ર જીવિત રહેવાની કામનાવાળાં હોય છે. સર્વને પોતાનું જીવન પ્રિય લાગે છે.” પ્રાણીમાત્રને-મનુષ્યને જીવવું છે, બસ જીવવું છે. એટલે તેને મરવું નથી. આ જીવવાની–ન મરવાની વૃત્તિ - urge પ્રબળતમ કહી શકાય. કદી ન મરવા માટે અમરત્વ-immortality અને જીવવા માટે માનવ Self-preservation – રવરક્ષણને ઐચ્છુક છે. “ચિરસ્તન બનાવવું – બનવું એમાં પ્રાણીમાત્રની અભિસા રહેલી છે: યૌવન, પ્રેમ, સંપત્તિ, કીર્તિ, એ ચિરસ્થાયી બને તેમ સહુ કોઈ વાંછે છે. તેમ કરવામાં તે આખું જીવન ગુજારે છે. અમૃત + અને અમરત્વ માટે દેવ-દાનવ વચ્ચે વૈમનસ્ય બંધાયું હતું. કુલાભિમાન અને દેશાભિમાન "પ્રણય અને અપત્યપ્રેમ જીવમાત્ર માટે કરુણા પિતાના યશને દિગ્વિજય – એ સર્વ અમરત્વ માટેની તાલાવેલીને આવિષ્કાર છે. પિતાની જાતને ટકાવી રાખવાની, જાતિને-વિશ્વને ટકાવી રાખવાની, જીવમાત્રમાં વૃત્તિ રહેલી છે. એ વૃત્તિને લઈને ઉદાત્ત તેમ જ હીચકારાં કૃ બન્યા જ કરે છે. તેને અમરફળની છાધા કહી. ‘સ્વરક્ષણની વૃત્તિ’ instinct of Self-Prservation તેમાંથી જન્મે છે. અસ્તિત્વ માટેના સંગ્રામ - struggle of existenceતેમાંથી ઊપજે છે. ' એને લઈને મનુષ્ય પરોપકારી કર્મ કરે છે. દવાખાનાં, દેવમન્દિર પાઠશાળા અને ધર્મશાળાઓ તે બનાવે છે. એને લઇને મનુષ્ય સેવા કરે છે. રણક્ષેત્રમાં ખપી જાય છે. આ મરકીમાં, રેલસંકટ અને ભક૫માં ' યુદ્ધરૂપી મહાસંકટમાં હજારો માણસે એકબીજાને રાહત આપવા નીકળી પડે છે. બીજને ટેકો આપી પોતાને ટેક માણસ શોધે છે " - અમરત્વ શોધે છે. ' મનુષ્યના આહાર અને મૈથુન તે પણ અમરત્વની કામનાને લઇને છે.' જીવમાત્ર તે વૃત્તિથી ઉત્તેજિત થઇ : એકબીજાને હણે છે અને ભણે છે- તેમ કરી પિતાને પોષે છે. અને રક્ષે છે. એ સ્વ-રક્ષણની વૃત્તિમાંથી ઇર્ષ્યા ઉદ્ ભવે છે. તેને લઇને યુદ્ધો થાય છે. અમરત્વ માટેની ઊંડી લાલસા : દેહને ટકાવી રાખવાથી જ નહિં પણ તેને હેમી દેવાથી પણ સંતોષાય છે. નિ:સ્વાર્થપણું, ત્યાગ, સ્વાર્પણ, આજ્ઞાનું પાલન, ભકિત, પ્રેમ એ સદ્ ગુણ લેખાય છે. પણ સણને એથે મનુષ્ય ભય, કાયરતા, દાસત્વને પણ ખીલવ્યાં છે. સત્તાલાભી સમાજે તેને તત્ત્વજ્ઞાન અને નીતિને નામે ઓળખાવ્યાં છે. રાજ્ય પ્રજા પાસેથી સ્વામી દાસ પાસેથી પતિ ' પત્ની પાસેથી મોટેરાં નાનેરાં પાસેથી ઊંચા વર્ણ, નીચા વર્ણ પાસેથી જ્ઞાતિ વ્યકિત પાસેથી આ સદ્ગુણને નામે ભેગ લીધા જ કરે છે. સમાજે સ્વમાની, સ્વતંત્ર માનવને દુર, દ્રોહી, સ્વાર્થી અને નાસ્તિક ઠરાવ્યો છે અને તેવા માનવને વધસ્તંભે ચઢાવ્યા છે. સમાજની રાહે ન ચાલનારા માનવીના કૂન્યથી સમાજની સલામતીને પ્રથમ ફટકો લાગે છે, પણ છેવટે સમાજ તેમાં કાંઇ ફાયદો જુવે છે ત્યારે તેમને પૂજે છે અને વખાણે છે. એવા માનવપુત્ર તે મહાવીર, ઇસુ, મીરાં - મનુષ્યની દુર્બળતાને ફાયદો સશકત મનુષ્ય ઉઠાવે છે. સશકત મનુષ્યનાં આધુનિક શસ્ત્રો છે. ભાષણો, સમાચારપત્ર. ટેલીવિઝન. આમજન દડાની જેમ અફળાય છે એ અફળાવાની સ્થિતિ તે લોકમાનસ અને ટોળાશાહી mob-mentality (અપૂર્ણ) લીનાબહેન મંગળદાસ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy